હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
હાલમીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.
મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.
| મચ્છર જન્ય રોગો | અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા
(તા.૦૭/૧૧/૨૨ થી તા.૧૩/૧૧/૨૨) |
વર્ષમાં કૂલ નોંઘાયેલ |
| મેલેરિયા | ૧ | ૪૫ |
| ડેન્ગ્યુ | ૧૩ | ૨૧૧ |
| ચિકુનગુનિયા | ૩ | ૨૪ |
અન્ય રોગચાળાની કેસની વિગત
(તા.૦૭/૧૧/૨૨ થી તા.૧૩/૧૧/૨૨)
| ક્રમ | વિગત | કેસની સંખ્યા |
| ૧ | શરદી – ઉધરસના કેસ | ૨૪૫ |
| ૨ | સામાન્ય તાવના કેસ | ૪૧ |
| ૩ | ઝાડા – ઉલટીના કેસ | ૫૨ |
| ૪ | ટાઈફોઈડ તાવના કેસ | ૦ |
| ૫ | કમળો તાવના કેસ | ૦ |
| ૬ | મરડાના કેસ | ૦ |
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૧૩/૧૧/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૭૦,૩૦૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૭૮૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ તિરૂ૫તિ બાલાજી, તિરૂપતિ પાર્ક, ગણેશ પાર્ક – ૧, ર, લોકમાન્ય તિલક ટાઉનશી૫, કરણ૫રા શેરી નં. ૩૩ અને ૩૫, જંકશન પ્લોટ શેરી નં. ૩ અને ૧૦, ડો. હેડગેવાર ટાઉનશી૫ (રેલનગર), ભગિની નિવેદિતા ટાઉનશી૫ (રેલનગર), છત્ર૫તિ શિવાજી ટાઉનશી૫ (રેલનગર), ઝાંસીની રાણી ટાઉનશી૫, કાંતિવીર ખુદીરામ બોઝ ટાઉનશી૫, શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશી૫, ગુંદાવાડી – ર, એલ.આઇ.સી. ઓફિસની આસપાસનો વિસ્તાર, ગુલાબ વાટીકા સોસા., મુંજકાગામ આખુ તથા શ્યામ પ્રસાદ મુસર્દી આવાસ તથા નવા રીંગ રોડ સુઘી, દાદી પાર્ક, મઘુરમ પાર્ક, ગુલાબનગર, શ્રી વસુંઘરા રેસીડેન્સી, કેનાલ રોડ, બેકબોન રેસીડેન્સી વિંગ – એ તથા આજુબાજુનો વિસ્તાર, ભવનાથ પાર્ક શેરી નં. ૯ થી ૧૪, માટેલ સોસા., સ્વામીનારાયણ પાર્ક, માઘા૫ર ઇન્ડ. ઝોન, ભવનાથ પાર્ક , પારસ સોસો., રંગીલા પાર્ક, વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૪૪ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં ૪૯૮ અને કોર્મશીયલ ૧૨૧ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.
ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ.
- અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ
- અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
- ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વ૫રાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખયા બાદ જ સવારે નવું પાણી ભરવું.
- અગાસી, છા૫રા વગેરે ૫ર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
- પીવાના તથા ઘરવ૫રાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ.
- ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ.
