Sunday, February 15News That Matters

Gujarat

પીપલોદ ખાતે ‘બનાસ કપ ૨૦૨૨-૨૩’નું ઉદ્દઘાટન કરતા ગૃહ અને રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

પીપલોદ ખાતે ‘બનાસ કપ ૨૦૨૨-૨૩’નું ઉદ્દઘાટન કરતા ગૃહ અને રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પીપલોદ ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ સ્થિત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે બનાસકાંઠાના જૈન સમાજ દ્વારા આયોજિત ૩૩માં 'બનાસ કપ ૨૦૨૨-૨૩'નો શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ખેલાડીઓ સાથે ક્રિકેટ રમતા દમદાર બેટિંગ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, લોકો વચ્ચે એકતા, ખેલદિલી અને પરસ્પર ભાઈચારાની ભાવના વિકસિત થાય એવા હેતુસર આયોજિત આ ટુર્નામેન્ટે ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩મા વર્ષમાં સફળ પ્રવેશ કર્યો છે. આજના સમયમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહી તમામ લોકો અને ખાસ કરીને યુવાધન પ્રતિદિન રમતના મેદાનમાં આવે તે જરૂરી છે. મંત્રીશ્રીએ ભવિષ્યમાં ટુર્નામેન્ટ સહિત સામાજિક કાર્યોમાં તમામ શક્ય મદદ કરવાની ખાત્રી આપીને દર વર્ષે ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવા બદલ સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા...
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘ટૂંકું ને ટચ’ ને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘ટૂંકું ને ટચ’ ને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક

Gujarat
'હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ શ્રેષ્ઠ પુસ્તકો માટે અનેકવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જે અંતર્ગત વર્ષ ૨૦૧૮, ૧૯ના વિવિધ વિભાગના સર્વશ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સુરેન્દ્રનગરના રાજ સૌભાગ સત્સંગ મંડળ, સાયલા ખાતે આયોજિત ત્રિદિવસીય જ્ઞાન સત્ર અંતર્ગત યોજાયેલ એક એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રઘુવીર ચૌધરી,  માધવ રામાનુજ, નરોત્તમ પલાણ, પીનાકીન દવે સહિતના અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતમાં આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. લેખક, ચિંતક અને વક્તા પુલક ત્રિવેદીના 'ટૂંકું ને ટચ' પુસ્તકની નિબંધસંગ્રહ વિભાગમાં વર્ષ ૨૦૧૮ માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે પસંદગી કરાઈ છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભગતના ગામ સાયલા ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના યોજાયેલા ત્રિદિવસીય અધિવેશનમાં 'ટૂંકું ને ટચ' પુસ્તકને સદવિચાર પરિવાર પાર...
ખેતરમાં ઉગાડેલ બિનઅધિકૃત લીલા ગાંજાના છોડ નંગ. ૮૭૮, કિ.રૂા.૧,૪૫,૬૮,૦૦૦/- જેટલી મોટી રકમનો મોટો જથ્થો ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

ખેતરમાં ઉગાડેલ બિનઅધિકૃત લીલા ગાંજાના છોડ નંગ. ૮૭૮, કિ.રૂા.૧,૪૫,૬૮,૦૦૦/- જેટલી મોટી રકમનો મોટો જથ્થો ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર     અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એન.ડી.પી.એસ. એકટ હેઠળની કામગીરી કરવા સ્પેશીયલ ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર, નાઓએ છોટા ઉદેપુર જિલલાના મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર ડુંગરાડ અને અંતરીયાળ વિસતારના ગામોમાં ખાનગી બાતમીદારોથી અને જાતેથી વોચ તપાસમાં રહેવા જણાવેલ હતુ જે અનુસંધાને જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. છોટાઉદેપુર તથા ડિ.એચ. વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.ઓ.જી.છોટાઉદેપુર નાઓ એસ.ઓ.જી. પોલીસ...
ગુજરાત વિધાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોર્પોરેશનના સફાઈકર્મીઓને સાથે લઈને જાતે સફાઈ અભિયાન આદર્યું

ગુજરાત વિધાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોર્પોરેશનના સફાઈકર્મીઓને સાથે લઈને જાતે સફાઈ અભિયાન આદર્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી જોઈને રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી એટલા દુઃખી અને વ્યથિત થયા છે કે તેઓ સ્વયં હાથમાં પાવડો-ઝાડુ લઈને વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. આજે શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકર્મીઓ સાથે મળીને વિધાપીઠના પરિસરમાં જાતે શ્રમયજ્ઞ કરીને સફાઈ કરી હતી. રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ છેલ્લા પંદર દિવસથી વિધાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે. પોતાની જાતને 'ગાંધીયન' ગણાવતા વ્યવસ્થાપકોની વ્યવસ્થામાં ગુજરાત વિદ્યાપીઠ સ્વચ્છતાની દ્રષ્ટિએ ગંદકીનું ઘર બની ગઈ છે. પૂજ્ય ગાંધીજીનું આદર્શ વાક્ય હતું કે, "આપણા શૌચાલયો એટલા સ્વચ્છ હોવા જોઈએ કે, ત્યાં બેસીને સંધ્યા-પૂજા કરવાનું મન થાય." તેને બદલે ગુજ...
વાદળછાયા વાતાવરણમાં ભાવનગર જિલ્લાના ખેડુતોને પાક રક્ષણ માટે કાળજી રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ

વાદળછાયા વાતાવરણમાં ભાવનગર જિલ્લાના ખેડુતોને પાક રક્ષણ માટે કાળજી રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૬/૧૨/૨૨ થી તા.૧૯/૧૨/૨૨ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સાથે ગુજરાતના અમદાવાદ ,આણંદ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાઓમાં પવન સાથે કમોસમી માવઠું/સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. હાલમાં વાદળછાયું વાતવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે કે કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવ...
ભાવનગર જિલ્લામાં રવિઋતુમાં રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલ્બધ

ભાવનગર જિલ્લામાં રવિઋતુમાં રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલ્બધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર   ભાવનગર જિલ્લામાં રવિ-૨૦૨૨ દરમ્યાન હાલ ૧૦ તાલુકામાં યુરિયા ખાતર ૧૬,૯૦૦ મે.ટન.ની જરૂરીયાત સામે ૨૦,૩૧૦ મે.ટન. યુરીયા ખાતરનો જથ્થો ઉપલ્બધ છે. તે પૈકી ૮,૪૧૧ મે.ટન. યુરીયાનો જથ્થો હાલ જિલ્લામાં જુદા- જુદા વિક્રેતા પાસે સ્ટોકમાં છે. આજ રીતે ડી.એ.પી. ખાતર ૬,૨૦૦ મે.ટન.ની જરૂરીયાત સામે ૬,૮૮૭ મે.ટન. ડી.એ.પી. ખાતરનો જથ્થો ઉપલ્બધ છે.  આ પૈકી ૧,૭૧૨ મે.ટન. ડી.એ.પી ખાતરનો જથ્થો હાલ જિલ્લામાં જુદા- જુદા વિક્રેતા પાસે સ્ટોકમાં છે. આમ, ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતભાઈઓએ ધ્યાને લેવા વિનંતી છે કે ભાવનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં યુરીયા તેમજ ડી.એ.પી ખાતરનો જથ્થો જરૂરીયાત મુજબ ઉપલબ્ધ છે તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.  ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી...
ભચાઉ તાલુકાના ગામોમાં ડ્રોન ટેકનોલોજીથી રાયડાના પાકમાં નેનો યુરિયાનો છંટકાવ કરાયો

ભચાઉ તાલુકાના ગામોમાં ડ્રોન ટેકનોલોજીથી રાયડાના પાકમાં નેનો યુરિયાનો છંટકાવ કરાયો

Gujarat
હિન્દ ન્યુઝ, ભુજ         ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની યોજના હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલાની ટીમ દ્વારા નવી બાબત તરીકે ડ્રોન દ્વારા નેનો યુરિયા છંટકાવ માટે પ્રારંભિક તબક્કે ભચાઉ તાલુકાના આમરડી, કુંભારડી, નેર કડોલ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકાર તરફથી ખેડૂતોને એકરે ૫૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૧૨૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. ખેડૂત યુરિયા ખાતરનો વપરાશ ઓછો કરે અને નેનો યુરિયાનો છટકાવ કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ડ્રોન દ્વારા છંટકાવ કરવા માટે તાલુકા કક્ષાએ ગ્રામસેવકનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકાય છે....
ગીર સોમનાથ જિલ્લામાં હથિયાર રાખવા પર પ્રતિબંધ

ગીર સોમનાથ જિલ્લામાં હથિયાર રાખવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ વિવિધ સમુદાયના ધાર્મિક તહેવારો નિમિત્તે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ યથાવત જળવાઈ રહે તે હેતુસર કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારમાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.      આ જાહેરનામા અનુસાર કોઈ પણ વ્યકિત શસ્ત્ર દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવી નહી તેમજ પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્ર અથવા સાધનો લઈ જવા, એકઠા કરવા તથા તૈયાર કરવા નહી તેમજ વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી અને અપમાન કરવા અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેર બિભત્સ સુત્રો પોકારવા નહી, અશ્લીલ ગીતો ગાવા નહી તેમજ જેનાથી સુરૂચિનો અને શાંતિનો ભંગ થાય ત...
ગીર-સોમનાથ જિલ્લામાં સભા/સરઘસ કાઢવા પર પ્રતિબંધ

ગીર-સોમનાથ જિલ્લામાં સભા/સરઘસ કાઢવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં તહેવાર તેમજ થર્ટી ફર્સ્ટ જેવા ઉજવણીના દિવસો થનાર છે ત્યારે ધાર્મિક તેમજ જાહેર સ્થળોએ જનમેદની એકઠી થવાની શક્યતા જોતા સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા/સરઘસ વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી. લીંબાસીયા દ્વારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરધસ માટે મનાઈ હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને તેમજ સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતઓને અને કોઈ લગ્નના વરઘોડાને અને સ્મશાન યાત્રામાં જોડાનાર વ્યક્તિઓને અને સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવનારને લાગુ પડશે નહી      આ જાહેરનામાનું પાલન ન કરનાર અથવા તેનુ પાલન ન કરવામાં કોઈને મદદ કરનારને ગુનો સાબીત થયે દંડની શિક્ષાને પાત્ર ઠરશે તથા ભારતીય દ...
વેરાવળમાં ૨૧ ડિસેમ્બરનાં રોજ યોજાશે ‘સ્વાગત’ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ

વેરાવળમાં ૨૧ ડિસેમ્બરનાં રોજ યોજાશે ‘સ્વાગત’ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીરસોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકામાં મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ ''સ્વાગત' ઓનલાઈન કાર્યક્રમ તા.૨૧/૧૨/૨૦૨૨ એટલે કે ત્રીજા બુધવારના રોજ યોજાશે. જે અંતર્ગત તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો તા.૧૯/૧૨/૨૦૨૨ સુધીમાં કચેરીને પહોંચતી કરવા સબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવે છે. અરજીમાં મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" લખવાનું રહેશે.અને ગ્રામ્ય વિસ્તારના લોકો તેમનો પ્રશ્ન "ગ્રામ સ્વાગત" કાર્યક્રમ અંતર્ગત ગામના તલાટી કમ મંત્રીને સંબોધીને અરજી કરી શકે છે. જે માટે અરજીના મથાળે "મારી અરજી ગ્રામ સ્વાગતમાં લેવી'' તેવુ દર્શાવવાનું રહેશે. આ કાર્યક્રમમાં કોઈપણ અરજદારે અરજી કરતા પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મં...