Sunday, February 15News That Matters

Author: Admin Admin

ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર અખબાર અને ટીવી બન્ને માધ્યમમાં પ્રકાશિત કરવાની રહેશે વિગતો

ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર અખબાર અને ટીવી બન્ને માધ્યમમાં પ્રકાશિત કરવાની રહેશે વિગતો

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી,  ગીર સોમનાથ      ગીર સોમનાથમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને પ્રથમ તબક્કા માટે નામાંકન ફાઈનલ થઈ ગયા છે. આ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોએ પોતાના ગુનાહિત પૂર્વ ઇતિહાસની વિગતોને અખબાર અને ટીવી ચેનલ પર પ્રસિદ્ધ કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોએ પણ પોતાના પક્ષના ઉમેદવારોના ગુના અને કેસો અંગેની વિગતો સી-૨ ફોર્મમાં પ્રસિદ્ધ કરવી પડશે.     ચૂંટણીમાં મતદારો ઉમેદવારોને મત આપતા હોય છે અને તેઓને પોતે જેમને ચૂંટવા જઈ રહ્યા છે, તે ઉમેદવારો વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાનો હક્ક છે. ઉમેદવારો પોતાની સામેના ગુના અને કેસોની વિગતો ઉમેદવારી ફોર્મમાં ચૂંટણી અધિકારી સમક્ષ તો રજૂ કરતા જ હોય છે, પણ મતદારો પણ આ વિગતો જાણી શકે તે હેતુથી આ વખતે, ઉમેદવારો માટે પોતાની સામે નોંધાયેલા ગુના અને કેસોની વિગતો અખબાર અને ટીવી ચેનલોના માધ્ય...
અવસર રથ દ્વારા અંજાર મતવિસ્તારના મતદારોને સક્રિય બની મતદાન કરવા અપીલ કરાઈ

અવસર રથ દ્વારા અંજાર મતવિસ્તારના મતદારોને સક્રિય બની મતદાન કરવા અપીલ કરાઈ

Gujarat
હિન્દ ટીવી -  ગુજરાતી,  ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદારોમાં જાગૃતિ આવે તે માટે મિશન-૨૦૨૨ હેઠળ ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારમાં અવસર રથ ફરી રહ્યો છે. જે હેઠળ કચ્છમાં અંજાર વિધાનસભા મતવિસ્તારના ઓછું મતદાન થયેલું છે તેવા મતદાન મથકોમાં આજરોજ અવસર રથ મારફતે મતદારોને સક્રિયતાપૂર્વક મતદાન કરીને પોતાની ફરજ બજાવવા અપીલ કરવામાં આવી હતી. ૧૫૮-મેઘપર બોરીચી-૪, ૧૫૦-વરસામેડી-૪, મીંદીયાળાના ત્રણ મતદાન મથક ૨૬૭, ૨૬૮ તથા ૨૬૯માં અવસર રથના માધ્યમથી મતદારોમાં જાગૃતિ ફેલાવી હતી. આ સાથે ૧૩૭ -ભાદ્રોઇ, ૧૧૬-ટપ્પર-૨, ૧૦૩-જુની દૂધઇ-૪ (ખરવાડ), ૧૦૦-જુની દુધઇ-૧(ખરવાડ), ૬૧- હરૂડી તથા ૬૫-કેરા-૪માં અવસર રથના માધ્યમથી ચૂંટણીના આ મહાપર્વમાં મતદારોને સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે અવસર રથ પર લોકોએ "હું વોટ કરીશ" નો સંકલ્પ લઇને મતદાન કરવાના શપથ લીધા હતા....
ગીર સોમનાથ જિલ્લાના ૨,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો સંકલ્પ

ગીર સોમનાથ જિલ્લાના ૨,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો સંકલ્પ

Politics
હિન્દ ટીવી-  ગુજરાતી,  ગીર સોમનાથ ગીર સોમનાથમાં વિધાનસભા ચૂંટણી નિમિત્તે ૯.૯૯.૪૧૫ મતદારો નોંધાયા છે. વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે અંગે લોકોમાં જાગૃતિ પણ લાવવામાં આવી રહી છે ત્યારે જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેમજ જિલ્લાની તમામ કોલેજોમાં અભ્યાસ કરતા અંદાજે ૨.૦૦.૦૦૦ વિદ્યાર્થીઓના વાલીઓએ ૧૦૦% મતદાન કરવા સંકલ્પ પત્રો ભર્યા હતાં. આ ઉપરાંત ગત ચૂંટણીમાં તમામ પ્રકારના મતદારોમાં જાગૃતિ આવે અને ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય એવા કોડીનાર તાલુકાના કોબ, તડ, સનવાવ, જરગલી, આંબાવાડ, વડનગર, વેલણ જેવા મતવિસ્તારમાં અવસર રથ દ્વારા તમામ ઓછા મતદાન વાળા વિસ્તારોના મતદારોને વધુમાં વધુ બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત જે જગ્યાએથી રથ પસાર થયો તે વિસ્તારના લોકોને મતદાનની અગત્યતા સમજાવીને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરાયો હતો....
ભુજ શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલમાં ૧૦૫૦ સંકલ્પપત્રોનું બાળકોને વિતરણ કરાયું

ભુજ શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલમાં ૧૦૫૦ સંકલ્પપત્રોનું બાળકોને વિતરણ કરાયું

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભુજ         મજબુત લોહશાહી માટે મતદાતાઓ મતદાનનું મહત્વ સમજે તેમજ ચુંટણી-૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે SVEEP (સિસ્ટેમેટિક વોર્ટસ એજ્યુકેશન એન્ડ ઇલેકટોરલ પાર્ટિસિપેશન પ્રોગામ) અંતર્ગત મતદાન જાગૃતિ સંકલ્પપત્ર વિતરણ અને સંકલ્પ ગ્રહણ કાર્યક્રમ ભુજ શ્રી ઇન્દ્રાબાઇ  ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ૧૦૫૦ બાળકોને તેમના વાલીઓ જાગૃતતા દાખવીને મતદાન કરે તે માટે સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોએ પણ પોતાના વાલીઓને મજબુત લોકશાહીના નિમાર્ણ માટે મતદાન કરવાની ફરજ તેઓ નિભાવે તે માટે માહિતગાર કરશે તેવો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે આચાર્ય બેલાબેન મહેતાની ઉપસ્થિતિમાં શિક્ષકોએ પણ સંકલ્પ ગ્રહણ કર્યા હતા. ...
રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૦૭/૧૧/૨૨ થી તા.૧૩/૧૧/૨૨) દરમ્‍યાન  રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૦૭/૧૧/૨૨ થી તા.૧૩/૧૧/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  હાલમીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા ...
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     ચૂંટણીના કારણે સમગ્ર જિલ્લામાં આચારસંહિતા લાગુ છે તેના અનુસંધાને તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે. આચારસંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા આવા સ્થળે પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.      આ જાહેરનામા અનુસાર જિલ્લામાં સમવિષ્ટ સરકારી, અર્ધ સરકારી, સહકારી, તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તેમજ જાહેરસ્થળોએ હોય તેવા આરામગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ સ્થળો પર સત્તાધારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ અધિક...
૯૦-સોમનાથ વિધાનસભા બેઠકના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની તાલીમ યોજાઈ

૯૦-સોમનાથ વિધાનસભા બેઠકના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા સંબંધી કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને ૯૦-સોમનાથ ચૂંટણી અધિકારી સરયુબા જસરોટિયાના નેતૃત્વ હેઠળ મણિબહેન કોટક હાઈસ્કૂલમાં ચૂંટણી ફરજમાં પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસરની તાલીમ યોજાઈ હતી. આ સંદર્ભે ૯૦-સોમનાથ ચૂંટણી અધિકારી સરયુબા જસરોટિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે કાયદા નિયમો અને માર્ગદર્શિકાઓ નિયત કરવામાં આવી છે ત્યારે ચૂંટણી ફરજ પરના દરેક કર્મચારી ઈવીએમની ગોઠવણી તેમજ તૈયારી અને ચૂંટણી અંગે પોતાની ફરજ અંગેના નિયમોની પ્રક્રિયાથી સારી રીતે વાકેફ થાય તે માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત...
પી.સી.આર.ની સારી કામગીરી

પી.સી.આર.ની સારી કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            તા.૦૭/૧૧/૨૦૨૨ ના કલાક.૨૩/૦૩ ના આધારે કોલર નામે નવાજભાઇ મો.નં-૯૯૨૫૬ ૬૧૨૦૭ નાઓએ “અઠવા કાદરશાની નાળ સર્કલ પર કોલરને પોલીસ મદદની જરૂર છે”. તે રીતેનો કોલ પોલીસ કંટ્રોલ રૂમમાં કરેલ. જે કોલ ના આધારે અઠવા PCR-૩૪ ના ઇન્ચાર્જ PC વિજયભાઇ ધનરાજભાઇ બ.નં-૧૪૧૨ નાઓ સદર જગ્યાએ માત્ર ૦૬ મીનીટના સમયગાળામાં પહોંચી જઇ આત્મહત્યા કરનાર સદર ઇશમને બિલ્ડીંગ પરથી કુદતા રોકેલ. જે ઇશમ નામે રાજેન્દ્ર ગોપાલરામ ચનિયાલ શેઠ મોન્ટીભાઇ ઉ.વ.આ.૩૭ વર્ષ રહે.નાનપુરા કાદરશાની નાળ અર્પણ એપાર્ટમેન્ટ ઘર નં-૭૦૯ અઠવા સુરત નાઓને પો.સ્ટે. લઇ જઇ ઇન્વેમા HC દિનેશભાઇ કુકાભાઇ બ.નં-૧૧૨૮ નાઓને સોપેલ બાદ સદર આત્મહત્યા કરવા જનાર ઇશમને પુછતા આત્મહત્યા કરવાનુ કારણ પૈસાની તંગી હોવાથી માનસીક ટેંશનમા આવી આત્મહત્યા કરવા જવાનુ જણાવેલ છે.ત્યારબાદ તેમના શેઠને પો.સ્ટે.બોલાવી સમજાવી શેઠને સોપેલ છે આમ,સદર કોલમાં PCR-...
શ્રી સોમનાથ તીર્થધામમાં કાર્તિકીપુર્ણીમાંનુ અનેરૂ મહત્વ

શ્રી સોમનાથ તીર્થધામમાં કાર્તિકીપુર્ણીમાંનુ અનેરૂ મહત્વ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, સોમનાથ            શ્રી સોમનાથ તીર્થધામમાં કાર્તિકીપુર્ણીમાંનુ અનેરૂ મહત્વ સમાયેલ છે, શ્રી સોમનાથ મહાદેવના ભવ્ય દેવાલય જે કૈલાશ મહામેરૂ પ્રાસાદના નામથી વિશ્વપ્રસિદ્ધ છે, જ્યાં શિખર ઉપર પૂર્ણિમાં ની મધ્યરાત્રીએ ચંદ્રદેવ એવી રીતે સ્થીત થાય છે કે, જાણે સ્વયં ભગવાન સોમેશ્વરે ચંદ્રને મુગટ સ્વરૂપે ધારણ કરેલ હોય. મધ્યરાત્રીએ ભગવાન સોમનાથજીની મહાપૂજા - મહાઆરતી કરવામાં આવેલ. જેમાં દર્શનાર્થીઓએ  મહાઆરતી દર્શનનો લાભ લઇ શિવકૃપા પ્રાપ્ત કરી. ઘણા ભાવિકો પ્રતિવર્ષ કાર્તિકિપૂર્ણિમાં એ સોમનાથ મહાદેવના મધ્યરાત્રીએ દર્શન કરવાનું ચુકતા નથી, તેઓના કહેવા પ્રમાણે આ દર્શન કર્યા બાદ વર્ષભર એક અલૌકિક ઉર્જા તેઓને પ્રાપ્ત થાય છે. ચંદ્રને પોતાના સ્વસુર દક્ષ પ્રજાપતીએ આપેલ શ્રાપ બાદ, મુક્તિ મેળવવા બ્રહ્માજીએ પ્રભાસક્ષેત્રના રત્નાકર તટે ચંદ્રને શિવઆરાધના કરવા જણાવેલ. પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્...
સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી ગર્ભાશયના મુખના કેન્સરની રસીકરણ નો આગામી આયોજન

સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી ગર્ભાશયના મુખના કેન્સરની રસીકરણ નો આગામી આયોજન

Gujarat
હિન્દ ન્યુઝ, જામનગર         ગર્ભાશયના કેન્સર  ને નાથવા માટે  10 થી 25 વર્ષની દીકરીઓને વેક્સિન આપી જિંદગી ભર કેન્સરથી બચાવવા માટે જે યજ્ઞ ચાલી રહ્યો છે. તે અંગે તારીખ 27 11 2022 ના રવિવારના રોજ સવારે 11 થી 12 વાગ્યા સુધી સોના બજારમાં જેમને બીજો ડોસ કે ત્રીજો ડોઝ લેવાનો હોય તેઓએ આ સમયમાં આ વેક્સિન લેવા માટે પોતાના આગળનો કાગળ લઈ આવવાનો રહેશે.           અત્યાર સુધી દરેક જ્ઞાતિની 1000 થી વધારે દીકરીઓને આ વિકસીન અપાઈ ગઈ હવે ફક્ત જૈનોની દીકરીઓને જ પ્રથમ ડોઝ અપાશે નવા રજીસ્ટ્રેશન ફક્ત જૈનોની દીકરીઓનું જ થાય તેવી સંઘમાતા પરિવારની ઈચ્છા છે. આ માટે વધારે જાણકારી મેળવવા  કો-ઓર્ડીનેટર રીટાબેન મહેતા નો સંપર્ક 7567882772 કરો. જૈનોની દીકરીઓના નવા રજીસ્ટ્રેશન સોના બજારમાં સોમ મંગળ, બુધ સવારે 10 થી 12 વચ્ચે આધારકાર્ડ સાથે રાખી કરાવી લેવા તેવી વિનંતી કરવામાં આવે છે....