Tuesday, February 17News That Matters

Gujarat

ઇડરના જહીરપુરા ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા ગાયની નિ: શુલ્ક સારવાર કરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જહીરપુરા ગામે વાવાઝોડા દરમિયાન પતરુ ઉડતા ઇજા પામેલ ગાયની પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા નિશુલ્ક સારવાર કરાઇ હતી. ઇડર તાલુકાના જહીરપુરા ગામના વતની આગ્લોડીયા મોહસીનઅલી અકબરઅલીના તબેલાની ખુલ્લી જગ્યામાં પશુને રાખ્યા હતા. અચાનક વાવાઝોડું આવતા પતરુ ઉડવાના કારણે ગાયના પાછળના ભાગના જમણા પગે ગંભીર ઇજા થઈ હતી. તેની જાણ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં ડૉ.એઝાજ મેમણને કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ચકાસણી કરતા ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ડૉ. એઝાજ મેમણ અને ડ્રેસર બલભદ્રસિંહ દ્વારા ૩ કલાકની ભારે જહેમત બાદ સફળતા પૂર્વક ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ગાયનો જીવ બચાવવામાં આવ્યો હતો. ગાયને થયેલી ગંભીર ઇજા માટે નિ:શુલ્ક સારવાર કરવા બદલ પરીવારે પશુ હેલ્પ લાઇન ૧૯૬૨ અને સરકારનો આભાર માનતા જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારની ૧૯૬૨ન...

વડનગર ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહેસાણા મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એટલે જીવતદાનના મંત્ર સાથે અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત ન સર્જાય તેમજ માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટે તેવા શુભ આશયથી વડનગરમાં હોસ્પિટલ આયોજીત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવની સાથે માનવતા પૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે. તેમણે ઉમેર્યું હતુ કે વડનગર સહિત આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે માતા-મરણ અને બાળ મરણનુ મુખ્ય કારણ રક્તની અછત હોય છે,,આવા સમયમાં અંતરીયાળ વિસ્તારમાં સહેલાઇથી રક્ત મળી જાય તો માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો થશે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથ...

મહેસાણામાં સૌ પ્રથમ વાર યોગ અને નેચરોપેથી પરામર્શ શિબિર યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહેસાણા અટલ સ્પોર્ટ્સ સેન્ટર માં મહેસાણામાં સૌ પ્રથમ વાર યોગ અને નેચરોપેથી પરામર્શ શિબિર નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું જેમાં ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનના સભ્ય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કોચ શ્રીમતી જાનવીબેન મનસુરી તેમજ અજીતભાઈ પટેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટ દ્વારા આ શિબિરનું આયોજન કર્યું જેમાં યોગ અને નેચરોપેથી થી કેવી રીતે નીરોગી જીવન જીવી શકાય તે માટે નું જ્ઞાન આપવામાં આવ્યું જેમાં ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનના જનરલ સેક્રેટરી વિજય કુમાર શેઠ તથા અનિલભાઈ ત્રિવેદી જોન કોર્ડીએટર સૌરાષ્ટ્રઅને મહેસાણા શહેર વોર્ડના પ્રભારી ઈમ્તિયાઝ ભાઈ મન્સૂરી કે જેઓ ભાજપા સંગઠનમાં મહેસાણાના જિલ્લાના માઈનોરીટી પાંખ ના જિલ્લા મંત્રી પણ છે તેઓ હાજર રહ્યા અને નેચરોપેથી વિશે ખુબ જ સરસ માહિતી આપી. જેમાં મહેસાણાના એસ.પી અચલ ત્યાગી પણ હાજર રહી લોકોને યોગ ...

ભાવનગરના દિવ્યાંગ ખેલાડી અલ્પેશભાઈ સુતરીયા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર             ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સુતરીયા અભયપ્રસાદ સ્ટેડિયમ ઈન્દોર માં રમાયેલ નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાંથી અલ્પેશભાઈ સુતરીયાએ બ્રોન્ઝ મેડલ જીતીને ચાલુ વર્ષમાં બીજું મેડલ પ્રાપ્ત કર્યું છે અલ્પેશભાઈ ૮૦% દિવ્યાંગતા ધરાવે છે અગાઉ તેઓ ફેબ્રુઆરી માસમાં આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સિલ્વર જીત્યા પણ જીતી ચૂક્યા છે. ઈન્દોર ખાતે રમાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે આ ટૂર્નામેન્ટમાં ભારતમાંથી કુલ ૨૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ટેબલ ટેનિસ એસોસીએશન ઓફ ભારત સરકાર દ્વારા મધ્ય પ્રદેશ એસોસિએશન ના સ્પોન્સરશીપથી આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલ્પેશભાઈ કેટેગરી એમ એસ-૧ માં કુલ નવ પ્લેયર હતા તેઓની વચ્ચે લીગ મેચ રમાયેલી હતી. આ લીગમાં દરેક પ્લેરો સામે રમવાનું હતું જેમાં અલ્પેશભાઈ એ કુ...

ઉમરાળા માનવ સેવા હોસ્પિટલ ખાતે ટીબીનાં દર્દીઓને પોષણકિટનું વિતરણ કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ઉમરાળા તાલુકાનાં ટીમ્બી ગામે આવેલ માનવસેવા હોસ્પીટલ ખાતે ટીબી ના દર્દી ને ઉમરાળા તાલુકામાં ૩૩ પોષણ કીટનું વિતરણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં GIDC પુર્વ નિયામક પેથાભાઈ ડી.આહીર, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેદ્રભાઈ લખાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુઝાનસિંહ એમ.ગોહિલ, ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ પી.આહિર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ ટાંક, રોહિતભાઈ બગદરીયા, ટીમ્બી હોસ્પીટલના ટ્રસ્ટ્રી બી.એલ.રાજપરા અને પરેશભાઈ ડોડીયા તેમજ ટીમ્બી હોસ્પીટલના ડો.રાજપુરા તેમજ તાલુકા હેલ્થ ઓફીસર ડો.પી.એ.પઠાણ હાજર રહેલ....

ભાવનગર જિલ્લાના નોકરીદાતાઓ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી તકો મળે તેમજ નોકરીદાતાઓને કૂશળ માનવબળ મળી રહે તે હેતુસર અનુબંધમ પોર્ટલ: www.anubandham.gujarat.gov.in તેમજ એપ શરૂ કરવામાં આવેલ છે. જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રનાં નોકરીદાતાઓ એટલે કે કંપની/સંસ્થા/યુનિટ/એકમ/કચેરી પોતાની કક્ષાએ ઈન્ટરનેટનાં માધ્યમથી અનુબંધમ પોર્ટલની મુલાકાત લઈ સરળ સ્ટેપને અનુસરી જાતે જ નોકરીદાતા તરીકે નોંધણી કરાવી શકે છે. જે જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રનાં એકમની નોંધણી રોજગાર કચેરી ખાતે રોજગાર બજાર માહિતી એકમ હેઠળ કરાવેલ હોય તેને પણ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરવાની રહે છે. આ પોર્ટલ પર વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતાં રોજગારવાંચ્છુ ઉમેદવારો દ્વારા નોંધણી થતી હોય છે. જેથી આપની કંપની/સંસ્થા/એકમ ખાતે ઉપલબ્ધ જગ્યાઓ અનુબંધમ પોર્ટલ પર નોંધાવી જરૂરી કૂશળ માનબળ મેળવ...

સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પૂલ ખાતે ક્લોરીન ગેસ લીકેજ માટેની મોકડ્રીલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ           તા. ૧૬/૦૩/૨૦૨૩ ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પૂલ ખાતે ક્લોરીનનાં  સલામત ઉપયોગ માટે વોટર વર્કસ(પ્રોજેકટ) શાખા દ્વારા મોકડ્રીલ યોજવામાં આવેલ. જેમાં કેમિસ્ટ કે.કે.વ્યાસ, ના.કા.ઈ. કે.એલ.જોષી, મ.ઈ. ડી.બી.મોરી, ક્લોરીન એટેંડન્ટ દિપાલીબેન આર. બોરીચા, વર્ક આસીસટન્ટ એ.કે.તરાવીયા તથા ઓપરેટરીંગ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. ફાયરબ્રીગેડ તથા સંલગ્ન અધિકારીઓને જાણ કરતા કેમિસ્ટ અજયસિંહ જાડેજા, એચ.સી.નાગપરા તથા ફાયરબ્રીગેડના સ્ટેશન ઓફિસર આર.એ.જોબન, ફાયરમેન આર.સી.થોરીયા, ધ્રુવ એચ. .ત્રિવેદી વિ. તુરંત સ્થળ પર પહોચી સ્વિમિંગ પૂલ પર લીકેજ બંધ કરી પરીસ્થિતી પર કાબુ મેળવેલ. સમગ્ર ધટના અન્વયે એડી.સિટી ઇજનેર(ઇચા.) કે.પી.દેથરીયા તથા ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.           ક્લોરીન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે સહિત માર્ગ વિકાસના અન્ય પ્રોજેક્ટ્સ ના સુચારૂ અમલીકરણ માટે દિશાનિર્દેશો આપ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSRDC ને ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટસ ઝડપથી કાર્યરત થાય તેવા સમયબદ્ધ આયોજન માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC ની ૯૮મી બોર્ડ મિટીંગ ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ નિગમના ચેરમેન તરીકે GSRDC દ્વારા રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની તેમજ નવા પ્રોજેક્ટની અદ્યતન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં આ દિશાનિર્દેશો આપ્યા હતા. માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તથા GSRDCના મેનેજિંગ ડિરેકટર એ.કે. પટેલે મુખ્યમંત્રી સમક્ષ નિગમના વિવિધ પ્રોજેક્ટસ અને અન્ય કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં GSRDCને આવકના અન્ય સ્ત્રોત વિકસાવવા ઇનોવેટીવ ફાયનાન્સીંગ પર ઝોક આપવા પણ પ્રેરક સૂચન કર્ય...

ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ઇન્ડિકેટર્સના સુધારાત્મક પગલાં અંતર્ગત મનોમંથન અને પ્લાનિંગ વર્કશોપ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા આરોગ્યના ખૂબજ અગત્યના વિવિધ હેલ્થ ઇન્ડિકેટર્સના સુધારાત્મક પગલાં અંતર્ગત મનોમંથન અને પ્લાનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે તા: ૧૪ માર્ચ ના રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લાના અધિકારીઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર , એમ. પી. એચ. એસ. સ્ત્રી આરોગ્ય કાર્યકર , પુરુષ આરોગ્ય કાર્યકર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવીકા, સીડીપીઓ અને આશા બહેનો દ્વારા આરોગ્યના ખૂબ જ અગત્યના એવા હેલ્થ ઇન્ડિકેટર્સ - માતા મરણ, બાળમરણ, રસીકરણ, ઓછા વજનવાળા બાળકો, પાંડુરોગ ધરાવતી મહિલાઓ એપીડેમિક ને કારણે થતા મરણ, માનસિક આરોગ્ય, સગર્ભા અને બાળકોનું પોષણ, સેક્સ રેશિયો એટ બર્થ, બિનચેપી રોગો તેમજ કુટુંબ કલ્યા...

આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે આગામી તા. ૨૦ માર્ચના ના રોજ જીલ્લા નોડલ સંસ્થાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮(આઠ) પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તારીખ ૨૦/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર કરવાનું રેહશે. અને ભરતી મેળા ના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રેહવા જણાવવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવાર માટે ખાસ...