Tuesday, September 8News That Matters

Gujarat

‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનો ગીર સોમનાથમાં ઉત્સાહપૂર્વક થયો પ્રારંભ

‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનો ગીર સોમનાથમાં ઉત્સાહપૂર્વક થયો પ્રારંભ

Gujarat
મેરી માટી મેરા દેશ' – માટીને નમન વીરોને વંદન હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       ગીર સોમનાથમાં 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમની ઉજવણીનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે ત્યારે ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં બાદલપરા ખાતે "માટીને નમન,વીરોને વંદન" થીમ અંતર્ગત ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય સહિત બાદલપરાના ગ્રામજનોએ શિલાફલકમનું અનાવરણ કરી અને દીપ પ્રગટાવી શહીદોને વંદન કર્યા હતા તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ, સેલ્ફી અપલોડ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં શિલાફલકમના લોકાર્પણ સાથે બાદલપરાના ગ્રામજનોએ વીરોને અંજલી આપી તેમના બલિદાન તથા દેશસેવાને યાદ કર્યા હતા. આ સાથે જ અમૃતવાટીકામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આ...
“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત મહુવામાં માર્કેટિંગ યાર્ડ દ્વારા સુંદર ચિત્ર બનાવાયું

“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત મહુવામાં માર્કેટિંગ યાર્ડ દ્વારા સુંદર ચિત્ર બનાવાયું

Gujarat
“મારી માટી, મારો દેશ” હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર        “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત મહુવામાં માર્કેટિંગ યાર્ડ દ્વારા સુંદર ચિત્ર બનાવીને લોકો માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. માર્કેટ યાર્ડ ખાતે દરરોજ અનેક લોકોની અવરજવર રહે છે ત્યારે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં “મારી માટી- મારો દેશ” અભિયાનના ભાગરુપે 'વીરોને વંદન' કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને સન્માન કરવામાં આવશે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં શિલાફલકમ તૈયાર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચિત્રમાં જી૨૦ અને “મારી માટી- મારો દેશ” અંતર્ગત ખૂબ સરસ પ્રતિકૃતિ બનાવવામાં આવેલ છે જે થકી લોકોને “માટીને નમન વિરોને વંદન” કરવા અંગે જન જાગૃતિ અંગેનો પ્રયાસ...
કોડીનારમાં અંબુજા કેમ્પસ ખાતે મહિલા કર્મયોગી દિવસ અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવવા નિવારણ માટે કાયદાકીય જાગૃતિ સેમીનાર યોજાયો

કોડીનારમાં અંબુજા કેમ્પસ ખાતે મહિલા કર્મયોગી દિવસ અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવવા નિવારણ માટે કાયદાકીય જાગૃતિ સેમીનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        નારી વંદન ઉત્સવ-૨૦૨૩ અન્વયે જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-ગીર સોમનાથ દ્વારા અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન અંતર્ગત સ્કીલ & એન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ (SEDI)-અંબુજા કેમ્પસ,કોડીનાર ખાતે મહિલા કર્મયોગી દિવસ અન્વયે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી(અટકાવ & નિવારણ)અધિનીયમ-૨૦૧૩ અન્વયે કાયદાકીય જાગૃતિ સેમીનાર યોજાયો હતો. જેમાં મહિલા કર્મયોગી થીમ આધારિત નાટક રજુ કરવામાં આવેલ તેમજ પ્રતિકાર ફિલ્મ નિહાળવામાં આવેલ. આ સેમીનારમાં કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩, મહિલા કલ્યાણ લક્ષી યોજનાઓ તથા OSC, PBSC તથા ૧૮૧ અભિયમની કામગીરી અંગે વિસ્તૃર્ત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં SEDI નાં માસ્ટર ટ્રેનર દીનાબેન પરમાર, ફેસીલીટર ઇન્દ્રજીતસિહ વાળા તથા દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ. જીંજાળા, DHEW ના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર આંનદ...

“મેરી માટી, મેરા દેશ” અંતર્ગત ‘શિલાફલકમ’માં ચિત્રકામ થકી વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગીર સોમનાથના દિવ્યાંગ ચિત્રકાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા ગીર સોમનાથ જિલ્લામાં પણ 'મેરી માટી, મેરા દેશ' અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેની સાથે સાથે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) દ્વારા માતૃભૂમિ માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીરોની વંદના પણ કરવામાં આવશે. આ જ રીતે “મેરી માટી, મેરા દેશ" અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખત્રીવાડા ગામના દિવ્યાંગ ચિત્રકાર વનેચંદભાઈ પણ શિલાફલકમની કામગીરીમાં હોંશપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યાં છે. 'મેરી માટી મેરા દેશ' અંતર્ગત દેશના દરેક ગામ અને ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર કે જળાશયો ખાતે અને જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય, ત્યાં પંચાયત ઓફિસ, શાળા પાસે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) ઉભી કરવામાં આવનાર છે. શહીદ વીરોના બલિદાનને સમર્પિત આ તકતીમાં સ્થાનિક વીરોના નામનો સમાવેશ કરવામાં આવશે. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં...

ભાવનગર શહેર કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓગષ્ટના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર          રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૩/૦૮/૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર,બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે માન.મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી,(મહેસૂલ),ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. જેમાં ભાવનગર સીટીના પ્રશ્નો માટે અરજદારઓ પાસેથી તા.૧૫/૦૮/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા નીચે સીટીમામલતદારશ્રી, ભાવનગરને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ અરજદારો તથા સંબંધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબર...
નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત ભાવનગર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ

નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત ભાવનગર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  આજરોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે ઘરશાળા પીટીસી કોલેજ, ભાવનગર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્રારા ઘરશાળા પીટીસી કોલેજ, ભાવનગર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત જિલ્લા કાનુની સેવા સતા મંડળના સલીમભાઈ ધાસુરા દ્રારા મહિલાઓના કાયદાઓ અંગે માહિતી આપવામાં આવેલ, સહજ ગ્રુપ દ્રારા કામકાજના સ્થળે જાતિય સતામણી અને બેટી બચાવો બેટી પઢાવોની થીમ પર નાટક રજુ કરવામાં આવેલ તેમજ જિલ્લા સેવા સેતુ સતા મંડળ તરફથી લીગલ એડવોકેટ પ્રીતિબેન વી તેમજ મહિલા બાળ અધિકારી, દ્રારા વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવેલ હતી. અભયમ ૧૮૧ માંથી કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, મહિલા સહાયતા ક...
“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં મેડલ અથવા શિલ્ડ દ્વારા વીરોને સન્માનિત કરાશે  

“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં મેડલ અથવા શિલ્ડ દ્વારા વીરોને સન્માનિત કરાશે  

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર        સમગ્ર દેશમાં “મારી માટી- મારો દેશ” અભિયાનના ભાગરુપે 'વીરોને વંદન' કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને સન્માન કરવામાં આવશે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં મેડલ અથવા શિલ્ડ તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી વીરોને વંદન કરીને તેમણે સન્માનિત કરવામાં આવશે.   ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૯ થી ૧૫ની ઓગસ્ટ-૨૦૨૩ સુધી આ અભિયાન ચાલશે. જે અન્વયે ભાવનગર જિલ્લામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગ્રામ પંચાયત હસ્તકના ગામોમાં શિલાફલકમ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે....
ભાવનગરનો જિલ્લા કક્ષાનો ૭૪મો વન મહોત્સવ પાલિતાણાના માનવડ ખાતે યોજાયો

ભાવનગરનો જિલ્લા કક્ષાનો ૭૪મો વન મહોત્સવ પાલિતાણાના માનવડ ખાતે યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો ૭૪મો વન મહોત્સવ પાલિતાણાના મોડેલ સ્કુલ માનવડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા એ જણાવ્યું હતુ સમગ્ર જીવસૃષ્ટિનો આધાર પ્રકૃતિ પર રહ્યો છે. વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલનને કારણે જીવસૃષ્ટિને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાએ આપણને સૌને જીવનમાં વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. આ પરિસ્થિતિને નિવારવા માટે વૃક્ષારોપણ ખુબ જ જરૂરી છે. દર વર્ષે વર્ષાઋતુના સમયગાળામાં સમગ્ર રાષ્ટ્ર અને રાજ્યમાં વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જેના થકી લોકોમાં વૃક્ષો પ્રત્યેનો પ્રેમ વધે છે. ૭૪મા વન મહોત્સવના અવસરે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન તેમજ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે સર્...

સોમનાથ મહાદેવના ચરણોમાં શ્રી કપર્દી વિનાયક મંદિર ખાતે શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહા અનુષ્ઠાન નો પાંચમો મણકો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ        શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં કદાચિત ઇતિહાસમાં સૌથી મોટુ શ્રીગણેશ આરાધનાનું અનુષ્ઠાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્ય ભરની તમામ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ક્રમશઃ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન પ્રાચીન શ્રી કપર્દિ વિનાયક મંદિરના સાનિધ્યમાં પ્રત્યેક માસની બંને પક્ષની ચતુર્થી પરશ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે છે. આ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો આજરોજ સંપન્ન થયો હતો. જેમાં શ્રીમતી કે.બી.જોષી સંસ્કૃત કોલેજ ભરવાડા (પોરબંદર), શ્રી વી.ટી.ચોક્સી સૂર્યપુર સંસ્કૃત મહાવિદ્યાલય, આમલીરણ (સુરત), શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, અડાજણ (સુરત) અને શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવ્યા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્ર...

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવતાં બિહાર હેરિટેજ ડેવલપમેન્ટ સમિતિના સર્વે સભ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        અધિક માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે હરિ અને હરની પાવન ભૂમિમાં ભક્તો પધારી રહ્યાં છે ત્યારે બિહાર હેરિટેજ ડેવલપમેન્ટ સમિતિના ચેરમેન સહિતના સભ્યોએ પણ દેવાધિદેવ મહાદેવને શીશ ઝૂકાવ્યું હતું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. ભારતીય સંસ્કૃતિમાં અધિક માસનું અનેરૂ મહત્વ છે ત્યારે બિહાર હેરિટેજ ડેવલપમેન્ટ સમિતિના ચેરમેન પ્રેમ કુમાર સાથે જ તેમના ધર્મપત્નીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં ઉપરાંત સોમનાથ મંદિરમાં ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ સોમનાથ મંદિરના પ્રાંગણમાં ચેરમેનએ પ્રદક્ષિણા કરી અને સુખાકારીની કામના કરી હતી. સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વિનય બિહારી, વિદ્યા સાગર કેસરી, પવન કુમાર યાદવ સહિત બિહાર હેરિટેજ ડેવલપમેન્ટ સમિતિના તમામ સભ્યોને આવકાર્યા હતાં. સોમનાથ મ...