એક એવા સરકારી તબીબ જે પોતાના કેન્સરના દર્દને ભૂલીને કરે છે સામાન્ય દર્દીઓની સેવા
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા
આજના સમયમાં જ્યાં લોકો નાની તકલીફમાં પણ હિંમત હારી જાય છે, ત્યાં વડોદરા જિલ્લાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. સ્મિતાબેન કનુભાઈ રાઠવા અનેક શારીરિક પીડાઓ વચ્ચે પણ દર્દીઓની સેવા કરીને સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. છેલ્લા ૧૬ વર્ષથી તેઓ મેડિકલ ઓફિસર તરીકે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે. પોતાને કેન્સર હોવા છતાં તેઓ દર્દીઓની સેવા કરવાનું ચૂકતા નથી. આવા કૃતનિશ્ચિયી તબીબો જ દર્દીનારાયણની સેવાને ઉત્તમ વ્યવસાય બનાવે છે.
ડૉ. સ્મિતાબેન રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી હોસ્પિટલમાં દર્દીઓની તપાસ અને સારવાર કરે છે. ઉનાળામાં દરરોજ લગભગ ૫૦ થી ૬૦ દર્દીઓ અને અન્ય સિઝનમાં ૭૦ થી ૮૦ જેટલા દર્દીઓને સારવાર આપે છે. વર્ષ દરમિયાન અંદાજે ૧૮ હજારથી વધુ દર્દીઓને સારવાર પૂરી રહ્યા છે. તેઓ માત્ર ઓપીડી સેવા જ નહીં, પરંતુ આજુબાજુના ૧૬ જેટ...






