Sunday, February 15News That Matters

Author: Admin Admin

ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો

ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, સુરત        જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો: નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણી ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે. જે સંદર્ભે નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો છે. હેલ્મેટ ફરજિયાત કરવાથી ૯૦ % વાહનચાલકો પોતાની અને પરિવારની સુરક્ષા માટે દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરે છે, જે સુરતવાસીઓના સહયોગનું પરિણામ છે....
ભાવનગર ગ્રામ્યનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ મે ના રોજ યોજાશે

ભાવનગર ગ્રામ્યનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ મે ના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      મે-૨૦૨૫ ના મહિનાનો "મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ" કાર્યક્રમનું આયોજન તા. ૨૧/૦૫/૨૦૨૫ અને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે.  ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ - મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા: ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવવામાં આવે છે....
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ મે ના રોજ યોજાશે

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ મે ના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      ઘોઘા તાલુકા/ ગ્રામ કક્ષાનો મે - ૨૦૨૫ નો તાલુકા/ ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧/૦૫/૨૦૨૫ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે મદદનીશ કલેકટર ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. ૧૨/૦૫/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર- પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહી તેમ ઘોઘા મામલતદારની યાદીમાં જણાવાયું છે.   ...
તળાજા પ્રાંત કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ

તળાજા પ્રાંત કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ભાવનગર         ભાવનગરમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને તળાજા પ્રાંત કચેરી ખાતે મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રીએ મેથળા બંધારા અને સરતાનપર બંધારા પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમજ આ યોજનામાં બાકી રહેલી તમામ કામગીરીને અગ્રતાના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા સબંધિત અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. પીવાના પાણી તથા સિંચાઈના કામો સત્વરે પૂર્ણ થાય તેમજ લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તે રીતે કામગીરી હાથ ધરવા અધિકારીઓને નિર્દેશ કર્યો હતો. તેમજ વિભાગ હસ્તકના પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવી જરૂરીયાત મુજબના કામો સમયસર પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા પણ સૂચન કર્યું હતુ. બેઠક બાદ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ...
ડાંગ જિલ્લાની ‘વિકસિત ડાંગ ૨૦૪૭’ નું વિમોચન કરતા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ

ડાંગ જિલ્લાની ‘વિકસિત ડાંગ ૨૦૪૭’ નું વિમોચન કરતા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ      ભારત સરકાર દ્વારા વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે ડાંગ જિલ્લાનો રોડ મેપ દર્શાવતી પુસ્તિકા 'વિકસિત ડાંગ ૨૦૪૭' જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે તા. ૨ મે ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહાનુભાવો અને ડાંગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતું. આ વેળા પુસ્તિકા તૈયાર કરનાર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આયોજન કચેરી સહિતના સહયોગીઓને શુભેચ્છા પાઠવતા આદિજાતિ, ગ્રામ વિકાસ, અને શ્રમ રોજગાર મંત્રીશ્રીએ, આ પુસ્તિકા ટીમ ડાંગની ભાવના સાથે સંકલન કરીને જિલ્લાના તમામ વિભાગો/કચેરીની હાલની સ્થિતિ, પડકારો અને ભવિષ્યના વિકસિત જિલ્લા તરફ જવાનું સુચારૂં આયોજન આ પુસ્તિકામાં સમાવવાનો પ્રયાસ કરાયો છે તેમ જણાવ્યું હતું.  ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસ સાથે ભવિષ્યમાં આવનાર પડકારોન...
ગુજરાતના 26 યુવાનોને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત સમારોહમાં પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા

ગુજરાતના 26 યુવાનોને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત સમારોહમાં પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ UPSC-CSE 2024ની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનારા ગુજરાતના 26 યુવાનોને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત સમારોહમાં પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા હતા.  મુખ્યમંત્રીએ આ અવસરે ઉતીર્ણ થયેલ સૌ યુવાઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવાની સાથે ટેકનોલોજીના ઉપયોગ તેમજ જનકલ્યાણ અને જનસુખાકારી માટે આયોજનબદ્ધ રીતે ઉત્તમ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ માટેના વિઝનનો સંદર્ભ આપી મુખ્યમંત્રીએ નીતિમત્તા સાથે જનસેવાના દાયિત્વને કારકિર્દીમાં મહત્ત્વ આપવાની પ્રેરણા આપી હતી તેમજ ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં તેમનું વિશિષ્ટ યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે તેવો વિશ્વાસ વ્...
રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી. વડોદરા શહેરને પૂરની આપત્તિથી બચાવવા તથા 'કેઇચ ધી રેઇન' અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સિંચાઈ વિભાગ તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલા આયોજન તેમજ થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી… મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ મંગલ પાંડે બ્રિજ ખાતે પહોંચી વિશ્વામિત્રી નદીની વહનક્ષમતા વધારવા માટે ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું....
પ્રાકૃતિક ખેતી સમયની માંગ બની છે ત્યારે ચાલો આજે આપણે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું મહત્વ, બનવવાની રીત તથા ઉપયોગ અંગેની રીત જાણીએ

પ્રાકૃતિક ખેતી સમયની માંગ બની છે ત્યારે ચાલો આજે આપણે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું મહત્વ, બનવવાની રીત તથા ઉપયોગ અંગેની રીત જાણીએ

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, તાપી     રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી થતી ખેતી પદ્ધતિઓથી જમીનની તંદુરસ્તી ઉપર માઠી અસર પાડે છે. આવી ખેતીથી ઉપજ થયેલા પાકો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થયા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એક ટકાઉ વિકલ્પરૂપે ઉભરી છે. તેમાં જીવામૃત એક અગત્યનો ઘટક છે, જે જમીનના જીવસૃષ્ટિને જીવંત રાખે છે અને પાક માટે પોષકતત્વો ઉપલબ્ધ કરાવે છે. તો ચાલો આજે આપણે જીવામૃત (જીવ અમૃત) અને તેને બનાવવાની રીત અને તેના ઉપયોગ અંગેની પદ્ધતિ જાણીએ. જીવામૃત એટલે શું? 'જીવામૃત' એ ગાયના ગૌમૂત્ર, ગોબર, ગોળ, છાસ અને જમીનની મદદથી તૈયાર કરાતું પ્રવાહી ખાતર છે. એ જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને પોષણ આપે છે અને પાકના વિકાસ માટે જરૂરી પોષકતત્વો પુરા પાડે છે. જીવામૃતનો નિયમિત ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જીવામૃત બનાવવાની રીત : જીવામૃત બનાવવા માટે ૧. ૧૦ ...
કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું

કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું

Gujarat
હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું હતું.  મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, રૂ.૭ કરોડ ૪૧લાખના ખર્ચે આ કામ થવાથી દરિયાનું ખારું પાણી જમીનતળમાં પ્રસરતું રોકી શકાશે. તથા જમીનતળમાં મીઠા પાણીનો સંગ્રહ થઇ શકશે. ઉપરાંત આજુબાજુના ૧૦ જેટલા ગામડાઓના ખેડૂતોને સિંચાઈનો વર્ષ દરમિયાન લાંબા સમય સુધી લાભ મળશે. સરકાર દ્વારા દરિયાનું ખારું પાણી જમીનમાં ફેલાતું અટકે તે માટે તથા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા હાલ કેચ ધ રેઇન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત ...
“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અન્વયે મેદસ્વિતા ઘટાડવા સાયક્લિસ્ટ કલ્પેશસિંહ ઝાલાની ઉપયોગી ટીપ્સ

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અન્વયે મેદસ્વિતા ઘટાડવા સાયક્લિસ્ટ કલ્પેશસિંહ ઝાલાની ઉપયોગી ટીપ્સ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત" અન્વયે મેદસ્વિતા ઘટાડવા સાયક્લિસ્ટ કલ્પેશસિંહ ઝાલાએ ઉપયોગી ટીપ્સ આપી છે કલ્પેશસિંહ ઝાલા ફિટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર પણ છે તેઓએ સાયકલિંગને બેસ્ટ એક્સરસાઇઝ ગણાવી છે.   મેદસ્વિતા એટલે કે શરીરમાં વધારાની ચરબી જમા થવી વધુ પડતી ચરબીના કારણે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઉદભવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર ગુજરાતને મેદસ્વિતાથી મુક્ત કરવા "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. "સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત" અભિયાન અંતર્ગત સાયક્લિસ્ટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવતા કલ્પેશસિંહ ઝાલાએ મેદસ્વિતાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી માટે કેટલીક ઉપયોગી ટીપ્સ વ્યક્ત કરી છે. જેમાં કલ્પેશસિંહ ઝાલા ભાવનગર સાયકલ ક્લબના સ્થા...