Sunday, February 15News That Matters

Gujarat

તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, તળાજા             તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ આવતીકાલે એટલે કે, તા.૧૧/૦૫/૨૦૨૨નાં રોજ બપોરનાં ૧૫:૦૦ કલાકે તાલુકા પંચાયત કચેરી, તળાજાનાં સભાખંડમાં, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. પ્રમુખશ્રી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. તળાજા તાલુકાની જાહેર જનતાએ સેવા વિષયક, નિતી વિષયક, નામ.કોર્ટમાં પડતર હોય તેવી બાબતો જમીન મિલકત સબંધી દાવાઓ, દિવાની મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોની રજુઆતો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તેનું નિરાકરણ આ કાર્યક્રમમાં લાવવામાં આવશે....
વેરાવળ ખાતેની મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાયલની રૂ.૩.૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત તરંગ બોયઝ હોસ્ટલનુ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે લોકાર્પણ

વેરાવળ ખાતેની મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાયલની રૂ.૩.૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત તરંગ બોયઝ હોસ્ટલનુ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે લોકાર્પણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ              કેન્દ્રીય મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોમત્તમભાઈ રૂપાલાએ વેરાવળ ખાતેની મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલની રૂ. ૩.૩૫ કરોડના ખર્ચે નવ નિર્મિત અદ્યતન તરંગ બોયઝ હોસ્ટલનુ લોકાર્પણ કરતાં જણાવ્યું કે, અહીયાની કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત સરકારની અને ખાસ કરીને મત્સ્ય વિભાગની યોજનાઓનો લાભ મેળવી ઉદ્યોગ સાહસિક બને તે દિશામાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. કામધેનુ યુનિવર્સિટી સલગ્ન આ મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલની હોસ્ટેલની તકતી અનાવરણની સાથે મંત્રીએ હોસ્ટેલની અદ્યતન સુવિધાઓનુ પણ નિરીક્ષણ કર્યું હતું. પ્રવર્તમાન સમયમાં માછીમારોને માછીમારી કરવા માટે દરિયામાં બહુ દૂર જવુ પડે છે. તેના કારણે ઘણી સમસ્યાઓ પણ ઉદભવે છે. જેથી આ સમસ્યાઓ નિવારવા માટે અને દરિયા કિનારા સમીપ જ માછીમારી કરી શકે અને દરિયા કિનારા નજીક માછલીઓનો મોટો જથ્થો ...
ગ્રામ વિકાસ ટ્રસ્ટ ધ્વારા આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત- ભરૂચને એમ્બ્યુલન્સ અર્પણ કરા

ગ્રામ વિકાસ ટ્રસ્ટ ધ્વારા આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત- ભરૂચને એમ્બ્યુલન્સ અર્પણ કરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ           ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સરકારની આરોગ્યની સુવિધાઓમાં મદદરૂપ થવા ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી રમેશભાઇ કાસોન્દ્રા ધ્વારા છેવાડાના ગ્રામજનોને આરોગ્ય માટેની તાત્કાલિક સેવાઓ મળી રહે એ માટે રુા.૧૮ લાખની કિંમતની એમ્બ્યુલન્સ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત- ભરૂચને અર્પણ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીને ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ ગ્રામ વિકાસ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી છેવાડાના ગ્રામજનોની આરોગ્યની સુવિધાઓ માટે એમ્બ્યુલન્સ ધણી ઉપયોગી નિવડશે તેમ જણા...
જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને ઓળખકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને ઓળખકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને ઓળખપત્ર વિતરણનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના ડાયરેક્ટર શ્રીજગરૂપસિંહ રાજપૂત અને ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના (DOP) ના આ પગલા અંગે હર્ષ ની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્થાનું નિર્માણ અને વિકાસ એક પડકારરૂપ કાર્ય હોય છે અને DOP એ આ કાર્ય સુપેરે પાર પાડ્યું છે. જિલ્લા કલેક્ટરએ સરકારી વકીલઓને ન્યાયપ્રક્રિયા ને વધુ ઝડપી બનાવવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ જરૂરી મદદ માટે ની ખાતરી આપી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં DOPના ડાયરેક્ટર શ્રીજગરૂપસિંહ રાજપૂતે નીચલી અદાલતોમાં રિપોર્ટિંગ પ્રક્રિયા વધુ સુદ્રઢ બનાવવા અને પડ...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શ હૉલ ખાતે યોગ પર ચર્ચા અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શ હૉલ ખાતે યોગ પર ચર્ચા અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

Gujarat
સારા ન્યુઝ, અમદાવાદ          હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ પર ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ જાગરણ મહારેલી યોજી નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવનનો સંદેશ અપાયો.           માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગમય ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજ રોજ યોગ પર ચર્ચા કાર્યક્રમ ઉપરાંત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તેમજ યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ યોગ જાગરણ મહારેલીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતેથી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.          આ યોગ રેલી રેલ્વે ફાટક-પાલીકાબજાર-રેલ્વે સ્ટેશન-મહાત્મા ગાંધી સર્કલ-પ્રગતિ મેદાન-સુભાષ ચોક- બગવડા દરવાજા- જુનું...

અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરાયા

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, અમદાવાદ અમદાવાદ જિલ્લા કલેકટરઅમદાવાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવ્યા. આ અવસરે જીલ્લા કલેકટર સંદીપ સાગલેએ લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે લાભાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબધિત પ્રશ્નો પૂછ્યા હતા અને સાંત્વના આપી હતી. આ અવસરે લાભાર્થી શ્રી સવામલએ કલેકટર શ્રીને નમન કરીને કહ્યું કે કલેકટર સાહેબ ! અમે ભારતમાં શાંતિનો મહેસુસ કરીએ છીએ. અહી ઉપસ્થિત રહેલા લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અહીં મહત્વની બાબત એ છે નાગરિકતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. આ વેળાએ અધિક નિવાસી કલેકટ...

ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા સંકલ્પબદ્ધ બનીએ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ-બેઠક યોજી - ગુજરાત પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં ઉપાડવા સંપૂર્ણ સજ્જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : રાજ્યપાલશ  જિલ્લા કલેક્ટર દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં એક દિવસે એક કલાકની બેઠક માત્ર પ્રાકૃતિક ખેતીની સમીક્ષા પ્રગતિની ચર્ચા માટે ગોઠવે  દેશી ગાય ધરાવતા અથવા દેશી ગાયના પાલનપોષણ માટે સહાય મેળવતા ખેડૂતોનો સંપર્ક કરી પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરીએ- ગૌશાળા-પાંજરાપોળને જીવામૃત-ઘન જીવામૃત તૈયાર કરી ખેડૂતોને આપવા પ્રોત્સાહિત કરીએ  જિલ્લા કક્ષાએ પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન સંમેલનો યોજી વધુને વધુ ખેડૂતોને તાલીમબદ્ધ કરીએ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની સાફલ્યગાથાને અન્ય ખેડૂતો સુધી પહોંચાડીને પ્રેરણા પૂરી પાડીએ પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે મુખ્યમંત્...
મહેસાણા જિલ્લામાં અટલ ભુજલ યોજના અંતર્ગત વોટર સિક્યોરીટી પ્લાનમાં જળપુરવઠો વઘારવા માટે જળ સંચયના કામો અને સૂક્ષ્મ સિંચાઇ પઘ્ઘતિનો વ્યાપ વઘારવા માટે કામોનું આયોજન કરાયું

મહેસાણા જિલ્લામાં અટલ ભુજલ યોજના અંતર્ગત વોટર સિક્યોરીટી પ્લાનમાં જળપુરવઠો વઘારવા માટે જળ સંચયના કામો અને સૂક્ષ્મ સિંચાઇ પઘ્ઘતિનો વ્યાપ વઘારવા માટે કામોનું આયોજન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહેસાણા ભૂર્ગર્ભ જળ વ્યવસ્થાપનમાં સુઘારો લાવી ભૂગર્ભ જળને નીચ જતા રોકવાના ઉમદા આશયથી રાજયમાં મહેસાણા જિલ્લા સહિત ૬ જિલ્લામાં અટલ ભૂજલ યોજના અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં અટલ ભૂજલ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક મહેસાણા જિલ્લા કલેકટરશ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં અટલ ભુજલ યોજના અંતર્ગત જન સમુદાયની સહભાગીતાના કામોની સમીક્ષા કરાઇ હતી. આ ઉપરાંત વોટર સિક્યોરીટી પ્લાનમાં જળપુરવઠો વઘારવા સહિત જળ સંચયના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સૂક્ષ્મ સિંચાઇ પઘ્ઘતિનો વ્યાપ વઘારવાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ બેંક અને દેશના જલ શક્તિ મંત્રાલય દ્વારા અનુદાનિત અટલ ભુજલ યોજનાનું ગુજરાતમાં ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા અમલીકરણ કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં ભુગર્ભ જળનું વધુ પડતું ખેંચાણ ઘરાવતા મહેસાણા સહિત ૬ જિલ...
સુપોષિત ગુજરાતના ધ્યેય તરફ મક્કમતાથી આગળ ધપતું ભાવનગર

સુપોષિત ગુજરાતના ધ્યેય તરફ મક્કમતાથી આગળ ધપતું ભાવનગર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પ્રમાણિત કર્યા મુજબ જ્ન્મ સમયે ઓછાં વજન સાથે જન્મેલાં બાળકોમાં સ્તનપાનની ખૂબ જ અસરકારક પધ્ધતિ એટલે ક્રોસ ક્રેડલ (સુધારેલ પારણાં પધ્ધતિ) છે. બાળકોને કુપોષણ તરફ જતાં અટકાવવા અને સ્વસ્થ બાળકો દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનાં ઉદ્દેશને પરિપૂર્ણ કરવાં વિભાગીય નાયબ નિયામક શ્રી ડૉ. મનિષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવિયાડે જિલ્લાની સમગ્ર ટીમને કાર્યરત કરેલ છે. તમામ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરો તેમના તાલુકાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા આ બાબતે નવાં જન્મેલા બાળકોની ગૃહ મુલાકાત કરાવી લેચીન્ગ (સ્તનના એરીઓલા અને સ્તનના એરીઓલાના નીચલા ભાગ સાથે બાળકના જોડાણ) અને સુધારેલ પારણાં પધ્ધતિ અને જરૂર હોય ત્યાં લેઇડ બેક, ફૂટબોલ હોલ્ડ વગેરે પધ્ધતિ પણ ટીમ દ્વારા સમજ...

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે સેવાભાવી સંસ્થા નિજાનંદ પરિવારનું સન્માન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર તાજેતરમાં જ ભાવનગર શહેરની સ્થાપનાને ૩૦૦ માં વર્ષમાં પ્રવેશ કરવાં પર ભાવનગર શહેરમાં બોર તળાવ ખાતે આવેલ કૈલાસ વાટિકા ખાતે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોની ઉજવણીમાં ભાવનગરનો રાજવી પરિવાર પણ જોડાયો હતો. ભાવનગરની સ્થાપના અખાત્રીજના દિવસે થઇ હતી. આ જ દિવસે શિહોર તાલુકાના ભાણગઢ ગામે મહારાજાના કાર્યોને યાદ કરતાં ભગવાન સત્યનારાયણની કથા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા કે જે વર્ષઃ ૨૦૧૫ થી નાતજાતના ભેદભાવ વગર કાર્ય કરી રહી છે. તેનું ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ભાણગઢ ગામમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાને ધ્યાનમાં લઇને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ૨૮૦ સભ્યોની ટીમ ધરાવતી આ સંસ્થા ઉચ્ચ અધિકારીઓ, પ્રોફેસરો, શિક્ષકો, સાહિત્યકારો, કલાકારો ચિત્રકારોની બ...