Saturday, February 14News That Matters

Education

પ્રજ્ઞાચક્ષુ બાળકો બાદ હવે શ્રવણ દિવ્યાંગોને નાગરિક સંરક્ષણની તાલીમ

પ્રજ્ઞાચક્ષુ બાળકો બાદ હવે શ્રવણ દિવ્યાંગોને નાગરિક સંરક્ષણની તાલીમ

Education
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ       જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક  આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર અને નાયબ નિયંત્રક ધવલ પંડ્યા અને કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વેલસ્પન કંપનીના સહયોગથી મૂક-શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓને કુદરતી અને માનવ સર્જિત હોનારત સમયે આત્મસુરક્ષા તેમજ રાષ્ટ્રસેવામાં સજ્જ રહેવા પાયાની તાલીમ આપવામાં આવી. આ અગાઉ કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ ભુજ સ્થિત નવચેતન અંધજન મંડળ ખાતે ૧૫૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે તાલીમના મોડ્યુલ બ્રેઈલમાં તૈયાર કરવામાં આવ્યા હતા. આ તાલીમથી પ્રેરણા લઈને તરત જ શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓ માટે સંકેત ભાષા આધારિત તાલીમનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો. જે દર્શાવે છે કે કચ્છ નાગરિક સંરક્ષણ દળ દરેક નાગરિકને પાયાની તાલીમ આપવા પ્રત્યે કટિબદ્ધ છે. સ...
રાજ્ય સરકારની “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0” (SSIP 2.0) વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને આત્મનિર્ભરતાનો એક નવો જોશ ભરી રહી છે

રાજ્ય સરકારની “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0” (SSIP 2.0) વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને આત્મનિર્ભરતાનો એક નવો જોશ ભરી રહી છે

Education
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ      રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ 17 શૈક્ષણિક સંસ્થાઓને રૂ. 2.82 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે, જેમાંથી 1,241 વિદ્યાર્થીઓએ 570 ઇનોવેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. SSIP2.0ના આવા જ એક પ્રોજેક્ટ હેઠળ 24 વર્ષીય કૃપા બોડાએ માત્ર રૂ.15,000ની મૂડીથી "મોરિક ડીલાઇટ" નામની પૌષ્ટિક ચોકલેટ તૈયાર કરી છે, જે સરગવાની શીંગ જેવા આરોગ્યપ્રદ શાકભાજીમાંથી બનેલી છે. ચેતન ઠાકર અને ભાવના વૈધના માર્ગદર્શન હેઠળ તેનું આ પ્રોજેક્ટ SSIPમાં પસંદ થયું હતું. કૃપાએ ચોકલેટ માટે FSSAI નોંધણી અને લેબ ટેસ્ટ પણ કરાવ્યા છે અને હવે પેટન્ટની દિશામાં આગળ વધી રહી છે.  રાજ્ય સરકારની આ પહેલ થકી વિદ્યાર્થીઓ “જોબ સીકર” થી “જોબ ગીવર” બની રહ્યા છે. SSIP 2.0 ગુજરાતી યુવાનો માટે નવી શક્યતાઓના દ્વાર ઉઘાડી રહી છે....
જામનગરમાં ધો.૧૦ પછીના ડીપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોનો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

જામનગરમાં ધો.૧૦ પછીના ડીપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોનો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

Education
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર       જામનગરમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનાર તારીખ ૨૮/૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૩૦ કલાકે, સરકારી પોલિટેકનિક, સેમીનાર હોલ,ન્યુ બિલ્ડીંગ,વાલસુરા રોડ,જામનગર ખાતે યોજવામાં આવશે જેમાં સરકારી પોલિટેકનિક જામનગરના તજજ્ઞો માર્ગદર્શન પુરૂ પાડશે. આ સેમિનારનો ઇચ્છુક ઉમેદવારો મહત્તમ ભાગ લે તે માટે સરકારી પોલિટેકનિકના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે....

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ-૨૦૨૫

Education
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ                આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાનાર છે. બોર્ડની પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ મુદ્દે રાજ્ય કક્ષાની વીડિયો કોન્ફરન્સ શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશ કુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ યોગ્ય તૈયારીઓ સાથે યોજાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સમાં બોટાદ કલેક્ટર ડો. જીન્સી રોય સહિત જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓ જોડાયા હતા.             આ વીડિયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે કેન્દ્રોની સંખ્યા,બ્લોક વ્યવસ્થા,તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ...

બોટાદ જિલ્લામાં બોર્ડની ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની પરીક્ષાને અનુલક્ષીને જરૂરી પ્રતિબંધો ફરમાવતા નિવાસી અધિક કલેક્ટરશ્રી

Education
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ             બોટાદ જિલ્લામાં આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોટાદ જિલ્લામાં ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ-૧૬૩ (ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩(૧૯૭૪નો ૨ જો)ની કલમ- ૧૪૪)થી તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવ્યુ છે કે, આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી ધોરણ-૧૦ની પરીક્ષાનો સમય સવારના ૧૦:૦૦ થી ૧૩:૧૫ કલાક અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા સવારના સેશન સમય ૧૦:૩૦ થી ૧૩:૪૫ કલાક સુધી તેમજ બપોરના સેશનનો સમય ૧૫:૦૦ થી ૧૮:૧૫ કલાક સુધી તથા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પર...
જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષ સ્થાને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષ સ્થાને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

Education
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર               આગામી તા.ર૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ,જિલ્લા,તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવા, વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટે...

ધો.૧૦ – ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ ન કાઢવા તથા પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ,ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ

Education
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર આગામી તા.૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે. પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં અડચણ ન રહે અને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જિલ્લામાં પરીક્ષા માટે નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ પરીક્ષા કેન્દ્રોની આસપાસ પરીક્ષાઓ હોય તે દિવસોએ પરીક્ષાઓના સમય દરમિયાન ( સવારે ૧૦:૦૦ કલાકથી ૧૮:૩૦ કલાક દરમિયાન) તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષ...
ભાવનગરમાં શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ “માતૃભાષા મહોત્સવ 2025” કાર્યક્રમ યોજાશે

ભાવનગરમાં શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ “માતૃભાષા મહોત્સવ 2025” કાર્યક્રમ યોજાશે

Education
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર            વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “માતૃભાષા મહોત્સવ 2025” અંતર્ગત “મળી માતૃભાષા મને ગુજરાતી” વિષય પર કાર્યક્રમ તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના સવારે ૮ કલાકે શ્રીમતી કાપડિયા મહિલા આર્ટસ કોલેજ, નાના અંબાજી મંદિર પાસે, કોર્ટ રોડ ભાવનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ડો. ભાગ્યેશ જહા તેમજ વક્તા ડો. કે. ડી. બગડા, ડો. પારૂલબેન ભટ્ટ રહેશે. કાર્યક્રમનું સંચાલન ડો. મહેન્દ્રસિંહ ડાભી કરશે તેમજ કાર્યક્રમના સંયોજક ડો. જીતેન્દ્ર મકવાણા રહેશે. કાર્યક્રમના નિમંત્રક ડો. ચંદ્રિકા એલ. સોલંકી અને ડો. જયેન્દ્રસિંહ જાદવ રહેશે....
ભાવનગરમાં પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય ખાતે અગ્નિશામક યંત્રોનું પ્રદર્શન યોજાયું

ભાવનગરમાં પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય ખાતે અગ્નિશામક યંત્રોનું પ્રદર્શન યોજાયું

Education
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર        પી એમ કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર પરા ખાતે તા. ૧૫-૦૨-૨૦૨૫ ના રોજ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના માર્ગદર્શન એવમ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ન્યૂ દિલ્હીના દિશાનિર્દેશ અનુસાર ભાવનગર મહાનગર પાલિકાના ફાયર એન્ડ આપાતકાલીન વિભાગ દ્વારા વિદ્યાર્થોઓ માટે ફાયર સેફટી અને પ્રતિકારના પ્રાથમિક પગલાં અંગે સાવધાની ફેલાવવા એક વિશેષ પ્રદર્શન યોજાયું. વિદ્યાલયના આચાર્ય નીરજ જોનવાલ દ્વારા પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સજાગત અને સાવચેતી વધે છે જે આવનારા સમયમાં વિદ્યાર્થોઓ માટે ઉપયોગી નિવડશે....

આણંદ ખાતે રૂ. ૧૮.૫ કરોડના ખર્ચે નવનિર્મિત ઇપ્કોવાલા ઓડિટોરિયમનું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ

Education
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ       આણંદ ખાતે સરદાર પટેલ રાજમાર્ગ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ઇપ્કોવાલા ઓડિટોરિયમનું શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે , અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, પૂ.ભાઇકાકા જેવી મહાન વિભૂતિઓએ આ વિસ્તારના લોકોના સામાજિક-શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે આદરેલા શિક્ષણ-સેવાના યજ્ઞના યોગદાનમાં આજે એક છોગુ ઉમેરાયું છે. આ ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. જે આણંદ, વિદ્યાનગર અને ખેડા જિલ્લાના નગરજનોને ઉપયોગી સાબિત થશે. ઓડિટોરિયમ માં ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઉભી કરવામાં આવી છે. આ ઓડિટોરિયમના નિર્માણમાં યુનિવર્સિટી તેમજ પદાધિકારીઓની મહેનત રંગ લાવી છે. ઓડિટોરિયમનો ઉપયોગ તંદુરસ્ત રીતે કરી આપણી સંસ્કૃતિનું જતન થાય તેવી મંત્રી એ અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓડીટોરીયમની બેઠક ક્ષ...