Friday, September 4News That Matters

Gujarat

નિકાવા ગામે કૃષ્ણ જન્મોત્સવે નગરચર્યા, ભક્તિથી ગુંજ્યું ગામ

નિકાવા ગામે કૃષ્ણ જન્મોત્સવે નગરચર્યા, ભક્તિથી ગુંજ્યું ગામ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ       ભારતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની અનેરી ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે પણ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.      દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિ-નિકાવા અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકાવા ગામના હૃદય સમાન નંદીગ્રામ ચોક ખાતે સવારે ગ્રામજનો એકત્ર થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણના ગુણગાન, રાસ અને જયઘોષના નારા સાથે શોભાયાત્રાએ ગામની મેઈન બજારમાં નગરચર્યા માટે પ્રસ્થાન કર્યું હતું.      શોભાયાત્રામાં અલગ-અલગ સુશોભિત વાહનોમાં ભગવાન શ્રીકૃષ્ણને બિરાજમાન કરી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રાસ મંડળના ભાઈઓ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી, તો માર્ગમાં બહેનો દ્વારા ફૂલો અને અબીલ-ગુલાલથી ભગવાનનું ભાવભ...
નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નીલકંઠધામમાં ‘શ્રાવણોત્સવ’નો ભવ્ય પ્રારંભ!

નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નીલકંઠધામમાં ‘શ્રાવણોત્સવ’નો ભવ્ય પ્રારંભ!

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, નર્મદા    રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પાંચ દિવસીય મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો. અહીં 15 સ્ટોલ્સ દ્વારા સખી મંડળોની બહેનોના હસ્તે બનેલી કલાત્મક વસ્તુઓ અને પ્રાકૃતિક પેદાશોનું વેચાણ થઈ રહ્યું છે. ✅ 5 સખી મંડળોને ₹29.50 લાખની લોનનું વિતરણ.  🗓️ ક્યારે: 26 થી 30 ઓગસ્ટ.  📍 સ્થળ: નીલકંઠધામ, પોઈચા. આવો, 'વોકલ ફોર લોકલ'ના મંત્રને સાર્થક કરીએ અને આપણી બહેનોને આત્મનિર્ભર બનાવીએ....
જામનગર વિજરખી ડેમમાં ગેરકાયદેસર નિર્માણ પામેલ મજારને હટાવવા ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા કલેક્ટરને રજૂઆત!!!

જામનગર વિજરખી ડેમમાં ગેરકાયદેસર નિર્માણ પામેલ મજારને હટાવવા ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા કલેક્ટરને રજૂઆત!!!

Gujarat
હિન્દ ન્યુઝ, કાલાવડ - જામનગર      જામનગરના વિજરખી ડેમની સરકારી જમીનમાં મુખ્ય માર્ગથી અંદાજે 100 થી 150 મીટર અંદર વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર મજાર બનાવવાના પગલે 'હિન્દ રક્ષક સંઘ' દ્વારા આ ગંભીર અને ચિંતાજનક બાબતને વાચા આપવા આક્રોશ સાથે જામનગર કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.      'હિન્દ રક્ષક સંઘ' દ્વારા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, વિજરખી ડેમ એ જામનગરની જીવાદોરી સમાન છે. આવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક સ્થળે બનેલ ગેરકાયદેસર મજાર ભવિષ્યમાં ગંભીર સુરક્ષા અને પર્યાવરણીય પ્રશ્નો ઉભા કરી શકે છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી, આ ગેરકાયદેસર દબાણને નિયમોનુસાર દૂર કરવામાં આવે અને જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.     આ તકે 'હિન્દ રક્ષક સંઘ'ના સંસ્થાપક અધ્યક્ષા માનનીય ડૉ.સીમાબેન પટેલ, લીલુબેન મોઢવાડીયા, દુર્ગા સેના રાષ્ટ્...
ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે “ડિઝાઇન થિંકિંગ” પર નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું

ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે “ડિઝાઇન થિંકિંગ” પર નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ    ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે ISTE ચેપ્ટર અંતર્ગત પ્રથમ વર્ષ B.E. ના વિદ્યાર્થીઓ માટે "ડિઝાઇન થિંકિંગ" વિષય પર એક વિશેષ નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્નોડેસ્ક ડિઝાઇનોવેશન સર્વિસિસના સ્થાપક અને GTU સ્ટાર્ટ-અપ કોચ કર્મજિતસિંહ બિહોલાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનોવેશન અને નવીન વિચારસરણી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  તેમણે જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળતા મેળવવા માટે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યવહારુ સમસ્યાઓના અસરકારક ઉકેલ માટે યુઝર એમ્પથી (AEIOU ફ્રેમવર્ક), સ્કૅમ્પર (SCAMPER) પદ્ધતિ તથા પ્રોટોટાઇપિંગ જેવા સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે. વધુમાં, તેમણે વિદ્યાર્થીઓને પોતાના વિચારોને પ્રોટોટાઇપ અને મિનિમમ વાયબલ પ્રોડક્ટ (MVP) માં રૂપાંતરિત કરીને સ્ટાર...
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ   સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, માર્ગ સલામતીના ચિહ્નો તથા અકસ્માત સમયે માનવતાપૂર્ણ મદદ અંગે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં એસ. કે. ગામીત (RTO), એન. એસ. કડિયા (ARTO), એન. સી. પટેલ (IMV) તેમજ ઇન્ટરસેપ્ટર વાનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, એમ. કે. દામા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, જિલ્લા ટ્રાફિક શાખા, દાહોદ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ સોમાભાઈ, જિલ્લા ટ્રાફિક શાખા, દાહોદ દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  એસ. કે. ગામીત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માટે હેલ્મેટના મહત્વ તેમજ વાહન ચલાવતી વખતે જરૂરી સાવચે...
ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો

Gujarat
GSFDCના ગૌરવવંતા ૫૦ વર્ષ હિન્દ ટીવી - ગુજરાતી, બરોડા     ઉત્કૃષ્ટ કામગીરી કરેલા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના નિવૃત અને કાર્યરત અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા પોતાની સ્થાપનાના પચાસ વર્ષ થવાના સુવર્ણ જયંતી ઉજવણી કાર્યક્રમનું વિશેષ આયોજન બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, અલકાપુરી ખાતે GSFDCના મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. એ.પી.સિંહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિગમની છેલ્લા પાંચ દાયકાઓની વર્ષ ૧૯૭૬ થી ૨૦૨૬ સુધીની સુવર્ણ સફર, વન સંરક્ષણ, વનવાસીઓનો સર્વાંગી વિકાસ અને તેમની આજીવિકા માટે કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યોની વિગતવાર જાણકારી આપવામા આવી હતી. કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના નિવૃત અને કાર્યરત અધિકારી-કર્મચારીઓને મુખ્ય મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાય...
જામજોધપુર ખાતે આંગણવાડી કાર્યકરો માટે ‘સાયબર ક્રાઇમ અને ડિજિટલ સુરક્ષા’ અંગે જાગૃતિ તાલીમ યોજાઈ

જામજોધપુર ખાતે આંગણવાડી કાર્યકરો માટે ‘સાયબર ક્રાઇમ અને ડિજિટલ સુરક્ષા’ અંગે જાગૃતિ તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર    ડિજિટલ યુગમાં સતત વધતા જતા ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ સામે રક્ષણ મેળવવા તેમજ ગ્રામીણ ક્ષેત્રે સુરક્ષાનું કવચ મજબૂત કરવાના આશયથી જામજોધપુર ખાતે તાલુકાની તમામ આંગણવાડી વર્કરો માટે ‘સાયબર ક્રાઇમ અને ડિજિટલ સુરક્ષા’ વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ICDS વિભાગ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી તમામ કાર્યકરોને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ દરમિયાન સાયબર નિષ્ણાતો દ્વારા દૈનિક ડિજિટલ વ્યવહારોમાં રાખવાની થતી સાવચેતીઓ અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે, કોઈપણ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ સાથે બેંક ખાતાની વિગતો, એટીએમ કાર્ડ નંબર, પાસવર્ડ કે OTP ક્યારેય શેર ન કરવો જોઈએ. આ ઉપરાંત સોશિયલ મીડિયા કે મેસેજમાં આવતી અજાણી લિંક્સ, લોટરી લાગ્યાના મેસેજ કે નોકરીની લોભામણી જાહેરાતો પર ક્લિક...
દાહોદ પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો

દાહોદ પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ     દાહોદ જિલ્લા સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને આજરોજ દાહોદ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. આપણે આઝાદીના અમૃત વર્ષ ૭૫ વર્ષમાં પ્રવેશ્યા ત્યારે ૧૪૦ કરોડ ભારતીયોના માનસપટ પર આઝાદી મળતા પહેલા વિભાજન પીડિતોની સ્મૃતિ હંમેશા યાદ રહે તે માટે ૧૪ ઑગસ્ટ, ૨૦૨૧ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાનું નક્કી કરેલ છે. વિભાજન માત્ર પીડાની સ્મૃતિ નથી, પણ ફરી વસેલા લોકોની મહેનત અને દેશ પ્રત્યેની લાગણીની સ્મૃતિઓ છે. ભાગલા પડ્યા ત્યારે દોઢ કરોડ વિસ્થાપિતો અને શરણાર્થીઓને પુનઃસ્થાપિત કરવામાં એક સમય ગયો હતો. તેની સ્મૃતિરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાનું નક્કી કર્યું છે. ત્યારથી આજના દિવસે આ દિવસ મનાવવામાં આવે છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના આ કાર્યક્રમમાં...
સાબરકાંઠાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ

સાબરકાંઠાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાબરકાંઠા    સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં આજે હિંમતનગર ખાતે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ લક્ષી કામો અને જનકલ્યાણકારી યોજનાઓની સર્વાંગી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં કાર્યરત વિવિધ પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિનું આકલન કરી તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો છે. મંત્રીશ્રીએ પ્રત્યેક વિભાગની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવીને પ્રજાલક્ષી કાર્યોમાં ગતિ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ વિવિધ વિભાગોના વડાઓ પાસેથી ચાલી રહેલા વિકાસ કામો, પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ અને આગામી આયોજન અંગે વિગતવાર અહેવાલ મેળવ્યો હતો. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે વિકાસ કામોમાં ગુણવત્તા અને પારદર્શિતા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ...
માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-૨૦૨૬માં ગુજરાતનો ઐતિહાસિક વિજય: જામનગરના નચિકેતા ગુપ્તા બન્યા ગોલ્ડન ચેમ્પિયન

માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-૨૦૨૬માં ગુજરાતનો ઐતિહાસિક વિજય: જામનગરના નચિકેતા ગુપ્તા બન્યા ગોલ્ડન ચેમ્પિયન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર    એશિયાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક સાહસિક રમત સ્પર્ધાઓ પૈકીની એક એવી 'માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-૨૦૨૬'માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-૨ તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ભવ્ય વિજય સાથે તેઓએ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા સમગ્ર ગુજરાતના પ્રથમ કયાકર બનવાનું બહૂમાન મેળવ્યું છે. કેરળના કોઝિકોડ જિલ્લાના ચાલીપુઝા અને ઇરુવાઝિંજી નદીઓના અતિ તીવ્ર અને ખતરનાક રેપિડ્સ પર યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત ૧૦થી વધુ દેશોના શ્રેષ્ઠ કાયકરોએ ભાગ લીધો હતો. સ્પ...