Sunday, February 15News That Matters

Gujarat

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ • રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧)જય જલારામ ઘૂઘરા (૨)પિતૃકૃપા કોલ્ડ્રિંક્સ (૩)યોગી એન્ટરપ્રાઇઝ (૪)વિક્રમ પ્રોવિઝન સ્ટોર (૦૫)આદર્શ પાન & કોલ્ડ્રિંક્સ (૦૬)ચોરસિયા સમોસા (૦૭)માધવ કોલ્ડ્રિંક્સ (૦૮)તુલસી પાન (૦૯)સમ્રાટ લાઈવ પફ (૧૦)દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર (૧૧)દ્વારકાધીશ પાન સેન્ટર (૧૨)દ્વારકાધીશ ટી સ્ટોલ (૧૩)ગોકુળ ગાંઠિયા (૧૪)જય ગોપાલ જનરલ સ્ટોર (૧૫)પિતૃકૃપા જનરલ સ્ટોર (૧૬)રામનાથ પાન (૧૭)અરમાન પ્રોવિઝન સ્ટોર (૧૮)ખોડિયાર પાન (૧૯)આજી સુપર માર્કેટ (૨૦)પિતૃ કોલ...
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે યોગ દિવસના અનુસંધાને કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે યોગ દિવસના અનુસંધાને કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરતી, ગીર સોમનાથ વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ ‘Yoga for Humanity’ એટલે કે ‘માનવતા માટે યોગ’ની થીમ પર આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આ યોગ સપ્તાહના ભાગરૂપે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ તેમજ પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દબદબાભેર કાર્યક્રમની શરુઆત થઈ હતી. જેમાં શિશુ સંજીવની પોષાહાર તેમજ ગોબર ગેસ સ્લરી આધારિત ખાતરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તેમજ સર્વે મહાનુભાવો અને ખેડૂતોએ યોગ કર્યા હતાં તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મૂકબધીર યુવક અપૂર્વ ઓમ ચૌહાણે ૨૧ સૂર્યનમસ્કાર કરી ઉપસ્થિત સર્વેનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું "...
કલેકટર પ્રવિણા ડી. કે. દ્વારા મામલતદાર કચેરી ભુજ (શહેર)ખાતે નવા જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

કલેકટર પ્રવિણા ડી. કે. દ્વારા મામલતદાર કચેરી ભુજ (શહેર)ખાતે નવા જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કલેકટર પ્રવિણા ડી .કે દ્વારા મામલતદાર કચેરી ભુજ (શહેર) ખાતે નવા અલગ જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. પ્રજાજનો માટે સેવારત કરાયેલા જનસેવા કેન્દ્રના પ્રારંભથી ભુજ શહેર ,સુખપર, માધાપર અને મીરઝાપરના નાગરિકોને સરકારની વન ડે સર્વિસ જેવાં કે સોગંદનામા, આવકના દાખલા કે અન્ય દાખલાઓની સેવા મામલતદાર કચેરી ભુજ શહેરથી સુવિધા મેળવી શકશે. જેનાથી પ્રજાના નાણાં અને સમયનો બચાવ થશે અને જરૂરી પ્રમાણપત્રો મળતા નાગરિકોના કામો ઝડપભેર પૂર્ણ થશે. દરેક નાગરિકોની સેવા માટે તત્પર એવા જનસેવા કેન્દ્રો પરથી આધાર ,રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, બિન ખેતી વગેરે જેવાં વિવિધ પ્રમાણપત્રો પણ મળશે. મામલતદાર કચેરી ભૂજ ગ્રામ્ય ખાતે એક જનસેવા કેન્દ્ર કાર્યરત છે જયારે આ નવા અન્ય જન સેવા કેન્દ્રનો લાભ લેવા માટે કલેકટર પ્રવિણા ડી .કે એ પ્રજાજનોને અનુરોધ કર્યો છે . કલેક્ટરએ આ જનસેવા કેન્દ્રની જાત મુલાકાત લઇને...
વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરડો ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસ મનાવાશે

વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરડો ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસ મનાવાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કલેકટર પ્રવીણા ડી.કે ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે તારીખ ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ યોજાનાર આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ હતી .મીડિયાકર્મીઓને સંબોધતા કલેકટર એ જણાવ્યું હતું કે,” વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરડો ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસ મનાવાશે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે ભારત સરકારના ૭૫ આઇકોનિક સ્થળોમાં કચ્છના ધોળાવીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ધોળાવીરા ખાતે કેન્દ્રિય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજ્યમાં ૭૫ આઇકોનિક સ્થળો પર યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે કચ્છ જિલ્લાના સાત સ્થળોનો પણ તેમાં સમાવેશ થાય છે.જેમાં ૧. ધોળાવીરા ,૨. સફેદ રણ ધોરડો, ૩. લખપત ગુરુદ્વારા, ૪. આઈના મહેલ,૫. વિજય વિલાસ પ્લેસ-માંડવી,૬. માંડવી બીચ,૭. મુન્દ્રા પોર્ટનો સમાવેશ કરવામાં ...
ચોમાસુ માથે હોય ત્યારે ઘરમાં ગેસસગડીથી મોટી નિરાંત લાગે- લાભાર્થી નસીમબાનુ અબ્દુલકરીમ

ચોમાસુ માથે હોય ત્યારે ઘરમાં ગેસસગડીથી મોટી નિરાંત લાગે- લાભાર્થી નસીમબાનુ અબ્દુલકરીમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છના માંડવી ખાતે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના ૨.૦ અંતર્ગત કુલ ૭૬૮ લાભાર્થીઓને ગેસચુલો આપવામાં આવ્યો છે. જે પૈકીના એક છે ૨૪વર્ષીય લાભાર્થી નસીમબાનુ અબ્દુલભાઇ કરીમ તાજેતરમાં કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રિય રાજયમંત્રી કૈલાસભાઇ ચૌધરીએ તેમના પરીવારની જાત મુલકાત લઇ તેમની સાથે સંવાદ કર્યો હતો. આ સમયે તેમણે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “ માથે ચોમાસુ હોય ત્યારે ઘરમાં ગેસનો ચૂલો મળે એટલે મોટી નિરાંત લાગે. નહિ તો લાકડાં ભેગા કરી રાખવાનાં અને ઘરમાં તો ધુમાડો ધુમાડો થઇ જતુ હતું. બહાર વરસાદ ને ઘરમાં ધુમાડો કંટાળો આવી જાય પણ ભલું થયો સરકારનું કે અમને ઉજ્જવલા ગેસ મળ્યો” નસીમબાનુએ કેન્દ્રિય રાજયમંત્રી સાથે વાર્તાલાપમાં જણાવ્યું હતું કે હવે મારી સના અને મોહીન માટે પણ સમય ફાળવી શકાશે. ઘરમાંય ધુમાડો નહી થાય મારા બચ્ચાઓને સારૂ લાગેશે. સરકાર દ્રારા વિનામૂલ્...
વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ ભરીએ : જીલ્લા વહીવટી તંત્ર

વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ ભરીએ : જીલ્લા વહીવટી તંત્ર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ હાલમાં વર્ષાઋતુમાં કચ્છ જિલ્લામાં વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવા માટે હાલની ઋતુમાં લોકોને જાગૃતિના પગલાં લઇ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા રાહત નિયામકશ્રી, મહેસૂલ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર તેમજ જીલ્લા વહીવટી તંત્ર તરફથી આગ્રહ ભરી વિનંતી કરવામાં આવે છે. નિવાસી અધિક કલેકટર કચ્છ-ભુજ હનુમંતસિંહ જાડેજાએ અખબારી યાદીમાં વહીવટી તંત્ર તરફથી આ મુજબની સાવધાની રાખવાની વિગતો જનતાને જણાવી છે તેનું પાલન કરી સુરક્ષિત રહીએ જ્યારે તમે ઘરની અંદર હોવ ત્યારે શુ કરવું જોઈએ.  વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું.  તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો.  બારી-બારણા અને છતથી દુર રહેવું.  વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું.  ધાતુથી બનેલા ...
સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાની ગ્રામસભાનું કરાયેલુ આયોજન. ચાલુ વર્ષની ગ્રામસભા તા. ૬ જૂનથી ૨૦ જૂન સુધી મળશે.

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાની ગ્રામસભાનું કરાયેલુ આયોજન. ચાલુ વર્ષની ગ્રામસભા તા. ૬ જૂનથી ૨૦ જૂન સુધી મળશે.

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ         ગ્રામ વિકાસ કમિશનર ગાંધીનગર ના પરિપત્ર અન્વયે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ના સંયુક્ત સંદર્ભ પત્ર અન્વયે સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓમાં ગ્રામસભા યોજાઇ રહી છે. આ ગ્રામસભાઓનો પ્રથમ તબક્કો તા. ૬/૬/૨૦૨૨ થી તા.૨૦/૬/૨૦૨૨ યોજાશે. જેમાં વિજયનગર તાલુકામાં ૧૦ થી ૧૭ જૂન સુધી જિલ્લા કક્ષાના અધિકારીઓ ગ્રામસભામાં ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપી લોકોના પ્રશ્નો અને સુચનો ગ્રામસભાના માધ્યમથી સાંભળી રહ્યા છે. અને તેનો યોગ્ય ઉકેલ આવે તે માટે ગ્રામસભામાં ઠરાવ કરીને જનસુખાકારીના તથા વિકાસના કાર્યોને પ્રાધાન્ય ગ્રામસભા થકી આપી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ૨૩ ગામોમાં તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં ગ્રામસભા યોજાશે. આજે તા.૧૪/૬/૨૦૨૨ ના રોજ જિલ્લાના નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારની ઉપસ્થિતિમાં આંતરસુબામાં ગ્રામસભા યોજાઈ હતી....
રૂપપુરા (ગોળા) ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું લોકાર્પણ કરાયું

રૂપપુરા (ગોળા) ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું લોકાર્પણ કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ               ભારત સરકારની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ગ્રામ વિકાસ વિભાગના નવિન પ્રયોગોના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રૂપપુરા ખાતે રૂા. ૫.૨૧ લાખના ખર્ચે નિર્માણ પામેલા ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું આજે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ થયું હતું. આ યુનિટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આર્થિક અને વાસ્મોના ટેકનિકલ સહયોગ થી તૈયાર થયો છે. આ પ્રસંગે અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગ્રે-વોટર ટ્રીટમેન્ટ ગામને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પ્લાન્ટમાં બાથરૂમ, રસોડા અને ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવી ભૂગર્ભ જળ રિ-ચાર્જ માટે ઉપયોગ કરી શકાશે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૧૬ જેટલા નવા પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપી છે. જેનાથી આ ગામોમાં ફાયદા થશે. મંત્રીએ કહ્યુ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  તા. ર૧ જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો           ‘માનવતા માટે યોગ’ની થીમ સાથે રાજ્યમાં મહાનગરો-જિલ્લા-તાલુકા-ગ્રામ કક્ષાએ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવાશે - ૧ કરોડ રપ લાખ લોકોની સહભાગીતા માટેનું સુદ્રઢ આયોજન - રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૭પ૦૦થી વધુ નાગરિકો યોગમય બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસ્કૃતિક બાબતો અને રમત-ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી સહભાગી થશે - આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ૭પ આઇકોનિક પ્લેસીસ પર સામુહિક યોગ થશે - મોઢેરા-અંબાજી સહિત ૧૭ ધાર્મિક સ્થળો-૧૮ ઐતિહાસિક સ્થાનો-કચ્છના રણ અને રર પ્રવાસન ધામો-સાપુતારા-માનગઢ સહિત ૧૭ કુદરતી સૌન્દર્ય ધામ અને સાયન્સ સિટીમાં યોગ દિવસની ઉજવણી થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણા સંદેશનું જીવંત પ્રસારણ કરાશે...
વિદ્યાના વારાણસી જેવા વડોદરામાં સરસ્વતી સાધનાની વધુ એક અનુપમ સુવિધા થશે સાકાર

વિદ્યાના વારાણસી જેવા વડોદરામાં સરસ્વતી સાધનાની વધુ એક અનુપમ સુવિધા થશે સાકાર

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, વડોદરા            પ્રધાનમંત્રી વડોદરાના કાર્યક્રમમાં કુંઢેલા નજીક ૧૦૦ એકર જમીનમાં સ્થપાનારી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નિર્માણ માટે કરશે શિલાન્યાસ     ગુજરાત સરકારે કરોડોમાં મૂલ્ય અંકાય એવી બેશકીમતી જમીન અને ભારત સરકારે રૂ.૭૪૩ કરોડ આ આંતરરાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ સુવિધાઓથી સજ્જ વિદ્યાધામના સર્જન માટે ફાળવ્યા છે - દીર્ઘદ્રષ્ટા સયાજીરાવ મહારાજે વડોદરાને વિદ્યાનું વારાણસી બનાવ્યું...