Sunday, February 15News That Matters

Gujarat

શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કરવામાં આવી

શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કરવામાં આવી

Gujarat
અંધત્વ નિવારણ સોસાયટીના સહકારથી ૪૩૬ મો પ્રભુકૃપા નેત્ર યજ્ઞ યોજાયો હિન્દ ટીવી - ગુજરાત,              જે લોકોની આંખ જતી રહે છે. તેમના માટે જગત અંધકારમય બની જાય છે. કારણ કે, આવાં લોકો પોતાની રીતે કાર્ય કરી શકતાં નથી. પોતાના કાર્ય માટે બીજાના પર નિર્ભર રહેવું પડે છે. આવાં લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાં માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે નેત્ર કેમ્પ યોજીને તેઓ ફરીથી તેમની આંખે જોતાં થાય તેવાં વિવિધ નિઃશૂલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવે છે. આવાં જ એક ઉપક્રમના ભાગરૂપે ભાવનગરનાં સ્વ.ઇન્દુકાંતા ગુણવંતરાય પારેખની સ્મૃતિમાં યોગેન્દ્રભાઈ કાંતિલાલ શાહના સૌજન્ય થી શિશુવિહાર સંસ્થામાં ૪૩૬ મો નેત્રયજ્ઞ યોજાયો હતો તેમજ સ્વ. વડીલોની સ્મૃતિમાં ભાવનાબહેન જાગ્રતભાઈ ભટ્ટનાં સૌજન્યથી ૪૩૭ મો નેત્રયજ્ઞ તા. ૨૨ એપ્રિલના રોજ શિશુવિહારના પ્રાંગણમાં યોજાયો હતો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથ...
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનની ૫૦ કીલોવોટની સોલાર સિસ્ટમનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનની ૫૦ કીલોવોટની સોલાર સિસ્ટમનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ            ઇણાજ ખાતેના ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનની ૫૦ કિલોવોટની સોલાર સિસ્ટમનું રાજ્યકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ લોકાર્પણ કર્યું હતુ. આ તકે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  ...

ભાવનગર જીલ્લામાં રહેતા દિવ્યાંગ ખેલાડી માટે સ્પે.ખેલમહાકુંભ સ્પર્ધાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરનાં ઉપક્રમે ભાવનગર જીલ્લામાં વસતા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, બ્લાઈન્ડ, ડેફ તથા સેરેબલ પાલ્સી એમ પાંચ કેટેગરીનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ઓ.એચ.(ડેફ)ને એથ્લેટીક્સ તા.૨૦/૦૪/૨૦૨૨ નાં રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે, ઓ.એચ. ક્રિકેટને તા.૨૨/૦૪/૨૦૨૨ નાં રોજ પોલીસ પેડક ગ્રાઉન્ડ, યુનિવર્સીટી, ભાવનગર ખાતે, એમ.આર. એથ્લેટીક્સ તા.૨૫/૦૪/૨૦૨૨ નાં રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે, માનસિક ક્ષતિગ્રસ્ત વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, બોચી તા.૨૬/૦૪/૨૦૨૨ નાં રોજ મહારાજા કૃષ્ણકુમારર્સિંહજી ભાવનગર યુનિવર્સીટી ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે તથા બ્લાઈન્ડ ક્રિકેટ, એથ્લેટીક્સ તા.૨૭/૦૪/૨૦૨૨...
ભરૂચ નગરપાલિકા કક્ષાનો વોર્ડનં.૩, ૪, ૮ અને ૧૧ માટેન સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ભરૂચ નગરપાલિકા કક્ષાનો વોર્ડનં.૩, ૪, ૮ અને ૧૧ માટેન સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ            ભરૂચ નગરપાલિકા કક્ષાના વોર્ડ નં.૩, ૪, ૮ અને ૧૧ માટેનો સેવાસેતુનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો .આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, કારોબારી અધ્યક્ષ નરેશભાઇ સુથારવાલા, નગરપાલિકાના ચીફ ઓફીસર દશરથસિંહ ગોહિલ ઉપસ્થિત રહયા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લાની ચારેય નગરપાલિકાઓમાં તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં આજથી આઠમા તબકકાના સેવાસેતુના કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા સરકાર પ્રજાને ધ્વાર એ અભિગમ સાથે કાર્યક્રમનું સુદઢ આયોજન જિલ્લાના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. આઠમા તબકકા સેવા સેતુના પ્રારંભ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે આજથી સમગ્ર રાજ્યમ...
ભરૂચ ખાતે સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ

ભરૂચ ખાતે સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ            નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રવેશ લીધેલ પહેલી બેચની વિધાર્થીનીઓ સાથે સંવાદ કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ પાઠવી. ભરૂચના મધ્યભાગમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવેલ સેવાશ્રમ સંસ્થાની સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ ઉપસ્થિત રહી પ્રવેશ લીધેલ પહેલી બેચની ૩૦ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ આપી હતી. આ વેળાએ સેવાશ્રમ સંસ્થાના ટ્રસ્ટીઓ, ડોકટર્સ તથા સ્ટાફ ઉપસ્થિત રહયા હતા....
સુરતના ભીમરાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ‘ગાંધી સ્મારક પ્રોજેકટ’નું ભુમિપુજન કરતા પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઈ મોદી

સુરતના ભીમરાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ‘ગાંધી સ્મારક પ્રોજેકટ’નું ભુમિપુજન કરતા પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઈ મોદી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            ગુજરાત પ્રવાસન નિગમ લિ.દ્વારા સુરતના ભીમરાડ ગામ ખાતે રૂા.૧૦ કરોડના ખર્ચે નિર્મિત થનારા ‘ગાંધી સ્મારક’નું માર્ગ અને મકાન તથા પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ્દહસ્તે ભુમિપુજન સંપન્ન થયું હતું. ભીમરાડગામની ભુમિનું ઐતિહાસિક મહત્વ સમજાવતાં મંત્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ૧૯૩૦માં અંગ્રેજોએ મીઠા પર કર લગાવ્યો જેને નાબુદ કરવા માટે ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદ થી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રાની પૂર્ણાહુતિ ૬ એપ્રિલના રોજ થઈ હતી. દાંડીથી પરત ફરી ૯ એપ્રિલ ૧૯૩૦ના રોજ પુજ્ય બાપુ સહિત અન્ય સત્યાગ્રહીઓએ ભીમરાડ ગામે આવી સભા સંબોધી હતી. પૂજય બાપુને સાંભળવા માટે આસપાસના વિસ્તારમાંથી ૩૦ હજારથી વધુની જનમેદની ઉમટી પડી હતી. બાપુએ સંબોધેલી ઐતિહાસિક સભાને આજના દિવસે ૯૨ વર્ષ પુર્ણ થયા છે. ગાંધીજીના મુલ્યો અને આદર્શો આવનારી પેઢીને સદ...
સુરત શહેર પોલીસની અભિનવ પહેલ: પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવી

સુરત શહેર પોલીસની અભિનવ પહેલ: પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના યુવક-યુવતિઓને ભવિષ્ય ધડતર માટે તાલીમ સાથે માર્ગદર્શન મળી રહે તે માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્ર તથા પોલીસ શોપીંગ પ્લાઝા તથા સાયબર ક્રાઈમના રૂમોનું ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવીએ લોકાર્પણ કર્યું હતું. પોલીસ મુખ્ય મથક ખાતે તૈયાર થયેલા કેન્દ્રમાં પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શનની સાથે ઉત્તમ તાલીમ મળી રહે તે માટેના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં સ્કીલ ડેવલપેમન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, કોમ્પ્યુટર સ્કીલ જેવી અનેક તાલીમો આપવામાં આવશે. પોલીસ શોપીંગ પ્લાઝામાંથી ડેરીની આઈટમો, શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પોલીસ પરિવારોને રાહતદરે મળી રહેશે. આ અવસરે ગૃહરાજયમંત્રીએ પોલીસના પ્રયાસને બિરદાવીને જણાવ્યું હતું કે, રાજયની શાંતિ અને સલામતી માટે દિન-રાત ખડેપગે રહેતા પોલીસ જવાનોના યુવક-...
સુરતના નાની વેડ સ્થિત સુમન સારથિ આવાસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરતા શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા

સુરતના નાની વેડ સ્થિત સુમન સારથિ આવાસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરતા શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત           સુરત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ પ્રમુખદર્શન સોસાયટી, નાની વેડ સ્થિત સુમન સારથિ આવાસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ સંવાદ સાધ્યો હતો. મંત્રીએ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને LED બલ્બ અને છોડ અર્પણ કરી 'વીજળી બચાઓ' અને 'પર્યાવરણની જાળવણી'નો સંદેશ આપી રાજય સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. સુમન સારથિ આવાસમાં કુલ ચાર બિલ્ડીગમાં ૨૭૩ લાભાર્થી પરિવારોને છત્ર મળ્યું છે, ત્યારે મંત્રીએ લાભાર્થીઓને રૂબરૂ મળીને તેમના મંતવ્યો જાણ્યા હતા. આ પ્રસંગે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યમવર્ગીય પરિવારોનું 'ઘરના ઘર' નું સ્વપ્ન સાકાર કરવા પારદર્શક અને માતબર સંખ્યામાં આવાસોની ફાળવણી કરી છે, ત્યારે રાજ્ય સરકાર પણ વધુમાં વધુ ગરીબ પરિવારોને છત્ર પૂર...
સરસાણા ખાતે ‘ઉદ્યોગ-૨૦૨૨’ પ્રદર્શનને ખુલ્લું મૂકતા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

સરસાણા ખાતે ‘ઉદ્યોગ-૨૦૨૨’ પ્રદર્શનને ખુલ્લું મૂકતા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સરસાણા            ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.૮ થી ૧૧ એપ્રિલ દરમિયાન આયોજિત ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શન 'ઉદ્યોગ-૨૦૨૨'ને ઉદ્યોગ, સહકાર, વન-પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા(પંચાલ)એ ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઓનલાઈન વ્યવસ્થાઓ, ફાસ્ટ એપ્રુવલ દ્વારા વ્યવસાયીઓ મુક્તપણે વેપારઉદ્યોગ કરી શકે તેવો માહોલ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની પરંપરા શરૂ કરી હતી, જેના પરિણામે આજે ઉદ્યોગ-વ્યવસાયોમાં 'વાયબ્રન્સી'-ધબકાર જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, ...
તાપી જિલ્લામાં સેવા અને ફરજનું શ્રેષ્ઠ ઉદાહરણ : ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમ

તાપી જિલ્લામાં સેવા અને ફરજનું શ્રેષ્ઠ ઉદાહરણ : ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, તાપી             સમગ્ર વિશ્વમાં ફાયર ફાયટરો તેઓની બહાદુરી ભર્યા કરનામા માટે જાણીતા છે. નાનામાં નાની ઘટના હોય કે કોઇ મોટીઆકસ્મિક,માનવસર્જીત ઘટના ફાયર બ્રિગેડની ટીમ પોતાના જીવ જોખમમા મુકી સેવા કરતી હોય છે. કંઇક આ જ પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગની પણ છે. કોઇ પણ કપરી પરિસ્થિતી હોય અન્યના જીવ બચાવવા રાત દિવસ જોયા વગર ખડે પગે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની ફરજ નિષ્ઠા માટે સદાય વખાણાતા હોય છે. તાપી જિલ્લામાં આજે બનેલી નાની ઘટનાએ આ બન્ને વિભાગના કર્મચારીઓમા રહેલી અખુટ સેવાભાવના અને ફરજપ્રત્યે નિષ્ઠા જેવા શ્રેષ્ઠ ગુણોને ઉજાગર કર્યા છે. જિલ્લાના કપુરા ગામે આવેલ ભકત ફળીયામાં મોટી ટાંકી ઉપર રિપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું. ટાંકી ઉપર રહેલ મધપુડામાંથી માખીઓ અચાનક ઉડતા ચાર મજુરોને મધમાખીના ટોળાએ ડંખોમાર્યા હતા. મધમાખીથી બચવા મજુરો જીવ બચાવવા પાણીની ખાલી ટાકીમાં કુદી ગય...