Saturday, September 5News That Matters

Gujarat

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, ભચાઉ તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની કચેરી, દરેક પોલીસ સ્ટેશનો, જાહેરસ્થળો, દરેક સરકારી કચેરીઓની બહાર કે તમામ સરકારી કચેરીઓના પરિસરથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા...
કચ્‍છ જિલ્‍લામાં ૮મી જુન-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્‍છ જિલ્‍લામાં ૮મી જુન-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ ડી.પી.ચૌહાણ એ તા.૦૮/૦૬/૨૦૨૫ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે....
રાજકોટ જિલ્લાના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૫ દિવસીય ‘કૃષિ સખી તાલીમ’

રાજકોટ જિલ્લાના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૫ દિવસીય ‘કૃષિ સખી તાલીમ’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ    રાજકોટ જિલ્લાના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૫ દિવસીય 'કૃષિ સખી તાલીમ' યોજાઈ હતી,જેમાં કૃષિ વિભાગના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારા ૩૨ બહેનોને પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન વિષયક થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું. આ તાલીમનો ઉદ્દેશ રાસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાનો અને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનો છે. તાલીમમાં રહેણાંક અને જમવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવી હતી. તાલીમ બાદ તમામ બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.હવે આ બહેનો પોતપોતાના ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભ અંગે માહિતી આપીને અન્યોને પણ પ્રશિક્ષીત બનાવશે....
નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કાઉન્સિલની 10મી બેઠક યોજાય

નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કાઉન્સિલની 10મી બેઠક યોજાય

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, દિલ્હી      માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજભાઈ જોશી પણ જોડાયા હતા. વિકસિત ભારત- 2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે તેને પાર પાડવામાં દેશના દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છેઃ મુખ્યમંત્રી...
વેરાવળ પંચાયત રાજકોટ જિલ્લામાં અવ્વલ

વેરાવળ પંચાયત રાજકોટ જિલ્લામાં અવ્વલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ     રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં રહેતા કારખાનાના શ્રમિક વિજયભાઈ વાઘેલાને આવકનો દાખવો કઢાવવો છે. દિવસે કારખાનાનું કામ હોય, જો બીજા કોઈ ગામમાં રહેતા હોત તો કપાત પગારે રજા પાડી, દાખલા માટે દિવસે દોડાદોડી કરવી પડી હોત. પરંતુ તેમને ખબર છે કે, વેરાવળ ગ્રામ પંચાયત નાગરિકોની સેવા માટે દરરોજ રાતે મોડે સુધી ખુલ્લી રહે છે. આથી તેમને નિરાંત છે અને કપાત પગારે રજા પાડવાની જરૂર નથી. રાતે તે જમીને આરામથી પંચાયત કચેરી જાય છે. સ્ટાફ સહર્ષ દાખલો કાઢી આપે છે અને તલાટીની સહી પછી, રાતે સાડા આઠ વાગ્યે તેને આવકનું પ્રમાણપત્ર મળી જાય છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત કે સરકારી કચેરીનો સમય સવારે ૧૦.૩૦થી સાંજ ૬.૧૦નો હોય છે. પરંતુ વેરાવળ ગ્રામ પંચાયત નાગરિકોની સેવા માટે દિવસે રોજિંદા સમયની સાથે રાતે ૧૦ કે ૧૦.૩૦ સુધી ચાલુ રહે છે. આથી ગામમાં રહેતા કામદારો, ખેડૂતો, ...
ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન

ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન

Gujarat
શું તમે જાણો છો?  સિંહ વસ્તી ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? વન વિભાગ દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી ડેટા એકત્રીકરણ માટેની પ્રક્રિયા ખરેખર જાણવા લાયક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગાંધીનગરથી જાહેરાત હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાકીય માહિતીની રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી જાહેરાત કરતાં ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને 891 જેટલી થઈ હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે પોતાના સંબોધનમાં માનનીય વડા...
ભાવનગર ખાતે કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવાની જિલ્લા લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની રિવ્યું બેઠક યોજાઇ

ભાવનગર ખાતે કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવાની જિલ્લા લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની રિવ્યું બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       ભાવનગર કલેકટર કચેરી ખાતે કલેકટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને દશ ગામ દીઠ એેક ફરતા દવાખાના પ્રોજેક્ટ હેઠળ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 અને કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટર્નરી યુનિટ (એમ.વી.યુ.) 1962 સેવાની જિલ્લા લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની રિવ્યું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સંજયભાઈ ઢોલાએ કમિટીના અધ્યક્ષ અને કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ સહિતના દરેક સભ્યોને આવકારીને મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી.  પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર દ્વારા ૧૯૬૨ સેવામાં ભાવનગર જિલ્લામાં અલગ અલગ પેરામીટર સાથે કલેક્ટરશ્રી સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પશુઓને તાત્કાલિક સારવાર આપવા માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મહાનગરપાલિકાની હદમાં અને ભાવનગર જિલ્લાના ૪૧૪ ગામો જે આ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છે. તે દરેક ગ...
પાલીતાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

પાલીતાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર        પાલીતાણા તાલુકામાં દેદરડા-૩૫, ચોંડા-૫૧, મોટી પાણીયાળી-૯૯, બહાદુરગરઢ-૬૯, ભુતડીયા-૧૦૫, મોટી પાણીયાળી (વાડી) -૧૧૩, સીટી-તળાવ વિસ્તાર- ૬/૧૪ જેવી શાળાઓ ખાતે પી.એમ.પૌષણ યોજના (મ.ભો.યો.) ચલાવવા માટે સંચાલકોની ભરતી કરવા સારૂ ઓછામાં ઓછું ધોરણ-૧૦ (દસ) પાસ તથા ઉંમર ૨૦ થી ૬૦ વર્ષ વચ્ચેની હોય તેવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીમાં અરજીઓ જમા કરવાની રહેશે. વિધવા, નિરાધાર મહિલાઓ, ત્યક્તાને નિમણૂક માટે અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, પાલીતાણા ખાતેથી મેળવી લેવાનું રહેશે તેમ મામલતદાર પાલીતાણાની યાદીમાં જણાવાયું છે....
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નો વિધર્મી યુવાન ચોટીલાની હિન્દુ યુવતીને ‘લવ જેહાદ’ માં ફસાવી ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નો વિધર્મી યુવાન ચોટીલાની હિન્દુ યુવતીને ‘લવ જેહાદ’ માં ફસાવી ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ચોટીલા          સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામે રહેતો અકીલ થીમ નામનો યુવાન ચોટીલા ખાતે રહેતી યુવતીને ગત થોડા દિવસ અગાઉ લવ જેહાદ નાં ઇરાદે ભગાડી જતા ગત તારીખ 13-05-2025 ના રોજ યુવતીના પરિવારજનો દ્વારા હિન્દુ સંગઠનો સાથે સુરેન્દ્રનગર ડી.એસ.પી. ને યુવતીને પરત મેળવવા અને આ જેહાદી યુવક અકીલ થીમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી.         ચોટીલાના યુવતીના પરિવાર દ્વારા વઢવાણનો આ વિધર્મી યુવાન અકીલ થીમ તેઓની દીકરીને, સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેવાના અને લવ જેહાદ ના ઇરાદે ભગાડી ગયો હોવાનું અને પરિવાર દ્વારા યુવતી તેઓના ઘરેથી રોકડા 1.25 લાખ રોકડા તેમજ સોનાની 2 ચેન લઈ ગઇ હોવાનું અને યુવતીના બેંક ખાતામાં રહેલ રોકડ રૂપિયા 70,000 પણ ઉપાડી લીધા હોવાની ફરિયાદમાં જણાવેલ છે.      ચોટીલાની યુવતી ને વઢવાણનો વિધર્મી અકીલ થીમ દ્વારા ભગાડી જવાના મુદ્...
જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવી લેવા તથા દરિયામાં ન જવા સૂચના

જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવી લેવા તથા દરિયામાં ન જવા સૂચના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર     દેશમાં તાજેતરમાં પ્રવર્તતી પરીસ્થિતીને ધ્યાને લેતાં નજીકના સમયગાળામાં દેશ વિરોધી તત્વો દ્વારા દરિયાઈ માર્ગ મારફત કે વિસ્તારોમાં દેશદ્રોહી પ્રવૃતિની સંભાવના રહેલ હોય, માછીમારો તથા માછીમારી બોટોની સલામતી હેતુસર માછીમારી બોટોને દરીયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન ઇસ્યુ કરવાનુ બંધ કરવામાં આવ્યું છે. તથા દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત ફરવા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  જેને લઈને જામનગર મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા જામનગર જિલ્લાના બોટ માલીકોને પરીસ્થીતીને ધ્યાને લઇ દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત બેલાવી લેવા તથા ટોકન બંધ કરવામાં આવેલ હોવાથી કોઇપણ માછીમારી બોટોએ દરીયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોએ કોઇ શંકાશીલ કે ગેરકાનુની પ્રવૃત્તિ કરતા વ્યક્તિ અથવા રાષ્ટ્રિય સુરક્ષા વિરોધી કોઇપણ કાર્ય કરતા જણાય ક...