જળ એ અમૃત છે જેથી પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઇએ : ધારાસભ્ય કાળુભાઇ ડાભી
"સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩"
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ
ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભીના હસ્તે બોટાદ જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩”નો છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્યએ બરવાળા તાલુકાના કુંડળ ગામે સાળંગપુર રોડનું તળાવ ઉડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઇ ડાભીએ અધ્યક્ષપદેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રબળ નેતૃત્વમાં ખેડૂતોને સિંચાઇની સુવિધાનો મહત્તમ લાભ મળી રહે તે માટે ખેત તલાવડી સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેનાં લાભો છેવાડાના ખેડૂતોને પણ મળી રહ્યાં છે.” ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે જળસંચયના કામો ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ થકી હાથ ધરવામાં આવી રહ્ય...
