Sunday, February 15News That Matters

Author: Admin Admin

સિહોર તાલુકાના બુઢણા મુકામે ગામે તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ

સિહોર તાલુકાના બુઢણા મુકામે ગામે તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી.ના સહયોગથી ભાવનગર અને અમરેલી જીલ્લામાં પ૧ જેટલાં તળાવો ઊંડા ઉતારાશેએક્સેલ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને વી.આર.ટી આઈ. સંસ્થાના પ્રેરણાસ્ત્રોત એવાં પૂ. કાંતિસેન શ્રોફ (કાકા) ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી તેમજ આઝાદીના અમૃત મહોત્સવના ૭૫ વર્ષના અવસર પર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક જીલ્લામાં ૭૫જળાશયો બનાવવાની હાકલ કરેલ છે. આ અભિયાનને કારગત કરવાં એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. ના દીપેશભાઈ શ્રોફ દ્વારા ભાવનગર અને અમરેલી જીલ્લામાં પ૧ જેટલાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરી લોકભાગીદારીથી શરૂ કરવામાં આવી છે. જે પૈકી તા. ૨૩/૪/૨૦૨૨ ના રોજ સિહોર તાલુકાના બુઢણા મુકામે ગામ આગેવાનો તેમજ ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણી તેમજ ભાયાજીભાઈ ચૌહાણના વરદહસ્તે તળાવ ઊંડા ઉતારવાની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે. જેમાં વી.આર.ટી.આઈ. સંસ્થાના નરેન્દ્રસિંહ ઝાલા અને...

કુટુંબ સલાહ કેન્દ્ર વેરાવળ ખાતે ગત ૬ માસ દરમ્યાન કુલ ૯૩ કેસો નોંધાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજય સમાજ કલ્યાણ બોર્ડ, અમદાવાદ ની સહાય થી જુનાગઢ જીલ્લા મહિલા મંડળ સંચાલિત, “કુટુંબ સલાહ કેન્દ્ર” વેરાવળ ખાતે ઘણા વર્ષોથી ચાલે છે, જેમાં સાસરીયા દ્વારા ત્રાસ, અન્યની દખલગીરી, શરાબ નું વ્યસન, આર્થિક સંકડામણ, અનૈતિક સબંધ, દહેજ તથા ઘરેલું હિંસા, અપહરણ, બાળલગ્ન વગેરે પ્રશ્નો અંગે સમાધાનકારી માર્ગદર્શન અને પગલા લેવામાં આવે છે. આ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન ઓક્ટોબર-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ ૬ માસ દરમ્યાન કુલ ૯૩ કેસો કેન્દ્રમાં નોંધાયેલા હતા, જેમાંથી ૪૩ કેસોનો નિકાલ થયેલ જેમાં પતિપત્ની વચ્ચેના અણબનાવ ના ૧૮ કેસોમાં સમાધાન થયેલ. ૬ કેસોમાં પક્ષકાર ને નામદાર કોર્ટમાં જવા સલાહ આપવામાં આવેલ તેમજ ગંભીર પ્રકારના ૬ કેસોમાં છૂટાછેડા તેમજ ૪ કેસો અન્ય શહેરમાં ચાલતા કુટુંબ સલાહ કેન્દ્ર માં તબદીલ કરવામાં આવેલ. અને ૬ કે...
ગાંધીનગરમાં સૌપ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઊંચી આશા સાથે સફળતાપૂર્વક સમાપન: રૂ. 9,000 કરોડના રોકાણની દરખાસ્ત

ગાંધીનગરમાં સૌપ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઊંચી આશા સાથે સફળતાપૂર્વક સમાપન: રૂ. 9,000 કરોડના રોકાણની દરખાસ્ત

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ગાંધીનગર ગાંધીનગર ખાતે સૌપ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ (GAIIS) સફળતાપૂર્વક યોજાઈ ગઈ. જેમાં આયુષ સેક્ટરમાં રૂ. 9,000 કરોડથી વધુના લેટર ઓફ ઇન્ટેન્ટ્સ (Lols) ઈરાદાપત્રો થયા છે. રોકાણની દરખાસ્તો એફએમસીજી, મેડિકલ વેલ્યુ ટ્રાવેલ (MVT) અને સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્નોલોજી એન્ડ ડાયગ્નોસ્ટિક્સ અએ ખેડૂતો અએ કૃષિ જેવી મુખ્ય શ્રેણીઓમાં આવી છે. આ સમિટ દરમિયાન, દેશો, પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ, ખેડૂતોનાં જૂથો અને ઉદ્યોગો વચ્ચે 70થી વધુ એમઓયુ (સમજૂતી પત્ર) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાન સિવાય, સમગ્ર ભારતમાં 35થી વધુ લશ્કરી છાવણી વિસ્તારોમાં આયુષ સુવિધાઓ શરૂ કરવા માટે આયુષ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સમાપન સમારોહમાં બોલતા, કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ...

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,વલસાડ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગામે કાર્યરત વન સેવા મહા વિદ્યાલયના ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળની ગ્રાન્ટમાંથી રૂ. ૧૫ લાખના ખર્ચે નિર્માણ થનારા મકાનનું ખાતમુહૂર્ત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ બી.આર.એસ. કોલેજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું છે, એના માટે આ કોલેજ ઉત્તમ સાધન બની રહેશે. એ દિશામાં સતત આગળ વધશે તો આ સંસ્થા સંપૂર્ણપણે સ્વનિર્ભર બની જશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. હવે પછી વિદ્યાથીર્ઓને કોલેજમાં કોઇ તકલીફ ન પડે તેવા તમામ પ્રયાસો હાથ ધરવાની ખાતરી તેમણ...
વઘઇ ખાતે યોજાયો કૃષિ મેળો અને “કિસાન ભાગીદારી-પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ

વઘઇ ખાતે યોજાયો કૃષિ મેળો અને “કિસાન ભાગીદારી-પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, સુરત પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાના ખેડૂતોને મળ્યુ અમુલ્ય માર્ગદર્શન, યોજનાકિય જાણકારી પણ અપાઈ ખેતીપ્રધાન દેશ હોવાને નાતે, ખેતીને લગતી વિવિધ પ્રવૃત્તિઓનુ અદકેરૂ મહત્વ છે. ત્યારે તાજેતરમા જ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રૂબરૂ મુલાકાત વેળા, વડાપ્રધાનએ દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાની ખેરખબર પૂછીને, ડાંગની પ્રાકૃતિક ખેતીની તેમની પાસેથી સૂક્ષ્મ માહિતી મેળવી હતી. તેમ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતીની હિમાયત કરતા પ્રમુખએ પ્રજાજનોની સ્વાસ્થ્ય ઉપર થઈ રહેલી વિપરીત અસરો, નવી નવી માંદગીઓ, અને ઘટતા જતા સરેરાશ આયુષ્યને જોતા, દરેક પ્રજાજનોને પ્રાકૃતિક ધનધાન્ય મળે તે જરૂરી છે, તેમ જણાવ્યુ હતુ. પ્રમુખએ ઝેરમુક્ત ખેતી તરફ વળવા ડાંગના ખેડૂતોને હાંકલ કરતા, વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ખેતીની જમીન, ખેત ઉત્પાદન સુધારવાનો સમ...
એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી

એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી - સુરત સંસદીય બાબતો, કોલસા અને ખાણ વિભાગ અને સંસદીય કાર્ય કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષીએ ગઈકાલે સાંજે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે પુજા અર્ચના કરી શિશ નમાવી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મંત્રી પ્રહલાદભાઈ જોષીએ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે આવેલા નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં સહભાગી બન્યા હતા. નર્મદા નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાની સાથે શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા ઉપરાંત આકર્ષક લાઈટીંગ પણ નિહાળ્યું હતું. મંત્રીની મુલાકાત દરમ્યાન નાયબ કલેકટર શિવમ બારીયાએ તેઓનું નર્મદા ઘાટ ખાતે સ્વાગત કર્યું હતું અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે નર્મદા ઘાટ, મહાઆરતી અને કોરિડોર વિશે જાણકારી પુરી પાડી હતી. આ વેળાએ છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, વિક્રમભાઈ તડવી, ...
કાલાવડ નગરપાલિકાની ઘોર બેદરકારી

કાલાવડ નગરપાલિકાની ઘોર બેદરકારી

Gujarat
ફાયર ટેન્કર દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી ને ખુશ કરવા રોડ ધોવડાવ્યા !!!! હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા હર હંમેશ વિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે ત્યાં આજરોજ વધુ એક અતિ ભયાનક કિસ્સો સામે આવવા પામ્યો છે. કાલાવડ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા ફાયર ટેન્કરનો દુરુઉપીયોગ કરી એક નાના પુલના ઉદ્ઘાટન માટે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ઉદ્ઘાટન કરવા આવવાના હોય અને આ મંત્રીને ખુશ કરવા માટે નગરપાલિકા કર્મીઓ દ્વારા લોકોના જીવ ની પરવા કર્યા વગર ફાયર ટેન્કર ને રસ્તાઓ ધોવા માટે ઉપયોગ કરતાં કાલાવડના લોકોમાં ભારે રોષ ફેલાવવા પામ્યો હતો કાલાવડ નગરપાલિકાની સામે આવેલ અને કુંભનાથ પરા ને જોડતો પુલ થોડા મહિનાઓ અગાઉ અતિભારે વરસાદને પગલે દુરસ્ત થવા પામ્યો હતો અને નગરપાલિકા દ્વારા નવા પુલનું કામ ટૂંક સમયમાં પૂર્ણ પણ કરવામાં આવ્યો હતો અને આજરોજ આ નવનિર્મિત પુલનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી અને કાલાવડન...
શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કરવામાં આવી

શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કરવામાં આવી

Gujarat
અંધત્વ નિવારણ સોસાયટીના સહકારથી ૪૩૬ મો પ્રભુકૃપા નેત્ર યજ્ઞ યોજાયો હિન્દ ટીવી - ગુજરાત,              જે લોકોની આંખ જતી રહે છે. તેમના માટે જગત અંધકારમય બની જાય છે. કારણ કે, આવાં લોકો પોતાની રીતે કાર્ય કરી શકતાં નથી. પોતાના કાર્ય માટે બીજાના પર નિર્ભર રહેવું પડે છે. આવાં લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાં માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે નેત્ર કેમ્પ યોજીને તેઓ ફરીથી તેમની આંખે જોતાં થાય તેવાં વિવિધ નિઃશૂલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવે છે. આવાં જ એક ઉપક્રમના ભાગરૂપે ભાવનગરનાં સ્વ.ઇન્દુકાંતા ગુણવંતરાય પારેખની સ્મૃતિમાં યોગેન્દ્રભાઈ કાંતિલાલ શાહના સૌજન્ય થી શિશુવિહાર સંસ્થામાં ૪૩૬ મો નેત્રયજ્ઞ યોજાયો હતો તેમજ સ્વ. વડીલોની સ્મૃતિમાં ભાવનાબહેન જાગ્રતભાઈ ભટ્ટનાં સૌજન્યથી ૪૩૭ મો નેત્રયજ્ઞ તા. ૨૨ એપ્રિલના રોજ શિશુવિહારના પ્રાંગણમાં યોજાયો હતો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથ...
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનની ૫૦ કીલોવોટની સોલાર સિસ્ટમનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનની ૫૦ કીલોવોટની સોલાર સિસ્ટમનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ            ઇણાજ ખાતેના ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનની ૫૦ કિલોવોટની સોલાર સિસ્ટમનું રાજ્યકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ લોકાર્પણ કર્યું હતુ. આ તકે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  ...
ગીર-સોમનાથ જિલ્લાના છ ગામોની ભીનો -સુકો કચરો એકઠો કરવા માટેની ઇ- રીક્ષાનું પ્રસ્થાન કરવાતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

ગીર-સોમનાથ જિલ્લાના છ ગામોની ભીનો -સુકો કચરો એકઠો કરવા માટેની ઇ- રીક્ષાનું પ્રસ્થાન કરવાતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

Big Breaking
હિન્દ ટીવી - ગુજરાતિ, ગીર-સોમનાથ              સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગીર-સોમનાથના છ ગામોની ભીનો/સુકો કચરો એકઠો કરી તેના નિકાલ કરવા માટે ઇ-રીક્ષાનું પ્રસ્થાન રાજયકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણી કરાવ્યું હતુ. સંપુર્ણ પ્રદુષણમુક્ત અને બેટરી સંચાલિત આ ઇ-રીક્સા બાદલપરા, મેઘપુર, કાજલી, ચોહાણની ખાણ, સોનારીયા અને ઘંટીયા પ્રાસલી ગામે ભીનો અને સુકો કચરો એકઠો કરી અને તેનો યોગ્ય નિકાલ કરાશે.           આ પ્રસંગે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંગભાઇ પરમાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા....