હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
હાલમાં શાળા/કોલેજ તથા સંસ્થાઓમાં વિવિધ પ્રકારનાં એડમીશનની પ્રક્રિયા શરૂ હોય, મામલતદાર કચેરી, ઘોઘા ખાતે વિદ્યાર્થીઓ તથા અરજદારોનો ખુબ જ મોટા પ્રમાણમાં વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે ઘસારો રહે છે. જેથી કોઈ વિધાર્થી કે અરજદારો તકલીફ ન પડે તે હેતુથી મામલતદાર કચેરી, ઘોઘા ખાતે આવેલ જનસેવા કેન્દ્ર તા.૧૦/૦૬/૨૦૨૩ ને શનિવાર તથા તા.૧૧/૦૬/૨૦૨૩ ને રવિવારનાં રોજ સવારે ૧૦-૩૦ કલાક થી સાંજનાં ૦૫-૦૦ કલાક સુધી શરૂ રાખવામાં આવશે.
ઘોઘા તાલુકાનાં રહીશો/અરજદારો અને વિદ્યાર્થીઓને તેમનાં જરૂરી વિવિધ પ્રમાણપત્રો જનસેવા કેન્દ્ર ખાતેથી આ બંને દિવસોમાં કાઢી આપવામાં આવશે જેથી બહોળા પ્રમાણમાં આનો લાભ લેવા મામલતદાર, ઘોઘા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
