Tuesday, February 17News That Matters

Author: Admin Admin

 નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં ગુજરાત દેશનુ વિકાસ મોડેલ કેવી રીતે બન્યું

 નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં ગુજરાત દેશનુ વિકાસ મોડેલ કેવી રીતે બન્યું

Gujarat
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગુજરાતની અને ગુજરાતના વિકાસની આજે સમગ્ર ભારતવર્ષમાં જ નહીં, દુનિયાભરના વિકાસ ઝંખતા દેશોમાં પણ ચર્ચા છે. ગાંધી અને સરદાર તથા ઈન્દુચાચા અને રવિશંકર મહારાજ વિના આ વાત અધૂરી ગણાય. એમાં હવે દબદબાભેર એક નામ ઉમેરવું જ પડે, શ્રી નરેન્દ્રભાઈ મોદીનું. એમના નામનો ઉલ્લેખ કર્યા વિના ગુજરાતના વિકાસની વાત અધુરી જ લાગે. ગુજરાત પ્રદેશ તો સદીઓથી છે, પરંતુ સને ૧૯૬૦ના સ્થાપનાકાળથી આપણે જોતા આવ્યા છીએ કે, પાછલા ૧૨ વર્ષોમાં ગુજરાતે જે પ્રતિષ્ઠા, સાખ, આબરુ અને નામના અંકે કરી છે એવી આ ૧૨ વર્ષ પૂર્વેનાં ૪૦ વર્ષોમાં ક્યારેય પ્રાપ્ત થઈ નથી. આ નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનનો જાદુ છે. ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી તરીકે સતત અને એકધારા ૧૩ વર્ષથી શાસન કરી રહેલા આ લોકપ્રિય નેતાએ માત્ર ગુજરાતીઓ જ નહીં, દેશવાસીઓનાં દિલોમાં પણ સ્થાન મેળવ્યું છે. એમના ચાહકો તો દુનિયાભરના દેશોમાં પથરાયેલા છે. તા...

એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત કવાંટ અને નસવાડી તાલુકાના વિકાસ માટે ખાસ આયોજન હેઠળ કામ કરાશે

Gujarat
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ભારત સરકારના નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ કાર્યક્રમ અંતર્ગત વિકસિત થનારા તાલુકાઓ તરીકે વેગવાન બનાવવા માટે વિશેષ ભાર મૂકાઈ રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક તરીકે નસવાડી અને કવાંટ તાલુકાઓને ગુજરાતના અન્ય ૧૩ તાલુકાઓ સાથે એબીપી કેટેગરીમાં લેવામાં આવ્યા છે. આવા તાલુકા ભારતમાં કૂલ ૫૦૦ જેટલા છે જેને અન્ય તાલુકાઓની સમાન કક્ષામાં લાવવા માટે ખાસ આયોજન પૂર્વક રણનીતિ બનાવવામાં આવી છે.                  એબીપી હેઠળ આજે જીલ્લા સેવા સદન ખાતે વીસી હોલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી મનીષા ચન્દ્રા, કમિશનર, ગ્રામીણ વિકાસ વિભાગ અને સેક્રેટરી પંચાયત ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ, સચિવાલય તેમજ કે.કે નિરાલા, કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સેક્રેટરી બાળ વિકાસ વિભાગ, સચિવાલયના સંયુક્ત અધ્યક્ષસ્...
ગીર-સોમનાથ જિલ્લાની આઈ. સી. ડી.એસ. શાખાના તમામ ઘટકોમાં ‘સ્વચ્છતા હી સેવા’અભિયાનની થઈ ઉજવણી

ગીર-સોમનાથ જિલ્લાની આઈ. સી. ડી.એસ. શાખાના તમામ ઘટકોમાં ‘સ્વચ્છતા હી સેવા’અભિયાનની થઈ ઉજવણી

Gujarat
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ        'સ્વચ્છતા હી સેવા' કેમ્પેઈનના ભાગરૂપે 'એક તારીખ, એક કલાક' થીમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના આઈ. સી. ડી.એસ. શાખાના તમામ ઘટકોએ અને ડાભોર, કોડીનાર સહિત સમગ્ર જિલ્લાની અનેકવિધ આંગણવાડીઓમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી કરવામાં આંવી હતી જેમા આજોઠા, ડાભોર, કોડીનાર, ઈશ્વરીયા, સહિત જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્ર ખાતે આ સફાઈ અભિયાનમાં આંગણવાડીની બહેનો સહિતના લોકોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છતા કરી હતી....

‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય ત્રિપુટી, જી.પ. પ્રમુખ સહિત જિલ્લાના નાગરિકો શ્રમદાનમાં સહયોગી બન્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર      'સ્વચ્છતા હી સેવા' ની એક માસની ઉજવણી અન્વયે માન.વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ 'એક તારીખ, એક કલાક મહા શ્રમદાન' સૂત્ર સાથે આજે સવારે ૧૦-૦૦ કલાકે સાંસદ સભ્ય લોકસભા શ્રીમતિ ગીતાબેન રાઠવા તેમજ તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ અને સરપંચ તેમજ ઉપસરપંચ, સભ્યો, ગ્રામજનો ની હાજરીમાં આજરોજ કવાંટ તાલુકાના વિવિધ જાહેર માર્ગો પર શ્રમદાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે વાસણામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા. જેમાં જાહેર માર્ગોની સફાઈની સાથે સાથે દુકાનદારોને કચરાપેટી નું વિતરણ પણ કરવામાં આવ્યું. આ ઊપરાંત સ્વયંસેવકો, જાગૃત પ્રજાજનો અને અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ સાથે સ્વયં સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈ શ્રમદાનમાં સહયોગી બન્યા હતા. જ્યારે માનનીય ધા...
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨ જી ઓક્ટોબર “ગાંધી જયંતિ” નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨ જી ઓક્ટોબર “ગાંધી જયંતિ” નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ      ૨ જી ઓક્ટોબર “ગાંધી જયંતિ” નિમિતે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના સંયુક્ત ઉપક્રમે “ગાંધી ધૂન” કાર્યક્રમ યોજાશે. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતુ મ્યુઝીયમ બનાવવામાં આવેલ છે. આ મ્યુઝીયમમાંગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત દર્શાવામાં આવેલ છે. આ મ્યુઝીયમનું આપણા દેશના વડાપ્રધાન માન.નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા.૦૧/૧૦/૨૦૧૮ના રોજ મુલાકાત માટે ખુલ્લુ મુકવામાં આવેલ.મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં મ્યુઝીયમ ઉપરાંત વિવ...
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં “શ્રી ગણેશ મહાયજ્ઞ”નો પવિત્ર વાતાવરણમાં પ્રારંભ

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં “શ્રી ગણેશ મહાયજ્ઞ”નો પવિત્ર વાતાવરણમાં પ્રારંભ

Gujarat
હિન્દ ન્યુઝ, સોમનાથ      શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન અને શ્રી ગણેશ મહાયજ્ઞનું વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન થી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત શ્રી ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે. સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં ઉતરાર્ધમાં પ્રભાસતીર્થમાં મહાવીનાયકી યજ્ઞનો ઉલ્લેખ છે જે યજ્ઞ કરવાથી શાંતિ કલ્યાણ અને ઉત્કર્ષના આશીર્વાદ સાક્ષાત શ્રી ગણેશ આપે છે. ભાદરવા માસની નવરાત્રીને ગણેશ નૌરાત્ર તરીકે ...

રાજકોટ જીવનનગર કા વિઘ્નહર્તા મહાઆરતીમાં પદાધિકારીઓએ ભાગ લીધો

Gujarat
હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ ખાતે જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ગણેશજીની મહાઆરતીમાં ભા.જ.પ. ના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. જીવનનગરની અસાધારણ પ્રગતિમાં સામુહિક અંકતા કારણભૂત છે તેવો વિચાર પ્રગટ કર્યો હતો. મહોત્સવ દિપ પ્રાગ્ટય ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે કરી જણાવ્યું કે રાજકોટમાં જીવનનગર સમિતિ છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત છે. અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. રહીશોની એકતાને વંદન કરું છું. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે જીવનનગર સમિતિ સર્વાંગી પ્રવૃત્તિઓનું સ્તોત્ર છે. જીવનનગરના આયોજનમાં ભાગ લેવો ગૌરવ છે. ભગવાનની કૃપા માનવ જાત ઉપર કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી. મહાઆરતીમાં ધારાસભ્ય ડૉ. દિર્શતાબેન શાહ, શાસક પાના નેતા લીલુબેન જાદવ, છગનભાઈ જાદવ, નગરસેવકો ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડના પ્રભારી...
આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ સંકુલમાં નીકળેલ મહાકાય અજગર ઝૂ શાખાએ પકડી કુદરતી રક્ષીત વિસ્તારમાં મુક્ત કરવા માટે વન વિભાગને સુપ્રત કર્યો

આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ સંકુલમાં નીકળેલ મહાકાય અજગર ઝૂ શાખાએ પકડી કુદરતી રક્ષીત વિસ્તારમાં મુક્ત કરવા માટે વન વિભાગને સુપ્રત કર્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ       રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આજીડેમ ફિલ્ટર પ્લાન્ટ ખાતેના પંપ હાઉસની ઓરડીની અંદર ગત તા.૨૪/૦૯/૨૦૨૩ના રોજ રાત્રીના અંદાજે ૯.૦૦ કલાકે ફરજ પરના કર્મચારીઓ દ્વારા કાય અજગર જોવા મળતા તેઓએ તેમના ઉપલા અધીકારીને અજગર હોવાની જાણ કરેલ અધીકારી દ્વારા તુરંત ઝૂ શાખાના ઝૂ સુપ્રિટી ડેનન્ટને ઘટનાની જ કરાતાં સુરત જ ઝૂ શાખાના અનુભવી એનીમલ કિપરની ટીમને સ્થળ પર મોકલવામાં આવેલ ખનીમલ કિપર તથા વેટરનરી આસિસ્ટન્ટ દ્વરા સ્થળ નપામ કરતા પંપ હાઉસની ઓરડીની અંદર ખુબ જ વિશાળ કદનો અંદાજ ૧૫ થી ૧૬ ફૂટની અજગર જોવા મળેલ. આ પંપ હાલમની ઓરડીમાં વાયરીંગ પસાર કરવા માટે ગટર બનાવવામાં આવેલ હોવાથી અજગર ગટરમાં જતો રહેતા તેમજ બટપટી જગ્યાના કારણે મહામહેનતે ૧,૫ કલાકની જહેમતનાં અંતે અજગરને સહી સલામત બહાર કાફી પકડવામાં આવેલ. લેટરનેરી ઓફીસર દ્વારા આ અજગરનું નીરીક્ષણ કરાતા અજગર ૧૫૫ ફૂટ લંબાઇ તથા માદા જાત...
વડાપ્રધાનના આગમન ને લઈને વહીવટી તંત્રની મેરેથોન તૈયારી

વડાપ્રધાનના આગમન ને લઈને વહીવટી તંત્રની મેરેથોન તૈયારી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર       પ્રધાનમંત્રીના બોડેલી મુલાકાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જીલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. આજરોજ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ એસપીજીની ટીમે સુરક્ષાની બાગડોર સાંભળી લીધી હતી. એસપીજી-આઈજી શિવમકુમાર અને પૃથ્વીસિંહ પવાર તેમજ તેમની ટીમે સભા સ્થળ અને હેલીપેડ નિરીક્ષણ, ચકાસણી કરી, એસપીજી તેમજ છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની સંયુક્ત અધ્યક્ષતામાં વહીવટીતંત્ર, હુકમ થયેલા અધિકારીઓ અને ફરજ સોપાઈ હોય તે કચેરીના અધિકારી સાથે ખાસ બેઠક યોજી એએસએલ (એડવાન્સ સિક્યોરીટી લાઈઝન) યોજી હતી. જેમાં પ્રધાનમંત્રીશ્રીની વિઝીટમાં કોઈ ચૂક ન રહે તેની તકેદારી રાખવામાં આવી હતી. તા. ૨૭/૦૯/૨૦૨, બુધવારના દિવસે અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હેલીકોપ્ટર મારફત બપોરે ૧૨.૩૦ કલાકે બોડેલી સેવા સદન પાછળ બનાવેલા હેલીપેડ પર ઉતરાણ કરશે અને જીલ્લાની જનમેદનીને બાજુમાં...
શ્રી સોમનાથ તીર્થમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું ૧૨મુ ચરણ

શ્રી સોમનાથ તીર્થમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું ૧૨મુ ચરણ

Gujarat
હિન્દ ન્યુઝ, રાજકોટ      ભાદરવા માસમાં પવિત્ર ગણેશ નૌરાત્રમાં સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઅનુષ્ઠાનનું ૧૨ મુ ચરણ આજે સંપન્ન થયું હતું. જેમાં ૧૧,૦૦૦ જેટલા ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન વિશ્વ કલ્યાણ ના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓ દ્વારા ચરણ અનુસાર ગણપતિ અથર્વશીર્ષ ના પાઠ કરવામાં આવી ર...