કાલાવડના જશાપર ગામમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલતી કાલાવડ ટાઉન પોલીસ
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ
કાલાવડ તાલુકાના જશાપર ગામમાં ગત થોડાં દિવસો અગાઉ એક મંદિર અને એક રહેણાંક મકાનમાંથી આશરે આઠ લાખથી વધુની સોના અને ચાંદીના દાગીનાઓની ચોરીઓ થવા પામી હતી જોકે ગત રોજ કાલાવડ ટાઉન પોલીસ મથકના પો.કો એવાં જીતેન પાગડાર અને સંજય બલીયાને એક સંયુક્ત બાતમી મળી હતી કે, "જશાપર માં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમ ગામમાં શંકાસ્પદ રીતે હિલચાલ કરે છે" અને આ ઈસમને પોલીસ દ્રારા ઝડપી પાડતાં અરુણ ગોરધનભાઈ ચૌહાણ હાલ રહે. હીરપરા સ્કૂલની પાછળ આવેલ ઝૂપડપટ્ટી વાળાઓ પાસેથી ચોરી કરેલ દાગીનાઓ માંથી ૪૫૦૦/- રૂ. કિંમતના ચાંદીના સાંકળા મળી આવતાં પોલીસે વધું પુછપરછ કરતાં અરુણ ચૌહાણએ ગત થોડાં દિવસ અગાઉ જશાપર નાં એક મંદિર અને એક રહેણાંક મકાનમાંથી ચોરીઓ કરવા માટે અન્ય ફરાર પાંચ લોકો એવા દિનેશભાઈ રણજીતભાઇ રાઠોડ, કડકસિંગ, ભીખાભાઈ, ક્રિષ્ણાભાઈ અને અર્જુન તમામ રહે. મહેસાણાનાઓએ મદદગીરી કરી ...

