Tuesday, April 14News That Matters

Gujarat

આર્ય સમાજ, ભાવનગર અને સત્યાસત્ય પ્રકાશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેડૂત સંમેલનમાં સહભાગી થતાં રાજ્યપાલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, - જળ, જમીન અને પર્યાવરણની રક્ષા, સ્વાસ્થ્યપ્રદ આહાર તેમજ ખેડૂત અને ખેતીની સમૃધ્ધિ માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક - રાસાયણિક કૃષિના દુષ્પરિણામો પ્રકૃતિથી દૂર જવાનું પરિણામ- પ્રકૃતિ તરફ પાછા વળો - પ્રાકૃતિક કૃષિથી ભૂમિ અને દેશી ગાયનું જતન થાય છે, ઉત્પાદન ઘટતું નથી, ખેતી અને ખેડૂતો સમૃદ્ધ થાય છે - રાજ્યપાલએ અજય આર્યના પુસ્તક ‘શીઘ્ર આર્થિક સફળતા વિજ્ઞાન’ નું વિમોચન કર્યું - સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના માધ્યમથી વૈદિક સંસ્કૃતિનું પુનઃસ્થાપન કરી આઝાદી માટે ક્રાંતિકારીઓને પ્રેરિત કર્યાં...
ઉમરાળા તાલુકા કચેરી જર્જરિત હોવાથી અન્ય સ્થળે કાર્યરત થશે

ઉમરાળા તાલુકા કચેરી જર્જરિત હોવાથી અન્ય સ્થળે કાર્યરત થશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મામલતદાર કચેરી, ઉમરાળા હાલ ઉમરાળા ગામે આવેલ દરબારગઢના મકાનમાં કાર્યરત છે. આથી ઉમરાળા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે કે હાલ સદરહુ બિલ્ડીંગ આશરે ૧૫૦ વર્ષ જુનુ અને જર્જરીત હોય અકસ્માત થવાની શક્યતાઓ હોવાનું તેમજ આગામી વર્ષાઋતુ દરમ્યાન ભારે વરસાદ તેમજ વાવાઝોડાના સમયે બિલ્ડીંગનો કોઇ ભાગ પડી જવાના લીધે જાન મિલ્કત તેમજ જાનહાની થવાની શક્યતાઓ રહેલ છે. જેથી કચેરીની બીલ્ડીંગને સ્થળાંતર કરવાની જરૂરીયાત ઉભી થતા ભાવનગર જિલ્લા કલેક્ટરને દરખાસ્ત કરતા તેઓની કચેરીના પત્રથી જાહેર નોટીસ ઇસ્યુ કરવા અંગે પરવાનગી આપવામાં આવેલ છે. આથી તા.૦૬/૦૫/૨૦૨૨ થી મામલતદાર કચેરી , ઉમરાળા ઉમરાળા ગામે આવેલ સરકારી વસાહતના કવાર્ટર નં.ડી -૧ થી ડી -૬ માં કાર્યરત થનાર છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર, ઉમરાળા દ્વારા જણાવાયું છે....
ભાવનગરની શિશુવિહાર સંસ્થા દ્વારા ગ્રીષ્મ બાળ સર્જન શિબિર નું આયોજન

ભાવનગરની શિશુવિહાર સંસ્થા દ્વારા ગ્રીષ્મ બાળ સર્જન શિબિર નું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બાળ કેળવણી મંદિર બગસરા સંચાલિત લાલચંદભાઈ વોરા બાલભવન, અમરેલી જિલ્લાના બગસરા ખાતે ત્રિ-દિવસીય ગ્રીષ્મ બાળ સર્જન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થાનાં શિશુવિહારના ચીફ કો-ઓર્ડિનેટર હિનાબહેન ભટ્ટ, કાર્યકર પ્રીતિબહેન ભટ્ટ, રાજુભાઈ મકવાણા, પાર્થભાઈ બારૈયા અને હર્ષભાઈ ચુડાસમા દ્વારા ૧૨૦ બાળકોને ક્રાફટ, આપત્તિ નિવારણ, સાહસિક રમત - ગમતની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. અમરેલી ખાતે યોજાયેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટનાં દેવચંદભાઈ તથા મહેન્દ્રભાઈએ કર્યું હતું....
ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત આજરોજ ઝોન કક્ષાએથી મહાનગરપાલિકા કક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત એથલેટિક્સ રમતની શરૂઆત કરાઇ

ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત આજરોજ ઝોન કક્ષાએથી મહાનગરપાલિકા કક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત એથલેટિક્સ રમતની શરૂઆત કરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી ભાવનગર શહેર સંચાલિત ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત આજરોજ ઝોન કક્ષાએથી મહાનગરપાલિકા કક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત એથલેટિક્સ રમત થી શરૂઆત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે થઈ હતી. જેમાં કમિશનર ભાવનગરે હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડેલ અને ૧૦૦ મીટર દોડમાં અધિકારીએ પોતે ભાગ લઈને વ્યાયમ શિક્ષકો સાથે સ્પર્ધા રમીને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી....

અમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર           ભાવનગરની જાહેર જનતાને જણાવવાનું કે તા.૨૯/૦૪/૨૦૨૨ થી બપોરે ૩ થી ૫ દરમ્યાન (શનિ - રવિ અને જાહેર રજાના દિવસો સિવાય) રૂમ નં.૬૬ સર્જરી ઓ.પી.ડી વિભાગ, ન્યુ ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટીફીકેટ ઇશ્યુ કરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અમરનાથ યાત્રાએ જતા તમામ યાત્રીઓએ આ માટે તબીબી અધિક્ષકની કચેરી ખાતે નિયત ફોર્મ સાથેની અરજી કચેરીના કામકાજના સમય દરમ્યાન કરવાની રહેશે અને અરજી આપ્યાનાં બે દિવસ બાદ ફિટનેસ સબંધિત કામગીરી માટે આવવાનું રહેશે. જેની નોંધ લેવા તબીબી અધિક્ષક, સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે....

દુધઈ બ્રાન્ચ કેનાલ જે બનવાની છે તે પાઈપ વાડી નહીં પરંતું ખુલ્લી કેનાલ બનશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કચ્છ આ કેનાલ નું સંપુર્ણ કામ નર્મદા બોર્ડ કરશે ખુલ્લી કેનાલ આવશે એનામા કમાન્ડ વિસ્તારમાં આવતી તમામ જમીન અગાઉ નક્કી થયેલ જે કમાન્ડ વિસ્તાર છે તે મુજબ જ આવશે આ કેનાલ વિશે જે અફવાઓ ફેલાઈ રહી છે તેમા કોઈ ખેડૂતે ગેરમાર્ગે દોરાવું નહી. કેનાલ નું કામ ઝડપી શરૂથાય તે માટે પાવરપટ્ટી તથા આહીરપટ્ટી વિસ્તાર ના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા હોદ્દેદારઓ તેમજ આ વિસ્તારના પાર્ટી પદાધિકારીઓ એ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષા શ્રીમતી ડૉ.નિમાબેન આચાર્ય, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા ધારાસભ્યઓ ને રજૂઆત કરી હતી. રજૂઆત ના સંદર્ભે પદાધિકારીઓ દ્વારા હકારાત્મક વલણ દર્શાવતા જણાવવામાં આવ્યું હતું કે 15 થી 20 દિવસમાં મંજુરી મળી જશે અને 2 થી 3 મહીના ની અંદર ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. રુદ્રરમાતા ડેમ તથા કાયલ ડેમ નોર...
સિહોર તાલુકાના બુઢણા મુકામે ગામે તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ

સિહોર તાલુકાના બુઢણા મુકામે ગામે તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી.ના સહયોગથી ભાવનગર અને અમરેલી જીલ્લામાં પ૧ જેટલાં તળાવો ઊંડા ઉતારાશેએક્સેલ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને વી.આર.ટી આઈ. સંસ્થાના પ્રેરણાસ્ત્રોત એવાં પૂ. કાંતિસેન શ્રોફ (કાકા) ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી તેમજ આઝાદીના અમૃત મહોત્સવના ૭૫ વર્ષના અવસર પર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક જીલ્લામાં ૭૫જળાશયો બનાવવાની હાકલ કરેલ છે. આ અભિયાનને કારગત કરવાં એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. ના દીપેશભાઈ શ્રોફ દ્વારા ભાવનગર અને અમરેલી જીલ્લામાં પ૧ જેટલાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરી લોકભાગીદારીથી શરૂ કરવામાં આવી છે. જે પૈકી તા. ૨૩/૪/૨૦૨૨ ના રોજ સિહોર તાલુકાના બુઢણા મુકામે ગામ આગેવાનો તેમજ ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણી તેમજ ભાયાજીભાઈ ચૌહાણના વરદહસ્તે તળાવ ઊંડા ઉતારવાની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે. જેમાં વી.આર.ટી.આઈ. સંસ્થાના નરેન્દ્રસિંહ ઝાલા અને...

કુટુંબ સલાહ કેન્દ્ર વેરાવળ ખાતે ગત ૬ માસ દરમ્યાન કુલ ૯૩ કેસો નોંધાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજય સમાજ કલ્યાણ બોર્ડ, અમદાવાદ ની સહાય થી જુનાગઢ જીલ્લા મહિલા મંડળ સંચાલિત, “કુટુંબ સલાહ કેન્દ્ર” વેરાવળ ખાતે ઘણા વર્ષોથી ચાલે છે, જેમાં સાસરીયા દ્વારા ત્રાસ, અન્યની દખલગીરી, શરાબ નું વ્યસન, આર્થિક સંકડામણ, અનૈતિક સબંધ, દહેજ તથા ઘરેલું હિંસા, અપહરણ, બાળલગ્ન વગેરે પ્રશ્નો અંગે સમાધાનકારી માર્ગદર્શન અને પગલા લેવામાં આવે છે. આ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન ઓક્ટોબર-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ ૬ માસ દરમ્યાન કુલ ૯૩ કેસો કેન્દ્રમાં નોંધાયેલા હતા, જેમાંથી ૪૩ કેસોનો નિકાલ થયેલ જેમાં પતિપત્ની વચ્ચેના અણબનાવ ના ૧૮ કેસોમાં સમાધાન થયેલ. ૬ કેસોમાં પક્ષકાર ને નામદાર કોર્ટમાં જવા સલાહ આપવામાં આવેલ તેમજ ગંભીર પ્રકારના ૬ કેસોમાં છૂટાછેડા તેમજ ૪ કેસો અન્ય શહેરમાં ચાલતા કુટુંબ સલાહ કેન્દ્ર માં તબદીલ કરવામાં આવેલ. અને ૬ કે...
ગાંધીનગરમાં સૌપ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઊંચી આશા સાથે સફળતાપૂર્વક સમાપન: રૂ. 9,000 કરોડના રોકાણની દરખાસ્ત

ગાંધીનગરમાં સૌપ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઊંચી આશા સાથે સફળતાપૂર્વક સમાપન: રૂ. 9,000 કરોડના રોકાણની દરખાસ્ત

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ગાંધીનગર ગાંધીનગર ખાતે સૌપ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ (GAIIS) સફળતાપૂર્વક યોજાઈ ગઈ. જેમાં આયુષ સેક્ટરમાં રૂ. 9,000 કરોડથી વધુના લેટર ઓફ ઇન્ટેન્ટ્સ (Lols) ઈરાદાપત્રો થયા છે. રોકાણની દરખાસ્તો એફએમસીજી, મેડિકલ વેલ્યુ ટ્રાવેલ (MVT) અને સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્નોલોજી એન્ડ ડાયગ્નોસ્ટિક્સ અએ ખેડૂતો અએ કૃષિ જેવી મુખ્ય શ્રેણીઓમાં આવી છે. આ સમિટ દરમિયાન, દેશો, પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ, ખેડૂતોનાં જૂથો અને ઉદ્યોગો વચ્ચે 70થી વધુ એમઓયુ (સમજૂતી પત્ર) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાન સિવાય, સમગ્ર ભારતમાં 35થી વધુ લશ્કરી છાવણી વિસ્તારોમાં આયુષ સુવિધાઓ શરૂ કરવા માટે આયુષ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સમાપન સમારોહમાં બોલતા, કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ...

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,વલસાડ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગામે કાર્યરત વન સેવા મહા વિદ્યાલયના ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળની ગ્રાન્ટમાંથી રૂ. ૧૫ લાખના ખર્ચે નિર્માણ થનારા મકાનનું ખાતમુહૂર્ત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ બી.આર.એસ. કોલેજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું છે, એના માટે આ કોલેજ ઉત્તમ સાધન બની રહેશે. એ દિશામાં સતત આગળ વધશે તો આ સંસ્થા સંપૂર્ણપણે સ્વનિર્ભર બની જશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. હવે પછી વિદ્યાથીર્ઓને કોલેજમાં કોઇ તકલીફ ન પડે તેવા તમામ પ્રયાસો હાથ ધરવાની ખાતરી તેમણ...