Sunday, February 15News That Matters

Gujarat

ભુજ શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલમાં ૧૦૫૦ સંકલ્પપત્રોનું બાળકોને વિતરણ કરાયું

ભુજ શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલમાં ૧૦૫૦ સંકલ્પપત્રોનું બાળકોને વિતરણ કરાયું

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભુજ         મજબુત લોહશાહી માટે મતદાતાઓ મતદાનનું મહત્વ સમજે તેમજ ચુંટણી-૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે SVEEP (સિસ્ટેમેટિક વોર્ટસ એજ્યુકેશન એન્ડ ઇલેકટોરલ પાર્ટિસિપેશન પ્રોગામ) અંતર્ગત મતદાન જાગૃતિ સંકલ્પપત્ર વિતરણ અને સંકલ્પ ગ્રહણ કાર્યક્રમ ભુજ શ્રી ઇન્દ્રાબાઇ  ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ૧૦૫૦ બાળકોને તેમના વાલીઓ જાગૃતતા દાખવીને મતદાન કરે તે માટે સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોએ પણ પોતાના વાલીઓને મજબુત લોકશાહીના નિમાર્ણ માટે મતદાન કરવાની ફરજ તેઓ નિભાવે તે માટે માહિતગાર કરશે તેવો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે આચાર્ય બેલાબેન મહેતાની ઉપસ્થિતિમાં શિક્ષકોએ પણ સંકલ્પ ગ્રહણ કર્યા હતા. ...
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     ચૂંટણીના કારણે સમગ્ર જિલ્લામાં આચારસંહિતા લાગુ છે તેના અનુસંધાને તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે. આચારસંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા આવા સ્થળે પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.      આ જાહેરનામા અનુસાર જિલ્લામાં સમવિષ્ટ સરકારી, અર્ધ સરકારી, સહકારી, તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તેમજ જાહેરસ્થળોએ હોય તેવા આરામગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ સ્થળો પર સત્તાધારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ અધિક...
૯૦-સોમનાથ વિધાનસભા બેઠકના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની તાલીમ યોજાઈ

૯૦-સોમનાથ વિધાનસભા બેઠકના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા સંબંધી કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને ૯૦-સોમનાથ ચૂંટણી અધિકારી સરયુબા જસરોટિયાના નેતૃત્વ હેઠળ મણિબહેન કોટક હાઈસ્કૂલમાં ચૂંટણી ફરજમાં પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસરની તાલીમ યોજાઈ હતી. આ સંદર્ભે ૯૦-સોમનાથ ચૂંટણી અધિકારી સરયુબા જસરોટિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે કાયદા નિયમો અને માર્ગદર્શિકાઓ નિયત કરવામાં આવી છે ત્યારે ચૂંટણી ફરજ પરના દરેક કર્મચારી ઈવીએમની ગોઠવણી તેમજ તૈયારી અને ચૂંટણી અંગે પોતાની ફરજ અંગેના નિયમોની પ્રક્રિયાથી સારી રીતે વાકેફ થાય તે માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત...
પી.સી.આર.ની સારી કામગીરી

પી.સી.આર.ની સારી કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            તા.૦૭/૧૧/૨૦૨૨ ના કલાક.૨૩/૦૩ ના આધારે કોલર નામે નવાજભાઇ મો.નં-૯૯૨૫૬ ૬૧૨૦૭ નાઓએ “અઠવા કાદરશાની નાળ સર્કલ પર કોલરને પોલીસ મદદની જરૂર છે”. તે રીતેનો કોલ પોલીસ કંટ્રોલ રૂમમાં કરેલ. જે કોલ ના આધારે અઠવા PCR-૩૪ ના ઇન્ચાર્જ PC વિજયભાઇ ધનરાજભાઇ બ.નં-૧૪૧૨ નાઓ સદર જગ્યાએ માત્ર ૦૬ મીનીટના સમયગાળામાં પહોંચી જઇ આત્મહત્યા કરનાર સદર ઇશમને બિલ્ડીંગ પરથી કુદતા રોકેલ. જે ઇશમ નામે રાજેન્દ્ર ગોપાલરામ ચનિયાલ શેઠ મોન્ટીભાઇ ઉ.વ.આ.૩૭ વર્ષ રહે.નાનપુરા કાદરશાની નાળ અર્પણ એપાર્ટમેન્ટ ઘર નં-૭૦૯ અઠવા સુરત નાઓને પો.સ્ટે. લઇ જઇ ઇન્વેમા HC દિનેશભાઇ કુકાભાઇ બ.નં-૧૧૨૮ નાઓને સોપેલ બાદ સદર આત્મહત્યા કરવા જનાર ઇશમને પુછતા આત્મહત્યા કરવાનુ કારણ પૈસાની તંગી હોવાથી માનસીક ટેંશનમા આવી આત્મહત્યા કરવા જવાનુ જણાવેલ છે.ત્યારબાદ તેમના શેઠને પો.સ્ટે.બોલાવી સમજાવી શેઠને સોપેલ છે આમ,સદર કોલમાં PCR-...
શ્રી સોમનાથ તીર્થધામમાં કાર્તિકીપુર્ણીમાંનુ અનેરૂ મહત્વ

શ્રી સોમનાથ તીર્થધામમાં કાર્તિકીપુર્ણીમાંનુ અનેરૂ મહત્વ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, સોમનાથ            શ્રી સોમનાથ તીર્થધામમાં કાર્તિકીપુર્ણીમાંનુ અનેરૂ મહત્વ સમાયેલ છે, શ્રી સોમનાથ મહાદેવના ભવ્ય દેવાલય જે કૈલાશ મહામેરૂ પ્રાસાદના નામથી વિશ્વપ્રસિદ્ધ છે, જ્યાં શિખર ઉપર પૂર્ણિમાં ની મધ્યરાત્રીએ ચંદ્રદેવ એવી રીતે સ્થીત થાય છે કે, જાણે સ્વયં ભગવાન સોમેશ્વરે ચંદ્રને મુગટ સ્વરૂપે ધારણ કરેલ હોય. મધ્યરાત્રીએ ભગવાન સોમનાથજીની મહાપૂજા - મહાઆરતી કરવામાં આવેલ. જેમાં દર્શનાર્થીઓએ  મહાઆરતી દર્શનનો લાભ લઇ શિવકૃપા પ્રાપ્ત કરી. ઘણા ભાવિકો પ્રતિવર્ષ કાર્તિકિપૂર્ણિમાં એ સોમનાથ મહાદેવના મધ્યરાત્રીએ દર્શન કરવાનું ચુકતા નથી, તેઓના કહેવા પ્રમાણે આ દર્શન કર્યા બાદ વર્ષભર એક અલૌકિક ઉર્જા તેઓને પ્રાપ્ત થાય છે. ચંદ્રને પોતાના સ્વસુર દક્ષ પ્રજાપતીએ આપેલ શ્રાપ બાદ, મુક્તિ મેળવવા બ્રહ્માજીએ પ્રભાસક્ષેત્રના રત્નાકર તટે ચંદ્રને શિવઆરાધના કરવા જણાવેલ. પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્...
સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી ગર્ભાશયના મુખના કેન્સરની રસીકરણ નો આગામી આયોજન

સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી ગર્ભાશયના મુખના કેન્સરની રસીકરણ નો આગામી આયોજન

Gujarat
હિન્દ ન્યુઝ, જામનગર         ગર્ભાશયના કેન્સર  ને નાથવા માટે  10 થી 25 વર્ષની દીકરીઓને વેક્સિન આપી જિંદગી ભર કેન્સરથી બચાવવા માટે જે યજ્ઞ ચાલી રહ્યો છે. તે અંગે તારીખ 27 11 2022 ના રવિવારના રોજ સવારે 11 થી 12 વાગ્યા સુધી સોના બજારમાં જેમને બીજો ડોસ કે ત્રીજો ડોઝ લેવાનો હોય તેઓએ આ સમયમાં આ વેક્સિન લેવા માટે પોતાના આગળનો કાગળ લઈ આવવાનો રહેશે.           અત્યાર સુધી દરેક જ્ઞાતિની 1000 થી વધારે દીકરીઓને આ વિકસીન અપાઈ ગઈ હવે ફક્ત જૈનોની દીકરીઓને જ પ્રથમ ડોઝ અપાશે નવા રજીસ્ટ્રેશન ફક્ત જૈનોની દીકરીઓનું જ થાય તેવી સંઘમાતા પરિવારની ઈચ્છા છે. આ માટે વધારે જાણકારી મેળવવા  કો-ઓર્ડીનેટર રીટાબેન મહેતા નો સંપર્ક 7567882772 કરો. જૈનોની દીકરીઓના નવા રજીસ્ટ્રેશન સોના બજારમાં સોમ મંગળ, બુધ સવારે 10 થી 12 વચ્ચે આધારકાર્ડ સાથે રાખી કરાવી લેવા તેવી વિનંતી કરવામાં આવે છે....
નવનિયુક્ત કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

નવનિયુક્ત કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         આજરોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપીને સૂચના આપી હતી.         જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઈ રોશિયાએ ઉપસ્થિત રહીને પાણી, વીજળી વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેક્ટરએ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત, કલેક્ટરએ પ્રજાના કામો વિના વિક્ષેપે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપીને સંબંધિત અધિકારીઓને નિયત મર્યાદામાં પેન્ડિંગ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. કલેક્ટરએ જિલ્લામાં પ્રર્વતમાન સ્થિતિએ થઈ રહેલા વિકાસકાર્યોની વિગતો પણ અધિકારીઓ પાસેથી મેળવીને યોગ્ય...

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, ગીર સોમનાથ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ પિયુષભાઇ ફોફંડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ સભામાં વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કરવામા આવ્યા હતા. આ સભામાં સ્વર્ણિમ જયંતિ-મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૦-૨૧ અંતર્ગત આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ માટે નગરપાલિકાને ફાળવવાપાત્ર ગ્રાન્ટનું આયોજન કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ તેમજ આવાસ યોજનામાં આવેલ કોમ્યુનીટી હોલનો વપરાશ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીને બ્લડ બેન્કની કામગીરી માટે સોંપવા નિર્ણય કરવામાં આવેલ તેમજ સ્વચ્છ ભારત મિશન ૧.૦ હેઠળ ગ્રાંન્ટ રૂા.૧૦.૨૩ કરોડના લાંબાગાળાનો સર્વગ્રાહી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન હેઠળ શહેરમાં દૈનિક ધોરણે ઉત્પાદન થતાં અંદાજીત ૮૦ મેટ્રીક ટન ઘન કચરાના એકત્રીકરણ-વર્ગીકરણ-નિકાલની વૈજ્ઞાનિક ઢબે લાંબાગાળાની વ્યવસ્થા ગોઠવવા માટે યોગ્ય નિર્ણય કરવામાં આવેલ તેમજ સ્વચ્છ ભારત મિશન ૨.૦ હેઠળ ડમ્પ સાઇટ...
ચૂંટણીલક્ષી કામગીરી વધુ સુદ્રઢ રીતે પાર પડે તે માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીઓને પરસ્પર સુસંકલન સાધવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનો અનુરોધ

ચૂંટણીલક્ષી કામગીરી વધુ સુદ્રઢ રીતે પાર પડે તે માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીઓને પરસ્પર સુસંકલન સાધવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનો અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચારસંહિતાના યોગ્ય અને ચુસ્ત પાલન સાથે ચૂંટણીને લગતી કામગીરી મુક્ત- ન્યાયી-નિષ્પક્ષ અને વધુ સુદ્રઢ રીતે થાય તેની ખાસ કાળજી રાખવા અપાઇ સુચના ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટેના નોડલ અધિકારીઓ સાથે યોજાયેલી સૌ પ્રથમ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી તેવતિયા દ્વારા અપાયેલુ વિસ્તૃત માર્ગદર્શન નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરી માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીઓ સાથે આજે યોજેલી સૌ પ્રથમ બેઠકમાં સંબંધિત નોડલ અધિકારીશ્રીઓને સોંપાયેલી જે તે કામગીરી અને જવાબદારીઓ પ્રો-એક્ટીવલી નિભાવવાની સાથે પોતાની આગવી સુઝબુઝથી નિયત આવી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે વિશેષ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લાના તમામ નોડલ અધિ...
કચ્છ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા  યોજાનારા મેગા યુવા મહોત્સવમાં  ૩૦૦ સ્પર્ધકો ભાગ લેશે

કચ્છ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા  યોજાનારા મેગા યુવા મહોત્સવમાં  ૩૦૦ સ્પર્ધકો ભાગ લેશે

Gujarat
હિન્દ ન્યુઝ, ભુજ          ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય અંતર્ગત કચ્છ  નહેરુ યુવા કેન્દ્ર અને અદાણી સ્કીલ ફાઉન્ડેશન ભુજ્ના સંયુકત ઉપક્રમે  "આઝાદીના અમૃત મહોત્સવ" અંતર્ગત  તા. ૨૪મી સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે  ૧૫થી ૨૯ વયના ભાઈઓ બહેનોનો એક "મેગા યુવા મહોત્સવ યોજાનાર  છે. જેમા ચિત્રકલા,કવિતા લેખન,વકતૃત્વ ,ફોટોગ્રાફી, યુવા સંવાદ તથા  સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધાઓ યોજાશે.           મેગા યુવા મહોત્સવની ઉજવણી  વિવિધ તાલુકાઓના વિવિધ સ્પર્ધાઓમાં  ૩૦૦ સ્પર્ધકો ભાગ લેશે.  જેમાં વિજેતાઓને રાજ્ય સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાની તક મળશે. સ્પર્ધામા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના દિવસે દરેક સ્પર્ધકોએ સમયસર અદાણી સ્કીલ ફાઉન્ડેશન ભુજ , જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ...