Sunday, February 15News That Matters

Author: Admin Admin

જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નહેર સુધારણા કામોનું નિરીક્ષણ કર્યું

જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નહેર સુધારણા કામોનું નિરીક્ષણ કર્યું

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, નવસારી     જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉકાઈ–કાકરાપાર કમાંડ વિસ્તાર હેઠળ દક્ષિણ ગુજરાતમાં અમલમાં મૂકાયેલા નહેર સુધારણા પ્રોજેક્ટોની પ્રત્યક્ષ મુલાકાત લઈને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.                       નવસારી જિલ્લામાં ચાલતા આ મહત્વના પ્રોજેક્ટ અંતર્ગત મંત્રી ઇશ્વરસિંહ પટેલે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામે ઉભરાટ બ્રાંચ નહેરો તેમજ એરુ ખાતે સબ માઈનોર નહેરોમાં ચાલી રહેલા લાઈનીંગ અને સ્ટ્રક્ચર વર્કનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ નહેર યોજના મહત્વની હોવાનું જણાવતા મંત્રીશ્રીએ કામગીરીની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા પર વિશેષ ભાર મૂક્યો હતો.              મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નહેરોમાં પાણીના સુચારૂ નિયમન માટે જૂના અને ક્ષતિગ્રસ્ત સ્ટ્રક્ચરો તથા આધુનિકીકરણ કરવામાં...
નવ સર્જિત વાવ થરાદ જિલ્લાને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન

નવ સર્જિત વાવ થરાદ જિલ્લાને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, થરાદ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થરાદ ખાતે અંદાજે ₹70 કરોડના ખર્ચે 39 એકરના વિસ્તારમાં નિર્માણ પામનાર જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું. ગ્રીન બિલ્ડિંગના ધોરણે નિર્માણ પામનાર અત્યાધુનિક સુવિધાઓ સાથેના આ સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની 30થી વધુ જિલ્લા સ્તરીય કચેરીઓ કાર્યરત કરવામાં આવશે, જેના પરિણામે જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ પ્રાપ્ત થશે અને તેમના સમય અને સંસાધનોની બચત થશે તેમજ વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે....
‘કરુણા અભિયાન’ અંતર્ગત સુરત વન વિભાગ દ્વારા પાંચ દિવસમાં ૧૭ પ્રજાતિના ૧૮૪૧ પક્ષીઓની બચાવ-સારવાર કરવામાં આવી, તા.૨૦ જાન્યુ. સુધી ચાલશે અભિયાન

‘કરુણા અભિયાન’ અંતર્ગત સુરત વન વિભાગ દ્વારા પાંચ દિવસમાં ૧૭ પ્રજાતિના ૧૮૪૧ પક્ષીઓની બચાવ-સારવાર કરવામાં આવી, તા.૨૦ જાન્યુ. સુધી ચાલશે અભિયાન

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, સુરત      સુરત વન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ‘કરૂણા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત તા.૧૦/૦૧/૨૦૨૬ થી તા.૧૪/૦૧/૨૦૨૬ દરમિયાન કબુતર, સમડી, કાગડો, પોપટ, બગલા, બ્લેક આઈબીસ, ઘુવડ, ચામાચીડીયુ, વોટર બર્ડ, કાબર, ટીટોડી, કોયલ, મોર, કોકટેલ, ચકલી, સકરો જેવી ૧૭ પ્રજાતિના કુલ ૧૮૪૧ પક્ષીઓ રેસ્ક્યુ કરાયાં હતા. જે પૈકી ૨૧૧ પક્ષીઓ મૃત્યુ પામેલા હતા આ મૃત પક્ષીઓમાં સૌથી વધુ ૨૦૩ કબુતર મળી આવ્યાં હતાં.          ઉલ્લેખનીય છે કે, ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઘાયલ થતાં અબોલ પક્ષીઓની સારવાર- બચાવ કાર્ય માટે રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૦ જાન્યુઆરી સુધી ‘કરુણા અભિયાન’ ચાલશે. જિલ્લામાં ઘાયલ પક્ષીઓની જાણ માટે જિલ્લા વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન નંબર ૯૯૦૯૭-૩૦૦૩૦ પર સંપર્ક કરવો....
વલસાડ ખાતે 108 ની સફળ કામગીરી ને બિરદાવી 

વલસાડ ખાતે 108 ની સફળ કામગીરી ને બિરદાવી 

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, વલસાડ      વલસાડ પાસે ગામમાંથી એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે એક ૭૫ વર્ષના વૃદ્ધા એકલાં છે અને તેમની માનસીક સ્થિતિ સારી નથી. તેઓ અવાર નવાર ઘરેથી નિકળી જાય છે. તેથી તેમને મદદ કરવા અનુરોધ કરતા અભયમ ટીમ વલસાડે તેમના સાવકા દિકરાને અસરકારક વાતચીત કરી વૃદ્ધ માજીની કાળજી લેવા સંમત કર્યાં હતાં જેથી સોસાયટીના રહીશોએ અભયમની કામગીરી બિરદાવી હતી.    માહિતી મુજબ પતિના મૃત્યુ બાદ વૃદ્ધા એકલાં રહેતાં હતાં અને પતિનું જે પેન્શન આવે તેમાંથી જીવન ગુજારતા હતાં. પરતું વધતી ઉંમરની સાથે વૃદ્ધાવસ્થામાં એકલતા લાગે છે અને ચિંતિત હતાં કે આગળ હું એકલી કેવી રીતે રહી શકીશ. બીમારીમાં મારી કોણ કાળજી રાખશે આવી ચિંતામાં તેઓએ માનસીક સંતુલન ગુમાવ્યું અને વારંવાર ઘરેથી નીકળી જતાં હતા. તેથી સોસાયટીના રહીશો તેમને સમજાવી પાછા ઘેર લાવતા પરતુ તેઓની માનસિક સ્થિતિ વધુ બગ...
ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોની મુલાકાતે

ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોની મુલાકાતે

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ભાવનગર      ભાવનગર જિલ્લાના હણોલ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખેડૂત કેન્દ્રિત પ્રેરક મુલાકાત, સરકારી શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ રોકાણથી લઈ પ્રભાત ફેરી, સ્વચ્છતા અભિયાન અને ગૌ સેવા દ્વારા જીવંત સંદેશ આપવાની સાથે-સાથે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો. રાજ્યપાલએ હણોલ ગામે ગાય દોહી તેમજ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ જણાવ્યું, સાથે જ ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાઈકલ રેલીનું પ્રસ્થાન કરાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો. તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર ઊભું કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ કર્યો....
સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ભુજ    જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેક્ટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, ગાંધીધામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિ, ઈસમો પ્રવૃતિ કરી રહેલા હોવાનું જણાઈ આવેલું છે.  કચ્છના અધિ...
કચ્છમાં વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી કડક કામગીરી હાથ ધરાઈ

કચ્છમાં વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી કડક કામગીરી હાથ ધરાઈ

Gujarat
કરુણા અભિયાન – ૨૦૨૬ હિન્દ ટીવી-ગુજરાતી, ભુજ      દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભચાઉ, નખત્રાણા તથા અંજાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી.   ભચાઉ, નખત્રાણા અને અંજાર રેન્જના કાર્ય વિસ્તારમાં શહેર કે ગામના પતંગ અને દોરાના વેપારીઓની દુકાનની મુલાકાત લઈ, ચાઇનીઝ તેમજ પક્ષીઓને નુકશાન પહોંચે તેવી તુક્કલ દોરીનું વેચાણ ન થાય તેની ચકાસણીની કરાઇ હતી. ભચાઉ રેન્જના ક્ષેત્રીય સ્ટાફ અને ભચાઉ વિસ્તરણ રેન્જના સ્ટાફ દ્વારા શહેરમાં સંયુક્ત રેલી યોજી ચકાસણી કરવામાં આવી હતી. પતંગ અને દોરાના વેપારીઓને પક્ષીઓને ન...
કરૂણા અભિયાન અંતર્ગત દરેક નાગરિક સંવેદનશીલતા સાથે જીવદયા માટેની પહેલમાં સામેલ થાય

કરૂણા અભિયાન અંતર્ગત દરેક નાગરિક સંવેદનશીલતા સાથે જીવદયા માટેની પહેલમાં સામેલ થાય

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ભુજ      ગુજરાત રાજ્ય તેના વૈવિધ્યસભર તહેવારો, ઉત્સવો અને પર્વોથી દેશભરમાં સુવિખ્યાત છે. જેમાં ઉત્તરાયણના પર્વનું અનેરૂ મહત્વ છે. ઉત્તરાયણ પર્વના ઉમંગ અને ઉત્સાહમાં આકાશમાં મુક્તપણે વિચરતા પક્ષીઓ ઘાયલ થવાના તથા મોતને ભેટવાના બનાવો બને છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓની સમયસર સારવાર તથા બચાવ માટે કરૂણા અભિયાન ચલાવવા સાથે નાગરિકોમાં જાગૃતિ આવે તે કાર્યક્રમો યોજવામાં આવે છે. આ જાગૃતિ અભિયાન અંતર્ગત પતંગ ઉડાડવા દરમિયાન નાગરિકો જો સંવેદનશીલ બનીને જીવદયાને ધ્યાને રાખી કેટલીક તકેદારી રાખે તો અબોલ પક્ષીઓને બચાવી શકાશે.   દરેક નાગિરેક ઉત્તરાયણ પ્રસંગે ચાઈનીઝ દોરી, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નનો ઉપયોગ ન કરવા સંકલ્પબધ્ધ થવા સાથે ચાઇનીઝ દોરી વેચાણ કરતા કોઇ ધ્યાને આવે તો તરત જ સ્થાનિક પોલીસ કે વન વિભાગને જાણ કરવા જાગૃત બનવું . દરેક નાગરિક આટલું કરે:-...
ભુજ વર્તૂળ કચેરી પીજીવીસીએલનો ઉત્તરાયણ પર નાગરિકોને સાવચેતી અને સલામતી જાળવવા અનુરોધ

ભુજ વર્તૂળ કચેરી પીજીવીસીએલનો ઉત્તરાયણ પર નાગરિકોને સાવચેતી અને સલામતી જાળવવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ભુજ      પીજીવીસીએલ ભુજ દ્વારા જનતાના હિત માટે આગામી પતંગ મહોત્સવ નિમિત્તે સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલા લેવા જણાવવામાં આવ્યું છે.  જેમાં વીજળીના તૂટેલા તારથી બાળકોને દૂર રાખવા, ખુલ્લા વીજળીના તારને અડકવું નહિ, તાર પર ચડેલ પતંગ લેવા લંગર નાખવું નહિ, વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે તેથી ઘરની આજુબાજુ કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડ સળિયા વડે તેને કાઢવાના પ્રયાસો કરવા નહિ. ધાતુના તારથી વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે તેથી ધાતુના તાર બાંધીને પતંગ ઉડાવવા નહીં. મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજવાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ટાળવો કારણ કે તેનાથી પાવરની જાહેર લાઈન કપાઈ જતાં અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે. જેથી સર્તકતા અને સલામતી જાળવીને તહેવાર મનાવવા ...

પાલીતાણાના હણોલમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ભાવનગર  મોટાભાગના ખેલાડીઓ ગામડાઓ-નાના શહેરોમાંથી આવે છે તેમાંનામાં લડવાની અને જીતવાની ભાવના છે : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ હણોલ ગામ આસપાસના ગામો, શહેરો અને દેશ માટે પ્રેરણારૂપ :સાંસદ અરુણ ગોવિલ ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવના હસ્તે હણોલ ગામની ક્રિકેટ એકેડમીના ડ્રેસકોડનું અનાવરણ કરાયું મેક્સિકો,મોરેસિયસ સહિતના દેશો તેમજ વિભિન્ન રાજ્યોમાંથી આવેલાં પતંગબાજોએ અવનવાં અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા...