હિન્દ ટીવી – ગુજરાતી, ગીર-સોમનાથ
ઇણાજ ખાતેના ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનની ૫૦ કિલોવોટની સોલાર સિસ્ટમનું રાજ્યકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ લોકાર્પણ કર્યું હતુ. આ તકે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
