Tuesday, February 17News That Matters

Author: Admin Admin

સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન

સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ        ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજ્યના તમામ નાગરિકોની સભાન ભાગીદારી કેળવવા અને ગુજરાત રાજ્યને સ્વચ્છતા બાબતે દેશમાં એક મોડલ રાજ્ય બનાવવા તા.૨૫/૧૨/૨૦૨૩ સુશાસન દિવસે માન. મુખ્યમંત્રી દ્વારા “નિર્મળ ગુજરાત ૨.૦” લોન્ચ કરવામાં આવેલ છે. સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉપલક્ષમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સુત્રને સાર્થક કરવા સારૂ જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તારીખ ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ શહેરી વિસ્તારના ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વે...
ડાંગ જિલ્લામાં તા.૮મી ફેબ્રુઆરીથી પ્રારંભાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨’ એ જિલ્લાની ૩૬ ગ્રામ પંચાયતોને લાભાન્વિત કર્યા

ડાંગ જિલ્લામાં તા.૮મી ફેબ્રુઆરીથી પ્રારંભાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨’ એ જિલ્લાની ૩૬ ગ્રામ પંચાયતોને લાભાન્વિત કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ     દેશભરમાં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો અને તેની જાણકારી વંચિતો સુધી પહોંચાડવાના હેતુથી એક અભૂતપૂર્વ પહેલ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગત તા.૧૫મી નવેમ્બર ને 'જનજાતીય ગૌરવ દિવસ'થી ઝારખંડના ખૂંટીથી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ની શરૂઆત કરી છે. સરકારની મુખ્ય યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરી તેમને સશક્ત બનાવવા માટે આરંભાયેલી આ યાત્રાનો હેતુ, વ્યાપક જનજાગૃતિ લાવવા સાથે કલ્યાણ કાર્યક્રમોનો લાભ સીધો લોકો સુધી પહોંચાડવાનો છે. સરકારની વિવિધ યોજનાઓનો સંદેશ લઈને ખાસ તૈયાર કરાયેલી આઈ.ઈ.સી. વાનના સાન્નિધ્યે, અનેકવિધ યોજનાકીય લાભો એનાયત કરવા સાથે, પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી, આરોગ્ય કેમ્પ, પશુ મેળાઓ, માહિતીપ્રદ સ્ટોલ્સ નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે જનજાગૃતિ કાર્યક્રમો, વડાપ્રધાનના ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને દર્શાવતી ફિલ્મનું નિદર્શન, પ્રાકૃતિક...
જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ

જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ

Gujarat
જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ જામનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની બહેનોની (તરણ) સ્વિમિંગ સ્પર્ધા જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ-અલગ 6 એજ ગ્રુપ કેટેગરીમાંથી 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર કુલદીપભાઈ જાની, ભગીરથસિંહ, હાર્દિકભાઈ જોશી અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું....
ભાવનગર જિલ્લામાં આઠ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસોનાં ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે

ભાવનગર જિલ્લામાં આઠ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસોનાં ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસોનું તા.૧૦મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨.૦૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કરાશે. જેનાં ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લામાં આઠ વિધાનસભા બેઠકો ખાતે આવાસોનાં ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે. જેનાં સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર આર.કે.મહેતાનાં અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી. જિલ્લા કલેકટર એ બેઠકમાં કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, બેઠક વ્યવસ્થા, લોકોને વાહનો દ્વારા લાવવા અને લઈ જવાની વ્યવસ્થા, ફૂડ પેકેટ, પીવાનાં પાણીની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા સહિતની કામગીરી કરાવવા કલેક્ટરશ્રીએ સંબધિત અધિકારીઓને રચનાત્મક સૂચનાઓ કર્યાં હતાં.જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી જયશ્રીબેન જરૂએ કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી સુચનો સા...
છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને એનડીઆરએફની ટીમે સાત પશુપાલકોને નવજીવન આપ્યુ

છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને એનડીઆરએફની ટીમે સાત પશુપાલકોને નવજીવન આપ્યુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર  છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ સંલગ્ન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા તળાવમાં ડૂબતા સાત પશુપાલકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ભારે વરસાદ થતા સ્થાનિક ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે તળાવમાં અચાનક પાણી વધતા સાત પશુપાલકો પાણીના વહેણમાં ફસાયા હતા. સ્થાનિકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે છોટાઉદેપુર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ શ્રી યુવરાજ ગોહિલના નેતૃત્વમાં એક્શન મોડમાં ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું. ફાયર બ્રિગેડની ટીમે ૩ પશુપાલકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી સુરક્ષીત બહાર કાઢયા હતા.પરિસ્થિતી વધુ ગંભીર બનતા તેઓએ NDRF મદદ માટે જાણ કરવા ...
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત નૈસર્ગિક ટ્રસ્ટ, પાલનપુર દ્વારા માર્ગ સલામતી જાગૃતતા કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત નૈસર્ગિક ટ્રસ્ટ, પાલનપુર દ્વારા માર્ગ સલામતી જાગૃતતા કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ      ભારત સરકાર દ્વારા લોકોમાં માર્ગ સલામતી વિષે જાણકારી આવે તેમજ લોકો માર્ગ અકસ્માતથી બચે તે હેતુથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તારીખ ૧૫ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ઉજવવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત શાળાના બાળકોમાં પાયાના સ્તરેથી જ માર્ગ સલામતી વિશે જાણકારી મળે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તેવા ઉમદા હેતુથી નૈસર્ગિક ટ્રસ્ટ, પાલનપુર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વેક્રરી, તાલુકો દાંતા ખાતે માર્ગ સલામતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં માર્ગ ઉપર પહોંચ્યા પહેલા કેવી રીતે અકસ્માત અટકાવી શકાય તે હેતુથી સ્ટોપ એક્સીડન્ટ બીફોર ટ્રાવેલોંગ ઓન રોડ, માર્ગ સલામતી અંગે બાળકોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોને રોડ સાઇન, હેલ્મેટ, સીટબેલ્ટનું મહત્વ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ, ઓવર સ્પીડીગ, ઓવરલોડિંગ, વાહન ચલાવતા સમયે શું શું કાળજી ...
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો અંગે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો અંગે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ 'પ્રધાનમંત્રી આવાસ યોજના' ના ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ઇણાજ ખાતે આજે એક બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યવ્યાપી યોજાનાર આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે. બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરવાના છે. જે અંતર્ગત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં જે તે જિલ્લાના લોકો સહભાગી થશે. અંગેના આયોજન અંગેની બેઠકમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું સુચારું અને સુનિયોજીત આયોજન થાય તે તે અંગેની ચર્ચા વિચારણા કરી આયોજનમાં કોઈ કચાસ ના રહી જાય તેની ઝીણામાં ઝીણી બાબતોની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી....
નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૪માં બ્રોન્ઝ મેડલ મેળવતી મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની

નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૪માં બ્રોન્ઝ મેડલ મેળવતી મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની મોડલ સ્કૂલ ઈણાજની ધોરણ ૧૦ની વિદ્યાર્થીની દક્ષાબેન ધાનાભાઈ ગળચરે નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૦૨૪ (SGFI)માં ભાગ લીધો હતો. ઝારખંડના રાંચી ખાતે યોજાયેલી વુશુ અંડર-૧૭ (બહેનો)ની નેશનલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતાં દક્ષાબહેને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ દક્ષાબહેન ધાનાભાઈ ગળચરને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા અને મોડલ સ્કૂલ ઈણાજના આચાર્ય અલ્પાબેન તારપરાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં અને સાથે જ ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી....
ફૂડ પ્રોસેસિંગ પ્રત્સાહક યોજના અંતર્ગત જબુગામ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

ફૂડ પ્રોસેસિંગ પ્રત્સાહક યોજના અંતર્ગત જબુગામ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર       પ્રધાનમંત્રી ફાર્મલાઈઝેશન ઓફ ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહન યોજના અંતર્ગત જબુગામ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેતીવાડી ખાતાના વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક, આત્મા પ્રોજેક્ટ ફિલ્ડ સ્ટાફ તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સખી મંડળના વિવિધ જૂથોને ફૂડ પ્રોસેસિંગ યોજનામાં લાભ લેવા માટે સમજ આપવામાં આવી હતી તેમજ આ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામ દીઠ ૧૦ થી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે તમામ લોકોને તેમજ દરેક ગામમાં આવી યોજનાનો પ્રચાર-પ્રસાર થાય તે માટે જીલ્લા ખેતીવાડી અધિકારીને સૂચનો કરવામાં આવ્યા હતા.  યોજનાનો લાભ લેવા માટે તમામ સ્ટાફને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના પ્રતિનિધિ નીરવભાઈ પટેલ મારફત આવેલ તમામને આ યોજનાનો લાભ ખેડૂત કઈ રીતે લઇ શકે તે માટે છણાવટપૂર્વક વિગતો સમજાવવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા કલેકટર અ...
જામનગર (ગ્રામ્ય) તાલુકામાં આગામી તા.24 જાન્યુઆરીના ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

જામનગર (ગ્રામ્ય) તાલુકામાં આગામી તા.24 જાન્યુઆરીના ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર 'સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, જામનગર (ગ્રામ્ય) તાલુકામાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા.24 જાન્યુઆરીના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીએ જાતે હાજર થવાનું રહેશે. તેમના પ્રતિનિધીને હાજર રાખી શકાશે નહિ. જેથી, અરજદારોએ આગામી તા.12 જાન્યુઆરી સુધીમાં 'તાલુકા સ્વાગત કાર્યક્રમ'ના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/ અરજી જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરી, મહેસુલ સેવા સદન, શરૂ સે...