Saturday, February 14News That Matters

Politics

સંસ્કૃતને લોકભાષા બનાવીએ, તેનાથી વિશેષ ઊર્જા મળે છે : આચાર્ય દેવવ્રતજી

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૫મો પદવીદાન સમારોહ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતી પદવીદાન સમારોહમાં ૧૮ ગોલ્ડમેડલ અને ૪ સિલ્વરમેડલ એમ કુલ ૨૨ પદકો સહિત કુલ ૭૮૫ ડીગ્રી પ્રમાણપત્રો એનાયત કરાયા સંસ્કૃત વિદ્વાન ડૉ. રામકિશોર કેદારપ્રસાદ ત્રિપાઠીને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૩ પુરસ્કાર એનાયત...

વલસાડ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ નો શુભારંભ કરાવતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ         વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામા ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તા.૧૯-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ડુંગરી તળાવને ઉંડુ કરવાના રૂ. ૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુન: જીવિત કરવાના રૂ.૧૪.૪૦ કરોડના કુલ ૪૨૧ જળ સંચયના કામોનું હાથ ધરાશે. જેમાં રૂ.૪.૪૦ કરોડના ૭૧ કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂ.૨.૫૫ કરોડના ૧૮૬, ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૬.૮૮ કરોડના ૧૨૬, વન વિભાગ ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૧ કરોડના ૩૩ અને નગરપાલિકા ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૫.૪૬ લાખના ૫ કામો હાથ ધરવામાં આવશે. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, માં નર્મદાના ‘સરદાર સરોવર યોજના’ થકી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાનો હંમેશ માટે ઉકેલ આવ્યો છે....

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રૂ.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ       નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫૨ કરોડના ખર્ચે ૧૨૨૩ મીટરના નવા નિર્માણ કરાયેલા અતુલ - દિવેદ (એલ.સી. નં -૯૪બી) રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ ઓવરબ્રિજ દ્વારા કોસ્ટલ હાઈવેને જોડતા ભગોદ, ઉમરસાડી તેમજ દમણ જવા માટે ટૂંકી કનેક્ટીવીટી મળશે.             વલસાડના શહેરી, ગ્રામ્ય વિસ્તાર અને રેલવે ઓવરબ્રિજની આસપાસના ગામોને રેલવે ફાટક ઉપર સમય વેડફ્યા વિના ગામોમાં ઝડપી ઈન્ટર કનેક્ટીવીટી મળશે. ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું હતું કે, આ ઓવરબ્રિજ દ્વારા લોકોને ઝડપી કનેક્ટીવીટી મળશે અને રેલવે ફાટકની સમસ્યા રહેશે નહીં. લોકોના કિંમતી સમય અને પેટ્રોલની પણ બચત થશે જેના કારણે પર્યાવરણને પણ ફાયદો થશે.              ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૪ સુધીમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની તાસી...

રાજપીપલા ખાતે રૂ. ૧૭ કરોડના ખર્ચે સાકારિત થનાર સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરતા સાંસદ મનસુખભાઈ વસાવા

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, રાજપીપલા             નાંદોદ તાલુકાના ભચરવાડા ગામે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના વરદહસ્તે તથા નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસદ મનસુખભાઈ વસાવાએ ભચરવાડા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે તૈયાર થનારી કોલેજ અંગે જણાવ્યું કે, આ કોલેજ જિલ્લાના બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. ગામમાં કોલેજના નિર્માણથી ગ્રામજનો પણ જાગૃત થઈને અભ્યાસ પ્રત્યે સકારાત્મક વિચારોનું સિંચન કરીને પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા પુરી પાડશે. તેમજ આસપાસના ગામોના વાતાવરણમાં પણ સકારાત્મક બદલાવ આવશે. જિલ્લાના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને જિલ્લા, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આ...
ગીર સોમનાથ જિલ્લાના ૨,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો સંકલ્પ

ગીર સોમનાથ જિલ્લાના ૨,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો સંકલ્પ

Politics
હિન્દ ટીવી-  ગુજરાતી,  ગીર સોમનાથ ગીર સોમનાથમાં વિધાનસભા ચૂંટણી નિમિત્તે ૯.૯૯.૪૧૫ મતદારો નોંધાયા છે. વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે અંગે લોકોમાં જાગૃતિ પણ લાવવામાં આવી રહી છે ત્યારે જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેમજ જિલ્લાની તમામ કોલેજોમાં અભ્યાસ કરતા અંદાજે ૨.૦૦.૦૦૦ વિદ્યાર્થીઓના વાલીઓએ ૧૦૦% મતદાન કરવા સંકલ્પ પત્રો ભર્યા હતાં. આ ઉપરાંત ગત ચૂંટણીમાં તમામ પ્રકારના મતદારોમાં જાગૃતિ આવે અને ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય એવા કોડીનાર તાલુકાના કોબ, તડ, સનવાવ, જરગલી, આંબાવાડ, વડનગર, વેલણ જેવા મતવિસ્તારમાં અવસર રથ દ્વારા તમામ ઓછા મતદાન વાળા વિસ્તારોના મતદારોને વધુમાં વધુ બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત જે જગ્યાએથી રથ પસાર થયો તે વિસ્તારના લોકોને મતદાનની અગત્યતા સમજાવીને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરાયો હતો....
ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના લાભાર્થીઓને ઈ-ગૃહ પ્રવેશ કરાવતા પાણી પુરવઠા મંત્રી

ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના લાભાર્થીઓને ઈ-ગૃહ પ્રવેશ કરાવતા પાણી પુરવઠા મંત્રી

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા         વડોદરા ખાતે યોજાયેલા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી)ના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો જેની સાથોસાથ વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાના “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા(રાજ્યકક્ષા) તથા કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો)ના મંત્રી જીતુભાઈ ચૌધરીએ વલસાડ ખાતેના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે રૂ.૧૦૬.૭૨ કરોડના ખર્ચે નવા બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી)ના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવતા જણાવ્યું હતું કે, “તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘરવિહોણા તથા કાચા ઘર ધરાવતા પરિવારોને પાકું મકાન આપવાની પરિકલ્પના કરી હતી. જેને ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનો સરકાર ભરપૂર પ્રયત્ન કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ...
ભાવનગર ખાતે આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ. મશીનનું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

ભાવનગર ખાતે આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ. મશીનનું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

Politics
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે ભાવનગર ખાતે આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે રેડિયોલોજી વિભાગમાં નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ.મશીનનુ લોકાર્પણ કર્યું હતું. બજરંગદાસ બાપા હોસ્પિટલમાં નવા સી.ટી. સ્કેન મશીનના લોકાર્પણથી આસપાસના વિસ્તારના નાગરિકોને રાહત દરે સ્વાસ્થ્ય સંબંધિત સારી સુવિધાઓ જેવી કે, સી.ટી. સ્કેન, ડિજિટલ સોનોગ્રાફી અને ડિજિટલ એક્સ-રે જેવી સુવિધાઓ ઘરઆંગણે મળી રહેશે અને તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવશે તેવી તેમણે વ્યક્ત કરી હતી. શ્રી બજરંગ દાસ આરોગ્ય ધામ, પાન વાડી ખાતે શરૂ થયેલ સી.ટી. સ્કેન, ડીઝીટલ સોનોગ્રાફી તથા ડિજિટલ એક્સ-રે, સિવિધાથી દર્દીઓએ હવે જે બહાર જવું પડતું હતું તે મુશ્કેલીઓનો અંત આવશે. ડો દર્શન શુક્લના માર્ગદર્શન હેઠળ ડો વિજય ભરોડીયા દ્વારા ચોક્કસ નિદાન હવે બનશે વધુ સરળ બનશે જેનો લાભ શહેર અને જિલ્...
Modi LIVE on Constitution Day:Congress boycotted the program; Modi said that running a party by one family is the biggest crisis for democracy

Modi LIVE on Constitution Day:Congress boycotted the program; Modi said that running a party by one family is the biggest crisis for democracy

Politics
The country is celebrating its 71st Constitution Day today. The main event was held in the Central Hall of Parliament on this occasion. Arriving at the event, Prime Minister Modi said that our constitution is a great tradition of thousands of years, an expression of unbroken law. That is why for us the dedication to the Constitution and when we as the people's representative from this constitutional system to the Gram Panchayat to the Parliament whatever responsibilities we carry out, we have to be equipped with the spirit of the Constitution. Where the Constitution is being violated, it cannot be ignored. Remembering the martyrs of the Mumbai attacks, Modi said that today is the day to pay homage to dignitaries like Ambedkar and Rajendra Prasad. Today is the day to pay homage to this ho...
Gujarat Government Slams Rahul Gandhi’s “Baseless” Claim Of 3 Lakh Covid Deaths

Gujarat Government Slams Rahul Gandhi’s “Baseless” Claim Of 3 Lakh Covid Deaths

Breaking News, National, Politics
"Rahul Gandhi's allegation that 3 lakh people have lost their lives due to coronavirus in Gujarat is baseless and unfounded. We condemn such attempts to malign Gujarat. This is being done by the Congress as part of their agenda to incite people and create panic," Gujarat minister Jitu Vaghani said. Rahul Gandhi claimed 3 lakh people have died due to Covid in Gujarat as against official tally of 10,092. Ahmedabad:  The BJP government in Gujarat on Wednesday strongly refuted Congress leader Rahul Gandhi's claim that nearly 3 lakh people have died due to COVID-19 so far as against the official tally of around 10,000 and dubbed his remark as an attempt to misguide people and malign the state. A Gujarat minister challenged Rahul Gandhi to take a similar stand on states where the C...