Monday, February 16News That Matters

Author: Admin Admin

વિશ્વ કેન્સર દિવસ: ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાનસ્વરૂપ, છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર              વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક વરદાન સાબિત થઇ રહી છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવાતા કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેન્સર જેવા ગંભીર રોગની સારવાર અને નિદાનમાં દર્દીઓ માટે એક સંજીવની બનીને ઉભરી છે. નોંધપાત્ર છે કે વિશ્વ કેન્સર દિવસ, લોકોમાં કેન્સર વિશે જાગરૂકતા, તેની સારવાર, અટકાયત અને નિદાનના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. સાથે જ, આ દિવસ વૈશ્વિક સ્તર પર કેન્સરથી પ્રભાવિત લોકોનો અવાજ ઉઠાવવા અને સસ્તી, સુલભ સ્વાસ્થ્ય સેવાઓની જરૂરિયાતને પણ દર્શાવે છે. આ વર્ષે આ દિવસને ‘યુનાઇટેડ બાય યુનિક’ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વ કેન્સર દિવસના પ્રસંગે ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળી રહેલી ...

ડ્રોન દીદી: મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             ભારતમાં ખેત પદ્ધતિઓને ટેક્નોલોજીના સહારે સમૃદ્ધ બનાવીને દેશનો ખેડૂતો વધુ આવક મેળવતો થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ નવતર પહેલ કરી છે. ખેડૂતોની સાથે-સાથે જ ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ પગભર થઈને સ્વનિર્ભર બની શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાનએ “નમો ડ્રોન દીદી યોજના”ની પ્રેરણા આપી હતી. નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વકાંક્ષી પહેલ છે. જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ “ડ્રોન દીદી” બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય “નમો ડ્રોન દીદી યોજના”ની અમલવારીમાં પણ અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ૫૮ મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ...

તાલાલાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ              રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ૯૩ શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં તાલાલા તાલુકાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ આવ્યો છે. જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, રક્તપિત્ત નાબૂદી અભિયાન માટે જિલ્લાની વિવિધ ૯૩ જેટલી શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં આજે તાલાલાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત્ત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વા...

સૈયદ રાજપરા ખાતે નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           આરોગ્ય વિભાગના સાંસ કેમ્પેઇન અંતર્ગત રેકીટ ડેટોલ બનેગા સ્વસ્થ ઈન્ડીયા અને પ્લાન ઈન્ડીયાના સંયુક્ત ઉપક્રમે “સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અન્ડર ફાઈવ” કાર્યક્રમ દ્વારા ઉના તાલુકાની સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે આરોગ્યલક્ષી સ્વચ્છતાનો સંદેશો આપતું નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું. નુક્કડ નાટકમાં અભિનય દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના સાત સૂત્ર અને ઓ.આર.એસ. બનાવવાની સાચી રીત, હાથ ધોવાની સાચી રીત અને ઝાડા વ્યવસ્થાપન વિશેની માહિતી સાથે ઝાડા વ્યવસ્થાપનના સાત મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે જ ન્યુમોનિયાના લક્ષણો, ન્યુમોનિયાથી બચવા માટે શું ધ્યાન રાખવુ વગેરેની સમજ આપવામાં આવી હતી. નાટક દરમિયાન કોમ્યુનીટી હેલ્થ વર્કર હેતલ મકવાણા દ્વારા હાથ ધોવાના રીત, નિર્જલીકરણ વગેરેનું ડેમોન્સ્ટ્રેશન કરી સમજ આપવામાં આવી હતી. મહિલાઓ અને...

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદઢ આયોજન કરવામાં આવ્યું છે. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી ૫૧૦૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે. એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર દ્વારા ૨૦૦ મણ મગફળી ખરીદવામાં આવે છે. અને બજાર ભાવો કરતા એક મણના ૩૦૦થી ૩૫૦ રૂપિયા વધુ આપવામાં આવતા ખેડૂતો ખુશ છે. અને ખરીદ પ્રક્રિયાથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જગતના તાતને તેના પા...

જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા,તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે.જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર...
તાલાલા ચોકડી ખાતે આવેલ આઈ.આર.એમ.એનર્જી ગેસપંપ ખાતે ગેસ લીકેજની મોકડ્રિલ યોજાઈ

તાલાલા ચોકડી ખાતે આવેલ આઈ.આર.એમ.એનર્જી ગેસપંપ ખાતે ગેસ લીકેજની મોકડ્રિલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, તાલાલા      ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે વેરાવળ-સોમનાથ તાલાલા બાયપાસ પર આવેલા સી.એન.જી ગેસપંપ ખાતે ગેસ લીકેજ અંગેની મોકડ્રિલ યોજાઈ હતી. આઈ.આર.એમ. એનર્જીના તાલાલા ચોકડી પર આવેલા ગેસપંપ ખાતે ગેસ લીકેજનો મેસેજ પાસ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ ગેસ લીકેજને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે સુરક્ષાના અટકાયતી પગલાનું નિદર્શન કર્યું હતું.   ભવિષ્યમાં ગેસ લીકેજની દુર્ઘટના બને ત્યારે જાનમાલની ખુવારી અટકાવી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે ડિઝાસ્ટર તંત્ર દ્વારા સમયાંતરે આ પ્રકારની મોકડ્રિલ યોજવામાં આવતી હોય છે. આ પ્રકારની મોકડ્રિલને કારણે જિલ્લામાં થનારા સંભવિત અકસ્માતને અટકાવવા સાથે સુરક્ષાના પગલા લેવાની સજ્જતા પણ કેળવી શકાય છે. આજે ગેસપંપ ખાતે ગેસ ઓપરેટરને ગેસ...
અકસ્માતે ગેસ લીકેજની ઘટનાનો તાદ્રશ્ય ચિતાર

અકસ્માતે ગેસ લીકેજની ઘટનાનો તાદ્રશ્ય ચિતાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,      ગેસ લીકેજની ઘટનાનો ફાયર ઈમર્જન્સી કૉલ વાગતાં જ સમગ્ર ડિઝાસ્ટર તંત્રએ વિવિધ વિભાગોના સંકલન સાથે ગેસ લીકેજ પર કઈ રીતે કાબૂ મેળવ્યો તેનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે. સૌ પ્રથમ સ્ટેશન ઓપરેટરે એલ-સીએનજી પ્લાન્ટનું નીરિક્ષણ કર્યું હતું. સ્ટેશનનું આઇ.આર.એમ દ્વારા જે એસ.ઓ.પી પ્રમાણે પ્લાન્ટના અલગ અલગ ભાગોનું ઇન્સ્પેક્શન કર્યું હતું. તમામ યુનિટનું સારી રીતે નીરિક્ષણ કરી અને ઓબ્ઝર્વેશન પોઇન્ટ નોંધ્યા હતા. આ દરમિયાન તેમણે હાઈપ્રેશર પમ્પમાં લીકેજ થતું હોવાનું નોંધ્યુ અને સાઈટ ઈન્ચાર્જ અને ઓ એન્ડ એમ એન્જિનિયર્સને જાણ કરી હતી.  સાઈટ ઈન્ચાર્જ અને ઓ એન્ડ એમ એન્જિનિયર્સને ટૂલ કીટ અને ક્રાયોજેનિક સૂટ સાથે ડાઈક એરિયામાં લીકેજને દૂરસ્ત કરવા માટે રવાના થયા હતા. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં સાઇટ ઇન્ચાર્જે સાઈટ ઈન્સિડેન્ટ કંટ્રોલરને જાણ કરી હતી અને લેવલ-૧ ઈમરજન્સી ઘોષિત ક...
કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા PMKVY સ્કીમ ચલાવી 120 મહિલાઓ સાથે કરોડોની છેતરપિંડી

કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા PMKVY સ્કીમ ચલાવી 120 મહિલાઓ સાથે કરોડોની છેતરપિંડી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા સરકારી યોજનાનાં નામે અંદાજે 2.64 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાનુ અનુમાન !!! સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા 120 મહિલાઓને PMKVY (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) અંતર્ગત અલગ અલગ પ્રકારના ક્લાસીસ ચલાવી એક એક મહિલાઓને ક્લાસીસ પૂર્ણ થયા બાદ 22,000/- રૂપિયા સહાય મળશે ની લોભામણી વાતો કરી આચર્યું કરોડોનું કૌભાંડ !! આશરે આઠ મહિના બાદ સ્કૂલ સંચાલક દ્વારા 22,000/- રૂપિયા સહાયના બદલે 4,000/- રૂપિયા જ સહાય મળશે કહેતા મહિલાઓ જોડે સ્કેમ થયાનું મહિલાઓને પ્રતીત થવા પામ્યું !! સ્કૂલ સંચાલકના મળતિયાની મહિલાઓને ખુલ્લી ધમકી "જ્યાં છેડા અડાડવા હોય અડાડી લ્યો, અમારું કોઈ કાઈ ઉખાડી નહીં શકે !!" ગત થોડા દિવસ અગાઉ સ્કૂલ સંચાલક વિરુદ્ધ મહિલાઓ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે ની જાણ થતાં સ્કૂલ સંચાલકના મળતીયાએ હવ...

આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના આદિવાસી યુવાનોએ સુરતના ઔદ્યોગિક સ્થળોની મુલાકાત કરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોના આદિવાસી યુવાનો ગુજરાતના વિકાસ અને સંસ્કૃતિની ઝાંખી કરે, નવી પ્રેરણા મેળવે એવા આશયથી કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના માર્ગદર્શનમાં માય ભારત-સુરત અને નહેરૂ યુવા કેન્દ્ર-સુરત સુરતમાં ૧૬મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં ૨૦૦ આદિવાસી યુવાનો સુરતના મહેમાન બન્યા છે. જેઓને યોગ ગરબા ટ્રેનર ડિમ્પલબેન લોટવાળાએ યોગગરબા શીખવ્યા હતા. કુલદીપસિંહ રાજપૂતે વિવિધ રોજગાર અને કારકિર્દીની તકો, Examshala ના ફાઉન્ડર અને CEO હરેન્દ્રસિંહ તોમરે અભ્યાસ, કારકિર્દી અને રાષ્ટ્ર નિર્માણ અંગે સમજ આપી હતી. મનોરંજન માટે સિનેમા દર્શન અને મ્યુઝિકલ બેન્ડનો સંગીત કાર્યક્રમ પણ યોજાયો હતો. નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટના માર્ગદર્શન હેઠળ સુરતના જિલ્...