Tuesday, September 8News That Matters

Gujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર-સોમનાથ દ્વારા આણંદપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની  ઉજવણી કરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર-સોમનાથ અને અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આણંદપરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કેવીકેના પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત રમેશ રાઠોડ દ્વારા  શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને વિશ્વ પર્યાવરણ દિવસના મહત્વ વિશે વાત કરી હતી. આ તકે પ્રાકૃતિક ખેતી વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી તેમજ કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા જિતેન્દ્રસિંહે વૃક્ષોનું આપડા જીવનમાં મહત્વ અને ઘર આંગણે શાકભાજીનો બગીચો બનાવી તાજા શાકભાજી મેળવીને તંદુરસ્ત રહેવાની વાત કરી હતી ત્યારબાદ કેવીકેના પાક વિજ્ઞાન નિષ્ણાત શ્રી મનીષ બલદાણિયાએ ખરીફ ઋતુના મહત્વના પાકોની જાતો વિષે સવિસ્તારપૂર્વક માહિતી આપી હતી. કાર્યક્રમને અંતે ઉપસ્થિત સર્વેએ પર્યાવરણ બચાવવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી અને કેવીકે તરફથી ઉપસ્થિત સર્વોને ફળા...

હિમાચલ પ્રદેશમાં ૯૯.૮ % પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  ભાવનગર હિમાચલ પ્રદેશમાં અત્યારે ૯૯.૮ % પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી લીધી છે. આચાર્ય દેવવ્રતજી ગુજરાત પહેલાં હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ હતા, ત્યારે તેમણે ત્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જનજાગૃતિ અભિયાન આદર્યું હતું. એકેડેમી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, લખનૌ અને રાષ્ટ્રીય કૃષિ વિસ્તાર પ્રબંધન સંસ્થાન, હૈદરાબાદના તાજેતરના એક સર્વેક્ષણ રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી હિમાચલ પ્રદેશના ખેડૂતોના કૃષિ ઉત્પાદન ખર્ચમાં ૩૬ ટકાનો ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં ૮ ટકાની વૃદ્ધિ થઈ છે. ખેડૂતોને રાસાયણિક ખેતીની તુલનામાં ૨૮.૬ ટકા વધારે ફાયદો થઈ રહ્યો છે. ૭૫ % ખેડૂતો રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીને વધારે મહત્વ આપી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં બાગાયતી ખેતીમાં ફળ ઉત્પાદન કરતા ખેડૂતોનો પ્રાકૃતિક ખેતીથી ૨૧.૪૪ ટકા ચોખ્ખો નફો વધ્યો છે. ...

આગામી ખરીફ સીઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાતમાં મે-૨૦૨૩ સુધીમાં ૫ લાખ, ૩૭ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘર આંગણે જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે. આવો, આપણે ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ. પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રયત્નશીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આયોજિત સમીક્ષા બેઠકમાં કૃષિ વિભાગ અને આત્માના અધિકારીઓ સાથે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે. આ માટે ચાર-પાંચ ખેડૂતો ભેગા થઈને ગાય રાખે. રાજ્યની પાંજરાપોળ અને ગૌશાળાઓ પણ સારી ગુણવત્તાવાળું જીવામૃત અને ઘનજીવામૃત પૂરતા પ્રમાણમાં તૈયાર કરીને ખેડૂતો...

૭મી જૂન : પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ ના મંત્રને સાકાર કરતું ગુજરાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સ્વસ્થ શરીર માટે સલામત અને પૌષ્ટિક ખોરાક ખૂબ જ જરૂરી છે, આજના ભેળસેળ યુક્ત યુગમાં દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘે ૭ મી જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને ૭ જૂન, ૨૦૧૯ એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષે પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘ખાદ્ય ધોરણો જીવન બચાવે છે’ (Food Standards Save Lives)ની થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ સતત આગળ વધી રહ્યું છે. તીવ્ર ગતિએ વિકાસ પામી ભારત વિકસિત દેશોની હરોળમાં સામેલ થવા તરફ અગ્રેસર છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનેલ છે ત્યારે છેવાડાનો માનવી સ્વસ્થ રહે તે માટે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે. મુખ્ય...

વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી નિમિત્તે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે વૃક્ષારોપણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળના એન.એસ.એસ. વિભાગ તથા પર્યાવરણ સમિતિના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ યુનિવર્સિટીના પરિસરમાં રહેલા તમામ વૃક્ષોનું જતન અને સિંચન કરનાર એવા યુનિવર્સિટીના ૦૩ માળી ભાઈઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન તેમજ સંયોજન પર્યાવરણ સમિતિના સદસ્યઓ અને અધ્યક્ષ તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ.જયેશ મુંગરાએ કર્યું હતું. આ તકે યુનિવર્સિટીના કુલપતિ  પ્રો.લલિતકુમાર પટેલ, કુલસચિવ ડૉ.દશરથ જાદવ, એચ.કે.કોમર્સ કોલેજ અમદાવાદના પ્રિન્સિપાલ ડૉ.આશિષ દવે, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના ડિપાર્ટમેન્ટ ઓફિસર ડૉ.વૈશાલીબેન પઢિયાર તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ તેમજ કર્મચારીશ્રીઓની ઉપસ્થિતી રહી હતી....

‘રાષ્ટ્રને હરિત બનાવી વાતાવરણને આપીએ ઓક્સિજનની ભેટ’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાઉતે ચક્રવાતથી અસરગ્રસ્ત ગીર સોમનાથ જિલ્લામાં ૧૧ લાખ વૃક્ષારોપણનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનની કૃષિ અને જગતના તાત પ્રત્યેની સંવેદના અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ લાગણી અભિવ્યક્ત કરે છે. ઉપરાંત ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વમાં આભથી લઈ ધરા સુધી વાતાવરણમાં ફેરફાર માનવજીવનને પરેશાન કરી રહ્યાં છે. આ ગ્લોબલ વોર્મિંગના રાક્ષસને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ હેઠળ પર્યાવરણ ક્ષેત્રે શ્રી સોમનાથ ટ્રસ્ટ હરિત કામગીરી કરી 'ગ્રીન ગુજરાત' અન્વયે પોતાનો સિંહફાળો આપી રહ્યું છે. તજજ્ઞોના મતે સમગ્ર વિશ્વમાં આવતી આપત્તીઓના મૂળ કારણમાં ગ્લોબલ વોર્મિંગ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગ કુદરતી પર્યાવરણ અને માનવજીવન એમ બન્ને પાસા પર...

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગીર સોમનાથને હરીયાળું બનાવવા વન વિભાગ કટિબદ્ધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                 સમગ્ર મનુષ્યજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ, મૂલ્યવાન અને આવશ્યક છે. કારણ કે વૃક્ષો મનુષ્યને જીવન માટે ખોરાક અને ઓક્સિજન એમ બે આવશ્યક તત્વો પૂરા પાડ્યા છે અને  બીજા ઘણા નાના અને મોટા ફાયદાઓ છે જે આપણને ઝાડ માંથી મળે છે.  તેથી વૃક્ષ એ જીવંત વસ્તુઓના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ સંસાધન છે. તેથી સરકાર અને વિશ્વવ્યાપી અનેક સંસ્થાઓ વૃક્ષોનું પ્રમાણ વધારવા  માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે જેમા ગીર સોમનાથ વન વિભાગ દ્વારા ગીર સોમનાથને હરિયાળું બનાવવા માટે  દ્વારા વૃક્ષોનુ વાવેતર તેમજ સામાજિક વનીકરણ અંતર્ગત  વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવે છે. ગીર સોમનાથ વનવિભાગ દ્વારા  વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં ૨૬૨ હેક્ટરમાં ૨૫૬૦૦૦થી વધુ અને વર્ષ ૨૦૨૨ -૨૩માં ૨૦૨ હેકટરમાં ૧૯૭૦૦૦થી વધુ વૃક્ષોનુ વાવેતર કરાયું જેમાં વડ, પીપળ, અર્જુન સાદડ, ખાટી-આં...

ગીર સોમનાથમાં મૂળ દ્વારકાની સરકારી ‘ગ્રીન સ્કૂલ’માં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળે છે હરિત શિક્ષણ

Gujarat
વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ            ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા જ્યાંના પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ મધમધતા મોગરા અને કરેણની સુગંધ તમારા મન-મગજને પ્રફુલ્લિત કરી દે છે. જ્યાં જ્યાં પણ તમારી આંખ ફરે ત્યાં નજર સમક્ષ ખીલેલા લાલ-પીળા-ગુલાબી ફૂલ તરવરે. શાળાના સમગ્ર મેદાનમાં રહેલું લીલુછમ ઘાસ આંખને શાતા પહોંચાડે છે. કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાની સરકારી 'ગ્રીન સ્કૂલ'માં આ તમામ લાક્ષણિકતાઓ મળી આવે છે. આ શાળામાં 'શ્રમભક્તિ' દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખવાડાય છે. આ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળુ બનાવવાના લક્ષ્યમાં મૂળ દ્વારકાની આ સરકારી શાળા પણ પોતાનો ફાળો આપી રહી છે. ‘પર્યાવરણનું જતન, પ્રકૃતિન...
ભાવનગર જિલ્લામાં ગત વર્ષે સરસ્વતી સાધના યોજના અંતર્ગત કુલ ૬,૬૨૩ કન્યાઓને સાયકલ સહાય અપાઇ

ભાવનગર જિલ્લામાં ગત વર્ષે સરસ્વતી સાધના યોજના અંતર્ગત કુલ ૬,૬૨૩ કન્યાઓને સાયકલ સહાય અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર        આજના સમયમાં લોકોની જીવન શૈલી આરામદાયી બની છે. જે સ્વાસ્થ માટે હાનિકારક છે. ટેકનોલોજીના ઉપયોગ વધ્યો છે તો વાહનોનો ઉપયોગ પણ દિવસે દિવસે વધી રહ્યો છે તેનાથી સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે તેમજ બેઠાડું જીવનશૈલીને લીધે અનેક બીમારીઓ પણ ઘર કરી રહી છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોના ઉપયોગથી પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. શરીરને સ્વસ્થ રાખવા માટે સાયકલ ચલાવવી શ્રેષ્ઠ છે. સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ માટે દર ૩ જૂને વિશ્વ સાયકલ દિવસ જૂની ઉજવવામાં આવે છે. સ્કૂલે જતી કન્યાઓને શાળાએ જવામાં અગવડતા પડે નહીં એ હેતુથી સરસ્વતી સાધન સહાય યોજના હેઠળ સાયકલ આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં ધોરણ - ૯ માં પ્રવેશ મેળવતી કન્યાઓને વિકસતી જાતી કલ્યાણ ખાતા તરફથી વર્ષ -૨૦૨૨-૨૩ માં કુલ-૬૦૭૪ અને અનુસૂચિત જતી કલ્યાણ ખાતા દ્વારા એસ. સી. ની કન્યાઓને ૫૪૯ સાય...
સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાણંદ રાજ્ય સરકાર દ્વારા સ્ત્રીઓને રોજગારી પૂરી પાડીને પગભર બનાવવા માટે તથા સ્ત્રી સશકિતકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી છે. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM)અને મહિલા ઉત્કર્ષ યોજના આવી જ યોજનાઓ છે. રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓના સમૂહોને નાના નાના ગૃહ ઉદ્યોગો સ્થાપીને સ્વ રોજગારી માટે સખી મંડળોની રચના કરવામાં આવે છે, જેમને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ રીતે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. અમદાવાદના સાણંદ તાલુકાના વીંછિયા ગામનું આસ્થા સખી મંડળ આવું જ એક મંડળ છે. 10 બહેનોનું આ સખી મંડળ જૂથ બચત કરે છે અને ભરત ગૂંથણને લગતી કામગીરી સાથે સંકળાયેલું છે. રાજ્ય સરકાર દ્વારા જૂથની બચતના ત્રણ માસ બાદ ₹10,000 રિવોલ્વિંગ ફંડ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાંથી આંતરિક ધિરાણ લઈને સખી મંડળની બહેનો તોરણ અને ટોડલાનું ભરત ગૂંથણનું કામ કરે છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ...