Sunday, February 15News That Matters

Gujarat

બોટાદ કલેકટર કચેરી ખાતે રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

બોટાદ કલેકટર કચેરી ખાતે રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ આજરોજ બોટાદ કલેકટર કચેરી ખાતે રાજ્યમંત્રી તેમજ બોટાદના પ્રભારી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રીએ દરેક વિભાગને લોકહિતાર્થ કરવામાં આવતા કામકાજને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી....
બનાસકાંઠાની ખેંગારપૂરા-મહાજનપૂરાની નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાની નિરીક્ષણ મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

બનાસકાંઠાની ખેંગારપૂરા-મહાજનપૂરાની નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાની નિરીક્ષણ મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat
હિન્દ ન્યુઝ, થરાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ખેંગારપૂરા-મહાજનપૂરા ખાતે નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લીધી હતી. બનાસકાંઠાના દાંતીવાડા, ધાનેરા અને ડીસા વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી સરળતાએ મળી રહે તે માટે થરાદના ખેંગારપૂરા ખાતે આ નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજના આકાર પામી રહી છે. આ યોજનાને પરિણામે સીપુ ડેમ આધારિત હયાત સીપુ જુથ પાણી પુરવઠા યોજનામાં ધાનેરા તાલુકાનાં ૭૭ ગામો અને ધાનેરા શહેર, દાંતીવાડા તાલુકાનાં ૧૫ ગામો અને ડીસા તાલુકાનું ૧ ગામ મળી કુલ- ૯૩ ગામો અને ૧ શહેરને પીવાના પાણીનો લાભ મળશે. તેમજ વિઠોદર-આગડોલ જુથ યોજનામાં ડીસા તાલુકાનાં ૨૬ ગામો મળી સમગ્રતયા કુલ- ૧૧૯ ગામ અને ૧ શહેરને સીપુ જુથ યોજના હેઠળના પાંથાવાડા ખાતેના હયાત ૨૪ એમ.એલ.ડી. ક્ષમતાના ફીલ્ટર પ્લાન્ટ મારફતે મૂળ યોજના અંતર્ગત પીવાનું પા...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ સંપન્ન

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, કાંકરેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું . એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજી રોટી માટે ફરતા રહેતા અને ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકરના વાદીપૂરા ખાતે મુખ્યમંત્રીએ મકાનની ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવતાં હવે તેમને કાયમી સરનામું મળ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્ર, સૌનો સાથ... સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આ સરકાર કામ કરે છે . તેમણે કહ્યું કે રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે પરંતુ વિચરતી જાતિ માટે કામ કરવાથી વિશેષ આત્મસંતોષ મળે છે. આજદિન સુધીમાં વિચરતી જાતિના ૪,૦૦૦ લોકોને મકાન માટે સનદ સહાય અપાઇ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન છે ત્યારે કોઈ પણ વ્યક્તિ વિકાસ...
થરાદ એ.પી.એમ.સી. ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

થરાદ એ.પી.એમ.સી. ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ન્યુઝ, થરાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના વિકાસ કામો તેમજ રાજ્ય-કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની પ્રગતિ કામગીરીની સમીક્ષા માટે જિલ્લા અધિકારીઓ- પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. જે અંતર્ગત મુખ્યમંત્રીએ શુક્રવાર તા.૨૦મી મે એ થરાદ એ.પી.એમ.સી. ખાતે વહિવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ તંત્રના અધિકારીઓને નાના-મોટા પ્રજાલક્ષી પ્રશ્નો અંગે પૃચ્છા કરી તેના ઝડપી નિરાકરણ માટે સુચના આપી હતી. સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રજાકીય પ્રશ્નોના ઝડપી નિવારણ માટે મુખ્યમંત્રીએ જિલ્લા અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મુખ્યમંત્રી સમક્ષ બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારની વિવિધ ફેલગશીપ યોજનાઓના અમલીકરણ અને પ્રાપ્ત થયેલ લક્ષ્યાંકોની વિગતો આપી હતી અને જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ ક...
પ્રી-મોન્સુન કામગીરી અંગે પ્રો-એકટીવ રહી તમામ કામગીરીનું સ્વમુલ્યાંકન કરવા તાકીદકરતા જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયા

પ્રી-મોન્સુન કામગીરી અંગે પ્રો-એકટીવ રહી તમામ કામગીરીનું સ્વમુલ્યાંકન કરવા તાકીદકરતા જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયા

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, સુરત       આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે પ્રી-મોન્સુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ હતી. અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને પ્રોએકટીવ રહી તમામ કામગીરીનું સ્વમુલ્યાંકન કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે તાલુકાવાર પ્રિ-મોન્સુન પ્લાનબનાવવા અંગે, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવા, બચાવ કામગીરીના સાધનોને અપડેટ કરવા, નિચાણવાળા અને પુર અસરગ્રસ્ત ગામોની યાદી બનાવી જે-તે વિસ્તારના લોકોને માહિતગાર કરી માછીમારો અને સ્થાનિક તરવૈયાઓને મોકડ્રીલ કરાવવા સુચનો કર્યા હતા. આ ઉપરાંત પીએચસી, સીએચસી તથા સ્થળાંતર કરવા માટે નક્કિ કરેલા સ્થળો ઉપર વીજ પુરવઠો ન ખોરવાય તથા ટેલીફોનીક સુવિધાઓ ન ખોરવાય તેની ખાસ તકેદારી રાખવા...
ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, સુરત        કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યના નર્મદા જિલ્લામાં એકતાનગર, ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષપદે અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “વિશ્વ મધમાખી દિવસ” ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુક્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૦ મે, ને વિશ્વ મધમાખી દિવસ તરીકે જાહેર કર્યો છે. ત્યારે આ ક્ષેત્રમાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના નાના ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ હોવાનું કેન્દ્રિય મંત્રી તોમરે જણાવ્યું હતું. વધુમાં કેન્દ્રીય મંત્...
આહવા ખાતે યોજાઈ ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટીની બેઠક

આહવા ખાતે યોજાઈ ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટીની બેઠક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આહવા         વેશ્વિક સ્તરે ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિના વધી રહેલા વ્યાપને જોતા તેને વધુ લોકભોગ્ય બનાવવા માટે, રાજય અને કેન્દ્ર સરકાર ભગીરથ પ્રયાસો કરી રહી છે. ત્યારે 'આયુષ'ની સેવાઓનો લાભ છેવાડાના માનવીઓ પણ સુપેરે લઈ શકે, તેવી વ્યવસ્થા ડાંગ જિલ્લામા ઊભી કરવાની હિમાયત, ડાંગ કલેકટર ભાવિન પંડયાએ કરી હતી. આહવા ખાતે યોજાયેલલી 'ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટી' ની બેઠકમા ઉપયોગી માર્ગદર્શન આપતા કલેકટરએ, સોસાયટી ખાતે સંકળાયેલા વિવિધ ઘટોકોની માહિતી મેળવી, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ માટે જરૂરી માનવબળની વિગતો પણ મેળવી હતી. ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટીનુ કાર્યક્ષેત્ર તથા નેશનલ આયુષ મિશન અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ, કાર્યક્રમોની પૃચ્છા કરી ક્લેક્ટર પંડયાએ, તેના અસરકારક અમલીકરણ અંગે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.કલેકટરએ સોસાયટીની ગવર્નિંગ બોડીમા નવા સભ્યો ઉમેરવાની કાર્યપધ્ધતિ ...
સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના અમલીકરણ માટે જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ કરાઈ

સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના અમલીકરણ માટે જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ કરાઈ

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભુજ        કચ્છ જિલ્લામાં ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના અમલીકરણ માટે જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જમીનના નમુના એકત્રીકરણ માટે ગામની ચારેય દિશામાંથી નમુના લેવામાં આવશે. સદર નમૂનાઓ જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલી પૃથક્કરણ કરવામાં આવનાર છે અને પૃથક્કરણ કર્યા પછી સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે. કચ્છ જિલ્લામાં ૧૦ તાલુકાઓના ૮૯૮ ગામડામાંથી એક ગામ દીઠ ૧૦ નમૂના એમ કુલ ૮૯૮૦ જમીનના નમૂનાઓ એકત્રીત કરી જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથક્કરણ અર્થે મોકલવામાં આવશે. જમીનમાં કયા તત્વોનું કેટલું પ્રમાણ છે ? કયા તત્વોની ઉણપ છે ? તે જાણીને ખેડૂતોને કેટલા પ્રમાણમાં ખાતર નાખવું જોઈએ તેની માહિતી પૃથક્કરણથી મળી રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે....

વેરાવળ નગરપાલિકા દ્વારા કરવેરામાં ૧૦૦% વ્યાજ માફી યોજના ૩૧ મે ૨૦૨૨ સુધી લંબાવાઈ

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ગીર સોમનાથ         વેરાવળ-પાટણ શહેર નગરપાલિકા દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે, રાજય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના લાગુ કરવામાં આવેલ હતી. જેમાં કરદાતાઓ કરવેરાની તમામ રકમ એટલે કે મિલ્કતવેરો, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, પાણીવેરો, લાઈટવેરો તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીનો ભરપાઈ કરી આપશે તેને તા.૩૧/૦૩/૨૦૨૧ સુધીનું ચડત વ્યાજ ૧૦૦ ટકા માફ કરી આપવામાં આવ્યું છે. આ વ્યાજ માફી યોજનાની અવધિ લંબાવીને તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી કરવામાં આવી છે. જેને લઇ વેહલાસર ટેકસ ભરપાઈ કરવા વેરાવળ-પાટણ નગરપાલિકાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.          આ ઉપરાંત ૨૦૨૨/૨૩ ના નાણાંકીય વર્ષમાં વેરાની રકમનો એડવાન્સ ટેકસ તા.૩૧/૦૫/૨૦૨૨ સુધીમાં ભરપાઈ કરશે તે આસામી ને મિલ્કતવેરા ઉપર ૧૦% વળતર આપવામાં આવશે. ઈ–નગરની મોબાઈલ એપ કે ઈ-નગરના ઓનલાઈન સીટીઝન પોર્ટલ મારફતે આ વેરાની રકમ તા.૩૧/૦૫/૨૦૨૨ સુધીમાં...

૪-વ્હીલર (એલ.એમ.વી.કાર) ટ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાવાના ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભુજ           આર.ટી.ઓ કચેરી-ભુજના ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ૪-વ્હીલર (એલ.એમ.વી.કાર) ટ્રેકમાં તા.૧૮/૫/૨૦૨૨ના રોજ ટેકનીકલ ખામી સર્જાવાના કારણે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર ૪-વ્હીલર (એલ.એમ.વી.કાર) ની ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે. જે ટેકનીકલ ખામી દુર થતાં તે અંગેની જાણ અખબારી યાદી દ્વારા કરવામાં આવશે.         વધુમાં ૨-વ્હીલર તેમજ અન્ય કલાસ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ છે. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે....