Tuesday, September 8News That Matters

Gujarat

અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી “21₹ બિલ્વપૂજા સેવા”

અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી “21₹ બિલ્વપૂજા સેવા”

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે. "21₹ બિલ્વ પૂજા સેવા". અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે આ વિશેષ "21₹ બિલ્વપુજા સેવા" શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. 1.40 લાખ થી વધુ ભક્તોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા. શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કેહવાયુ છ...

પી.એમ.કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધાર e-KYC” અને બેંક ખાતા “આધારસિડિંગ” તથા આધાર અપડેટ કરાવી લેવા તાકીદ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર        પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ 2000/- રુ.ની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહેલ છે. જે સરકાર દ્વારા આગામી સમયમાં હપ્તો રીલીઝ કરવામાં આવનાર છે. હપ્તો મેળવવા માટે ભારત સરકારશ્રી યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવતા પાત્ર ખેડુતોએ “આધાર e-KYC” અને બેંક ખાતામાં “આધાર સિડિંગ”ફરજીયાત કરાવેલ હોવુ જરૂરી છે. જો કોઇ ખેડુતોને હપ્તા ન મળતા હોય તો સૌપ્રથમ આપના સબંધિત ગામના ગ્રામસેવક પાસે જો કોઇ ખેડુતોનુ ઇ-કે.વાય.સી બાકિ હોય તો તે અને આ માટે લાભાર્થી ખેડુતે તેના રજીસ્ટ્રર્ડ મોબાઇલ પરથી “આધાર e-KYC” કરી શકશે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે અથવા નજીકના જન સુવિધા કેંદ્ર ખાતેથી બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા આધાર e-KYC કરાવી શકશે અથવા ગ્રામ પંચાયત વી.સી.ઇ. પાસેથી કે પોસ્...
ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ખાખરાના બીજના વાવેતરની ઝુંબેશ શરૂ થઈ

ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ખાખરાના બીજના વાવેતરની ઝુંબેશ શરૂ થઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ખાખરા બીજ વાવેતરની ઝુંબેશ શરૂ થઈ છે. સમન્વય સંઘના સંકલન સાથે 'ધરતીના છોરું' અભિયાન અંતર્ગત ગ્રામજનો દાતાઓનો સહયોગ મળ્યો છે. પર્યાવરણ અને પ્રદૂષણ માટે સર્વત્ર ચિંતા રહેલી છે, ત્યારે બાળકો તેના પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ જાગૃત રહે તે માટે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે મૂકેશ પંડિત દ્વારા 'ધરતીના છોરું' અભિયાન ચાલી રહેલ છે.  સમન્વય સંઘ ઈશ્વરિયાના સંકલન સાથે આ વર્ષે ગ્રામજનો દાતાઓનો સહયોગ મળ્યો છે જેમાં 'ધરતીના છોરું' અભિયાન અંતર્ગત ખાખરા બીજના વાવેતરની ઝુંબેશ શરૂ થઈ છે. શાળાના શિક્ષક પ્રકાશભાઈ પંચાલ તથા વિનોદભાઈ બાબરિયાના આયોજનમાં વિદ્યાર્થીઓને પ્રાસંગિક વાત સાથે ખાખરા બીજ વિતરણ કરાયેલ જેનું ખેતર વાડીના શેઢા પર તેમજ ગામના ગોંદરે તેમજ રસ્તા બાજુ વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ બીજ વિતરણ દરમિયાન શિક્ષિકાઓ ભૂમિકાબેન ...
‘દીનદયાળ અંત્યોદય યોજના’ થકી ભાવનગરના નેસવડની મહિલાઓને મળી પગભર થવાની તક

‘દીનદયાળ અંત્યોદય યોજના’ થકી ભાવનગરના નેસવડની મહિલાઓને મળી પગભર થવાની તક

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર શિક્ષણ અને આત્મનિર્ભરતા મહિલા સશક્તિકરણના અતિ મહત્વના ભાગ છે. કેન્દ્ર સરકારની દીનદયાળ અંત્યોદય યોજના -રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેસવડમાં ચાલતા કુળદેવી મહિલા મંડળની બહેનોને આજીવિકાનો ઉત્તમ સ્ત્રોત મળ્યો છે. તાજેતરમાં જામનગરમાં યોજાયેલા રિજીયોનલ સરસ મેળામાં આ સખીમંડળના બહેનોએ ઉત્પાદનોનું વેચાણ કરી રુપિયા 40 હજારની આવક મેળવી છે અને અન્ય ઓર્ડર પણ મળ્યા છે. આ મંડળ સાથે જોડાયેલા સમજુબહેન મકવાણા જણાવે છે કે તેમના જૂથને 1.50 લાખ રુપિયાની કેશ ક્રેડિટ મળી હતી. જેના આધારે તેમણે ઘણી વસ્તુઓની ઉત્પાદન શરુ કર્યું છે. આ વસ્તુઓમાં વિવિધ મસાલાઓ સહિત જુદાં- જુદાં ફ્લેવરના ખાખરા, અથાણા, બેકરી પ્રોડક્ટ, એલોવેરા જ્યુસ, શેમ્પુ, હેર ઓઈલ, અગરબત્તી, ધુપબત્તી, ખાટલી વર્ક,...

ભાવનગર યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર ખાતે અનુંબધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર           યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર – ભાવનગર ખાતે, ભાવનગર જિલ્લા ઉપરાંત તેના કાર્યક્ષેત્રમાં આવતા જિલ્લા અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના, પોસ્ટ ગ્રેજ્યુએટ, એન્જીનીયર અને ડીપ્લોમા ઈન પોસ્ટ ગ્રેજ્યુએટ (M.A, M.COM, M.SC, M.CA, M.B.A, M.S.W, B.PHAR, M.PHAR, B.E ENGNIEER, POST GRAUTE IN DIPLOM) લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક ,વ્યવસાય માર્ગદર્શન, ભરતીમેળા વિષયક માહિતી મળી રહે તે સારૂ તેવોની નામ નોંધણી યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિ. કેમ્પસ, ભાવનગર ખાતે કરવામાં આવે છે.  આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકેલ અનુંબધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) પર આપ જાતે રજીસ્ટ્રેશન કરી શકો છો. અને પોસ્ટ કરેલ વેકન્સી સામે ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો...
જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી આયોજન હોલ ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નોની જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય સર્વે શ્રીમતિ સેજલબેન પંડયા, ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી ભાવનગર...

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 18 થી 23 જુલાઈના રોજ “મોન્સુન ફેસ્ટિવલ” યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 18 થી 23 જુલાઈના રોજ "મોન્સુન ફેસ્ટિવલ" યોજાશે. 'રેસિડેન્શિયલ સાયન્સ સમર કેમ્પ'ની ભવ્ય સફળતા બાદ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર લઇને આવી રહ્યું છે વરસાદી માહોલમાં "મોન્સુન ફેસ્ટિવલ". જેમાં સ્કૂલ ગ્રુપ તથા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી કાર્યક્રમમાં ભાગ લઇ શકશે. વિજ્ઞાનનાં પ્રચાર પ્રસાર માટે 'રેસિડેન્શિયલ સાયન્સ સમર કેમ્પ' ના આયોજન દ્વારા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું હતું. બાળકો અને માતા-પિતાના અભૂતપૂર્વ પ્રતિસાદ અને તેમાં કરાવવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓથી જે બાળકોના જ્ઞાનમાં વધારો થયો તેના પરિણામોના સંદર્ભમાં RSC ભાવનગર દ્વારા એક વિશેષ કાર્યક્રમ "મોન્સુન ફેસ્ટિવલ"નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ દ્વારા ચોમાસાની પાછળના વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને તેના વિવિધ પાસાઓ બાબતે વિદ્યાર્થીઓને ...

ગીર સોમનાથમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત હાથ ધરાશે “સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ – ૨૦૨૩”

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ, જળ શક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ તા.૧૫ જુલાઇ ૨૦૨૩ થી તા.૨૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે. જેનો મુખ્ય હેતુ નાગરીકોની સામુહિક ભાગીદારી સુનિશ્ચિત કરવી, સ્વચ્છતાને આધારે જિલ્લાઓ, રાજ્યો અને ગામોને ક્રમ આપવો, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની કામગીરીનું મુલ્યાંકન કરવું, નાગરીકો પાસેથી પ્રતિસાદ મેળવવા અંગેનો છે.             ભારત સરકાર દ્વારા નિયુક્ત કેન્દ્રીય એજન્સી મારફતે ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા તાલુકાના રેન્ડમ પસંદ કરેલ ૨૬ જેટલા ગામોમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરીનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ અંતર્ગત કુલ ૧૧૦૦ ગુણ માંથી એજન્સી દ્વારા રેંડમલી પસંદ કરવામાં આવનાર ગામમાં નિયત પેરા...

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે લીધી આદર્શ ગામ બાદલપરાની મુલાકાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ      સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે ગીર સોમનાથના આદર્શ ગામ બાદલપરાની મુલાકાત લીધી હતી. અહીં મંત્રીઓએ સ્માર્ટ આંગણવાડી સહિત સેવાકિય અને સુવિધાદાયક પ્રકલ્પોને બીરદાવ્યા હતાં. આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ બાદલપરા સ્માર્ટ આંગણવાડીની મુલાકાત લઈ ભૂલકાઓ સાથે હળવી અને ગમ્મતભરી પળો પસાર કરી હતી અને સ્માર્ટ આંગણવાડીની કામગીરીને બીરદાવી હતી. જે પછી મંત્રીઓએ ગામની સુવિધાઓ, સ્વચ્છતા તેમજ ઘનકચરાના નિકાલથી લઈ તમામ વ્યવસ્થાઓના વખાણ કર્યા હતાં તદુપરાંત મંત્રીશ્રીઓએ શ્રી ધાનાભાઈ બારડ મેમોરિયલ ખાતે આરોગ્ય કેન્દ્ર અને લાઇબ્રેરી અને અન્ય સુવિધા અને સેવાકીય પ્રકલ્પોનું પણ નિરીક્ષણ કર્યું હતું અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પ્રયત્નોને બીરદાવ્યા હતાં. મંત્રીઓની બાદલપરા ગામની મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ...

વેરાવળ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ સરકારી કન્યા-કુમાર છાત્રાલયો(વિ.જા)નો લોકાર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, ડાભોર રોડ, વેરાવળ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિકસતી જાતિ કલ્યાણ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ સરકારી કુમાર અને કન્યા છાત્રાલય (વિ.જા) વેરાવળનો લોકાર્પણ સમારોહ તેમજ સરકારી કન્યા છાત્રાલય (વિ.જા) ઉનાનો વર્ચ્યુઅલી લોકાર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે ત્યારે આ ક્ષણ ગૌરવવંતી બની છે. દિનપ્રતિદિન વધુને વધુ ગુજરાતનો વિકાસ થાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે. નવી હોસ્ટેલોનું નિર્માણ એ સૂચવે છે કે ગુજરાતમાં શિક્ષણની ભૂખ વધી છે. હવે ભાડાના મકાનોમાંથી પોતાની જ સંકુલની બિલ્ડીંગો બની રહી છે અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવો હોય અને આર્થિક સ્થિતિ...