Tuesday, February 17News That Matters

Author: Admin Admin

કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્‍લા બહારના ડ્રાયવરો કિલનરની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકશે નહીં

Gujarat
ભુજ           જિલ્‍લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજ્ય અને જિલ્‍લા બહારથી આવતા અસામાજિક તત્‍વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્‍ધ બને તે માટે કચ્‍છ જિલ્‍લામાં કાર્યરત તમામ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવર, કિલનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં આપવા જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા જાહેરનામામાં જણાવાયું છે અને આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.         જાહેરનામા મુજબ દરેક ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાયવરો/કલીનરોની વિગત સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં ડીટેઇલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની રહેશે. ત્‍યારબાદ વણ નોંધાયેલ ડ્રાયવર/કલીનરો કામગીરી કરી શકશે નહીં. આ હુકમમાં વધુમાં જણાવ્‍યા અનુસાર કામે રાખેલા રાજ્ય બહારના ડ્રાયવર/કલીનર પૈકી કોઇ છૂટા થાય તો ત...

ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ               રાજ્ય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસૂલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં-જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે.                  ટોલ પ્‍લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલા છે. આ ગામોના લોકો કોર્મશિયલ વાહનો ધરાવે છે. આવા વાહન ધારકો રાજ્ય સરકારના ઉપ...

કચ્છમાં તા.૦૮ ડિસેમ્બરના રોજ પોલીયો રવિવાર અંતર્ગત સઘન પલ્સ પોલીયો કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાત , ભુજ તા.૮ ડીસેમ્બર ૨૦૨૪ રવિવારના યોજાનાર પોલીયો રવિવાર સઘન પલ્‍સ પોલીયો કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના કુલ ૪૬૫૯૬૯ ઘરોના ૦ થી ૫ વર્ષના અંદાજિત ૩૨૦૯૬૨ બાળકોને આવરી લેવામાં આવશે. જે માટે જિલ્‍લા આરોગ્‍ય શાખા તરફથી પોલીયોના ૧૩૫૪ બુથોનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં જિલ્‍લા બહારથી આવતાં પ્રવાસી બાળકો માટે પણ હાઈવે, બસ સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન ખાતે પણ ૬૧ ટ્રાન્ઝિટ પોલીયો બુથો તેમજ ૨૭૦૮ ટીમ આ સાથે ૧૭૬ મોબાઈલ ટીમ રાખવામાં આવી છે. સોમવારે અને મંગળવારે ઘર-ઘર રસીકરણની કામગીરી તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવશે. આ કામગીરીમાં આરોગ્‍ય શાખા, આઈ.સી.ડી.એસ. શાખા તેમજ વિવિધ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સહયોગ આપવામાં આવનારો છે. તા.૩૦/૧૧/૨૦૨૪ના રોજ જિલ્લાકક્ષાએ સઘન પલ્સ પોલીયો અંતર્ગત વકર્શોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો દરેક તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પલ્સ પોલીયોનો તાલીમ ...

કચ્છના માનવ વસાહત રહીત ૨૧ ટાપુઓ/રોક (ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ ટાપુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા નાયબ પોલીસ મહાનિરીક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામ તરફથી દરખાસ્ત રજૂ થતાં પ્રતિબંધાત્...

ઉચ્ચઅભ્યાસ બાદ ખેતી કરીને ગાંધીધામના વરૂણ શર્માએ અન્ય યુવાઓ માટે ચીંધ્યો નવો માર્ગ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભુજ એમબીએ સુધીનો અભ્યાસ કરેલ ગાંધીધામનો નવયુવાન ચુબડક ગામમાં પ્રાકૃતિક ખેતી કરી ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી નોંધપાત્ર આવક મેળવી રહ્યો છે. આજે જ્યારે યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી ખેતીથી વિખુમ થઇ રહ્યા છે ત્યારે ગાંધીધામના વરૂણ વિનોદ શર્માએ સફળ પ્રાકૃતિક ખેતી કરવાના સપનાને સાકાર કર્યું છે. પોતાના ખેતી કરવાના વિચારને અમલી કરવા જમીન ખરીદ કરી ખેતીના પાઠ ભણી હાલ તેઓ ખેતીમાં પારંગત બની ચુ્ક્યા છે. આજે તેઓ રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી સાથે એગ્રો બિઝેનસ કરીને નવું સિમાચિહ્ન બનાવ્યું છે. ૫૪ ગાયોના જતન સાથે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા વરૂણભાઇ જણાવે છે કે, વર્ષ ૨૦૦૯માં ખેતીવાડી કરવાનો વિચાર આવતા ચુબડક ગામમાં બધા ભાઇઓએ મળીને જમીન ખરીદી કરી હતી. શરૂઆતમાં ખેતી વિષયક જ્ઞાન ન હોવાથી આજુબાજુના ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ અને માર્ગદર્શન લઈ યુરીયા, ડી.એ.પી., પોટાશ, ઝીંક, સલ્ફર જેવા ...

ખેડૂતો માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર-ટ્રેલર તથા સોલાર પાવર યુનિટ/કીટની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  ભુજ                 વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર-ટ્રેલર ઘટક, સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે Ikhedut portal પર ઓનલાઈન અરજીઓ માટે તા. ૦૫/૧૨/૨૦૨૪ થી સ્વીકારવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે.           આ અંગે વધુ જાણકારી મેળવવા આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે...
ખાવડા-પચ્છમના ખેડૂતોએ વિભાગીય સંશોધન કેન્દ્ર કોઠારા ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ અંગે તાલીમ મેળવી

ખાવડા-પચ્છમના ખેડૂતોએ વિભાગીય સંશોધન કેન્દ્ર કોઠારા ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ અંગે તાલીમ મેળવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         કચ્છનો ખાવડા વિસ્તાર સુકા હવામાનનો પ્રદેશ છે. સ્થાનિકો વરસાદ આધારિત ખેતી અને પશુપાલન ઉપર નભે છે. ત્યારે ખેતી આધારિત આવકના અન્ય વિકલ્પો જેવા કે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ એ સમયની માંગ છે. આ વિષયો ઉપર સ્થાનિક ખેડૂતોને એગ્રોસેલ ફાઉન્ડેશન અને શ્રી વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ, માંડવી દ્વારા સતત શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ જ કાર્યક્રમોની શ્રેણીના એક ભાગ તરીકે કિશાનો માટે વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કોઠારા ખાતે બે દિવસીય તાલીમ કમ પ્રેરણા પ્રવાસ આયોજિત કરવામાં આવ્યો હતો.                આ તાલીમમાં સંસ્થાના કાર્યકરોની ટીમ સાથે ખાવડા-પચ્છમના ખેડૂતો સામેલ થયા હતા. આ સંશોધન કેન્દ્ર સૂકી ખેતીના પાકો ઉપર સંશોધનની કામગીરી કરે છે. કેન્દ્રના વડા ડૉ. દિનેશ પટેલે મીલેટનું મહત્વ સમજાવી ત...
કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ

કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, રાજકોટ            રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા ઉપસ્થિત સૌને શ્રી અન્નનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી.       ખેતીમાં મૂલ્યવર્ધન થકી ખેડૂતો નામના સાથે નાણા પણ મેળવી શકે તેનું ઉદાહરણ આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે કોટડાસાંગાણી પંથકના વિવિધ ફ્લેવરવાળા ગોળ ગાંધીનગર સુધી જાણીતા બન્યા છે. કોટડા સાંગાણીથી દેવળીયાનો રસ્તો રૂ. ૩ કરોડના ખર્ચે મંજુર કરાયો છે. ઉપરાંત રીબડા નારણકા વાળા રોડનું રૂ. ૨૩ કરોડ ૬૫ લાખના ખર્ચે વાઈડનીંગ કરવામાં આવશે. કોટડાસાંગાણી પડવલાનો રોડ પણ ૩૨ કરોડના ખર્ચે બનાવવામાં આવશે....
જન-જનનું રાખો ધ્યાન, ટીબીમુક્ત ભારત અભિયાન

જન-જનનું રાખો ધ્યાન, ટીબીમુક્ત ભારત અભિયાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, બોટાદ બોટાદમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ટીબી નિર્મૂલન 100 દિવસ સઘન ટીબી કેમ્પેઈનનો શુભારંભ સમારોહ યોજાયો - વહેલા જાગ્યા એ જ જીવનમાં જીત્યા છે સઘન ટીબી કેમ્પેઈન કાર્યક્રમનો ઉદ્દેશ ટીબીના દર્દીઓને શોધી કાઢવા, તેમનું નિદાન અને ઉપચાર કરવાનો, ટીબીના દર્દીઓએ ચોક્કસ પણે 6 મહિના સુધી દવાઓ અને યોગ્ય દેખરેખ રાખવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારશ્રીના સતત પ્રયાસોની ફળશ્રૃતિરૂપે આજે રાજ્યમાં શ્રેષ્ઠ મેડીકલ સારવાર ઉપલબ્ધ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લીલી ઝંડી આપી નિક્ષય વાનનું પ્રસ્થાન કરાવ્યું...
ભુજ ખાતે “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે “વિકાસ સૌરભ” પુસ્તિકાનું વિમોચન

ભુજ ખાતે “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે “વિકાસ સૌરભ” પુસ્તિકાનું વિમોચન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ      ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ભુજ ટાઉનહોલ ખાતે આયોજીત કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લોન/સહાય વિતરણના “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીના હસ્તે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી “વિકાસ સૌરભ” વંચિતોના વિકાસ યોજનાકીય સંપુટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.      વંચિતોના સાતત્યપૂર્ણ ૩૬૦ ડિગ્રી વિકાસના નિર્ધાર સાથે કાર્ય કરતી રાજ્ય સરકારની અનુસૂચિત જાતિના વિકાસ માટે અમલી કરાયેલી શૈક્ષણિક, આવાસકીય, સામાજિક, આર્થિક અને આરોગ્યલક્ષી જેવી તમામ યોજનાઓની આવશ્યક માહિતીનો “વિકાસ સૌરભ” પુસ્તિકામાં સમન્વય છે. ડો.બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિને વિમોચન કરાયેલી “વિકાસ સૌરભ” પુસ્તિકાના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા અમલી કરાયેલી યોજનાઓની માહિતીની પહોંચ વધુમાં...