Monday, February 16News That Matters

Author: Admin Admin

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૪૨૫ પશુઓ પકડવામાં આવ્યા

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૪૨૫ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૦૫/૧૨/૨૦૨૨ થી તા.૧૮/૧૨/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ, ટોપલેન્ડ રેસીડેન્સી, પામસીટી, રૈયા રોડ, ભીડભંજન સોસાયટી, રૈયાધાર મેઈન રોડ, જનકપુરી મેઈન રોડ, ન્યુ યોગીનગર, શાસ્ત્રીનગર, મારવાડી મેઈન રોડ, ધરમનગર, સમ્રુધિ સોસાયટી, રાધે શ્યામ સોસાયટી,યોગરાજનગર, ઉમાધાર રૈયાધાર તથા આજુબાજુમાંથી ૫૧(એકાવન) પશુઓ, ગાર્બેજ સ્ટેશન, યુનીવર્સીટી મેઈન રોડ, ન્યુ ૧૫૦ ફૂટ મેઈન રોડ, અયોધ્યા ચોક પાછળ, રૈયા ટેલીફોન એક્સચેંજ, રવિરાજ પાર્ક, જલારામ-૨, અક્ષર સ્કૂલ પાછ, નિવિદિતા નગર, શિવમપાર્ક, ચંદન પાર્ક, સોમનાથ સોસાયટી, જ્યોતીનગર, ઘનશ્યામનગર, શ્રધ્ધાદીપ સોસાયટી, નંદી પાર્ક, દ્વારકેશ પાર્ક, જે.કે. ચોક, મારવાડી નગર પાસે તથા આજુબાજુમાંથી ૫૦(પચાસ) પશુઓ, હંસર...
બોરના માધ્યમથી બનતી દુર્ઘટનાઓ અટકાવવા અને તકેદારીના પગલા લેવા જાહેરનામું

બોરના માધ્યમથી બનતી દુર્ઘટનાઓ અટકાવવા અને તકેદારીના પગલા લેવા જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     રાજયમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલીક દ્વારા પુરતી કાળજી નહી લેવામાં આવતા અને બોર ખુલ્લાં મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના બનાવો બને છે. આથી આવી ગંભીર ઘટનાઓ નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા  જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.     આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજુરી મેળવી તે અંગેની ખાતરી જમીન માલીક, બોરવેલ માલીક તથા બોર બનાવનાર એજન્સીએ સબંધિત પોલીસ અધિકારીને કરાવવાની રહેશે.    તેમજ બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહી અથવા બોરવેલમાં કોઈ બાળક, અન્ય વ્યકિત કે જાનવર પડીન જાય તેમજ કોઈપણ પ્રકારનો અકસ...
ત્રિવેણી સંગમ ખાતે પૂજા સામગ્રી તેમજ પ્લાસ્ટિકની કોથળીઓ અને કચરો નાખવા પર પ્રતિબંધ

ત્રિવેણી સંગમ ખાતે પૂજા સામગ્રી તેમજ પ્લાસ્ટિકની કોથળીઓ અને કચરો નાખવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     ગીર-સોમનાથ જિલ્લામાં પ્રભાસ-પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ પવિત્ર યાત્રાધામ છે. જ્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. શ્રદ્ધાળુઓ નદીમાં વસ્તુઓ પધરાવતા હોય છે. જેથી નદીમાં વિસર્જન માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ  બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામુ બહાર પાડી વિસર્જન માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.     આ જાહેરનામા અનુસાર પ્રભાસ પાટણ મુકામે આવેલ તીર્થસ્થાન ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચૂંદડી,  કાપડ, નાળિયેર,  ફૂલો, માટીના વાસણો વગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટીકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાંખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.     જોકે, ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પીંડ વિસર્જન કરી શકાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત  શિક્ષાને...
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ૩૦ ઈ-વ્હીકલ્સનું લોકાર્પણ

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ૩૦ ઈ-વ્હીકલ્સનું લોકાર્પણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     જિલ્લામાં પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ સૂચારૂ રીતે કામો હાથ ધરવામાં આવે તે માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી  રવિન્દ્ર ખતાલેના હસ્તે ૩૦ ઈ-વ્હીકલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.    ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા, હસ્નાવદર, રામપરા સહિત છ ગામ, સુત્રાપાડા તાલુકાના ખાંભા, મોરાસા, વિરોદર, ગોરખમઢી, નવાગામ સહિત નવ ગામ, તાલાલાના પીખોર, ગુંદરણ સહિત પાંચ, ઉનાના ઉમેજ, એલમપુર સહિત ચાર, ગીર ગઢડાના જરગલી સહિત ત્રણ અને કોડીનારના છાછર, વિઠ્ઠલપુર અને અરીઠીયા જેવા ગામોને ઈ-વ્હીકલ આપવામાં આવી હતી. જેથી ભીના કચરા અને સૂકા કચરાનો યોગ્ય અને સુનિયોજીત રીતે નિકાલ થઈ શકે.    જિલ્લા પંચાયત સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા પં...
દસ વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવવાના રહેશે

દસ વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવવાના રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ     છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા (યુ. આઇ. ડી. એ.આઇ.) ભારત સરકારની તા. ૧૯/૦૯/૨૦૨૨ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધાર કાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઇ આધાર અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધાર કાર્ડ અપડેટ કરવા જણાવેલ છે. આધારકાર્ડ અપડેટ કરવા માટે સરકાર દ્વારા રૂ.૫૦/- (પચાસ પૂરા/-)નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે કચ્છ જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે તેવું નોડલ ઓફિસર યુઆઈડી અને નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા દ્વારા અખબારીયાદીમાં જણાવાયું છે....

ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી ગાંધીનગર દ્વારા એક દિવસીય રિજીઓનલ વર્કશોપ ભુજ ખાતે યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         આજરોજ નવચેતના ટ્રેનિંગ સેન્ટર ભુજ ખાતે પી.એમ.કે.એસ.વાય. ૨.૦ નો એક દિવસીય વર્કશોપ ભુજ ખાતે યોજાયો હતો. તેમાં છ જીલ્લાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.         કાર્યક્રમમાં DRDA ના ડાયરેક્ટર જી.કે.રાઠોડે આ રિઝનલ વર્કશોપમાં આવેલા ૬ જિલ્લાના વોટરશેડ કર્મચારીઓને અભિનંદન આપતા કહ્યું હતું કે, આ વર્કશોપમાં જે જાણકારી મેળવશો તેનો ખુબ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડશો તેવી મને ખાતરી છે.          આ તકે તેઓએ વોટરશેડ યોજના અને કન્વર્ઝનની માહિતી આપતા  જણાવ્યું હતું કે, પાણીની જરૂરિયાત અને પાણીની જાળવણીથી ખેતીનું ઉત્પાદન વધે છે. અને ગામના નાનામાં નાના કારીગરોને પણ રોજગારી મળે છે.         વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન દ્વારા ખેડૂતની આવક ડબલ કરવા, પાણીનો સંગ્રહ, વપરાશ, ઘાસ, ઝાડ,ખેતી, પશુપાલન અને રોજગારી સાથે વેલ્યુ એડેડ  ગામ, ખેડૂતો અને ખેતીનો વિકાસ થ...
PMSVANidhi યોજના હેઠળ શહેરી શેરી ફેરીયાઓને લોન સહાય મળી રહે તે માટે તા.૧૭ અને તા.૧૮ ડિસેમ્બરનાં રોજ કેમ્પ યોજાયા, લોન મેળવવા માટે ૩૭૧ નવી અરજીઓ આવી

PMSVANidhi યોજના હેઠળ શહેરી શેરી ફેરીયાઓને લોન સહાય મળી રહે તે માટે તા.૧૭ અને તા.૧૮ ડિસેમ્બરનાં રોજ કેમ્પ યોજાયા, લોન મેળવવા માટે ૩૭૧ નવી અરજીઓ આવી

Uncategorized
હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ  ભારત સરકાર પુરસ્કૃત શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors Atma Nirbhar Nidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજનામાં તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી રૂ. ૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.  આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરમાં છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૭/૧૨/૨૦૨૨ શનિવાર અને તા. ૧૮/૧૨/૨૦૨૨ રવિવારનાં રોજ વિવિધ વોર્ડમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ NULM સેલ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ઉપર સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબર રોડ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ ઓનલાઈન ફ...
ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત પાંચ આવાસ યોજનાઓને IGBC  દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત

ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત પાંચ આવાસ યોજનાઓને IGBC  દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી , રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ (૧) લાલા લજપતરાય ટાઉનશીપ, (૨) ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ, (૩) શહીદ ભગતસિંહ ટાઉનશીપ, (૪) શહીદ સુખદેવ ટાઉનશીપ અને (૫) ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપ આવાસ યોજનાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવેલ છે, તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત આશરે ૩૨,૦૦૦ થી વધારે આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં સમાજના ઓછી આવક ધરાવતા તેમજ મધ્...
રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૨/૧૨/૨૨ થી તા.૧૮/૧૨/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી  ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૨/૧૨/૨૨ થી તા.૧૮/૧૨/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ               હાલ મીક્ષઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈ...
શ્રી સોમનાથ મંદિરમાં શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના 200 થી વધુ સંતોએ દર્શન,અભિષેક અને ધ્વજારોહણ કર્યું

શ્રી સોમનાથ મંદિરમાં શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના 200 થી વધુ સંતોએ દર્શન,અભિષેક અને ધ્વજારોહણ કર્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ કુંભ મેળો પૂર્ણ થયે શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના સંતો દ્વારા હરિદ્વાર થી સોમનાથ પ્રવાસ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે 200 થી વધુ સંતો હરહર મહાદેવના નાદ અને ૐ નમઃ શિવાયના જાપ કરતા શ્રી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંતોને સુખરૂપ દર્શન થઈ શકે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સંતોને શ્રી સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત સંકીર્તન હોલ ખાતે પૂજારી શ્રી દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ધ્વજા પૂજા કરાવવામાં આવી હતી. ત્યારબાદ સર્વે સંતોએ સોમનાથ મહાદેવના દર્શન અને જલાભિષેક કર્યા હતા.  સોમનાથ મંદિરમાં સ્વહસ્ત ધ્વજારોહણ સેવા નો લાભ લઈને સંતોએ પોતાના હસ્તે ધ્વજાને મંદિરના શિખર સુધી પહોચાડેલ અને સ્વહસ્તે ધ્વજારોહણ નો આનંદ પામ્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં મહામૃત્યુંજય મંત્રના પાઠ સાથે સંતોએ દેશ અને વિશ્વના કલ્યાણ માટે મ...