Monday, February 16News That Matters

Gujarat

ભાવનગર શહેર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ ના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાજ્ય સરકાર ના આદેશ અનુસાર તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઇ. સામે ભાવનગર શહેર ખાતે માન. મુખ્યમંત્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નો ના નિકાલ કરવા માટે નાયબ કલેકટર ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદાર ઓ પાસે થી તા.૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોના આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીવાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટીમામલતદાર, ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણા કાર્યક્રમમાં અનિણીત રહેલ અરજદારો તથા સંબંધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વ...

ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનું પંડિત દીનદયાળ આરોગ્ય ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરના ૧૩૭ દિવ્યાંગોને અગાઉથી એલીમ્કો દ્વારા કેમ્પ કરીને તપાસ કર્યા બાદ તેમની જરૂરિયાત મુજબ ૨૪,૮૧,૮૨૨ લાખના ૨૪૩ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે હોંસલો બુલંદ હોય તો હિમાલય સર કરવામાં પણ કોઇ અવરોધ આવતો નથી ત્યારે દિવ્યાંગો માટે મદદરૂપ થવા માટે સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે આ ઉપરાંત સરકાર દ્વારા દિવ્યાંગો માટે રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશન એવા સ્થળોએ તેમને અગવડતા પડે નહિ એવી અલગ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તેમણે વધુમાં ...

કોડીનાર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયો આયુષ મેળો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અંતર્ગત નિયામક આયુષની કચેરી દ્વારા પ્રેરિત, જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા છારા જાપા ગ્રાઉન્ડ, કોડીનાર ખાતે આયુષ મેળો યોજાયો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું. જેમાં અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આયુષમેળામાં શહેરીજનોએ વિવિધ પદ્ધતિઓ દ્વારા સારવાર, યોગ અંગેનું માર્ગદર્શન, પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા ઉપરાંત યોગ-વાનગી પ્રદર્શન સહિત આયુર્વેદની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વિજયસિંહ ગોહિલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આયુષમેળાનો મુખ્ય હેતુ શું છે તે વિશે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે તેમજ ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોએ જુદા-જુદા ૧૫ સ્ટોલની મ...

રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાયો અભ્યાસલક્ષી સેમિનાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ, કોઈ અગમ્ય કારણોસર નિયમિત શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલીકાઓ તેમજ કામદાર વર્ગના વિદ્યાર્થીઓનો અધવચ્ચે અભ્યાસ છૂટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા હેતુસર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨માં નિયમિત શાળામાં જઈ ન શકતાં વિદ્યાર્થીઓ, બાલીકાઓ, મહિલાઓ, દિવ્યાંગજનો, કામદાર વર્ગના લોકો ઉપરાંત શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં. જેમણે આ સોનેરી તકનો લાભ લીધો હતો. આ તકે NIOSના રિજનલ ડિરેક્ટર ડૉ.સૌમ્યા રાજને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને ફરી જાગૃત કરે અને ફરી એકવાર સોનેરી તક ઝડપવાની કોશિશ કરે. આપણે તમામે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો છ...

કોડીનાર ખાતે ૮ ફેબ્રુઆરીના રોજ હાઈટ હંટ સિલેક્શનનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૮ ફેબ્રુઆરીના રોજ શ્રી સોમનાથ એકેડમી બાયપાસ ખાતે અસાધારણ ઉંચાઈ ધરાવતા હાઈટના આધારે અંડર–૧૪ એટલે કે તા. ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનોનું હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ હાઈટ હન્ટમાં ભાઈઓની ઉંમર અનુક્રમે ૧૧, ૧૨, ૧૩, ૧૪ વર્ષ સાથે ઊંચાઈ અનુકમે ૧૬૦+, ૧૬૮+, ૧૭૩+, ૧૭૯+ તેમજ બહેનોની ઉંમર અનુક્રમે ૧૧, ૧૨, ૧૩, ૧૪ વર્ષ સાથે ઊંચાઈ અનુકમે ૧૫૫+, ૧૬૩+, ૧૬૬+, ૧૭ ૧+ હોવી આવશ્યક છે. હાઈટ હંટમાં રસ ધરાવનાર ભાઈઓ/બહેનોએ તા.૦૮/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે પોતાનું ઓરીજીનલ આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા સાથે સોમનાથ એકેડેમી, બાયપાસ પાસે, કોડીનાર ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે. આ કસોટીની વધુ માહિતી માટે જશરાજ દાહીમા મો.૭૦૬૯૫ ...

આગામી જી૨૦ના આયોજનને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપ રાણાએ સમગ્ર કચ્છમાં “નો-ડ્રોન ઝોન”નું જાહેરનામું બહાર પાડ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે આગામી તા. ૦૭/૦૨/૨૦૨૩ થી તા. ૧૦/૦૨/૨૦૨૩ સુધી જી૨૦ સમીટનું આયોજન થનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરીયાઈ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઈનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે તેમજ કચ્છ જિલ્લામાં વસતા લોકોને શારીરિક હિંસા પહોંચાડી શકવાની શક્યતા તેમજ જિલ્લાની તેમજ રાજ્યની સલામતી જોખમમાં મુકાય તે શક્યતા નકારી શકાય નહીં. કચ્છ જિલ્લામાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમા...

શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ માતાજીના દર્શન કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અંબાજી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. મંત્રીએ સાંજની આરતીમાં ભાગ લઇ માતાજીની પૂજા કર્યા બાદ માતાજીની ગાદીના દર્શન કરી ભટ્ટજી મહારાજના આશિર્વાદ લીધા હતા. માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, આજે મા અંબા મા દર્શન કરવા આવ્યો છું. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ વિદેશમાં આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોનું નિર્માણ અંબાજી ખાતે કરાવ્યું હતું. આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ગબ્બર ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવવાના હોઇ સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ક...

ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનું પંડિત દીનદયાળ આરોગ્ય ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરના ૧૩૭ દિવ્યાંગોને અગાઉથી એલીમ્કો દ્વારા કેમ્પ કરીને તપાસ કર્યા બાદ તેમની જરૂરિયાત મુજબ ૨૪,૮૧,૮૨૨ લાખના ૨૪૩ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે હોંસલો બુલંદ હોય તો હિમાલય સર કરવામાં પણ કોઇ અવરોધ આવતો નથી ત્યારે દિવ્યાંગો માટે મદદરૂપ થવા માટે સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે આ ઉપરાંત સરકાર દ્વારા દિવ્યાંગો માટે રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશન એવા સ્થળોએ તેમને અગવડતા પડે નહિ એવી અલગ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હ...

દિવ્યાંગ ચંદ્રિકાબેન અગ્રાવત બેટરી સંચાલિત મોટરસાયકલથી બનશે સ્વ નિર્ભર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જન્મથી જ પોલિયોના લીધે પોતાના બંને પગ પર ક્યારેય ઊભા નહીં થઈ શકેલા ચંદ્રિકાબેન અગ્રાવતે જણાવ્યું હતું કે બેટરી સંચાલિત મોટરસાયકલ થકી તેવો સ્વનિર્ભર બનશે તેમને બીજા પર આધાર રાખવો નહીં પડે. ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ઉપક્રમે દિવ્યાંગો માટે નિ: શુલ્ક સહાયક ઉપકરણ વિતરણનું પંડિત દિનદયાળ આરોગ્યધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૩૭ દિવ્યાંગોને ૨૪.૮૧ લાખના ૨૪૩ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી ચંદ્રિકાબેન કરસનભાઈ અગ્રાવતે જણાવ્યું હતું કે તેઓ જન્મથી દિવ્યાંગ છે તેમને બેટરી સંચાલિત મોટર સાયકલ મળવાથી નાના-મોટા કામ જાતે કરી શકશે આ ઉપરાંત કોઈ સ્થળે આવવા જવા માટે તેમને બીજા પર નિર્ભર રહેવું નહીં પડે. આથી તેમણે આવા કાર્યક્રમ બદલ સરકાર ...

અકસ્માતમાં દિવ્યાંગ થયેલ મિતુલભાઈ ચૌહાણ બેટરી સંચાલિત મોટર સાયકલ થકી પગભર થશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના રહેવાસી મિતુલભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે અકસ્માતમાં દિવ્યાંગ થયેલ તેઓ બેટરી સંચાલિત મોટર સાયકલ થકી ફરી પગભર થશે અને સામાન્ય વ્યક્તિની માફક જીવન જીવી શકશે. ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ઉપક્રમે દિવ્યાંગો માટે નિ: શુલ્ક સહાયક ઉપકરણ વિતરણનું પંડિત દિનદયાળ આરોગ્યધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૩૭ દિવ્યાંગોને ૨૪.૮૧ લાખના 243 સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત ભાવનગરના લાભાર્થી મિતુલભાઈ ખુશાલભાઈ ચૌહાણે અકસ્માતમાં તેઓના બંને પગ ગુમાવી ચૂક્યા હતા જેથી તેઓને નોકરી છૂટી ગઈ હતી અને ઘરે બેસવાનો વારો આવ્યો હતો આમ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો સીએસઆર કાર્યક્રમ અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તેમને બેટરી સંચાલિત મોટરસાયકલનું વિત...