હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ
પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો

શ્રાવણ માસના પહેલા સોમવારે (શ્રાવણ સુદ પાંચમ) શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર શ્વેત ,પીળા પીતાંબર વિવિધ પુષ્પો તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ. જે દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો.
