Monday, September 7News That Matters

Gujarat

રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત આ સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ : ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ વિધાનસભા ગૃહમાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં અપાતી સબસીડી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી આ સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે. ખેડૂતોના પ્રશ્નો અને તેના સમાધાન ઉપરાંત તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસીડી આપવામાં આવી રહી છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ જામનગર, સુરત અને કચ્છના ૪,૫૭,૩૨૯ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ.૧૭૬૨.૮૦ કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. જામનગર જિલ્લાના ખેતીવાડી વીજ ગ્રાહકોને અપાયેલી સબસીડી અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં બે વર્ષમાં કુલ ૨,૧૭,...

અંજાર અને ગાંધીધામ તાલુકાની વિડી જૂથ પાણી પુરવઠા યોજના એપ્રિલ ૨૦૨૪ સુધી પૂર્ણ કરાશે : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઘર આંગણે જ મળી રહે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાને પણ નર્મદાના નીર પહોંચતા કર્યા છે ત્યારે અંજાર અને ગાંધીધામ તાલુકાની રૂ. ૩૯૮૬.૧૭ લાખના ખર્ચે તૈયાર થનાર વિડી જૂથ પાણી પુરવઠા યોજના આગામી એપ્રિલ-૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરીને પીવાનું પાણી પહોંચાડાશે. આજે વિધાનસભા ખાતે અંજાર-ગાંધીધામ તાલુકાના વિડી જૂથ પાણી પુરવઠા યોજનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી બાળવળીયાએ ઉમેર્યું કે, કચ્છ જિલ્લામાં વિવિધ પાણી પુરવઠા યોજનાઓ તથા નર્મદા યોજના દ્વારા પીવાનું પાણી પહોંચતું કરાય છે. જેમાં ઢાંકી-માળીયા અને અંજાર-ગાંધીધામની ૫૦ કિલોમીટર પાઈપલાઈનના કામો પૂર્ણ કરાયું છે અને ટપ્પર ડેમ દ્વારા પણ પાણી આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર ...

કેસુડા ટ્રેઇલમાં થાય છે વન, પુષ્પ અને રંગોની આલ્હાદક સોબત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ  વહેલી પરોઢમાં તમે એક તરોતાજા પુષ્પ જૂઓ તો તમને કેવી લાગણી અનુભવાય ? પુષ્પની સુગંધ અને તેનો રંગ તમને નાવિન્ય ઊર્જા તો આપશે જ, સાથે તેનો રંગ માનસ પટલ ઉપર ઉંડી અસર પણ કરશે. આ વાત મનોવૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી છે અને રંગોની માનસ ઉપર કેવી અસર થાય છે ? તેની અનુભૂતિ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરમાં કરી શકો છે. કેસુડાના ફૂલથી લથબથ થયેલી વિંધ્યાચલની પર્વત માળાના પૂર્ણબિંદુ એવા કેવડિયા ખાતે ખાખરાના વૃક્ષો ઉપર લૂમેઝૂમે લાગેલો કેસુડો તમને જાપાનના ચેરી બ્લોસમ ઋતુની યાદ કરાવી આપે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે કેસુડા ટ્રેઇલ શરૂ કરવામાં આવી છે. કુલ ત્રણ રૂટ ઉપર આ ટ્રેઇલ ચાલે છે. તેમાં એક રૂટ છે ઝીરો પોઇન્ટ. માત્ર ચાર જ કિલો મિટરનો આ રૂટ તમને કેસુડાના ફૂલો સાથે ગાઢ દોસ્તી કરવાનો મોકો આપે છે. ખલવાણીના ઝીરો પોઇન્ટથી શરૂ થતી આ ટ્રેઇલ ઉપર પ...

એકતા નગર ખાતે લીમડી રૂટની નજરે કેસૂડા ટ્રેલ !

Gujarat
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા! હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ  કેસૂડો ! – ભાગ્યે જ કોઈ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમનની સાથે જ ચારે બાજુ પાનખર ઋતુમાં સૂકાયેલા વૃક્ષો કેસૂડાના કેસરી રંગથી ચિતરાઈ જાય છે. ત્યારે કેસરિયા રંગથી છવાયેલો કેસૂડો અદ્ભુત દેખાય છે. આવા જ મનોહર દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, એકતા નગરના જંગલોમાં. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને અહીંના વિવિધ પ્રવાસન સ્થળો ઉપરાંત જંગલમાં જોવા મળતા કેસૂડાના વૃક્ષો અંગે અસામાન્ય અને રસપ્રદ માહિતી મળી રહે તે માટે રાજ્ય સરકારે એકતા નગર ખાતે કેસૂડા ટ્રેલનું આયોજન કર્યું છે. તેજસ્વી નારંગી ફૂલોના છાંટા એકતા નગરના મનોહર દૃશ્યોને વધારે છે, જે આપણા વડાપ્રધાન ન...

ઇડરના જહીરપુરા ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા ગાયની નિ: શુલ્ક સારવાર કરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જહીરપુરા ગામે વાવાઝોડા દરમિયાન પતરુ ઉડતા ઇજા પામેલ ગાયની પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા નિશુલ્ક સારવાર કરાઇ હતી. ઇડર તાલુકાના જહીરપુરા ગામના વતની આગ્લોડીયા મોહસીનઅલી અકબરઅલીના તબેલાની ખુલ્લી જગ્યામાં પશુને રાખ્યા હતા. અચાનક વાવાઝોડું આવતા પતરુ ઉડવાના કારણે ગાયના પાછળના ભાગના જમણા પગે ગંભીર ઇજા થઈ હતી. તેની જાણ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં ડૉ.એઝાજ મેમણને કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ચકાસણી કરતા ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ડૉ. એઝાજ મેમણ અને ડ્રેસર બલભદ્રસિંહ દ્વારા ૩ કલાકની ભારે જહેમત બાદ સફળતા પૂર્વક ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ગાયનો જીવ બચાવવામાં આવ્યો હતો. ગાયને થયેલી ગંભીર ઇજા માટે નિ:શુલ્ક સારવાર કરવા બદલ પરીવારે પશુ હેલ્પ લાઇન ૧૯૬૨ અને સરકારનો આભાર માનતા જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારની ૧૯૬૨ન...

વડનગર ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહેસાણા મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એટલે જીવતદાનના મંત્ર સાથે અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત ન સર્જાય તેમજ માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટે તેવા શુભ આશયથી વડનગરમાં હોસ્પિટલ આયોજીત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવની સાથે માનવતા પૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે. તેમણે ઉમેર્યું હતુ કે વડનગર સહિત આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે માતા-મરણ અને બાળ મરણનુ મુખ્ય કારણ રક્તની અછત હોય છે,,આવા સમયમાં અંતરીયાળ વિસ્તારમાં સહેલાઇથી રક્ત મળી જાય તો માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો થશે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથ...

મહેસાણામાં સૌ પ્રથમ વાર યોગ અને નેચરોપેથી પરામર્શ શિબિર યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહેસાણા અટલ સ્પોર્ટ્સ સેન્ટર માં મહેસાણામાં સૌ પ્રથમ વાર યોગ અને નેચરોપેથી પરામર્શ શિબિર નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું જેમાં ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનના સભ્ય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કોચ શ્રીમતી જાનવીબેન મનસુરી તેમજ અજીતભાઈ પટેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટ દ્વારા આ શિબિરનું આયોજન કર્યું જેમાં યોગ અને નેચરોપેથી થી કેવી રીતે નીરોગી જીવન જીવી શકાય તે માટે નું જ્ઞાન આપવામાં આવ્યું જેમાં ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનના જનરલ સેક્રેટરી વિજય કુમાર શેઠ તથા અનિલભાઈ ત્રિવેદી જોન કોર્ડીએટર સૌરાષ્ટ્રઅને મહેસાણા શહેર વોર્ડના પ્રભારી ઈમ્તિયાઝ ભાઈ મન્સૂરી કે જેઓ ભાજપા સંગઠનમાં મહેસાણાના જિલ્લાના માઈનોરીટી પાંખ ના જિલ્લા મંત્રી પણ છે તેઓ હાજર રહ્યા અને નેચરોપેથી વિશે ખુબ જ સરસ માહિતી આપી. જેમાં મહેસાણાના એસ.પી અચલ ત્યાગી પણ હાજર રહી લોકોને યોગ ...

ભાવનગરના દિવ્યાંગ ખેલાડી અલ્પેશભાઈ સુતરીયા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર             ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સુતરીયા અભયપ્રસાદ સ્ટેડિયમ ઈન્દોર માં રમાયેલ નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાંથી અલ્પેશભાઈ સુતરીયાએ બ્રોન્ઝ મેડલ જીતીને ચાલુ વર્ષમાં બીજું મેડલ પ્રાપ્ત કર્યું છે અલ્પેશભાઈ ૮૦% દિવ્યાંગતા ધરાવે છે અગાઉ તેઓ ફેબ્રુઆરી માસમાં આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સિલ્વર જીત્યા પણ જીતી ચૂક્યા છે. ઈન્દોર ખાતે રમાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે આ ટૂર્નામેન્ટમાં ભારતમાંથી કુલ ૨૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ટેબલ ટેનિસ એસોસીએશન ઓફ ભારત સરકાર દ્વારા મધ્ય પ્રદેશ એસોસિએશન ના સ્પોન્સરશીપથી આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલ્પેશભાઈ કેટેગરી એમ એસ-૧ માં કુલ નવ પ્લેયર હતા તેઓની વચ્ચે લીગ મેચ રમાયેલી હતી. આ લીગમાં દરેક પ્લેરો સામે રમવાનું હતું જેમાં અલ્પેશભાઈ એ કુ...

ઉમરાળા માનવ સેવા હોસ્પિટલ ખાતે ટીબીનાં દર્દીઓને પોષણકિટનું વિતરણ કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ઉમરાળા તાલુકાનાં ટીમ્બી ગામે આવેલ માનવસેવા હોસ્પીટલ ખાતે ટીબી ના દર્દી ને ઉમરાળા તાલુકામાં ૩૩ પોષણ કીટનું વિતરણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં GIDC પુર્વ નિયામક પેથાભાઈ ડી.આહીર, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેદ્રભાઈ લખાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુઝાનસિંહ એમ.ગોહિલ, ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ પી.આહિર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ ટાંક, રોહિતભાઈ બગદરીયા, ટીમ્બી હોસ્પીટલના ટ્રસ્ટ્રી બી.એલ.રાજપરા અને પરેશભાઈ ડોડીયા તેમજ ટીમ્બી હોસ્પીટલના ડો.રાજપુરા તેમજ તાલુકા હેલ્થ ઓફીસર ડો.પી.એ.પઠાણ હાજર રહેલ....

ભાવનગર જિલ્લાના નોકરીદાતાઓ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી તકો મળે તેમજ નોકરીદાતાઓને કૂશળ માનવબળ મળી રહે તે હેતુસર અનુબંધમ પોર્ટલ: www.anubandham.gujarat.gov.in તેમજ એપ શરૂ કરવામાં આવેલ છે. જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રનાં નોકરીદાતાઓ એટલે કે કંપની/સંસ્થા/યુનિટ/એકમ/કચેરી પોતાની કક્ષાએ ઈન્ટરનેટનાં માધ્યમથી અનુબંધમ પોર્ટલની મુલાકાત લઈ સરળ સ્ટેપને અનુસરી જાતે જ નોકરીદાતા તરીકે નોંધણી કરાવી શકે છે. જે જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રનાં એકમની નોંધણી રોજગાર કચેરી ખાતે રોજગાર બજાર માહિતી એકમ હેઠળ કરાવેલ હોય તેને પણ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરવાની રહે છે. આ પોર્ટલ પર વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતાં રોજગારવાંચ્છુ ઉમેદવારો દ્વારા નોંધણી થતી હોય છે. જેથી આપની કંપની/સંસ્થા/એકમ ખાતે ઉપલબ્ધ જગ્યાઓ અનુબંધમ પોર્ટલ પર નોંધાવી જરૂરી કૂશળ માનબળ મેળવ...