Tuesday, February 17News That Matters

Author: Admin Admin

બારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો: કૃષિ ઉત્પાદનને વધારતી નવીન કૃષિ પદ્ધતિઓ અને તકનીકો વિષે ખેડૂતોને માહિતગાર કરાયા

બારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો: કૃષિ ઉત્પાદનને વધારતી નવીન કૃષિ પદ્ધતિઓ અને તકનીકો વિષે ખેડૂતોને માહિતગાર કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બારડોલી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બારડોલીના તેન રોડ ખાતે આયોજિત તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવના અંતિમ દિને કૃષિ ઉત્પાદનને વધારતી નવીન કૃષિ પદ્ધતિઓ અને તકનીકો વિષે ખેડૂતો-ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી કૃષિ અને બાગાયતી યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષ ગામીતે જણાવ્યું કે, કૃષિ મહોત્સવોના કારણે ખેડૂતો જાગૃત્ત બન્યા છે અને ખેતી કરવાના અભિગમમાં પરિવર્તન આવ્યું છે. સરકારની વિવિધ કૃષિ-બાગાયતી યોજનાઓનો લાભ મેળવીને જિલ્લાના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે, તેમણે ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો, અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. કૃષિ વિભાગ આયોજિત પ્રદર્શનમાં કૃષિ પાકો, આધુનિક ખેતઓજારો, પ્રાકૃત...
ડાંગ જિલ્લામાં યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ માં ત્રણ હજાર થી વધુ ખેડૂતોએ ભાગ લીધો

ડાંગ જિલ્લામાં યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ માં ત્રણ હજાર થી વધુ ખેડૂતોએ ભાગ લીધો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ સમગ્ર રાજયમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારની ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પુરૂ પાડવાના હેતુથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકા મથકે તારીખ ૬ અને ૭ ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ડાંગમા યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪મા આહવા તાલુકામાં કુલ ૧૦૭૧, વઘઇમા તાલુકામાં કુલ ૧૦૯૮ અને સુબીરમાં તાલુકામાં કુલ ૧૧૨૦ ખેડુતોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં વઘઇ કૃષિ યુનિવર્સીટીના કૃષિ વૈજ્ઞાનિકો, તેમજ દરેક તાલુકાના પ્રગતિશિલ ખેડુતોએ ટકાઉ ખેતી પધ્ધતિ, પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી, ખેતી પાકોના મૂલ્ય વર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન જેવા વિષયો પર પોતાના અનુભવો સાથે ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડ...
નર્મદા જિલ્લામાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીના હસ્તે પોલિયો રસીકરણ બૂથનું શુભારંભ કરી બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવવામાં આવ્યા

નર્મદા જિલ્લામાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીના હસ્તે પોલિયો રસીકરણ બૂથનું શુભારંભ કરી બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવવામાં આવ્યા

Health
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન "પોલિયો રસીકરણ અભિયાન"નો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે નર્મદાની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી-આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં પ્રથમ દિવસે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીપાં પિવડાવવામાં આવ્યાં હતાં. "પોલિયો રસીકરણ અભિયાન" અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવીના હસ્તે તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે રાજપીપલા નવા ફળિયા ગણેશ ચોક ખાતે, દેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે દેડિયાપાડા આંગણવાડી કેન્દ્ર બોગજ ખાતે જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકના હસ્તે રાજપીપલા વડીયા પ્રાથમિક શાળા ખાતેથી "પોલિયો રસીકરણ અભિયાન" નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ નાંદોદ ધા...
સરીગામ બાયપાસ અને પુનાટ કાલય માર્ગ નું રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

સરીગામ બાયપાસ અને પુનાટ કાલય માર્ગ નું રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  સરીગામ બાયપાસ રોડ રૂપિયા ૧૦.૫૬ કરોડ અને પુનાટ કાલય માર્ગ રૂપિયા ૪.૮૧ કરોડના ખર્ચે તૈયાર થશે. બાયપાસના બિસ્માર રસ્તાથી પરેશાન લોકો અને વાહન ચાલકોને રાહત મળશે રાજ્યના નાણાં ,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજરોજ સરીગામ બાયપાસ અને સરીગામ ડુંગર પુનાટ કાલય માર્ગ નું ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે લોકોની મોટી હાજરી જ બતાવે છે કે આ રસ્તાની કેટલી જરૂરિયાત હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉમરગામ ભીલાડ રોડ પણ ખરાબ થઈ રહ્યો છે આ રસ્તો લાંબો સમય ટકે તે માટે તથા વરસાદને ધ્યાનમાં લઇ બંને બાજુ ગટર પણ બનાવવામાં આવી રહી છે. રોડ બનાવવાની સમય મર્યાદા ભલે નવ મહિના ની હોય પણ આ રસ્તો વહેલી તકે ચોમાસા પહેલા ૨૦ એપ્રિલ સુધીમાં બનાવવ માટે એજન્સીને અને અધિકારીને આ તબ...
પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓની પ્રેરણાદાયક કૃષિ સફર

પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓની પ્રેરણાદાયક કૃષિ સફર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                   પ્રકૃતિના સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓ; શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ૨૮ વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના રૂ.૩૫ લાખની આવક મેળવીને સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ તેમજ લાભદાયી છે. શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પાંચ વર્ષ પહેલાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે, વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડી ઉગાડતા હતા.               રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે, તેવી કલ્પના પણ કરી ન હતી. વર્ષ ૨૦૧૭ સુધી ખેતીમાં સામાન્ય નફો અને ટૂંકી આવક મેળવતા હતા, આવી ખેતીને ખોટનો સોદો ક...
સુરત જિલ્લાના મહેસૂલી અધિકારી તથા કર્મચારીઓનો મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજાઈ

સુરત જિલ્લાના મહેસૂલી અધિકારી તથા કર્મચારીઓનો મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહેસૂલી અધિકારી- કર્મચારીઓને મહેસુલી કાયદા અને પદ્ધતિઓની અદ્યતન જાણકારી મળી રહે, તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે જિલ્લા કક્ષાએ સમયાંતરે મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજવામાં આવે છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના મહેસુલ અધિકારી-કર્મચારીઓની રિફ્રેશર તાલીમ યોજાઈ હતી. પીપલોદ સ્થિત શારદાયતન વિદ્યાલયના સભાગૃહમાં આયોજિત તાલીમમાં મહેસૂલી કાયદાઓનાં તજજ્ઞોએ દ્વારા વિવિધ કાયદાઓની સમજ આપી હતી. લોકહિતમાં રોજબરોજના મહેસૂલી, લોકલક્ષી કાર્યોમાં એકસૂત્રતા આવે, નાગરિકો-અરજદારોને સરળતાથી મહેસૂલી કાર્યોનો ઉકેલ મળે, તેમની રજૂઆતો-સમસ્યાઓનું નિવારણ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ અધિકારી કર્મચારીઓએ તજજ્ઞો સાથે સંવાદ કરી ઉદ્દભવતા પ્રશ્નોના જવાબો મેળવ્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર...
જામનગરમાં ઉંદર પકડવા માટેની(glue trap) ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

જામનગરમાં ઉંદર પકડવા માટેની(glue trap) ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર સમગ્ર જામનગરમાં ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગ્લુટ્રેપ, ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ/ glue trap પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રકારના ગ્લુ ટ્રેપને કારણે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ- 1960 ના નિયમ 11 ની પેટા કલમ (5) નો ભંગ થાય છે અને નિર્દોષ ઉંદરને યાતના ભોગવવી પડતી હોવાથી સમગ્ર જામનગર જિલ્લામાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિર્દેશો કરવામાં આવ્યા છે. ઉંદરોનું નિયંત્રણ થાય તે ઈચ્છનીય છે. પરંતુ તે માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ- 1960 અને તેના હેઠળના નિયમો સાથે સુસંગત બને તે જરુરી છે. ગ્લુટ્રેપના ઉપયોગથી ઉંદરોને ડીહાઈડ્રેશન, ભૂખમરા, ગુંગળામણ થાય છે અને તેને ખુબ જ પીડા પહોંચે છે. તેથી ઉંદરોનું ખૂબ જ પીડાદાયક મૃત્યુ થાય છે. ઉંદરોની વસ્તીના...
નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા વિવધ રમત સ્પર્ધાઓનું આયોજન

નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા વિવધ રમત સ્પર્ધાઓનું આયોજન

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, જામનગર                 માય ભારત જામનગર (નેહરુ યુવા કેન્દ્ર જામનગર) દ્વારા તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ રમત- ગમત કાર્યક્રમનુ આયોજન હાથ ધરવામાં આવનાર છે. યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કાર્યરત માય ભારત જામનગર દ્વારા જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ અને ધ્રોલ તાલુકા સ્તરે રમત ગમતના કાર્યક્રમનું આયોજન થનાર છે, તેમજ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ પણ રમત ગમત સ્પર્ધાઓ યોજાશે.જેમાં ભાગ લેવા માંગતા યુવા મિત્રોએ માય ભારત પોર્ટલ પર પોતાનું રજીસ્ટેશન કરાવવાનું રહેશે. જેમાં યુવકો માટે કબડ્ડી અને ૧૦૦ મીટર તથા ૪૦૦ મીટરની એથ્લેટીક્સ રેસ તેમજ મહિલાઓ માટે ખો-ખો, ૧૦૦ મીટર એથ્લેટિક્સ રેસ તેમજ લાંબી કૂદ જેવી રમતોમાં ભાગ લઈ શકાશે. કાર્યક્રમની વિશેષ માહિતી માટે યુવાઓએ mybharat.gov.in પોર્ટલની મુલાકાત લેવા જિલ્લા યુવા અધિકારી નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા જણાવા...
સાબરકાંઠામાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલાએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીમાં ફાળો આપી પ્રારંભ કરાવ્યો

સાબરકાંઠામાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલાએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીમાં ફાળો આપી પ્રારંભ કરાવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં અધિક નિવાસી કલેકટરશ્રી ક્રિષ્ના વાઘેલાએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ભંડોળમાં ફાળો આપીને પ્રારંભ કરાવ્યો હતો. સેનાના જવાનોના સાહસ, શોર્ય, અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અધિક નિવાસી કલેકટર ક્રિષ્ના વાઘેલાએ ફાળો આપીને સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. માં ભોમની રક્ષા કાજે જવાનો સરહદ ઉપર યુધ્ધમાં આતંકવાદીઓ સાથેની લડાઈમાં પ્રાણ ન્યોછાવર કરી દેશ માટે મહાન કુરબાની આપે છે. આવા શહીદ થયેલા જવાનોના કુટુંબીજનો, સૈનિકો અને પૂર્વ સૈનિકોના કલ્યાણ અર્થે અને તેઓને સંકટ/માંદગીના સમયે નાણાંકીય સહાય આપવા યથાશક્તિ યોગદાન આપી સહભાગી થવા અધિક નિવાસી કલેકટરએ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રની રક્ષા માટે બલિદાન આપનાર સૈન...
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું

Gujarat
ભુજ આજરોજ રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું. કચ્છ જિલ્લાનું પાત્રતા ધરાવતું એકપણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ના રહી જાય તેનું ધ્યાન રાખવા ધારાસભ્યએ વાલીઓ અને આરોગ્ય વિભાગને અપીલ કરી હતી. કચ્છના કલેક્ટર અમિત અરોરા અને પીજીવીસીએલના એમ.ડી. શ્રીમતિ પ્રીતિ શર્માએ પોતાની દીકરીને અહીં બૂથ ઉપર પોલિયોના ટીપાં પીવડાવીને ઉપસ્થિત વાલીઓને પોતાનાં બાળકોને જરૂરથી પોલિયોના ટીપાં પીવડાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ, આર.સી.એચ.ઓ.  ડૉ. જે.ઓ.ખત્રી સહિત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચ્છના ઉચ્ચ અધિકારીઓએ બાળકોને પોતાના હાથે પોલિયોના બે બૂંદ પીવડાવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરીના માર્ગદર્શન અં...