Tuesday, September 8News That Matters

Gujarat

ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા હસ્તકનાં ૮૦ MLD માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પંડિત દિનદયાલ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વિઝીટ કરી

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, રાજકોટ      તા. ૨૮/૦૭/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા હસ્તકના ૮૦ MLD માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પંડિત દિનદયાલ મેડીકલ કોલેજ- રાજકોટના M.B.B.Sના બીજા વર્ષમાં અભ્યાસ કરતા કુલ ૩૦ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અભ્યાસક્રમમા આવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિષય લગત માહિતી મેળવવા પ્લાન્ટની વિઝીટ સહ અધ્યાપકો સાથે લેવામા આવેલ, જેમાં વિદ્યાર્થીઓને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પ્રોસેસ/ટેકનોલોજી તથા રાજકોટ મહાનગરપાલિકા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સુએજ કલેક્શન થી ડિસ્પોઝલ સુધીની કામગીરી સમજાવી તથા પ્રદુષિત પાણીથી નાગરિકોનાં આરોગ્ય તથા જળચર પ્રાણીઓ પર પડતી અસરો વિશે માહિતી આપવામા આવેલ. આ વિઝીટમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના ના.કા.ઈ આર.એલ. રાઠોડ, મ.ઈ.,યશ પટેલ, વર્ક આસીસટન્ટ રવિકુમાર સોલંકી,નવઘણભાઈ પ્રજાપતિ હાજર રહેલ. આ સમગ્ર આયોજન એડી.સિટી ઇજનેર(ઇચા.) કે.પી.દેથરીયાનાં માર...

ભાવનગર જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ઓગષ્ટનાં રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ઓગષ્ટ-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૮/૨૦૨૩ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૮/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેકટર, ભાવનગરની યાદીમાં જણાવેલ છે....

બાળકોનો સર્વાંગી વિકાસ કરતું બાલવાટિકાનું પાઠયપુસ્તક 

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  ભાવનગર જિલ્લાના વરતેજની સોડમતિયા પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ પરમાર દ્વારા પાઠયપુસ્તકના અમુક પાઠ લખવામાં આવ્યા છે    નવી રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસી મુજબ આંગણવાડી અને ધોરણ ૧ નો સેતુ સાંધતા બાલવાટિકા કોર્ષને સૌપ્રથમ ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. ત્યાર્ બાળકોના હાથ અને આંખનો સમન્વય સાધતું અને તેમનો સર્વાંગી વિકાસ કરતું બાલવાટિકાનું પાઠયપુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક તૈયાર કરવામાં ભાવનગર જિલ્લાની એક સરકારી શળાના આચાર્યનું પણ યોગદાન છે. જે બાળકની ૫ થી ૬ વર્ષ વચ્ચેની વય ધરાવતું હોય અને તેમને નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાલવાટિકામાં શિક્ષણ આપવામાં આવે છે. આ બાલવાટિકાઓ પ્રાથમિક શાળાઓમાં જ શરૂ કરવામાં આવ્યો છે. જુનથી ડિસેમ્બર અને જાન્યુઆરીથી એપ્રિલ એમ બે સેમેસ્ટરમાં બાલવાટિકા કાર્યરત થશે. તો એનું પાઠયપુસ્તક પણ બે ભાગમાં જુનથી ડિસેમ્બર અને...

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ ભૂમિ ગોલોકધામ ખાતે યાત્રી કેન્દ્રિત સુવિધાઓ વિકસાવવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ     પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે જે તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો અને વૈકુંઠ ગયા તેવા પ્રભાસ તીર્થમાં આવનાર ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના યશવિ પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં યાત્રીલક્ષી સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો ગોલોકધામ તીર્થનો અચૂક લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના સતત માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સોમનાથ મંદિર થી ગોલોકધામ તીર્થ સુધી પ્રત્યેક કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી આવનાર ભક્તો સરળતા થી ગોલોકધામ પહોંચી શકે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમાર ના શુભ હસ્તે સોમનાથ મંદિર બહારથી કેસરી ધ્વજ ફરકા...

ભાવનગર જિલ્લાનાં બાગાયત ખેડૂતો “માળી તાલીમ યોજના” માટે અરજી કરી શકાશે

Gujarat
‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર   રાજ્યમાં બાગાયતનો વ્યાપ વધારવા માટે તેમજ તાલીમ થકી યુવાનો તેમના કૌશલ્યમાં વૃદ્ધિ કરી શકે તે હેતુથી વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ હેઠળ માળી તાલીમ યોજના અમલમાં મૂકવમાં આવી છે. આ તાલીમ હેઠળ તાલીમાર્થીઓને પ્રતિદિન રૂ.૨૫૦ સ્ટાઇપેન્ડ/વૃતીકા આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ૩ દિવસ માટે ૮ કલાકનું તાલીમ સત્ર યોજવામાં આવશે. તાલીમમાં ભાગ લેવા માટે ઈચ્છુક ૧૮ થી ૪૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ઠ માળીકામ સાથે સંકળાયેલા વ્યક્તિઓએ આગમી તા.૧૮/૦૮/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વ્યક્તિઓએ આઈ ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) દ્વારા મોબાઈલ, ગ્રામ પંચાયત અથવા સાઈબર કાફેમાંથી ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કરવાની રહેશે ત્યારબાદ અરજીમાં સહી કરી જરૂરી સા...
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMSVANidhi યોજના અંતર્ગત નવી લોન અરજીઓ માટે ફેરીયાઓને લાભ લેવા અનુરોધ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMSVANidhi યોજના અંતર્ગત નવી લોન અરજીઓ માટે ફેરીયાઓને લાભ લેવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ   ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત આપવામાં આવે છે. PM SVANidhi યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં ફેરી પ્રકારનો વ્યવસાય કરતા લાભાર્થીઓને સિક્યુરીટી વિના તબક્કા વાર લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ ઉપરાંત આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે NULM સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ યોજનાના લાભાર્થીઓની મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે મ્યુનિ. કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર સી. કે. નંદાણી દ્વારા સતત લીડ બેંક મેનેજર અને તમામ બેંકોનાં રીઝયોનલ ઓફિસર સાથે મીટીંગ તથા ફોલોઅપ લેવામાં આવી ર...

વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સાયબર સુરક્ષા પર સેમિનારનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળમાં યુવા પેઢીમાં શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ લાવવા માટે તેમજ ડિજિટલ અવનેરનેસ લાવવા સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. સ્મિતાબેન છગના માર્ગદર્શન હેઠળ ‘ડિજિટલ ઇન્ડિયા વીક’ અંતર્ગત ‘સાયબર સુરક્ષા’ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં સાઇબર ક્રાઇમ, ડિજિટલ ફ્રોડ, બેન્કિંગ ફ્રોડ તથા સોશિયલ મીડિયા ફ્રોડ ખૂબ જ માત્રામાં વધી રહ્યો છે જેની જાણ ઓછા લોકોમાં હોય છે અને આવી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવી પણ ખૂબ જ જરૂરી હોવાથી આ વિષય પર વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે જુનાગઢ સાયબર ક્રાઇમમાંથી સ્પીકર તરીકે પીઆઇ શ્રી હાંસલીયા, પીએસઆઇ શ્રી નિકુંજ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશ પધારેલ હતા. આ સંપૂર્ણ સેમિનાર સાઇબર ક્લબના કોઓર્ડીનેટર ડૉ. મમતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં સરકારી વિજ્ઞાન ક...

દ્વીચક્રીય વાહનો તેમજ ફોર વ્હીલ વાહનોની પસંદગીના નંબરો માટેની હરાજી અંગે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        દ્વીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ GJ32M,N,,P,Q,R,AB,AC,AD તેમજ ફોરવ્હિલ વાહનોની ચાલુ સીરીઝ GJ32K, AA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ32V માટેના પસંદગીના નંબરો માટેની હરાજી સબબ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીરસોમનાથ દ્વારા ઉપરોક્ત પસંદગીના નંબરો માટેની હરાજી તા.૧૧/૦૮/૨૦૨૩ના રોજ ખોલવામાં આવશે. જેમાં ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭માં કરાવી ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે. હરાજી સમયસારણી અનુસાર તા.07/08/2023 (4:00pm) થી તા.09/08/2023 (03:59pm) સુધી ઓક્શન માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.09/08/2023 (4:00pm) થી તા.11/08/2023 (03:59pm) સુધી ઓક્શનનું બિડિંગ ઓપન થશે અને તા.11/08/2023ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ કચ...

ગીર સોમનાથ જિલ્લામાં ૧૫ થી ૩૫ વર્ષની વયના યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કમિશ્નર ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથ સંચાલિત ૧૫ થી ૩૫ વર્ષના યુવક - યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર – ૨૦૨૩-૨૪નું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે છે. જેમાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક - યુવતીઓમા વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, તેમજ યુવક યુવતીઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવા માટે જિલ્લાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે.      નોંધનીય છે કે ભાગ લેવા માટે ગીર સોમનાથ જીલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી (જીલ્લા રમતગમત કચેરી, રૂમ નં- ૩૧૩/૩૧૪ બીજો માળ, ઇણાજ, તા. વેરાવળ, ખાતેથી અરજી ફોર્મ મેળવી નામ, સરનામું,...

ભાવનગર જિલ્લામાં આગામી ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી  કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર         ગુજરાત સરકાર અને  અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય ના સુત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૦૧/૦૮/૨૦૨૩ થી તા. ૦૭/૦૮/૨૦૨૩ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા રાજયની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરીક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવ ભેર આગળ વધે તે માટે રાજય સરકાર દ્રારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવેલ છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો, જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર તા. ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” સપ્તાહ ઉજવણી કરવામાં આવશે.  જે અન્વયે ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૧/૦૮/૨૦૨૩ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા.૦૨/૦૮/૨૦૨૩ના રોજ બેટી બચાવો, બેટી પઢાવો, તા.૦૩/૦૮/૨૦૨૩ના રોજ મહિલા સ...