Saturday, September 5News That Matters

Gujarat

બાગાયત વિભાગ દ્વારા ઓઈલપામની ખેતી કરવા માંગતા ખેડૂતો માટે સહાયલક્ષી યોજનાનો લાભ મળશે

બાગાયત વિભાગ દ્વારા ઓઈલપામની ખેતી કરવા માંગતા ખેડૂતો માટે સહાયલક્ષી યોજનાનો લાભ મળશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       રાજયમાં વર્ષ-૨૦૨૫-૨૬ માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અમલમાં છે. જે અન્વયે ખેડૂતોને ઓઈલ પામ વાવેતર, ઓઇલ પામ સાથે આંતરપાક, સાધન-મશીનરી માટે સહાય આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં સદર યોજનાનું અમલીકરણ બાગાયત વિભાગ દ્વારા થાય છે. પામોલિન ઓઇલ એ પામ નામના ઝાડમાંથી મળે છે. ફરસાણ, પેકેટ ફૂડ તથા વિવિધ ખાદ્ય બનાવટોમાં આ તેલનો ઉપયોગ થાય છે. આ તેલની ખાસિયત છે કે તેમાં બનાવેલ ફૂડ પ્રોડકટ લાંબા સમય સુધી બગડતી નથી.  પ્રવર્તમાન સમયે બજારમાં આ તેલની માંગ વધારે છે. દેશમાં આ તેલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. જેના કારણે વધુ વિદેશી હુંડિયામણનો ખર્ચ કરવો પડે છે અને ખરેખર તેનો લાભ ખેડૂતોને મળી શકે તેવા પ્રયાસના ભાગરુપે વાવેતર વિસ્તાર વધારવા આ સહાય યોજના અમલી છે. ઓઇલ પામ એ એકર દીઠ ઘણી સારી આવક આપતો પાક છે. ખેડૂતોને આ પાકના વાવેતર માટે માર્ગદર્શન અને પ્લ...
પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડતા કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વરે સંપર્ક સાધવા અનુરોધ

પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડતા કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વરે સંપર્ક સાધવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     સુરત સહિત ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરતના શૈક્ષણિક સંસ્થાઓમાં ધો. ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં એડમિશન મેળવવા ઈચ્છુક માતા-પિતાએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી ફોર્મ ભરીને સત્વરે જમા કરાવવું. વધુ વિગતો માટે ટે.નં. ૦૨૬૧-૨૯૧૩૮૨૦/ મો.૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક સાધવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે....
સુરત જિલ્લામાં તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન કૃષિ સંકલ્પ અભિયાન યોજાશે

સુરત જિલ્લામાં તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન કૃષિ સંકલ્પ અભિયાન યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન દેશવ્યાપી 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન' શરૂ કરવામાં આવશે. જેમાં દરરોજ ખરીફ પાકો વિષે માર્ગદર્શન અને કૃષિને ઉન્નત બનાવવા માટે સમગ્ર દેશમાંથી કૃષિ વૈજ્ઞાનિકોની લગભગ ૨૧૭૦ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં ઓછામાં ઓછા ૪ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ યુનિવર્સિટી, કોલેજો, રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્રીય કૃષિ વિભાગના કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, F.P.O. વગેરે સાથે મળીને તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતો સાથે સંવાદ અને માર્ગદર્શન કરશે. ટીમો જે સ્થળે જશે ત્યાની કૃષિ આબોહવા, જમીનમાં પોષક તત્વોની હાજરી, પોષક તત્વોનો અભાવ, સિંચાઈના પાણીની સ્થિતિ, વરસાદ, આબોહવા, પશુપાલન, માટીની ગુણવત્તા, સોઇલ હેલ્થ કાર્ડના આધારે અનૂકૂળ પાકનું વાવેતર વિશે ખેડૂતોને માહિતગાર કરશે. કઈ પદ્ધતિથી વાવણી કરવી, બીજ અને ખાતર, જ...
કાયદાનો અભ્યાસ અને સનદ પ્રાપ્ત કરેલા આદિજાતિના યુવક-યુવતિઓને રૂ.૨.૮૮ લાખની સહાય મળવાપાત્ર

કાયદાનો અભ્યાસ અને સનદ પ્રાપ્ત કરેલા આદિજાતિના યુવક-યુવતિઓને રૂ.૨.૮૮ લાખની સહાય મળવાપાત્ર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત      ગુજરાત રાજ્યના કાયદાનો અભ્યાસ અને સનદ પ્રાપ્ત કરેલા આદિજાતિ યુવક-યુવતિઓ માટે રૂ.૨.૮૮ લાખ સહાય આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ જુનિયર વકીલને પ્રથમ વર્ષ માસિક રૂ.૧૦ હજાર લેખે,બીજા વર્ષ માસિક રૂ.૮ હજાર લેખે તેમજ ત્રીજા વર્ષ માટે માસિક રૂ.૬ લેખે કાયદા સ્નાતકોને સહાય આપવમાં આવે છે.જે સિનિયર વકીલના હાથ નીચે તેઓ પ્રેક્ટીસ કરે છે તે સિનિયર વકીલને રૂ.૫ હજાર લેખે ત્રણ વર્ષ સુધી રૂ.૧.૮૦ લાખ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે....
આદિજાતિ કોર્પોરેશન હેઠળ આદિજાતિની મહિલાઓને દુધાળા પશુ ખરીદવા માટે રૂા.૯૦ હજારની લોન સહાય મળે છે

આદિજાતિ કોર્પોરેશન હેઠળ આદિજાતિની મહિલાઓને દુધાળા પશુ ખરીદવા માટે રૂા.૯૦ હજારની લોન સહાય મળે છે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     આદિજાતિ મહિલાઓને સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ દુધાળા પશુ અને અન્ય સાધન સહાય ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ૦ થી ૨૦ના સ્કોર ધરાવતા આદિજાતિ મહિલા લાભાર્થીઓને સુમુલ ડેરી મારફતે દુધાળા પશુ ખરીદવા માટે આદિજાતિ કોર્પોરેશન મારફતે રૂા.૨૯ હજારની સહાય લોન, લાભાર્થીનો રૂા.૩ હજાર ફાળો, તેમજ રૂા.૫૮૦૦૦ની સહાય પેટે ડી-સેગ મારફતે ચુકવવામાં આવે છે. આમ લાભાર્થીઓને રૂા.૯૦,૦૦૦ની સહાય દુધાળા પશુ ખરીદવા માટે આપવામાં આવે છે. વ્યાજ દર વાર્ષિક ૪ ટકા રહેશે. યોજનાનો લાભ મેળવવા માટે માંડવી પ્રાયોજના વહીવટદારની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે....
ખંભાળિયા “એનિમલ કેર ચેરીટેબલ” ટ્રસ્ટના પ્રમુખ દેસુર ધમા નો આજે જન્મદિવસ

ખંભાળિયા “એનિમલ કેર ચેરીટેબલ” ટ્રસ્ટના પ્રમુખ દેસુર ધમા નો આજે જન્મદિવસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ખંભાળિયા          ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને ગૌવંશ માટે નોંધપાત્ર સેવા કાર્યો કરી રહેલી સંસ્થા "એનિમલ કેર ચેરિટેબલ" ટ્રસ્ટના પ્રમુખ દેસુરભાઈ ધમા નો આજે જન્મદિવસ છે.     સેવાકીય કાર્યો ની સાથે સાથે દેસુરભાઈ ધમા આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપપ્રમુખ અને અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભાના યુવા મહામંત્રી તેમજ રક્ત યોદ્ધા ગ્રુપમાં કાર્યરત છે. હિન્દુત્વ વાદી અભિગમ ધરાવતા દેશુરભાઈ રાષ્ટ્રભાવનાના રંગે પણ રંગાયેલ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો તેમજ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવી હતી....
વડાપ્રધાન આજે કચ્છમાં : ભુજથી ૫૩ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને આપશે ભેટ

વડાપ્રધાન આજે કચ્છમાં : ભુજથી ૫૩ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને આપશે ભેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ      ધરતીકંપ બાદ કચ્છનું નવસર્જન કરીને જિલ્લાને વિવિધ ક્ષેત્રે વિકાસના પંથે જેટ ગતિ આપનાર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમવારે ભુજ ખાતે વિશાળ જનમેદનીને સંબોધવા સાથે રૂા. ૫૩ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને ભેટ આપશે.  “ઓપરેશન સિંદૂર” બાદ પ્રથમ વખત કચ્છ આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળી રહ્યો છે. કચ્છના વિકાસના સ્વપ્નદ્ષ્ટાને આવકારવા કચ્છી જનતા થનગની રહી છે. વડાપ્રધાનશ્રી આગમનના આનંદમાં સમગ્ર ભુજને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું છે. તા.૨૬ અને ૨૭ મે દરમિયાન તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન ૨૬ તારીખે ભુજમાં વડાપ્રધાનના હસ્તે કુલ રૂા. ૫૩,૪૧૪ કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.  વડાપ્રધાન એરપોર્ટ...
વડાપ્રધાન ભુજ ખાતેના કાર્યક્રમને અનુલક્ષીને શહેરમાં પ્રવેશતા માર્ગોને નો પાર્કિગ ઝોન જાહેર કરાયા

વડાપ્રધાન ભુજ ખાતેના કાર્યક્રમને અનુલક્ષીને શહેરમાં પ્રવેશતા માર્ગોને નો પાર્કિગ ઝોન જાહેર કરાયા

Gujarat
હિન્દ ન્યુઝ, ભુજ        વડાપ્રધાનની કચ્છ જિલ્લાની મુલાકાત સંદર્ભે ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમને અનુલક્ષીને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૨૫/૦૫/૨૦૨૫ના રોજ કલાક ૧૨:૦૦ થી તા.૨૬/૦૫/૨૦૨૫ના કલાક ૨૨:૦૦ વાગ્યા સુધી મિરઝાપર ત્રણ રસ્તાથી, પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તાથી, રિલાયન્સ સર્કલથી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલથી, નળ સર્કલથી શેખરણપીર ત્રણ રસ્તા સુધી તેમજ નળ સર્કલથી છત્રીસ કવાટર્સ ચાર રસ્તાથી ત્રિમંદિરથી પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તા સુધીના રસ્તા/માર્ગોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ થયેલ છે. જેની વિગતે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ તા.૨૫/૦૫/૨૦૨૫ન...
વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર, આગામી તા.૧૯મી જૂનના રોજ યોજાશે મતદાન

વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર, આગામી તા.૧૯મી જૂનના રોજ યોજાશે મતદાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ કડી વિધાનસભા બેઠક તથા જુનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે તા.૨૬ મે, ૨૦૨૫ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ મતદાન તથા તા.૨૩ જૂન, ૨૦૨૫ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ પંજાબ અને પશ્ચિમ બંગાળની એક-એક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સહિત ગુજરાતની બે બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી ગુજરાતની ૨૪ – કડી વિધાનસભા (અ.જા.) અને ૮૭ – વિસાવદર વિધાનસભા બેઠક માટે તા.૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ મતદાન યોજાશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે તા.૨૬ મે, ૨૦૨૫ થી તા. ૦૨ જૂન, ૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. કડી અને વિ...
જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ     કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની કચેરી, દરેક પોલીસ સ્ટેશનો, જાહેરસ્થળો, દરેક સરકારી કચેરીઓની બહાર કે તમામ સરકારી કચેરીઓના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી રેલી સરઘસ કે રેલી કાઢીને આવેદન પત...