Sunday, February 15News That Matters

Gujarat

સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના પત્રકારોનુ “પત્રકાર રત્ન” એવોર્ડ થી થશે સન્માન

સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના પત્રકારોનુ “પત્રકાર રત્ન” એવોર્ડ થી થશે સન્માન

Gujarat
સારા ન્યુઝ, ગુજરાત ગુજરાતનું ગુજરાતીઓ દ્વારા સંચાલિત ભારતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન ( સારા ઇન્ટરનેશનલ ) ડૉ.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના ઇલેક્ટ્રોનિક અથવા પ્રિન્ટ મીડિયામાં પત્રકારિત્વ કરતા હોય એવા પત્રકારો અથવા પત્રકારના માધ્યમ થી ઉમદા કાર્ય કર્યું હોય એવા તમામ પત્રકારોને “પત્રકાર રત્ન એકસલન્સ એવોર્ડ” થી સન્માનિત કરી રહ્યા છે. જો આપ પત્રકાર, પ્રેસ ફોટોગ્રાફર હોવ અથવા પત્રકારિત્વના માધ્યમથી કોઈ પણ પ્રકારના શ્રેષ્ઠ કાર્યો કર્યા હોય તો આપ આ એવોર્ડ માટે આપના નામની નોંધણી કરાવી શકો છો વધુ માહિતી માટે તુરંત સંપર્ક કરો ગુજરાતના એક જિલ્લામાંથી ફક્ત ત્રણ પત્રકારોની પસંદગી કરવામાં આવશે ગુજરાતમાંથી પત્રકારોની પસંદગી કરવાની હોય તાત્કાલિક આપના નામની નોંધણી નીચે દર્શાવેલ નંબર પર કરવા અનુરોધ – 9825095545...

ભુજ દ્વારા “YOGA FOR HUMINITY” થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ            આઠમાં વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત માન. નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના હેઠળ અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા “YOGA FOR HUMINITY” થીમ પર વિશ્વ યોગ દિવસ ની  નાં કોમન પ્રોટોકોલ મુજબ એન્કરવાલા સરસ્વતી શિશુ મંદિર, સંતોષી માતા ના મંદિર પાસે, વી. ડી. હાઈસ્કૂલ સામે, ભુજ મધ્યે તા. ૧૩/૦૬/૨૦૨૨ થી તા. ૨૦/૦૬/૨૦૨૨ સુધી સાંજે ૫=૦૦ થી ૬=૦૦ અને તા. ૨૧/૦૬/૨૦૨૨ નાં સવારે ૭=૦૦ થી ૮=૦૦ સુધી નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરેલ છે. તેમાં નીચે દર્શાવેલ રોગાનુસાર યોગ શિખવાડવામાં આવશે. તો તેનો બહોળી સંખ્યા માં લાભ લેવા જાહેર જનતા ને અનુરોધ કરવામાં આવે છે. યોગ શિબિર માં આવનાર એ પાથરણા અને નેપકીન તથા પાણી ની બોટલ સાથે લઇ આવવાની રહેશે. તારીખ દિવસ પ્રમાણેની થીમ   ૧૩/૦૬/૨૦૨૨ યો...
શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરિત મહિલા સંગઠન સમિતિ દ્વારા આયોજિત સુમધુર ગીત સંગીત સાથે સોળ સંસ્કાર ઉત્તમ સંતાન સેમિનાર

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરિત મહિલા સંગઠન સમિતિ દ્વારા આયોજિત સુમધુર ગીત સંગીત સાથે સોળ સંસ્કાર ઉત્તમ સંતાન સેમિનાર

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી ,રાજકોટ આજના સમય પ્રમાણે નવા વિચારો સાથે 'શ્રી ઉમિયા માતાજી મંદિર - સિદસર' દ્વારા 'સોળ સંસ્કાર - ઉત્તમ સંતાન' સેમિનાર નો કાર્યક્રમનું આયોજન કરેલ છે. કડવા પાટીદાર સમાજની આવનારી પેઢી સદાચારી, પરાક્રમી, તેજસ્વી અને સંસ્કારી થાય તે માટે ખાસ સેમિનાર રાખેલ હોય આ કાર્યક્રમમાં દંપતીઓ, યુવા ભાઈ-બહેનો, માતાઓ અને પરિવારનાં સૌ સભ્યો ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમમાં શ્રી વિનોદભાઈ પટેલ દ્વારા ગીત સંગીત સાથે સોળ સંસ્કારનું જ્ઞાન આપવામાં આવશે તેમજ ડૉ.મનીષાબેન મોટેરિયા તેમજ શ્રી જયેશભાઈ વાછાણી દ્વારા ઉતમ માહિતી આપવામાં આવશે. સેમિનારમાં આયોજક 'શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ - સિદસર' નાં અધ્યક્ષ સરોજબેન મારડિયા (રાજકોટ) તેમજ મંત્રી કાજલબેન સિતાપરા ને 98794 68720 આ નંબર પર નામ નોંધાવી શકો છો. આ સેમિનાર તા. ૧૧/૦૬/૨૦૨૨, શનિવાર ના રોજ બપોરે ૦૩:૪૫ કલાકે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રૈયા ગામ...

 ગીર સોમનાથ જિલ્લામાં ધો.૧૦માં ગત પરિણામની સાપેક્ષમાં ૧૪% વધારો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ માર્ચ/એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલ ધોરણ ૧૦નું સમગ્ર રાજ્યનું પરિણામ ૬૫.૧૮% ટકા જેવું આવ્યુ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ધો.૧૦માં ગત પરિણામની સાપેક્ષમાં ૧૪% વધારો નોંધાયો છે. આ વર્ષે જિલ્લાનું પરિણામ ૬૮.૧૧% જેટલું આવ્યું છે. જિલ્લામાં ૧૩ શાળાઓ ૧૦૦% પરિણામ નોંધાવવામાં સફળ રહી છે. જિલ્લામાં ૧૫૮૨૯માંથી ૧૦૭૨૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે તો સૌથી વધુ પરિણામ આકોલવાડી કેન્દ્રનું (૮૮.૮૯%) નોંધાયું છે. ધોરણ 10માં ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૫૭૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૬૦ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને ૧૦૮૭ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૨૧૦૯ વિદ્યાર્થીઓએ B-1, ૨૮૪૬ વિદ્યાર્થીઓએ B-2 ગ્રેડ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષામાં ગીર સોમનાથ જિલ્લાનું પરીણામ ૫૪.૨૫% જેટલું આવ્યું હતું. જેની સરખામણીમાં વર્ષ ૨૦૨૨માં ૧૪% જે...
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ-આઇટી-કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતમાં “New India – A Techad of opportunity for Young Indians” કાર્યક્રમ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ-આઇટી-કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતમાં “New India – A Techad of opportunity for Young Indians” કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ-આઇટી-કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતમાં “New India – A Techad of opportunity for Young Indians” કાર્યક્રમનું ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરાયું હતું. આ અવસરે સ્ટાર્ટઅપ આંત્રપ્રિન્યોર સાથે સંવાદ સાધતા કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખર કહ્યું કે, મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્રભાઇ મોદીનું દેશના યુવાનોને લઇને જે વિઝન છે તેને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાકાર કરી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત બદલાઈ રહ્યું છે અને દુનિયાના રોકાણકારો ભારતમાં આવતાં થાય છે અને આ બદલાતા સમયમાં ભ...
પાટણના પ્રગતિ મેદાનમાં હજારો નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયો વીરાંજલી કાર્યક્રમ

પાટણના પ્રગતિ મેદાનમાં હજારો નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયો વીરાંજલી કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાયો. પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે હજારો નગરજનોની ઉપસ્થિતિમાં આ મલ્ટીમીડિયા શૉ થકી વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરતાં આ કાર્યક્રમ થકી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની એક અનોખી જ્યોત પ્રજ્વલિત થશે. અંગ્રેજો સામે અવાજ ઉઠાવનાર અને તેમના સિતમોનો બદલો લેવા કે તેઓને ભાન કરાવવા માટે જાનની બાજી લગાવી દેનાર તમામ સપૂતોને આજના દિવસે યાદ કરવા જોઈએ. મા ભારતીના અમર સેનાનીઓના હિંમત અને પરાક્રમની કહાની દેશને હંમેશા પ્રેરીત કરતી રહેશે. પાટણની ઐતિહાસિક ધરા પરથી સૌપ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો ટ્રસ્ટ ઇન ઇન્ડીયા વચ્ચે MOU સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો ટ્રસ્ટ ઇન ઇન્ડીયા વચ્ચે MOU સંપન્ન

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, અમદાવાદ  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝિરો ઇમિશન્સ શૂન્ય ઉત્સર્જન સુધી પહોચાડવા દર્શાવેલી પ્રતિબદ્ધતામાં ગુજરાતે એક પહેલ રૂપ કદમ ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચે આ અંગેના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ પણ આ વેળાએ સહભાગી થયા હતા. આ MOU ના પરિણામે કાર્બન માર્કેટના આયોજન અંગે વિચાર કરનારૂં દેશભરમાં પ્રથમ રાજ્ય ગુજરાત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવેમ્બર-ર૦ર૧ ગ્લાસગોમાં યોજાયેલી યુ.એન. કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ-ર૬ માં ભારતને ર૦૭૦ સુધીમાં નેટ ઝિરો ઇમિશન્સ તરફ લઇ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સંદર્ભમાં ભારતે ર૦૩૦ સુધીમાં પ૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ફયુઅલ ઇલેકટ્રીસિટી કેપેસિટી સુધી પહોચવા પાં...
જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ-૨૦૨૧ ઝોન કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાઓ પૂર્ણ

જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ-૨૦૨૧ ઝોન કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાઓ પૂર્ણ

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-બોટાદ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી- ઓડિટોરિયમ હોલ બોટાદ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી.કાતરીયાના દેખરેખ હેઠળ તાજેતરમાં ગ્રામ રક્ષક દળના મહિલા કર્મચારીઓ સાથે કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત પોલીસ અધિક્ષક  ડૉ. કરનરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાયદાકીય સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ રક્ષક દળના મહિલા સભ્યોને કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ની કાયદાકીય માહિતી તથા વિવિધ યોજનાકીય જેમાં વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની માહિતી સાથે જ, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, સ...
જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ-૨૦૨૧ ઝોન કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાઓ પૂર્ણ

જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ-૨૦૨૧ ઝોન કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાઓ પૂર્ણ

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, પાટણ દ્વારા સંચાલિત તથા જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણના સહયોગથી પાટણના રમતગમત સંકુલ ખાતે તા.૧૫/૦૫/૨૦૨૨ થી તા.૨૨/૦૫/૨૦૨૨ દરમ્યાન ખેલ મહાકુંભ-૨૦૨૧ ઝોન કક્ષાની બાસ્કેટ બોલ ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર-૧૪ કેટેગરીમાં ૮ ટીમો, અંડર-૧૭ કેટેગરીમાં ૮ ટીમો, ઓપન એજ કેટેગરીમાં ૬ ટીમો મળી કુલ ૨૬૪ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ઓપન એજ ભાઈઓમાં અમદાવાદ સીટી ટીમ ચેમ્પિયન અને મહેસાણા ટીમ રનર્સ અપ, અંડર-૧૭માં ગાંધીનગર ગ્રામ્ય ટીમ ચેમ્પિયન અને અમદાવાદ સીટી ટીમ રનર્સ અપ જ્યારે અંડર-૧૪ ભાઈઓમાં પાટણની DLSS ટીમ ચેમ્પિયન અને સાબરકાંઠા ટીમ રનર્સ અપ થઇ હતી. આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબર મે...
રાજ્યકક્ષાના મંત્રી તેમજ બોટાદના પ્રભારી વિનોદભાઈ મોરડીયાની ઉપસ્થિતિમાં રાણપુરમાં વિકાસ કાર્યોના વર્કઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજ્યકક્ષાના મંત્રી તેમજ બોટાદના પ્રભારી વિનોદભાઈ મોરડીયાની ઉપસ્થિતિમાં રાણપુરમાં વિકાસ કાર્યોના વર્કઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે રાજ્યકક્ષાના મંત્રી તેમજ બોટાદના પ્રભારી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં સૌપ્રથમ પ્રભાતફેરી યોજાઈ હતી. ત્યારબાદ મનુભાઈ શેઠ હાઈસ્કુલના ઓડિટોરીયમમાં વિવિધ વિકાસ કામોના વર્કઓર્ડર એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, દેશભરમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેમાં ગુજરાત રંગેચંગે ભાગ લઈ રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનો વિચાર માત્ર પ્રધાનમંત્રીને જ આવે તેમ જણાવી મંત્રીએ આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્યસંગ્રામીઓના બલિદાનને યાદ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, આપણા દેશને મજબૂત તેમજ વધુ શ્રેષ્ઠ બનાવવાની જવાબદારી ભાવિ પેઢીની છે, જે માટે બાળકોએ આપણા ઈતિહાસને જાણ...