Saturday, September 5News That Matters

Gujarat

મોટા ગરેડીયા ખાતે ચેકડેમ નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

મોટા ગરેડીયા ખાતે ચેકડેમ નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat
વરસાદી પાણીના સંગ્રહ માટે ખાસ અભિયાનના ભાગરૂપે સરકાર દ્વારા આયોજનો હાથ ધરાયા છે - કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર હિન્દ ન્યુઝ, જામનગર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના મોટા ગરેડિયા ખાતે ચેકડેમ નવીનીકરણના કામનું ખાતમુહર્ત કર્યું હતું. રૂ.7.50 લાખના ખર્ચે આ ચેકડેમના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના પ્રતિબંધો હટતા રાજ્ય સરકારે સિંચાઈ ક્ષેત્રે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. વિસ્તારમાં સિંચાઈના પાણીની તંગી દૂર કરવા પાણીના દરેક ટીપાનો સંગ્રહ કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાઈ રહી છે. ખાસ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ જરૂરી મંજૂરીઓ મેળવી છેલ્લા એક માસમાં અનેક જળ સંચયના કામો, તળાવો તથા ચેકડેમોના ખાત મુહર્ત તથા લોકાર્પણો કરવામાં આવ્યા છે. મંત્રીએ ખેડૂતની જરૂરિયાત મુજબના ડેમ, બંધારાઓ તથા ચેકડેમનું નિર્માણ કરી વધુમા...
પરબધામના અષાઢી બીજના મેળામાં શ્રદ્ધાપૂર્વક સહભાગી થતા પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી અને પશુપાલન રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ

પરબધામના અષાઢી બીજના મેળામાં શ્રદ્ધાપૂર્વક સહભાગી થતા પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી અને પશુપાલન રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, જૂનાગઢ ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા પરબ ધામ ખાતેના અષાઢી બીજના પાવન ઉત્સવમાં પરિવહન અને યાત્રાધામ વિકાસના રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી અને પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ સહભાગી થયા હતા. આ પ્રસંગે મંત્રીઓએ પરબધામના મહંત શ્રી કરસનદાસ બાપુ સાથે ભાવસભર મુલાકાત કરી, જનસેવાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મંત્રીઓ અરવિંદભાઈ રૈયાણી અને દેવાભાઈ માલમ સહિત અન્ય મહાનુભાવો એ પણ દેવીદાસ બાપુ અને અને અમર માની સમાધીને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ભાવિકોને અષાઢી બીજના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી. પરબધામના આ સુપ્રસિદ્ધ મેળામાં વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ સાથે ભાવિકોએ લોકમેળાનો આનંદ માણી મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી આ મેળાને મોકુફ રાખવામાં આવ્ય...
કચ્‍છ જિલ્‍લામાં ૩૧મી જુલાઇ-૨૦૨૨ સુધી હથિયારબંધી

કચ્‍છ જિલ્‍લામાં ૩૧મી જુલાઇ-૨૦૨૨ સુધી હથિયારબંધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણીને અનુલક્ષીને સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ હનુમંતસિંહ જાડેજાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.૩/૭/૨૦૨૨ થી તા.૩૧/૭/૨૦૨૨ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.       આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે....
પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલનું બુકીંગ શરૂ

પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલનું બુકીંગ શરૂ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  શહેરના બોલબાલા માર્ગ પર, આનંદનગર ખાતે આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ ખાતે કોવિડ-૧૯ સંદર્ભે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ હતી. હાલ કોવિડ હોસ્પિટલ બંધ કરવામાં આવેલ હોય, પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલના બંને યુનિટ નાગરિકોના પ્રસંગ માટે ઉપલબ્ધ થયેલ છે. આ કામે કોમ્યુનીટી હોલનું ઓફલાઈન તથા ઓન-લાઈન બુકીંગ શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી શહેરીજનો પોતાના પ્રસંગ માટે આ કોમ્યુનીટી હોલનું બુકીંગ આજ તા.૦૨/૦૭/૨૦૨૨થી કરી શકશે....
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંજાર ખાતે નિર્માણાધિન  વીર બાળ સ્મારકની મુલાકાત લીધી

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંજાર ખાતે નિર્માણાધિન વીર બાળ સ્મારકની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ              રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે ૩૦ જૂનના રોજ કચ્છ જિલ્લાના અંજાર ખાતે નિર્માણાધિન વીર બાળ સ્મારકની મુલાકાત લીધી હતી. આ તકે પૂર્વ રાજ્ય મંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિરે પણ મુખ્ય સચિવની સાથે સ્મારકના નિમાર્ણકાર્યની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવએ સ્મારકના દરેક વિભાગની મુલાકાત લઈને કેટલું કાર્ય પૂર્ણ થયું છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૬, જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા વિનાશક ભૂકંપમાં એક રેલી દરમિયાન બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ કર્મીઓનું કરુણ મૃત્યુ થયું હતું. આમ, આ સ્મારક કુલ ૧૮૫ બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ કર્મચારીઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે. મુખ્ય સચિવએ સ્મારકનું કાર્ય વહેલીતકે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બાળકોની સ્મૃતિમાં મોન્યુમેન્ટ બિલ્ડીંગ પણ તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત, સિમ્યુલેટરની મદદથી ભ...
રાજકોટ મહાનગરપાલિકાના ૧૪ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ મહાનગરપાલિકાના ૧૪ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૦-૦૬-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૧૪ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.             આ પ્રસંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.             જૂન-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ (૧) બાંધકામ શાખાના ડ્રાઈવર વિરસુડિયા હંસરાજ શાંત...
રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કપરાડા     કપરાડા - ધરમપુર તાલકાના સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા યુવાનોને પુસ્તકો લાયબ્રેરીમાંથી જ મળી રહે તે માટેના પુસ્તકોની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથોસાથ સામાન્ય વાચક તેમજ સીનીયર સીટીઝનોને વિવિધ વિષયના પુસ્તકોનો પણ લાભ મળી રહેશે.એમ કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનાર લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરતા રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો દાખલો આપતા જણાવ્યું હતું કે, તેઓ જયારે વિસ્તારક હતા ત્યારથી જ ખભે રાખેલ થેલામાં બે - ત્રણ પુસ્તકો રાખતા અને તેનું વાંચન થઈ જાય એટલે બીજા નવા પુસ્તકો થેલામાં મૂકતા. આમ તેઓએ વાંચનથી તેમના જ્ઞાનમાં વધારો કર્યો છે. ૧૫ માં નાણાંપંચ અંતર્ગત રૂ. ૯૦ લાખના ખર્ચે બનનારી લાયબ્રેરીના મકાન બાબતે વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, આમાં રૂ. ૬૦ લાખ સ્ટેમ્પ ડ્યુટીની અને રૂ. ૩૦ લાખ...
યોગ : વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું માધ્યમ  આઠમા યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’

યોગ : વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું માધ્યમ આઠમા યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી  મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી સાબરમતી રીવરફ્રન્ટ ખાતે થશે : ૭૫૦૦ લોકો સહભાગી થશે  યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૭૫૦થી વધુ યોગ કોચ અને ૬૦,૦૦૦થી વધુ યોગ ટ્રેનર તૈયાર કરાયા ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું મહત્વ છે. આધ્યાત્મિક ઊર્જાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગને બધા ધર્મો અને દર્શનોમાં ખુલ્લા મને સ્વીકારવામાં આવ્યો છે. યોગ એક શારીરિક, માનસિક અને અધ્યાત્મિક અભ્યાસ છે જે લોકોને શાંતિ પ્રદાન કરવાની સાથે પ્રકૃતિ સાથે જોડે છે. ભારત આદિકાળથી જ યોગગુરૂ રહ્યો છે. ભારતમાં યોગની પરંપરા સદીઓ જૂની છે. ભારત હંમેશા વૈશ્વિક સ્તરે યોગનો પ્રચાર - પ્રસાર કરી રહ્યું છે. આ પ્રચાર - પ્રસાર ત્યારે લેખે લાગ્ય...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ • રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧)જય જલારામ ઘૂઘરા (૨)પિતૃકૃપા કોલ્ડ્રિંક્સ (૩)યોગી એન્ટરપ્રાઇઝ (૪)વિક્રમ પ્રોવિઝન સ્ટોર (૦૫)આદર્શ પાન & કોલ્ડ્રિંક્સ (૦૬)ચોરસિયા સમોસા (૦૭)માધવ કોલ્ડ્રિંક્સ (૦૮)તુલસી પાન (૦૯)સમ્રાટ લાઈવ પફ (૧૦)દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર (૧૧)દ્વારકાધીશ પાન સેન્ટર (૧૨)દ્વારકાધીશ ટી સ્ટોલ (૧૩)ગોકુળ ગાંઠિયા (૧૪)જય ગોપાલ જનરલ સ્ટોર (૧૫)પિતૃકૃપા જનરલ સ્ટોર (૧૬)રામનાથ પાન (૧૭)અરમાન પ્રોવિઝન સ્ટોર (૧૮)ખોડિયાર પાન (૧૯)આજી સુપર માર્કેટ (૨૦)પિતૃ કોલ...
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે યોગ દિવસના અનુસંધાને કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે યોગ દિવસના અનુસંધાને કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરતી, ગીર સોમનાથ વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ ‘Yoga for Humanity’ એટલે કે ‘માનવતા માટે યોગ’ની થીમ પર આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આ યોગ સપ્તાહના ભાગરૂપે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ તેમજ પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દબદબાભેર કાર્યક્રમની શરુઆત થઈ હતી. જેમાં શિશુ સંજીવની પોષાહાર તેમજ ગોબર ગેસ સ્લરી આધારિત ખાતરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તેમજ સર્વે મહાનુભાવો અને ખેડૂતોએ યોગ કર્યા હતાં તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મૂકબધીર યુવક અપૂર્વ ઓમ ચૌહાણે ૨૧ સૂર્યનમસ્કાર કરી ઉપસ્થિત સર્વેનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું "...