Saturday, February 14News That Matters

જામનગરમાં ધો.૧૦ પછીના ડીપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોનો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર

      જામનગરમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનાર તારીખ ૨૮/૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૩૦ કલાકે, સરકારી પોલિટેકનિક, સેમીનાર હોલ,ન્યુ બિલ્ડીંગ,વાલસુરા રોડ,જામનગર ખાતે યોજવામાં આવશે જેમાં સરકારી પોલિટેકનિક જામનગરના તજજ્ઞો માર્ગદર્શન પુરૂ પાડશે. આ સેમિનારનો ઇચ્છુક ઉમેદવારો મહત્તમ ભાગ લે તે માટે સરકારી પોલિટેકનિકના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *