Sunday, February 15News That Matters

Gujarat

બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

Gujarat
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી – જુદી સંસ્થાઓ/રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોક દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને માલ મિલ્કતને નુકશાન થાય છે. જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા સરઘસ રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે તા.૨૦/૦૪/૨૦૨૨ સુધીની મુદ્દત માટે કોઈ પણ સભા/સરઘસ/રેલી માટે મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામા વધુમાં જણાવ્યા મુજબ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મ...

તાપી જિલ્લામાંસ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત માર્ચ મહિના દરમિયાનવિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજી ‘સ્વચ્છતા માર્ચ’ તરીકે ઉજવણી કરવામાં આવી

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, તાપી તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને અનુલક્ષીને ‘સ્વચ્છતા માર્ચ’ તરીકે માર્ચ મહિનાની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ માર્ચ મહિના દરમિયાન જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત દ્વારા વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા, તેઓની વિચારધારામાં સ્વચ્છતા પ્રત્યે પરિવર્તન લાવવા તેમજ તેમના જીવનશૈલીમાં સુધારો લાવવાના હેતુથી સંપૂર્ણ માર્ચ મહિના વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. સ્વચ્છતા માર્ચનો શુભારંભ ૧લી માર્ચના રોજ વ્યારા તાલુકાના ચિખલવાવ ગામથી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમે જુદા-જુદા તાલુકાઓના મોટા ભાગના ગામોને વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓથી આવરી લીધા હતા. સ્વચ્છ ભારત મ...
નિર્મળતા અને નિર્ણાયકતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનસેવા યાત્રાના ર૦૦ દિવસ ક્રાંતિકારી નિર્ણયો-અનેરી ઉપલબ્ધિઓ-નવતર પહેલસભર યાત્રા

નિર્મળતા અને નિર્ણાયકતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનસેવા યાત્રાના ર૦૦ દિવસ ક્રાંતિકારી નિર્ણયો-અનેરી ઉપલબ્ધિઓ-નવતર પહેલસભર યાત્રા

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ગાંધીનગર  નવતર પહેલસભર યાત્રા - ૬૧,૦૦૦ કિલોમીટરનો રાજ્યવ્યાપી પ્રવાસ કરીને લોકો વચ્ચે-લોકો સાથે – લોકો માટે સતત અવિરત કર્તવ્યરત રહી પ્રજાજીવનના પ્રશ્નો-સમસ્યાનું ત્વરિત નિવારણ - સાલસ સ્વભાવ અને સતત પ્રવૃત્ત રહેવાની ધગશ ધરાવતા ભૂપેન્દ્ર પટેલની મૃદુ પણ મક્કમ છબિ એ જન માનસમાં સ્થાન મેળવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે રાષ્ટ્રીય માપદંડોમાં ખરા ઊતરી સિદ્ધિઓ નોંધાવી ગુજરાતની સાડા છ કરોડ જનતા જનાર્દનના હિતમાં મહત્વના નિર્ણયો થયાં યુવા કૌશલ્યને નિખાર આપતી SSIP 2.0 સ્પોર્ટસ પોલિસી-આઇ.ટી પોલિસી અને બાયોટેક્નોલોજી પોલિસીની ભેટ રાજ્યને આપી  નવી ૧૧ યુનિવર્સિટીઓની મંજૂરી સાથે રાજ્યમાં વૈશ્વિક જ્ઞાન પિરસતી કુલ-૧૦ર યુનિવર્સિટી રાસાયણયુકત ખેતીથી મુક્તિ આપવા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડની રચના  આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્...
સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સાથે ખાનગી ગ્રામિણ વિશ્વવિદ્યાલયનો ઉમેરો થયો

સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સાથે ખાનગી ગ્રામિણ વિશ્વવિદ્યાલયનો ઉમેરો થયો

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં હવે ગ્રામવિકાસ અભ્યાસક્રમો સાથે સંશોધનો માટે સુંદર તક સાંપડી છે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી વિશ્વવિદ્યાલયની મંજૂરી મળી છે, જેમાં નવા સત્રથી જ તેનો પ્રારંભ થશે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા લોક વૈજ્ઞાનિક અભ્યાસુ અરુણભાઈ દવેના નેતૃત્વ સાથે સંસ્થા દ્વારા અહીં ખાનગી વિશ્વવિદ્યાલય માટે થયેલી કાર્યવાહીને સફળતા મળી છે, જેમાં આવતા સત્રથી જ પ્રાકૃતિક વાતાવરણ તેમજ પૂરતી સુવિધા સાથે અભ્યાસક્રમ શરૂ થઈ જશે. આમ પ્રતિષ્ઠિત 'લોકભારતી' હવે 'વિશ્વભારતી' બની છે. અહીં ભણેલો વિદ્યાર્થી હવે વિશ્વ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનશે. આ વિભાગની કાર્યવાહી પ્રક્રિયામાં રહેલ સંસ્થાના વિશાલ ભાદાણીએ જણાવ્યાં મુજબ સરકાર દ્વારા ખાનગી વિશ્વવિદ્યાલયની માન્યતા મળતાં વિદ્યાર્થીઓને વિવિધ માન્ય શાખાઓના અભ્યાસ માટે લોકભારતીમાં જ તક ઉપલબ્ધ થઈ છે. ...
LRD ઉમેદવારો ધ્યાન આપજો:પોલીસ ભરતીમાં અત્યાર સુધી 7 લાખ કોલ લેટર ડાઉનલોડ થયા, ભરતી બોર્ડે ઉમેદવારોની મૂંઝવણ માટે 3 હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

LRD ઉમેદવારો ધ્યાન આપજો:પોલીસ ભરતીમાં અત્યાર સુધી 7 લાખ કોલ લેટર ડાઉનલોડ થયા, ભરતી બોર્ડે ઉમેદવારોની મૂંઝવણ માટે 3 હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

Gujarat
હેલ્પ લાઈનં નંબર પર સવારે 10:30 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ફોન કરી શકાશે બે કોલલેટર મળ્યા હોય તેવા ઉમેદવારે પહેલા કોલલેટરે દોડવાનું રહેશે અને બીજો કોલલેટર રદ કરવા બોર્ડને અરજી કરવાની રહેશે ગુજરાત પોલીસની PSI અને LRD ભરતીના ફિઝિકલ ટેસ્ટ માટેના કોલલેટર OJAS વેબસાઈટ પર ગઈકાલે રાત્રે મૂકવામાં આવ્યા છે. સવારથી ઉમેદવારો જે રીતે કોલલેટરની રાહ જોતા હતા તેનો આખરે રાતે 8.50 વાગ્યે અંત આવ્યો હતો. શનિવારે બપોર સુધીમાં જ OJAS વેબસાઈટ પરથી 7 લાખ જેટલા કોલ લેટર ડાઉનલોડ થયા છે. ઉમેદવારો 29મી નવેમ્બર સુધી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. જોકે કોલલેટર આવતા સાથે ઉમેદવારોના મનમાં અનેક પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. જેને લઈને ભરતી બોર્ડ દ્વારા 3 હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારોની મૂંઝવણો દૂર કરી શકાય. ઉપરાંત જો કોઈ ઉમેદવારને કોલ લેટર ન મળ્યો હોય તો તેણે ભરતી બોર્ડની કચેરીનો સંપર્ક કર...