વેરાવળ: મત્સ્યોદ્યોગના ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ઉત્પાદનો બનાવવા અંગે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ
જિલ્લાનું વેરાવળ બંદર મત્સ્યોદ્યોગ માટેનું મહત્વનું કેન્દ્ર છે. મત્સ્યોદ્યોગ સામેના પડકારો તેમજ તેમાં રહેલી શક્યતાઓને ઓળખી ICAR-CIFT તેમજ સોસાયટી ઓફ ફિશરિઝ ટેક્નોલોજીસ્ટ્સ દ્વારા સ્વચ્છતા એક્શન પ્લાનને અનુલક્ષી હોટલ રેજીન્ટા સેન્ટ્રલ ખાતે ‘વેસ્ટ-ટૂ-વેલ્થ’ વિષય અંતર્ગત રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મુંબઈ, કેરળ, હૈદરાબાદ, કોચીન વગેરે શહેરોમાંથી આવેલા તજજ્ઞોએ વેરાવળના મત્સ્યોદ્યોગમાંથી ઉત્પન્ન થતાં વેસ્ટ(કચરા)માંથી બેસ્ટ ઉત્પાદનો અંગે તલસ્પર્શી માહિતી આપી હતી.
ચાર તબક્કામાં યોજાયેલા આ સેમિનારમાં ICAR-CIFT પ્રભારી વૈજ્ઞાનિક ડૉ.આશિષ કુમાર ઝાએ વેરાવળમાં એક્વાકલ્ચર અને મત્સ્યોદ્યોગના સોલિડ વેસ્ટ, ડોમેસ્ટિક વેસ્ટ, લિક્વિડ વેસ્ટ જેવા વિવિધ કચરાઓ અંગે માહિતી આપી તેનું યોગ્ય યુટિલાઈઝેશન કરવા અંગે સમજણ આપી હતી.
જ્યારે ડૉ.જ્યોર્જ નૈનન, કે.શ્ર...


