Monday, February 16News That Matters

Gujarat

કરદાતાઓ ઘર-આંગણે મિલ્કત-વેરો /પાણી ચાર્જીસની રકમ ભરપાઇ કરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોબાઇલ રીકવરી વાન સેવા શરૂ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓ ઘર-આંગણે મિલ્કત-વેરો /પાણી ચાર્જીસની રકમ ભરપાઇ કરી શકે તે માટે મોબાઇલ રીકવરી વાન ચાલુ કરવામાં આવેલ છે, કરદાતાઓ પોતાના વેરાની રકમ સ્થળ પર જ ચેકથી ભરપાઇ કરી શકશે અને રીસીપ્ટની કોપી તાત્કાલીક કરદાતા દ્વારા આપવામાં આવેલ વોટસઅપ મોબાઇલ નંબર પર PDF ફોરમેટમાં મોકલી આપવામાં આવે છે.        આજ રોજ માધાપર ગામ વિસ્તાર, વાવડી ઇન્ડ. વિસ્તાર તથા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં બપોરે ૦૧:૦૦ કલાક સુધીમાં કુલ-૧૯ કરદાતાઓએ રકમ રૂ. ૪.૯૭ લાખ વેરો ભરપાઇ કરી આ સુવિધાનો લાભ લીધેલ છે....

હાઇરાઇઝ બિલ્ડીંગનાં સ્થાનિક રહેવાસીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ: ૯૦ જેટલા રહેવાસીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૩/૦૨/૨૦૨૩ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ (૧) સત્યમ હિલ્સ એ + બી + સી, મટુકી રેસ્ટોરન્ટની સામે, વૃંદાવન સીટી રોડ, પુનિતનગર, રાજકોટ શહેરની રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતુ, તેમજ (૨) આત્મીય કોલેજ, કાલાવડ રોડ ના વિદ્યાર્થીઓને કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતે તાલીમ આપવામા આવેલ હતી. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટ ને વધુ વધુ  સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ...

સેન્ટ્રલ ઝોનના અલગ-અલગ રોડ પર મનપાના વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ 

Gujarat
“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૩૧-૦૧-૨૦૨૩ના રોજ સેન્ટ્રલ ઝોનના વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્...

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે અભ્યાસ છૂટી ગયો હોય તેવા વ્યક્તિઓ માટે યોજાશે માર્ગદર્શન સેમિનાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ, કોઈ અગમ્ય કારણોસર નિયમિત શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલીકાઓ તેમજ કામદાર વર્ગના વિદ્યાર્થીઓનો અધવચ્ચે અભ્યાસ છૂટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ૦૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧.૦૦ કલાકેથી સેમિનાર યોજાશે.             આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨માં નિયમિત શાળામાં જઈ ન શકતાં વિદ્યાર્થીઓ, બાલીકાઓ, મહિલાઓ, દિવ્યાંગજનો, કામદાર વર્ગના લોકો ઉપરાંત શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લઈ શકશે અને વધુ માર્ગદર્શન મેળવી શકશે....

ફૂગજન્ય રોગ નથી ઘઉંના પાકની ડૂંડી સૂકાવાની સમસ્યા, કૃષિ યુનિવર્સિટીની સ્પષ્ટતાં

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ઘઉં ગુજરાત રાજ્યનો મુખ્ય શિયાળુ પાક છે પરંતુ આ પાકમાં પિયતનો બીનસમજદારી પૂર્વકનો ઉપયોગ, રાસાયણિક ખાતરોનો આડેધડ વપરાશ, જૂની જાતોનું વાવેતર અને બદલાતા વાતાવરણના કારણોને લીધે રોગનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. તેથી આ પાકમાં પાક સંરક્ષણના પગલા લેવાનું અતિ મહત્વનું બનતું જાય છે. જો આમ કરવામાં ન આવે તો આ પાક જોખમયુક્ત પાક તરીકે જાણીતો છે. ઘઉંના પાક અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કેટલીક સ્પષ્ટતા કરી છે. ઘઉં સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મદદનિશ સંશોધન વૈજ્ઞાનિક ડો.આઈ.બી.કાપડિયાએ જણાવ્યું કે, હાલમાં ઘણાં ખેડૂતમિત્રો દ્વારા ઘઉં પાકમાં ડૂંડીઓ સુકાવા અંગેની સમસ્યાઓ ધ્યાને આવેલ. જે હકીકતમાં ફ્રોસ્ટ ઈન્જરી એટલે કે રાત્રી દરમિયાન તાપમાન ખૂબ જ નીચું જવાથી તેમજ ડૂંડી નિંદલ્યા બાદ રાસાયણિક ખાતરોનો પૂરતા ખાતર તરીકે વપરાશ કરવાથી બનવા પામતું હોય એવું છે. પરંતુ તે કોઈ ...

બન્ની-પચ્છમ વિસ્તારમાંથી પ્રથમ ઉચ્ચશિક્ષણ મેળવનાર યુવતીનું ગૌરવ પ્રાપ્ત કરીને સવિતા મારવડાએ ઉભી કરી મિશાલ

Gujarat
બેટી બચાવો - બેટી પઢાઓ અભિયાનની સાર્થકતા હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         કચ્છના સરહદી વિસ્તાર બન્ની-પચ્છમાં શિક્ષણના અભાવ તથા સમાજમાં પ્રવર્તી પરંપરાઓના કારણે આજેપણ દિકરીઓને પ્રાથમિક અભ્યાસ બાદ આગળના શિક્ષણ માટે ખુબ જ સંઘર્ષ કરવો પડે છે. ખુદના લગ્નના આણાનો સામાન તૈયાર કરવા બાળકીના હાથમાંથી પેન છીનવી લઇને સોય-દોરો પકડાવી ઘરમાં બેસાડી દેવાય છે. આવા રૂઢિચુસ્ત માહોલ અને સમાજની માનસિકતાનો હિંમતપૂર્વક સામનો કરીને સરકારની બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત મળતી વિવિધ સહાય, સ્કોલરશિપ તેમજ પરિવારના સહયોગથી મારવાડા સમાજની સવિતા આ પછાત વિસ્તારમાં ઉચ્ચશિક્ષણ મેળવનાર પ્રથમ દિકરીનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.         અનેક મુશ્કેલી અને લોકોનો વિરોધ સહન કર્યા છતાં આ દિકરીએ પોતાની મહેનત અને ધગશથી ન માત્ર પરીવારને ગૌરવ અપાવ્યું છે પરંતુ આ વિસ્તારની અન્ય દિકરીઓ માટે આગળ અભ્યાસ કરવાનો માર્ગ મોકળો કર્યો છે....

આગામી ૫મી સુધી ભુજ તાલુકાના ખાવડા થી ધોરડો સુધી 754 K રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે કોર્મશિયલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છ જિલ્લાના લખપત-ખાવડા-ધોળાવીરા-સાંતલપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.754 K નું બાંધકામ પુરજોશમાં ચાલી રહેલ છે અને કચ્છ જિલ્લામાં આગામી જી-૨૦ સમિટ ગ્રુપની બેઠકને લઇ પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટ્રાફિક નિયંત્રણ કરવો જરૂરી હોઇ ખાવડાથી ધોળાવીરા સુધીનો ધોરી માર્ગ નં. 754 K બંધ રાખવા માટે કાર્યપાલક ઈજનેર, નેશનલ હાઈવે ડીવીઝન, ગાંધીધામ દ્વારા તા.૨૮/૧/૨૦૨૩ સુધી ભારે કોર્મશીયલ વાહનો પ્રતિબંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ પરંતુ કામગીરી પૂર્ણ ન થતાં અને પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વધુ પાંચ દિવસ એટલે કે આગામી તા.૫મી ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી બંધ રાખવો જરૂરી જણાય છે. જેથી કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા થી ધોરડો સુ...

 કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના ત્રણ કર્મચારીઓની મહામહિમ રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભૂજ પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે મહામહિમ રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે. પસંદગી પામેલ અનિલકુમાર છોટાલાલ ગાંધી – ( સુબેદાર સ્ટાફ ઓફિસર) નં.૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે વર્ષે ૧૯૮૯માં હવાલદાર એકાઉન્ટન્ટની જગ્યા પર ભરતી થયેલ તેઓને વર્ષ-૨૦૦૧માં નાયબ સુબેદાર પ્લાન કમાન્ડરમાં બઢતી મળેલ તથા વર્ષ-૨૦૨૧માં સુબેદાર સ્ટાફ ઓફિસર (વર્ગ-ર)માં બઢતી મળેલ છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો વ્યવસ્થા/ જેલ ફરજ/ રાજય તથા રાજય બહાર ચૂંટણીની ફરજો બજાવેલ છે. હાલમાં તેઓ અત્રેની બટાલિયનમાં ઉપાડ અને વહેંચણી અધિકારીનો હવાલો સંભાળે છે. તદઉપરાંત નાગરિક સંરક્ષણની કચેરી ભુજમાં તાલીમ અધિકારી તરીકેનો વધારાનો હવાલો સંભાળે છે. દ...

સમાજસેવા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કૃત હીરાબાઈ લોબીને રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળા તાલુકાના જાંબુરના હીરાબાઈ લોબીને ગુજરાતનું નામ ઉજાગર કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા છે. આ તકે વેરાવળ પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયાએ હીરાબાઈના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરતાં પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતાં અને ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલ પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનંદન સંદેશ આપ્યો કે, આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર પ્રદાન બદલ આપને આઝાદીના અમૃતકાળમાં “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા તે જાણીને અત્યંત આનંદ સહ ગર્વની લાગણી અનુભવું છું. ગુજરાતના વિવિધ ક્ષેત્રને ઉજાગર કરનારા જૂજ વીરલાઓમાં આપનું અદ્વિતીય પ્રદાન રહ્યું છે. સમાજના ઉત્થાન માટે જીવન ખર્ચી નાખતાં આપના અનન્ય યોગદાન ...

હાઇરાઇઝ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૧/૦૨/૨૦૨૩ ના રોજ (૧) સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ફોર્ચ્યુન સુલેસટિયા અને તા.૦૨/૦૨/૨૦૨૩ ના રોજ (૨) કીંગ લેન્ડ એપાર્ટમેન્ટ, અમિન માર્ગ શહેરની રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટ ને વધુ વધુ  સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ...