Monday, February 16News That Matters

Gujarat

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની ભરતી માટેની પ્રિલિમીનરી પરીક્ષા સવારનાં ૧૦:૦૦ થી ૧:૦૦ અને બપોરનાં ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમ્યાન પરીક્ષાઓ ભાવનગર શહેરમાં આગામી તા.૦૮/૦૧/૨૦૨૩ નાં રોજ યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા...
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર (મહિલા) ખાતે ભાવનગર જિલ્લના પ્રતિષ્ઠિત એકમો માટે ભાવનગર જીલ્લા નોડલ સંસ્થાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર (મહિલા) ખાતે ભાવનગર જિલ્લના પ્રતિષ્ઠિત એકમો માટે ભાવનગર જીલ્લા નોડલ સંસ્થાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તા.૦૯/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate- registration પર કરવાનું રેહશે અને ભરતી મેળાના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રેહવા જણાવવામાં આવે છે. આ એપ્રેન્ટીસ ભરતીમેળામાં ઉમેદવારોન...
ભાવનગરમાં રોજગાર ભરતીમેળાનું તા.૧૨ જાન્યુઆરીના રોજ યોજાશે

ભાવનગરમાં રોજગાર ભરતીમેળાનું તા.૧૨ જાન્યુઆરીના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ (કંપની) માં હેલ્પર, મશીન ઓપરેટર, ડાઈરેક્ટ સેલ્સ એક્સિક્યુટિવ, માર્કેટીંગ મેનેજર, બ્રાંચ મેનેજર, આસિસ્ટંટ બ્રાંચ મેનેજર, સોફ્ટવેર સેલ્સ એન્ડ સ્પોર્ટ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૩ (ગુરૂવાર), સવારે ૧૧:૦૦ કલાકે, ડૉ. આંબેડકર ભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી ચોક, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગર ની યાદીમાં જણાવવામાં આવેલ છે. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)...
ભાવનગરના મહુવા ખાતે તાલુકા કક્ષાના “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

ભાવનગરના મહુવા ખાતે તાલુકા કક્ષાના “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં તાલુકા કક્ષાના કિશોરી કુશળ બનો “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાની ઉજવણી આજ રોજ તા. ૦૬/૦૧/૨૦૨૩ ના રોજ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય તેમજ મહિલા અને બાળ સમિતાના ચેરમેન તાલુકા વિકાસ અધિકારી વગેરે પદાધિકારીઓની અધ્યક્ષતામાં અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર, ટી.એચ.ઓ., શ્રમ અને રોજગાર વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, આઇ.ટી.આઇ, લીડ બેન્ક મેનેજર, પોસ્ટ ઓફીસ, સમાજ સુરક્ષા અધિકારી, એડવોકેટ કાનૂની સેવા સત્તા મંડળ, ૧૮૧, દહેજ પ્રતિબંધક અધિકારી વગેરે વિવિધ વિભાગોના અધિકારી તેમજ કર્મચારી દ્વારા સ્ટોલ તેમજ ઉદબોધન કરી વિવિધ યોજનાકીય માહિતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કિશોરીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પોષણ અને આરોગ્યનુ મહત્વ, શિક્ષણનું મહત્વ , બેટી બ...
ભાવનગરના જેસર ખાતે કિશોરી કુશળ બનો વિષય અંતર્ગત “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

ભાવનગરના જેસર ખાતે કિશોરી કુશળ બનો વિષય અંતર્ગત “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના જેસર ખાતે કિશોરી કુશળ બનો વિષય અંતર્ગત "સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન" મેળાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાસંગિક ઉદબોધન કરી વિવિધ યોજનાકીય માહિતી પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલ કિશોરીઓ તેમજ વાલીઓને જુદા જુદા વિભાગો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ જેમા પોષણ અને આરોગ્યનુ મહત્વ, શિક્ષણનું મહત્વ , બેટી બચાવો બેટી પઢાવો નો હેતુ, કાનુની સહાય , જાડા ધાન્યનુ ખોરાકમાં મહત્વ જેવા વિષયો આવરી લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પાંચ કિશોરીઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ ITI માં પ્રવેશ લેનાર સાત કિશોરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)...
ભાવનગરમાં સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહર્ષિ અરવિંદની સાર્ધ શતાબ્દી ઉજવણી અંતર્ગત પ્રદર્શનનો પ્રારંભ

ભાવનગરમાં સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહર્ષિ અરવિંદની સાર્ધ શતાબ્દી ઉજવણી અંતર્ગત પ્રદર્શનનો પ્રારંભ

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહર્ષિ અરવિંદની સાર્ધ શતાબ્દીની ઉજવણી અંતર્ગત પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારી જિલ્લા પુસ્તકાલય, જશોનાથ મંદિર પાછળ, ભાવનગર ખાતે મહર્ષિ અરવિંદ ઘોષજીના જીવન સંબંધી તસવીરોના પુસ્તકોનું પ્રદર્શન તા. ૬ થી તા. ૮ જાન્યુઆરી સુધી યોજવામાં આવેલ છે. આ તકે નાયબ માહિતી નિયામક ચિંતન રાવલ, એ.ટી.ઓ. શ્રી ટી.આર મહેતા, યુવા લેખક રવિ મારુ, ઘનશ્યામભાઈ ગઢવી, ગ્રંથપાલ ડો. રવિ પરમાર અને મદદનીશ ગ્રંથપાલ વિવેક સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)...
ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવપૂર્ણ સ્વાગત

ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવપૂર્ણ સ્વાગત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોએ તેમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા માટે શહેર ભા.જ.પ.ના પ્રમુખ ડો.રાજીવભાઈ પંડ્યા, કલેક્ટર ડી.કે.પારેખ, મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત બ્યુરો ચીફ : ડો હકીમ ઝવેરી (ભાવનગર)...
મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ અન્વયે મોકડ્રીલ યોજાઈ

મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ અન્વયે મોકડ્રીલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ     રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ થાય તો તેની સામે કેવા પગલાં લેવા તે અન્વયે ફાયર શાખા દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી.  ક્લોરીન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએમ થી વધારે પ્રમાણ વાળા ક્લોરીન મીશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યક્તિનુ મૃત્યુ નીપજી શકે છે. ક્લોરીન તીવ્ર ગંધ ધરાવે છે. તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ ક્લોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો સારો જંતુનાશક સાબિત થાય છે. ક્લોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો જ ઘાતક સાબીત થઇ શકે છે. ક્લોરીન ગેસને યોગ્ય રીતે હેન્ડલીંગ કરવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં આ બાબતની જાણકારી મળે તથા સતર્કતા રહે તે હેતુથી આ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવેલ. આ મોકડ્રીલ દરમ્યાન કોલોરીન ગેસ લીકેજ થતા ઓપરેટરીંગ સ્ટાફ દ્વારા તાત્કાલીક કેમ...
ડિસેમ્બર – ૨૦૨૨માં કુલ ૫૯૬૮ મુલાકાતીઓએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી

ડિસેમ્બર – ૨૦૨૨માં કુલ ૫૯૬૮ મુલાકાતીઓએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         ડિસેમ્બર ૨૦૨૨ના માસમાં કુલ ૫૯૬૮ મુલાકાતીઓએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં ૨૬ વિદેશી મુલાકાતીઓ તથા વિવિધ ૧૮ સ્કુલના ૧૭૩૦ બાળકોએનો પણ સમાવેશ થાય છે.         વિશેષમાં એપ્રિલ ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૦,૦૩૯ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત ડીસેમ્બર ૨૦૨૨ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ક્રમ મહાનુભાવોની વિગત ૧ શ્રી રિષિકેશ રોય, ચીફ જસ્ટીસ ઓફ કેરાલા હાઈકોર્ટ ૨ શ્રી આર. રામચંદ્રન IAS, ડે. કમિશનર, બિદર ૩ શ્રી પ્રીતિ ગેહલોત, ઈલેક્શન ઓબ્ઝર્વર ૪ મિનિસ્ટરશ્રી, ઝીમ્બાબ્વે ૫ શ્રી એસ.કે.મહંત...
મિલકત વેરા નંબર સાથે લિંક નહી થયેલ નળ કનેક્શનોના બાકી પાણી દર વસૂલવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાનો આદેશ

મિલકત વેરા નંબર સાથે લિંક નહી થયેલ નળ કનેક્શનોના બાકી પાણી દર વસૂલવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાનો આદેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી - રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના મિલકત વેરા વસુલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સઘન વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મિલકત વેરાની સાથોસાથ પાણી દરની રકમ ભરવાની બાકી હોય તેવા અનલિંક નળ કનેક્શન અંગેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ આદેશ કર્યો છે. હાલ કુલ-૫૭,૭૮૦ અનલિંક નળ કનેક્શનોના પાણી દરના માંગણાની વસુલાત બાકી છે, જે પૈકી ૨૫૪૦૬ અનલિંક નળ કનેક્શનો એવા છે જેની દરેકની  રૂ.૨૫૦૦૦/- થી વધારે રકમની પેન્ડીંગ માંગણાની વસુલાત કરવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જ્યારે રૂ. ૫,૦૦૦/- કે તેથી વધુ રકમનો પાણી દર ભરપાઈ કરવાનો બાકી હોય તેવા અન્ય કનેક્શનોને પણ આ ઝુંબેશમાં આવરી લેવામાં આવનાર છે.  આ નળ કનેક્શનો મિલકત વેરા નંબર સાથે લિંક થયેલ ન હોઈ બાકી વેરાની સાથે વેરા વસુલાત શાખા દ્વારા મિલકત વેરા સાથે વસુલાત થઇ શકતી નથી. જે વસ...