હિન્દ ટીવી – ગુજરાતી, જૂનાગઢ
➡️ મહાશિવરાત્રિ મેળામાં આવતા યાત્રિકોના પરિવહનને વધુ સરળ બનાવવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ST નિગમ દ્વારા કુલ 1,000 બસોનું સંચાલન કરાશે.
➡️ મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા, સુરક્ષા સહિત મેળાની તમામ વિગતો માટે ખાસ ‘પિંક બૂથ’ ઊભા કરાયા; સમગ્ર વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે જૂનાગઢ ઝોનના કુલ 850 કર્મચારીઓ 24×7 કાર્યરત.
➡️ દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી વાઘેશ્વરી મંદિર સુધી બસની સુવિધા તેમજ વાઘેશ્વરી મંદિરથી ભવનાથ મેળામાં જવા માટે ઓટો રિક્ષા અને દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા.
➡️ બસ સ્ટેન્ડ અને વાઘેશ્વરી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે હાઇજેનિક ટોયલેટ બ્લોક, CCTV કેમેરા, શુદ્ધ પીવાનું પાણી, અન્નક્ષેત્ર તેમજ ગરમીને ધ્યાને રાખીને નિઃશુલ્ક છાસ અને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
