Wednesday, February 18News That Matters

Gujarat

ગીર-સોમનાથ જિલ્લાનું શિક્ષણક્ષેત્રે  ગૌરવ વધ્યુ

Gujarat
સરકારી મોડેલ સ્કુલ ઈણાજ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતિય સ્થાને વિજેતા થતા રૂ. ૩ લાખનું પ્રોત્સાહક ઇનામ મેળવ્યુ હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  રાજ્યના પ્રત્યેક નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવા અને સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો મૂળ આધાર શિક્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યા છે. તેમજ વિકાસના માર્ગે રાહ ચિંધી છે તે સરાહનીય છે. રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની સ્પર્ધામાં રાજ્ય પસંદગી સમિતિની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩માં શ્રી મોડેલ સ્કુલ, ઇણાજની રાજ્ય કક્ષાએ બીજા ક્રમે પસંદગી પામતા ગીર-સોમનાથ જિલ્લાનું ગૌરવ વધ્યુ છે.             રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની સ્પર્ધામાં પ્રથમ જિલ્લા કક્ષાએ જિલ્લાની ત્રણ શાળાઓને પસંદ કરવામાં આવી છે અને શાળા દીઠ રૂ. ૧ લાખ  પુરષ્કાર પેટે આપવામાં આવે છે  અને  પછી જિલ્લામાં પ્રથમ નંબર...

વોર્ડ નં.૦૬માં માંડાડુંગરમાં સોમનાથ સોસાયટીમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો: આશરે ૬૧ લાભાર્થીઓએ લાભ લીધો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૩-૦૩-૨૦૨૩ના રોજ વોર્ડ નં.૦૬માં માંડાડુંગર વિસ્તારમાં સોમનાથ સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે ૬૧થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન ઈસ્ટ ઝોનમાં સીટી એન્જીનીયર પી. ડી. અઢીયાના માર્ગદર્શન દર્શન હેઠળ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના સ્ટાફ તથા કોર્પોરેટરના સંકલનથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કોર્પોરેટરઓ તથા વોર્ડનાં અધિક મદદનીશ ઇજનેર એ...

તળાજાના પીઠલપુર માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાં અંતર્ગત કુદરતી મૃત્યુમાં પરિવાર ને રૂપિયા બે લાખ અર્પણ કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર તળાજાના પીથલપુર ગામે પ્રધાનમંત્રી શ્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ માં પરિવારને બેંક દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તળાજાના પીથલપુર ગામે નગર પ્લોટ વિસ્તાર માં રહેતા ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈ નું કુદરતી મૃત્યુ થયુ હતું. જેમાં ભોપાભાઇ ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બેંક મિત્ર મહેશભાઈ ઢાપા પાસે તેમને પ્રધાનમંત્રીને જીવન જ્યોતિ વીમો કરાવેલ હતો આથી ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈને કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ભોપાભાઈએ પ્રીમિયમ 342 PMJJY પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના નું ભરેલ હતું આ પ્રીમિયમ આખા વર્ષ નું પ્રીમિયમ 436 છે તેમના પત્ની વારસદાર ભરવાડ હકુબેન ભોપાભાઇ ના એકાઉન્ટ માં વીમા ની રકમ જમાં થઈ ગઈ છે એસ બી આઇ બેંક પીથલપુરના બ્રાન્ચ મેનેજર સિધ્ધાર્થ સાગર અને જતીનભાઈ દવે દ્વારા લોકોને અનુરોધ કરવામ...

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીઓમાં શ્રી ધાન્ય નું વાવેતર કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા માં તા. ૨૧ માર્ચના રોજ ભાવનગર જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા જિલ્લાની આંગણવાડીઓમાં શ્રી ધાન્ય નું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોને તથા તેમના વાલીઓને શ્રી ધાન્ય અંગેના ફાયદા સમજાવીને (શ્રી ધાન્ય) મિલેટથી બનતી વાનગીઓ અંગે માતાઓને સમજ આપવામાં આવી હતી. પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાની આંગણવાડી કેન્દ્ર મા બાળકો દ્વારા તેમજ આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા આંગણવાડી કેન્દ્ર મા શ્રી ધાન્ય નુ વાવેતર કરવામાં આવ્યું અને શ્રી ધાન્ય આપણા રોજિંદા આહારમાં લેવા જોઈએ અને જાડા ધાન્ય માથી શુ શુ બનાવી શકાય એ માહીતી લાભાર્થી વાલીઓ ને આપવામા આવી હતી. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી...

તા. ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદના લીધે શહેરમાં કુલ ૩ જગ્યાએ વૃક્ષ પડી ગયેલ

Gujarat
ગાર્ડન શાખા દ્વારા પડી ગયેલ વૃક્ષનો તાત્કાલિક ધોરણે નિકાલ કરેલ હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ કુદરતી રીતે ભારે પવન તથા જમીનની ગરમીના કારણે વૃક્ષના મૂળ સુકાઇ જવાથી આકસ્મિક રીતે વૃક્ષ પડી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તા. ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદના લીધે શહેરમાં કુલ ૩ જગ્યાએ વૃક્ષ પડી જવાની ઘટના બની હતી જેની રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા તુરંત જ પડી ગયેલ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક રીતે (કુદરતી કારણસર) પડેલ વૃક્ષની વિગત ક્રમ સ્થળની વિગત વૃક્ષની જાત ૦૧ રામેશ્વર પાર્ક, રામેશ્વર હોલની બાજુમાં ગુલમહોરનું વૃક્ષ કુદરતી રીતે ધરાશાયી થયેલ. સદનસીબે કોઇ જાનહાનિ થયેલ નથી. અને બગીચા શાખાએ આ વૃક્ષ તુરંત દૂર કરેલ છે. (વોર્ડ નં ૧) ગુલમહોરનું વૃક્ષ ૦૨ જનતા જનાર્દન સોસાયટી, રેસકોર્સ રીંગ રોડ પર વૃક્ષ કુદરતી રીતે ધરાશાયી થયેલ. બગીચા શા...

ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલની ઉપસ્થિતમાં નારી સંમેલન યોજાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ               ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે નારી સંમેલન-૨૦૨૩ યોજવામા આવ્યું હતું. મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી અલ્પાબેન પટેલે જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લાની મહિલાઓ પ્રધાનમંત્રી નરેનદ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની જે સંકલ્પના સેવી છે તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે મહિલાઓ માટે કેન્દ્ર તથારાજ્ય સરકારે જે નારી સશક્તિકરણ માટે જે યોજનાઓ બહાર પાડી છે તેનો લાભ લેવાની હિમાયત કરી હતી. વધુમાં તેમણે ગ્રામ્ય કક્ષાની બહેનોમાં જાગૃતી ફેલાવા માટે પણ આહવાન કર્યું હતુ. તેમણે વ્હાલી દીકરી યોજના અંગેની સમજ આપી આ યોજનાનો લાભ લેવા જણાવ્યુ હ...

ભરૂચ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં”સુપોષણ સંવાદ” કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ તા.૨૦ માર્ચ ૨૦૨૩ થી તા.૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ભરૂચના આમોદ તથા અંકલેશ્વર ઘટક દ્વારા તા.૨૦ માર્ચ ૨૦૨૩નાં રોજ પોષણ પખાવાડીયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ "સુપોષણ સંવાદ"માં સગર્ભા માતા/ ધાત્રી માતાને પ્રથમ વારની સગર્ભાને શ્રીફળ,સાકાર અને કઠોળની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસુતિબાદ ની સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.ધાત્રી માતા અને બાળકની સંભાળ અંગે આરોગ્ય અને પોષણની સમજ આપવામાં આવી હતી. સ્તનપાનનું મહત્વ તેની સાચી પદ્ધતિ અને ખાસ પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજ આપવામાં આવી હતી બાળકમાં ૬ માસ પૂરા થયેથી ઉપરી આહારની શરૂઆતનું મહત્વ, આહાર બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે સમજ આપવામાં આવી હતી.આહાર અને પોષણ અંગેની માન્યતાઓ અને વૈજ્ઞાનિક બાબતોની સમજ આપવામા આવી હતી....

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પરિષદ "એન્યુઅલ સ્ટેટ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયન એસોસીએશન ઓફ પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિન (IAPSM) એન્ડ ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશન (IPHA)- ગુજરાત ચેપ્ટર" તારીખ 15, 16 અને 17 માર્ચ 2023ના રોજ યોજાઈ હતી. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 350 થી વધુ અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને તબીબી તજજ્ઞોની હાજરીમાં 120થી વધુ આરોગ્યની વિવિધ બાબતોના રિસર્ચ પેપર રજૂ થયા હતા. જેમાં વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ એમના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. અત્રેના કોમ્યુનિટી મેડિસિન વિભાગના મદદનીશ પ્રાધ્યાપકો ડોક્ટર પ્રીતિ સોલંકી અને ડોક્ટર નેહા પટેલના રિસર્ચ પેપર રાજ્ય કક્ષાના ટોપ ટેન રિસર્ચ પેપરમા...

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો ભારત જ્યારે જી 20 દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સમસ્યાઓના નિવારણ માટે સુદ્રઢ પ્રયત્નો થાય તે અત્યંત જરૂરી છે. વિશ્વમાં પીવાલાયક પાણી તેમજ સીધા જ ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીની સમસ્યા અત્યંત ગંભીરરૂપ ધારણ કરી રહી છે. આ બાબતને ધ્યાને રાખી વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દ્વારા પાણી તેમજ પર્યાવરણ બચાવવા અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં ફેલાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત “વોટર કન્ઝર્વેશન, જાગૃતતા, ઇનોવેશન અને ટેકનોલોજી વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરાયુ હતું. એસએસઆઈપી કો-ઓર્ડીનેટર અને વિષય તજજ્ઞ ડો. કે. એલ. મોકરિયાએ પાણી તેમજ અન્ય પર્યાવરણ વિષયક પ્રશ્નો અંગેની, અવેરનેસ અને ઇનોવેશન અને ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ તેમના સોલ્યુશનની સમજ પર ભાર મુકયો હતો....

ભરૂચના બે પ્રકૃતિ મિત્રોએ સાચા અર્થમાં સાકાર કરી વિશ્વ વન દિવસની પરિકલ્પના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે ૨૧ માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે. વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમો અને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજના વિશ્વ વન દિવસે વાત કરીયે, ભરૂચ જિલ્લાના પ્રકૃતિપ્રેમી બે યુવાનો, ખેડૂત નીતિન ભટ્ટ, અને વેપારી મોહમ્મદ જાગલીવાલ, બંને મિત્રોએ અથાગ પરિશ્રમ અને લગનથી વેરાન જગ્યાને હરિયાળી બનાવી અંદાજે ૪.૫ કીમી જેટલા વિસ્તારને નાનકડા જંગલમાં ફેરવી નાખ્યું છે. પાવન સલિલા મા નર્મદાના તટે એક કુદરતી જંગલ ઉભું કરી પ્રકૃતીને જાળવી રાખવા અન...