પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ
ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં કપાસનું એક મુખ્ય સ્થાન છે, જેને "સફેદ સોનું" પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે, પરંતુ શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને, જમીનમાં સેન્દ્રિય કાર્બન ઓછો હોવાથી પાક પર રોગ અને જીવાત આવી શકે છે. તો ચાલો જાણીએ, આ પરિસ્થિતિમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર, કઈ રીતે ઘરગથ્થુ ઉપચારથી પાકનું રક્ષણ કેવી રીતે કરવું.
નવા ખેડૂતો માટે પડકારો અને તેના નિવારણ:
શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીમાં આવતા ખેડૂતોને પાક પર રોગ-જીવાતનો હુમલો વધારે જોવા મળી શકે છે. આના નિયંત્રણ માટે, ખેડૂતો નિમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અને અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી શકે છે. આ જંતુરોધકો બનાવવા માટે, લીમડો, ધતુરો, આંકડો, ગળો, અને સીતાફળી જેવી વનસ્પતિઓને ગૌમૂત્રમાં ભેળવીને ઉપયોગ...








