ગીર સોમનાથ જિલ્લાના ૬ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ
સરકાર દ્વારા આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં છ ગામોમાં આઠમાં તબક્કાના સેવાસેતું કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમમાં સરકારના વિવિધ ૧૩ વિભાગો દ્વારા ૫૬ જેટલી સુવિધાઓ લોકોને ઘરઆંગણે પહોંચાડવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા પારદર્શી પ્રશાસનની પ્રતીતિ સ્વરૂપે સેવાસેતુ કર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સરકારની અનેકવિધ યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચાડવા માટે છેવાડાના લોકો સુધી પહોંચીને સેવાસેતુ કાર્યક્રમો મારફત ઘર આંગણે જઇ તમામ વિભાગો દ્વારા સેહલાઈ પૂર્વક લોકોના પ્રશ્નો હલ કરી તેમને સરકારશ્રીની અનેક યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે.
ત્યારે આઠમ તબક્કાના સેવસેતું કાર્યક્રમ વેરાવળ તાલુકામાં પ્રાથમિક શાળા ભાલપરા, તાલાળા તાલુકામાં પ્રાથમિક શાળા ચિત્રોડ, સુત્રાપાડા તાલુકામાં પ્રાથમ...






