Tuesday, September 8News That Matters

Gujarat

22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર            2023 ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા માટે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે તા. 17થી 30 એપ્રિલ દરમિયાન યોજાશે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરવા માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ હેઠળ ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 5 હજારથી વધુ મહેમાનો ગુજરાત આવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આ ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાંચ અલગ અલગ રમતમાં ખેલાડીઓ સામેલ થશે. ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 22 અને 23 એપ્રિલ, 2023ના રોજ આ સ્પર્ધાઓ યોજાશે. તેમાં ટેબલ ટેનિસ,...

ઝાંરખડ રાજ્યની મહિલાને પોતાના પરીવાર સાથે મિલન કરાવતુ ડાંગ સખી વન સ્ટોપ સેન્ટર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            ઝાંરખડ રાજ્યની મહિલાને પોતાના પરીવાર સાથે મિલન કરાવતુ ડાંગ સખી વન સ્ટોપ સેન્ટર - આહવા તાલુકાના ધવલીદોડ ગામના બસ સ્ટેશન પરથી તા. 08 /03/2023 ના રોજ આશરે 42 વર્ષીય એક અજાણ મહિલા મળી આવી હતી. જે મહિલાને મહિલા અને બાળ વિકાસ અઘિકારી કચેરી આહવા-ડાંગ ના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર આહવા ખાતે લાવી આશ્રય આપવામા આવ્યો હતો. અહિ સેન્ટરના કાઉન્સેલર દ્વારા આશ્રિત મહિલાનુ કાઉન્સેલિંગ કરતા મહિલાએ પોતાનુ નામ કૌશલ્યારાણાબેન મનોજભાઈ મિસ્ત્રી, રહેવાસી ઝારખંડ રાજ્યના કોડેરમા જિલ્લાના વતની હોવાનુ જણાવેલ હતુ. આ મહિલા સાથે વધુ વિગતે વાતચીત કરતા જણાયુ કે તેઓનુ માનસિક સંતુલન બરાબર ન હોવાથી અન્ય બીજી કોઈ પ્રાથમિક માહિતી મળી ના સકી માટે તેને આશ્રિત તરીકે રાખવામા આવી હતી. તે ઉપરાંત મહિલાને આહવા જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પણ રાખવામા આવી હતી. ...

પોષણથી ભરપૂર છે મિલેટ્સ, રોજિંદા આહારમાં કરો સિલેક્ટ’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                યુનો દ્વારા વર્ષ-૨૦૨૩ને 'ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, ભારત આ વર્ષે જી-૨૦ સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે, ત્યારે જી-૨૦ અંતર્ગત સ્વાસ્થ્ય, પર્યાવરણ, પોષણ, વ્યાપાર સહિતના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિષયો પર બેઠકો યોજાઈ રહી છે. G20 ની બેઠકોમાં મિલેટ્સને પણ ચર્ચા-મંત્રણાનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. તા.૨૬મી માર્ચના રોજ ઉત્તરપ્રદેશના વૃંદાવન ખાતે જી-૨૦ અને 'ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ'ના ભાગરૂપે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં તા.૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન ત્રિદિવસીય ‘જી-૨૦ આંતરરાષ્ટ્રીય યોગ ઉત્સવ અને મિલેટ્સ'(શ્રીઅન્ન) મેળો-૨૦૨૩’ યોજાયો હતો, જેમાં દ્વિતીય દિને પ્રવચન આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સુરતના શેલ્બી હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્રખ્યાત સિનીયર જોઈન્ટ રિપ્લે...

એક બાળ એક છોડ” અંતર્ગત પાલિતાણાની સરકારી શાળામાં નવતર પહેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પર્યાવરણનું જતન કરવું દરેક મનુષ્ય નું કર્તવ્ય છે. આ કર્તવ્ય નિભાવવા માટે પાલિતાણાની પાવન ભૂમિમાં જૈન સમુદાયનું અનોખું યોગદાન રહ્યું છે. પાલિતાણા અને તેની આજુબાજુનાં ગામોમાં જીવદયા નાં કાર્યો થયાં છે. જે અનુસંધાને શેત્રુંજય યુવક મંડળના સહયોગથી તેમજ દાતા પરીવાર માતૃશ્રી ભારતીબેન કિર્તીભાઇ દોશીનાં આર્થિક સહયોગ દ્વારા ગિરિરાજ વાટિકા બનાવવામાં આવી.  જેમાં સર્વ ધર્મ સહિત શૈક્ષણિક ચિત્રામણ કરવામાં આવ્યું. તેમજ “એક બાળ એક છોડ” એ અભિગમ મુજબ આજ રોજ કુલ એકાવન છોડનું રોપવાનું કાર્ય કર્યું હતું અને પાંચ જૂન સુધીમાં કુલ ત્રણસો એકાવન છોડ રોપીને અને ઉછેર કરવામાં આવશે આથી આવતી પાંચ જૂનનાં સંપૂર્ણ શાળા “ગ્રીન શાળા ગુલાબ શાળા” બનશે. પાયાનાં પર્યાવરણ જાળવણીનાં ગુણો બાળકો શીખશે.  શાળાનાં શિક્ષક શ્રી નાથાભાઇ ચાવડાની પહેલ મુજબ જિલ્લાની પ્રથમ શાળા બનશે જ્યાં “એક બાળ એક છોડ” ન...

સરકારના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”ની સિદ્ધિ: ઘોઘાની બાળકીના તૂટેલા તાળવાનું સફળ ઓપરેશન 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ડોક્ટર પાસે આંગણવાડી ખાતે તપાસ કરાવી તો માલુમ પડ્યું કે બાળકીનું તાળવું તૂટેલું છે. આ સાંભળીને પરિવાર ચિંતાતૂર થઈ ગયો હતો અને ખરા સમયે દેવદૂત બનીને આવ્યો સરકાર દ્વારા અમલ મૂકાય્લો 'રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ', જેના થકી બાળકીનું ઓપરેશન એક પણ રૂપિયાના ખર્ચ વગર થયું જેના માટે અમે સરકાર ના આભારી છીએ, તેવું ઘોઘામાં રહેતા આસ્માના પિતા જણાવે છે. ઘોઘા આકીબભાઈ શેખની મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સરકારના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” થકી મેડિકલ ઓફિસર ડો. શ્રીકેતાબા સરવૈયાને ખ્યાલ આવ્યો કે બાળકીને કલેફ્ટ પેલેટ (તૂટેલા તાળવા) ની ખામી છે અને તેમના પરિવારને આ અંગે સમજાવવામાં આવ્યા પરંતુ બાળકીને લોહીના ઓછા ટકા અને ઓછા વજનના કારણે ઓપરેશન કરવું મુશ્કેલ હતું ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે આગળની તપાસ બાદ યોગ્ય ટ્રીટમેન્ટ કરતાં લોહીના ટકા વધી જતાં પી. એન. આ...

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ માર્ચનાં રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો એપ્રિલ – ૨૦૨૩ નો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૪/૨૦૨૩ ના રોજ સવારનાં ૧૧ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), ભાવનગર ના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૨/૦૪/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રી ને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર – પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે તેમ મામલદારશ્રી, ઘોઘાની યાદીમાં જણાવાયું છે. ગુજરાત બ્યુરો ચીફ : ડો.હકીમ ઝવેરી ભાવનગર...

લોકભારતી મહાવિદ્યાલયના બી.આર.એસ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ત્રિદિવસીય શિબિર યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના બી.આર.એસ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ત્રિદિવસીય “બાલવાડી શિબિર” તા.૩૧/૩/૨૦૨૩ થી ૨/૪/૨૦૨૩ દરમિયાન યોજાઈ.  આ શિબિરના ભાગરૂપે ૭૧ વિદ્યાર્થીઓ અને ૩ કાર્યકરો શ્રી પુજાભાઈ મકવાણા, યોગેશભાઈ ત્રિવેદી અને વિશાલભાઈ જોષીની સહભાગિતા હેઠળ પ્રથમ દિવસે લોકભારતી પરિવારના બાળકો દ્વારા ઉદ્દઘાટન કરીને વિદ્યાર્થીઓ ગઢુલા, લંગાળા અને પરવાળા ગામની પ્રાથમિક શાળામાં જઈને સંમેલન, રમત-ગમત, અભિનય ગીતો અને બાળવાર્તાઓની રમઝટ બોલાવી હતી ત્યારબાદ લોકભારતીના પ્રાંગણ ઉપર દક્ષિણમૂર્તિ બાળમંદિર ભાવનગરના તજજ્ઞ બહેનો દ્વારા નાટ્ય તાલીમ, અને રાત્રે બાળ ફિલ્મ "હારૂન-અરુણ"નો શો યોજાયો હતો. બીજા દિવસે સવારે ડૉ. દિકપાલસિંહ જાડેજા ઉર્ફે "હું છું વાર્તા કહેનારો" દ્વારા વાર્તા કથન-સર્જન તાલીમ, બપોરે કલા શિક્ષક ભૂપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ચિત્ર અને સર્જન કાર્યશાળા અને ...

માધવપુર ઘેડના મેળામાં સહકાર અને ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિવિધ પ્રદેશના કારીગરો સાથે સાધ્યો સંવાદ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પોરબંદર           એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે શરૂ થયેલ માધવપુર મેળા ૨૦૨૩ના બીજા દિવસે રાજ્યકક્ષાના સહકાર અને ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા માધવપુરના ઘેડના મેળાની મુલાકાત લીધી હતી. અને મેળામાં આવેલા વિવિધ પ્રદેશના સ્ટોલના કારીગરો સાથે સ્ટોલ પર જઈને સંવાદ કર્યો હતો. આ તકે સ્ટોલ ધારકોએ મંત્રીનું સ્વાગત કરી પ્રદેશ પહેરવેશ, સંસ્કૃતિની જાણકારી આપી હતી. આ ઉપરાંત મંત્રીએ કામદારો સાથે બેસીને વણાટ કામ, કચ્છના સંગીતમાં પણ સહભાગી થયા હતા....

પોરબંદરની બાલુબા શાળામાંઆસામના વિદ્યાર્થીઓએ ગરબા રમી ગુજરાત અને આસામની સંસ્કૃતિના સમન્વય સાથે અનેરા આનંદનો અનુભવ કર્યો બધા વિદ્યાર્થીઓએ આસામનું લોકપ્રિય બિહુ અને ગરબાના તાલે રમ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પોરબંદર             માધવપુર ઘેડના મેળામાં આવેલા આસામના વિદ્યાર્થીઓએ ગુજરાતના ગરબા રમી ગુજરાત અને આસામની સંસ્કૃતિના સમન્વય સાથે અનેરા આનંદનો અનુભવ કર્યો હતો. આ સાથે બાલૂબા શાળાની વિદ્યાર્થીઓએ આસામનું લોકપ્રિય બિહુ નૃત્ય કરી કર્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર પોરબંદર જિલ્લામાં ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતની ભાતીગળ પરંપરાગત સંસ્કૃતિનું સમન્વય થઈ રહ્યું છે. આ કાર્યક્રમ પોરબંદરની બાલુબા વિદ્યાલયમાં યોજાયો હતો. કાર્યક્રમમાં આસામના વિદ્યાર્થીઓએ આસામનો લોકપ્રિય બિહુ નૃત્ય કર્યું હતું તથા ગુજરાતી ગરબાના સ્ટેપ લીધા હતા.આ ઉપરાંત બાલુભા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ગરબા અને આસામનો લોકપ્રિય બિહુ નૃત્ય કર્યું હતું. આ ઉપરાંત તમામ વિધાથીઓએ એક સાથે સૌએ સાથે ગરબા અને બિહુ નૃત્ય કર્યા હતા. યુવા સંગમ કાર્યક્રમ હેઠળ આસામથી આવેલા કોલેજના વિધાર્થીઓએ પોતાના પ્ર...

માધવપુરના મેળામાં હસ્તકળા હાટ થકી પોતાના ઉત્પાદનના વેંચાણ અર્થે આવેલ કારીગરોએ સરકારના આયોજનને બિરદાવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  રાજ્ય સરકાર દ્વારા માધવપુર ખાતે યોજાયેલ મેળામાં આસામ, નાગલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ સહિત વિવિધ રાજ્યો તથા પ્રદેશોના વેપારીઓના ઉત્પાદનોને વેગ મળે તેમજ આ ઉત્પાદનો સરળતાથી લોકો સુધી પહોંચે તે માટે હસ્તકળા હાટનું નિર્માણ કરવામાં આવ્યું છે જયાં પોતાના ઉત્પાદનોના વેંચાણ અર્થે આવેલ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના વેપારીઓએ સુંદર વ્યવસ્થા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે સાથે સાથે તેઓના ઉત્પાદનને નવી ઓળખ અને ઊંચાઈ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. આવા જ નાગલેન્ડના વેપારી શો ક્વોલો પોતાનો પ્રતિભાવ આપતાં જણાવે છે કે ગુજરાત સરકારે આ મેળાના માધ્યમથી અમને અમારા ઉત્પાદનોના વેંચાણ માટેની વ્યાપક તકો પુરી પાડી છે.આ સ્થળે અમને સ્ટોલ ફાળવાતા અમારા રેડ ચીલી પાવડર, બ્લેક રાઈસ સહિતના વિખ્યાત અને ઓર્ગેનિક ઉત્પાદનોનું વેંચાણ અને વ્યાપ વધશે અને સમગ્ર દેશમાં...