Sunday, February 15News That Matters

Gujarat

વેરાવળ: મત્સ્યોદ્યોગના ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ઉત્પાદનો બનાવવા અંગે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

વેરાવળ: મત્સ્યોદ્યોગના ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ઉત્પાદનો બનાવવા અંગે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  જિલ્લાનું વેરાવળ બંદર મત્સ્યોદ્યોગ માટેનું મહત્વનું કેન્દ્ર છે. મત્સ્યોદ્યોગ સામેના પડકારો તેમજ તેમાં રહેલી શક્યતાઓને ઓળખી ICAR-CIFT તેમજ સોસાયટી ઓફ ફિશરિઝ ટેક્નોલોજીસ્ટ્સ દ્વારા સ્વચ્છતા એક્શન પ્લાનને અનુલક્ષી હોટલ રેજીન્ટા સેન્ટ્રલ ખાતે ‘વેસ્ટ-ટૂ-વેલ્થ’ વિષય અંતર્ગત રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મુંબઈ, કેરળ, હૈદરાબાદ, કોચીન વગેરે શહેરોમાંથી આવેલા તજજ્ઞોએ વેરાવળના મત્સ્યોદ્યોગમાંથી ઉત્પન્ન થતાં વેસ્ટ(કચરા)માંથી બેસ્ટ ઉત્પાદનો અંગે તલસ્પર્શી માહિતી આપી હતી. ચાર તબક્કામાં યોજાયેલા આ સેમિનારમાં ICAR-CIFT પ્રભારી વૈજ્ઞાનિક ડૉ.આશિષ કુમાર ઝાએ વેરાવળમાં એક્વાકલ્ચર અને મત્સ્યોદ્યોગના સોલિડ વેસ્ટ, ડોમેસ્ટિક વેસ્ટ, લિક્વિડ વેસ્ટ જેવા વિવિધ કચરાઓ અંગે માહિતી આપી તેનું યોગ્ય યુટિલાઈઝેશન કરવા અંગે સમજણ આપી હતી. જ્યારે ડૉ.જ્યોર્જ નૈનન, કે.શ્ર...
ભાવનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો એપ્રેન્ટીસ ભરતી મેળો

ભાવનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો એપ્રેન્ટીસ ભરતી મેળો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર           ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ -૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈ.ટી.આઈ. ( ૧ ) મોટર મિકેનિક વ્હીકલ ( ૨ ) ડીઝલ મિકેનિક ( ૩ ) વેલ્ડર ( ૪ ) ઇલેક્ટ્રિશ્યન ( ૫ ) કોપા ટ્રેડ પાસ કરેલ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ભરતી આઈ.ટી.આઈ મેરીટ ધોરણે યોજાનાર છે.          આથી આ ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય, તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી, પાનવાડી એસ.ટી.ભાવનગર ખાતેથી રૂબરૂમાં તા -૧૯/૧૨/૨૦૨૨ થી તા ૨૩/૧૨/૨૦૨૨ સુધી ૧૧-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક સુધીમાં કાર્યાલયના સમય દરમ્યાન અરજી પત્રક મેળવી લઇ ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની સ્વ પ્રમાણિત નકલો અને https://apprenticeshipindia.org/ તથા https://anubandham.gujarat.gov.in/hom બંને વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહીત અરજી પત્રક તા -૨૩/૧૨/૨૦૨૨ ના ૧૬...
સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ

સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ       પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદિરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે. આ યાત્રાધામ ખાતે આવેલ દરીયા કિનારે વારંવાર મોજામાં તણાઈ જવાથી, સ્નાન કરવા જતા ડૂબી જવાથી કે અન્ય રીતે માનવ મૃત્યુના બનાવો બનવા પામેલ છે. આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ  બી.વી.લીંબાસીયા દ્વારાગીર સોમનાથ જિલ્લો ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ સોમનાથ મંદિરના સમુદ્રમાં સ્નાન કરવા કે ઉંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.      આ જાહેરનામા અનુસાર જિલ્લાના પ્રભાસપાટણ મુકામે આવેલ શ્રી સોમનાથ મંદીરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદુમાં, સોમનાથ મંદીરની પુર્વ–પશ્ચિમ બન્ને સાઈડમાં આશરે ૪ (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઈપણ વ્યકિતએ સમુદ્રમાં સ્નાન કરવા જવુ નહી કે સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ...

મુન્દ્રા તાલુકામાં હાથીપગા રોગનો એક પણ એક્ટીવ દર્દી નથી છતાં આગોતરા નિદાન અને તકેદારીના ભાગરૂપે ૬૦૦ લોકોના લોહીના નમુનાની તપાસ કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ       ફાઈલેરીયાએ ગંદા પાણીમાં થતા માદા ક્યુલેક્સ મચ્છરના કરડવાથી ફેલાતો એક વાહકજન્ય રોગ છે જેને આપણે "હાથીપગા" તરીકે ઓળખીએ છીએ. હાથીપગા રોગથી દર્દીનું મૃત્યુ થતું નથી પરંતુ દર્દી કાયમી અપંગ બની જતા તેની જીવનભરની ખુશાલી છીનવાઈ જાય છે આ રોગના નિદાન થયા બાદ તેને વધતો અટકાવી શકાય છે.      ખાસ કરીને દરિયાકિનારે જોવા મળતા હાથીપગા રોગનો મુન્દ્રા તાલુકામાં એક પણ એક્ટિવ દર્દી નથી, પરંતુ અન્ય રાજ્યોના લોકોની અવર જવર ધરાવતા માઈગ્રેટ વિસ્તારમાં કેસ મળવાની શક્યતાને ધ્યાને લેતા ચાલુ વર્ષે તાલુકામાં રેન્ડમલી પસંદ કરેલા રામાણીયા ગામે ૨૦ તારીખે તથા ધ્રબ અને તેની નજીક આવેલ પોર્ટ વિસ્તારમાં ૨૨ તારીખે હાથીપગા નિર્મૂલન અભિયાન અંતર્ગત રાત્રીના સમયે ૬૦૦ વ્યક્તિના લોહીના નમૂના લેવાના હોઈ લોકોએ સાથ સહકાર આપવા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાસપતિ પાસવાન દ્વારા અપીલ કરવામાં આવી છે.       મ...
ઘરવિહોણા મહિલાઓ તથા સખી મંડળના બહેનો માટે “ઇકોફ્રેન્ડલી” બેગ મેકિંગ તાલીમ વર્ગ યોજવામાં આવ્યો

ઘરવિહોણા મહિલાઓ તથા સખી મંડળના બહેનો માટે “ઇકોફ્રેન્ડલી” બેગ મેકિંગ તાલીમ વર્ગ યોજવામાં આવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેકટ શાખા દ્વારા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ઈન્સ્ટીટયુટ ગાંધીનગરના સહયોગથી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત શાળા નં.૧૦ હોસ્પિટલ ચોક પાસે આવેલ ડોર્મીટરી ખાતે ઘરવિહોણા બહેનો તથા સખી મંડળના બહેનો માટે તા.૦૭/૦૯/૨૦૨૨ થી તા.૦૯/૧૧/૨૦૨૨ સુધી બે માસ માટે ઈકોફ્રેન્ડલી બેગ મેકિંગ તાલીમ વર્ગ યોજવામાં આવેલ હતો. આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના માટીકામ કલાકારી બોર્ડના તાલીમ માસ્ટર દ્વારા આપવામાં આવેલ હતી જેમાં વિવિધ પ્રકારનાં કાપડ માંથી અલગ અલગ પ્રકારની બેગો બનાવવાની તાલીમ આપવામાં આવેલ હતી. આ તાલીમમાં ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વય જૂથના ૨૫ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવેલ હતી. જેમાં તમામ રો મટીરીયલ તથા તાલીમ લેનાર તમામ લાભાર્થીઓને માસિક રૂપિયા ૨૫૦૦/- મુજબ બે માસના પ્રતિ તાલીમાર્થી દીઠ રૂ.૫૦૦૦/- મુજબ ૨૫ તાલીમાર્થીઓને બેંક ...
કેકેવી ચોક બ્રિજ અને જડુસ ચોક ફ્લાયઓવર બ્રિજસાઈટની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

કેકેવી ચોક બ્રિજ અને જડુસ ચોક ફ્લાયઓવર બ્રિજસાઈટની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે તા. ૧૩-૧૨-૨૦૨૨ ના રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી શહેરના મુખ્ય માર્ગ કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક બ્રિજ અને જડુસ ચોક ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની સાઈટસ મુલાકાત લીધી હતી. કે.કે.વી. ચોક ખાતે ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ બ્રિજની ૬૫% કામગીરી પૂર્ણ થયેલ છે. આ બ્રિજનું કાર્ય ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય એ માટે સતત કામગીરી ચાલુ રાખવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. ત્યારબાદ તેમણે કાલાવડ રોડ પર જડુસ ચોક ખાતે બની રહેલા ફ્લાયઓવર બ્રિજની વિઝિટ કરી હતી આ બ્રિજની કામગીરી ૮૧% પૂર્ણ થયેલ છે અને બાકીનું કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી. ઉપરાંત મોટા માવા સ્મશાન પાસે બ્રિજ વાઇડનિંગની ચાલુ કામગીરી તથા ભીમનગરથી મોટામવાની જોડતા બ્રિજની ચાલુ કામગીરીની પણ મુલાકાત લીધી હતી. આ વિ...
પી.એમ. કિસાન સન્માનનિધિ યોજનાના તમામ લાભાર્થીઓએ  “આધાર e-KYC” અને “આધાર સીડિંગ” ફરજીયાત  કરાવવું

પી.એમ. કિસાન સન્માનનિધિ યોજનાના તમામ લાભાર્થીઓએ  “આધાર e-KYC” અને “આધાર સીડિંગ” ફરજીયાત  કરાવવું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ            ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯થી દેશના તમામ ખેડુતોને વાર્ષિક રૂ.૬૦૦૦/- (દર ચાર મહિને રૂ.૨૦૦૦/-)ની આર્થિક સહાય પી.એમ.કિસાન સન્માનનિધિ યોજના દ્વારા આપવામાં આવે છે. આ માટે તા.૦૧/૦૨/૨૦૧૯ ની સ્થિતિએ જે ખેડુત ખાતેદાર હોય તેને આ યોજના માટે લાયક ઠેરવવામાં આવેલ છે.               હાલમાં ખેડુતોને અપાતી આ રક્મ સમયસર મળે છે અને જેતે ખેડુતને જ મળે તે ખરાઇ કરવા ના હેતુથી અને આ ચુકવણાની તમામ પધ્ધતિઓ આધાર બેઝ્ડ થાય તેવા બેવડા હેતુથી ભારત સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેતા તમામ લાભાર્થીઓનું ફરજીયાત “આધાર e-KYC” અને “આધાર સીડિંગ” કરાવવું ફરજીયાત છે. આ કામગીરીને પુર્ણ કરવાની આખરી તારીખ કેંદ્ર સરકાર દ્વારા તા.૩૧/૧૨/૨૦૨૨ નક્કી કરેલ છે.  તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં જે ખેડૂતોનું “e-KYC” પુર્ણ થયેલના હોય તેવા ખેડૂતોને યોજના હેઠળનો હવે પછીના હપ્તા જમા કરવામાં આવશે નહિં. આથી, જે લાભાર્થીઓન...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સંત કબીર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવેલ. તથા ૫ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.  (૦૧)આશીર્વાદ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૨)ઠાકારધણી પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩)રવેચી પાન & કોલ્ડ્રિંકસ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૪)ડિલાઇટ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)રઘુવીર પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.        તથા (૦૬)કૈલાશ પાન (૦૭)નીર કોલ્ડ્રિંકસ (૦૮)મનમિત પાન (૦૯)સપના પાન & કોલ્ડ્રિંક્સ (૧૦)ખોડિયા...
રાજકોટમહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

રાજકોટમહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ     રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૧૨-૨૦૨૨ ના રોજ ચીફ ફાયર ઓફીસ આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) રેટીના હોસ્પિટલ, આમ્રપાલી અન્ડર બ્રીજ પાસે, (૨) પરમ હોસ્પિટલ, મવડી ચોકડી પાસે, (૩) જી.ટી.શેઠ હોસ્પિટલ, જામટાવર પાસે (૪) સેલસ હોસ્પિટલ, રૈયા રોડ (૫) ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ (૬) માહી ન્યુ બોર્ન કેર હોસ્પિટલ, પંડિત દીનદયાળ મેઇન રોડ, (૭) નક્ષકિરણ હોસ્પિટલ, કોઠારીયા રોડ રણૂંજા મંદિર પાસે, (૮) ઓલમ્પસ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ (૯) સારથી હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.             ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ ૯ (નવ) હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફ...
રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે સફેદ માદા વાઘણએ બે બાળને જન્મ આપ્યો

રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે સફેદ માદા વાઘણએ બે બાળને જન્મ આપ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. ઝૂ ખાતે સફેદ વાઘ બાળ ૦૨ નો જન્‍મ : સફેદ વાઘ નર દિવાકર તથા સફેદ માદા વાઘણ કાવેરીના સંવનનથી ૧૦૮ ‍દિવસના ગર્ભાવસ્‍થાના અંતે કાવેરી વાઘણ દ્વારા પ્રથમ વખત તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ સવારના સમયે સફેદ વાઘ બાળ જીવ-૦૨(બે)નો જન્‍મ થયેલ છે....