Monday, February 16News That Matters

Gujarat

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે માંડવી ખાતે આયુષ મેળાને ખુલ્લો મુકાયો

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે માંડવી ખાતે આયુષ મેળાને ખુલ્લો મુકાયો

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, સુરત  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી પ્રેરિત, જિલ્લા આયુષ વિભાગ સુરતના સંયુકત ઉપક્રમે માંડવીના સુથાર ફળિયા પૂનમ વાડી ખાતે આયુષ મેળાને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ અવસરે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, ભારતે આપેલી અનમોલ ભેટ એવા યોગને સમગ્ર વિશ્વમાં જાણીતો થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુનો સમક્ષ રજુઆતને પગલે ૨૧મી જુનને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના પરિણામે ભારત જ નહિ પણ વિશ્વના લોકોએ યોગને સ્વીકાર્યું છે. યોગના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યતા કેળવાય છે. માનવ શરીરને સ્વસ્થ્ય રાખવું હોય તો આયુષ ઔષધોની દિશામાં આગળ વધવું જ પડશે. વધુમાં તેમણે કહ્યું કે, આપણી પ્રાચીન આયુર્વેદિક ઔષધિ વિશે લોકોને વધુને વધુ માહિતગાર કરવામાં આવે તે ...
ભરૂચની એસવીએમ સ્કૂલમાં ધો-૪માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાષ્ટ્રિય કક્ષાએ ઝળકી

ભરૂચની એસવીએમ સ્કૂલમાં ધો-૪માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાષ્ટ્રિય કક્ષાએ ઝળકી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તથા મીનીસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા વીરગાથા નામનો પ્રોજેક્ટ ભારત વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાની બહાદુરીને લગતા કિસ્સા ઉપર સમગ્ર શાળાઓના વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તે અંર્તગત ભરૂચ શહેરમાં આવેલી એસવીએમ હાયર સેકન્ડરીની વિદ્યાર્થીનીનું પેઇન્ટિંગ અને કવિતા શ્રેષ્ઠ રહ્યું હતું. જે અંર્તગત તેણીને પરિવાર સાથે ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં આમંત્રણ પાઠવામાં આવ્યું છે. ભરૂચની એસવીએમ સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બતુલ સંચાવાલાએ ધોરણ ત્રણ થી પાંચમી કેટેગરીમાં કારગિલ યુદ્ધના મહાન સપૂત કેપ્ટન મનોજકુમાર પાંડે ઉપર એક ભાવવાહી હિન્દી કવિતા લખી હતી. આ વીરગાથા પ્રોજેક્ટમાં ભારતમાંથી પસંદગી પામેલ ઉત્તમ ૨૫ કૃતિઓમાં માન ભર્યું સ્થાન મેળવ્યું છે. જેમાં ભરૂચની બતુલ સંચાવાલા દ્વારા રચાયેલ કવિતા થમ્સ ...
રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો

રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો

Gujarat
હિન્દ ટીવી ગુજરાત, ભુજ તા.૦૭/૦૧/૨૦૨૩ના રોજ મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત કચ્છ-ભુજ આઇસીડીએસ ઘટક રાપર-૧ અને ૨ ના સંયુક્ત ઉપક્રમે ઠાકોર સમાજવાડી રાપર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ દ્વારા કિશોરીઓના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સીડીપીઓ જે.કે.પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું તથા સંલગ્ન વિભાગનાં અધિકારી/કર્મચારીઓનું તેમજ કાર્યક્રમમાં હાજર આંગણવાડી વર્કર, કિશોરીઓનું શાબ્દિક સ્વાગત કરી મહિલા અને બાળવિકાસ વિભાગ  ગુજરાત રાજય દ્વારા ચાલી રહેલ સશક્ત અને સુપોષિ...
૯મીના ભુજમાં કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ

૯મીના ભુજમાં કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ

Gujarat
હિન્દટીવી - ગુજરાતી, ભુજ         સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૯/૦૧/૨૦૨૩ના સોમવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “સુવર્ણપ્રાશન કેમ્પ” કરવામાં આવશે . જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે . તથા “કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદાઓ: સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય(શરીરના વર્ણને ઉજળો કરનાર ) કરનાર છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાત...
સુરીનામના મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું સોમનાથ મંદિરે વેદમંત્રોથી અભિવાદન..

સુરીનામના મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું સોમનાથ મંદિરે વેદમંત્રોથી અભિવાદન..

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે સુરીનામ દેશ જે દક્ષીણ અમેરીકામાં આવેલ છે, ત્યાના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી પરીવાર તેમજ ડેલીગેશન સાથે સોમનાથ આવી પહોચ્યા હતા. સોમનાથ વિ.આઇ.પી ગેસ્ટ હાઉસ ખાતે ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબે પૂષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરેલ હતુ. શ્રી સોમનાથ મંદિરે તિર્થ પુરોહિતો અને સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારોએ વેદમંત્રોથી તેઓનું અભિવાદન કરેલ, મંદિરની પરંપરા મુજબ સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇએ પૂષ્પહારથી તેઓનું સ્વાગત કરેલ હતું.         સોમનાથ મહાદેવના દર્શન ગંગાજળ અભિષેક વેદમંત્રો સાથે મહામહિમ રાષ્ટ્રપતીજીએ કરેલ. તેઓએ સોમેશ્વર મહાપૂજન ધ્વજાપૂજન કરેલ, મહાપૂજન મુખ્યપૂજારીશ્રી વિજયભાઇ ભટ્ટ તથા સાથી પૂજારીવૃંદ દ્વારા સંપન્ન કરાવવામાં આવેલ હતું.         પૂજન બાદ સોમનાથ મહાદેવના આશિર્વાદ સ્વરૂપે પુજારીએ રૂદ્રાક્ષની કંઠા માળાથી રાષ્ટ્...
રિપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ યોજાશે

રિપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ  ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર તા. ૦૯/૦૧/૨૦૨૩ના રોજ Major GSO-2 (int), HQ, 75(I) inf Bde Gp, Pin-908075, C/o 56 APO દ્વારા Range no.−1 (20 MAHAR) ઉપ૨ 17 MARATHA LI, Pin-908075, C/o 56 APOના તાબા હેઠળ ફરજ બજાવતા અધિ./કર્મ.ઓની ફાયરીંગ પ્રેક્ટીસ યોજનાર છે. જેથી આ  ફાયરીંગ રેન્જમાં કોઈ પણ વ્યક્તિઓએ પ્રવેશવુ નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇ પણ વ્યક્તિ આ ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસ૨ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુક્શાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે જેની તમામે નોંધ લેવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ ભુજ મિતેશ પંડ્યા દ્વારા જણાવાયું છે.  ...

ગીરસોમનાથમાં ઉમેદપરા(ગીરગઢડા) ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા રોજગાર કચેરી ગીરસોમનાથ અને સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા(ગીરગઢડા) દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૩ના રોજ  સવારે ૧૧.૦૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા(ગીરગઢડા), હરમડિયા રોડ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં ઓમ એન્ટરપ્રાઇઝ-રાજકોટ, એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સ- ઉના, સ્નેહા સર્વિસ શોલ્યુશન મારુતિ સુઝુકી)- મહેસાણા, ડીસેન્ટ મેનપાવર- અમદાવાદ અને વેલસ્પૂન ઈન્ડિયા- અંજાર વગેરે કંપનીઓ હાજર રહી ધો.૧૦, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ), ડિપ્લોમા (ટેકનિકલ ટ્રેડ તમામ)  ૧૮ વર્ષથી ૪૦ વર્ષની ઉમર ધરાવતા, તેમજ મૂક-બધીર દિવ્યાંગ રોજગાર વાંચ્છુ  ભાઈઓ- બહેનો હાજર રહી શકશે. આ ભરતી મેળામાં બીપીએલ અને જોબ કાર્ડ (મનેરેગા) ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે તેમજ  આ ભરતી મેળામાં ભાઈઓ - બહેનોએ સ્વખર્ચે ભરતી મેળાના  સમયે  સરકાર...
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ પહેલાં લઘુ-સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ તેમજ સહકાર મંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા સહિત મહાનુભાવોએ ગીતામંદિર હેલિપેડ પર રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મંદિરમાં સૌ પ્રથમ સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈએ પુષ્પહારથી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ હતું. જે પછી શરણાઈની સૂરાવલી સાથે સોમનાથના પંડિતો અને સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિકુમારો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સુરીનામના રાષ્ટ્રપતિનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રાષ્ટ્રપતિના હસ્તે સોમેશ્વર ...
સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર - ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૧૦-૦૧-૨૦૨૩ થી તા.૧૨-૦૧-૨૦૨૩ નાં સમયગાળા દરમ્યાન ભાવગર સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓ માટે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ સજા થશે તેમ જાહેરનામામાં ફરમાવેલ છે....
ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ ૧૪૪ હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્...