ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે રાજ્ય સરકાર સજાગ ઝાંઝમેર ગામે ધારાસભ્ય આત્મારામ પરમારના હસ્તે આડબંધનું ખાતમુહૂર્ત
હિન્દ ટીવી - ગુજરાતી,
સિંચાઈ વિભાગ અને પીડીલાઈટ ઉદ્યોગના સહયોગ સાથે લોકભારતી જળસંગ્રહ અભિયાન અંતર્ગત ઝાંઝમેર ગામે આડબંધ ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય આત્મારામ પરમારે ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે સરકાર સજાગ રહી છે તેમ જણાવ્યું હતું. ઝાંઝમેર ગામે રંઘોળી નદી પર આ પ્રસંગે ધારાસભ્યશ્રી આત્મારામ પરમારે સરકાર દ્વારા અગાઉ સરદાર પટેલ સહભાગી જળસિંચન યોજના, સૌરાષ્ટ્ર જલધારા સંસ્થા વગેરેનો ઉલ્લેખ કરી થયેલી જળસંગ્રહ કામગીરીના સુખદ પરિણામોની વાત કરી હતી. તેઓએ ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે રાજ્ય સરકાર સજાગ છે તેમ જણાવી આ વિસ્તારમાં અન્ય જળસંગ્રહ કામો માટે પણ થાય તે માટે અનુરોધ કર્યો હતો. ધોળા પાસેના ઝાંઝમેર ગામે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ અને પીડીલાઈટ ઉદ્યોગના સહયોગ સાથે રંઘોળી નદી પર વિશાળ આડબંધ નિર્માણ હેતુ યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા અરુણભાઈ દવેએ વડાપ્રધાન...




